અનંતની યાત્રાAnant ni Yatra
૧૦૮ ઉપનિષદ સિરીઝ · 108 Upanishad Series

ઉપનિષદ સિરીઝ · વિડિયો ૧૨૪

વિડિયો ૧૨૪

લેખ ૧૨૨ / ૧૪૯ · 87 મિનિટ વાંચન · વિડિયો જુઓ ↓

હવેનું આ જે ઉપનિષદ છે એ છે પાશુપત બ્રહ્મો ઉપનિષદ. આ પાશુપત બ્રહ્મો ઉપનિષદ છે તે અથર્વ વેદ સાથે જોડાયેલું છે. એમાં વાલખિલ્ય ઋષિ (આ વાલખિલ્ય ઋષિનો રેફરન્સ આપણા યોગ વશિષ્ઠમાં આવશે) અને સ્વયંભુ બ્રહ્માજી વચ્ચે હંસ સૂત્ર વિશે થયેલી પ્રશ્નોત્તરીનું વર્ણન છે. આ સૂત્ર બની જાય, આમ દેખતાર બની જાય એવી રીતના કરવાનું, એને હંસ સૂત્ર.

આ ઉપનિષદ પૂર્વકાંડ અને ઉત્તરકાંડ એમ બે ભાગમાં વિભક્ત કર્યું છે, વધારે સારી સ્પષ્ટ સમજણ માટે.

પૂર્વકાંડની અંદર સૌપ્રથમ જગત નિયંતા વિશે સાત પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, જેમના ક્રમશઃ ઉત્તર છે. ત્યાર પછી સૃષ્ટિ યજ્ઞમાં સૃષ્ટિ સર્જનથી માંડીને, પાલનથી માંડીને, એના લય થવા સુધીનું જે કંઈ છે, તે બ્રહ્માજીનો યજ્ઞ છે. એમણે યજ્ઞ સ્વરૂપે આખું આ કર્મ લીધેલું છે. તમે પણ તમારા જે કંઈ કર્તવ્ય કર્મ હોય તેને યજ્ઞ સ્વરૂપે કરો એમ કહેવા માંગે છે. જે કાંઈ છે તે તમે કરો છો; સવારથી આમ ઉઠો, નીકળો અને જે જે કાર્યો કરો છો, એ બધા યજ્ઞ સ્વરૂપે છે. એટલું એવું મહત્વ રાખીને પછી તમે કામ કરશો, તમને બોજો પણ નહીં લાગે ને તમે સુંદર રીતે કાર્ય સંપન્ન પણ કરી શકો, શુદ્ધિથી, સૂચીથી, પવિત્રતાથી.

આ સૂચી મુદ્રા છે. સૂચી શુદ્ધ થવું હોય, પવિત્ર થવું હોય, કોઈપણ પ્રકારનો એમ કે જેને નિર્મલ એટલે મળ દૂર કરવાનું આવ્યું હોય, પોઈઝન કંઈ પણ (દૂર કરવું હોય), આ સૂચી મુદ્રા બે મિનિટથી શરૂ કરીને દસ-પંદર મિનિટ સુધી કરી શકાય.

ત્યાર પછી સૃષ્ટિ યજ્ઞમાં કર્તાનું નિરૂપણ, નાદાનું સંધાન યજ્ઞ, પરમાત્માનું હંસરૂપ યજ્ઞસૂત્ર અને બ્રહ્મસૂત્રનું સામ્ય, અને 96 હંસ સૂત્ર, હંસાત્મ વિદ્યાથી મુક્તિ, બાહ્ય યજ્ઞની સરખામણીમાં આંતરિક યજ્ઞની શ્રેષ્ઠતા સર્વોપરી છે. આંતરિક યજ્ઞ જે કરે છે તે અને જ્ઞાન યજ્ઞરૂપ અશ્વમેઘ તથા તારકહંસ જ્યોતિનું વર્ણણ આપ્યું છે.

ઉત્તરકાંડમાં સૌપ્રથમ બ્રહ્મ સંપત્તિનું (બ્રહ્મ છે તે જ શ્રેષ્ઠ સંપત્તિ છે તો બ્રહ્મ સંપત્તિનું), ત્યાર પછી પરમાત્મામાં જગતનો આવિર્ભાવ, માયાજન્ય આત્મજ્ઞાનીની બ્રહ્માત્મતા, સત્ય વગેરે શ્રેષ્ઠ વિદ્યાઓનું સાધનત્વ, આત્મજ્ઞાનીની આવાગમનમાંથી મુક્તિ, બ્રહ્મજ્ઞાની માટે ભક્ષ અને અભક્ષ્ય વિવેકની અનુપયોગિતા (એ એને પછી જરૂરત રહેતી નથી), અને અંતમાં જ્ઞાની દ્વારા પોતાની અંદર બધાનું દર્શન કરવાની સ્થિતિનું વર્ણન કરેલું છે.

આ રીતે બ્રહ્મ વિષયક ગુઢ સિદ્ધાંતોનું આ ઉપનિષદ બહુ જ અદભુત છે. ૐ સહ નાવવતુ સહ નૌ ભુનક્તુ સહવીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ શાંતિ.

એકવાર સ્વયંભુ ભગવાન બ્રહ્માજીના મનમાં એવી કામના થઈ. જો, આ મોટા હોય ને મહાન હોય ને, એ લોકોની કામના પણ કેવી હોય, ખબર છે? લોકોનું કલ્યાણ થઈ જાય, બધાનું સારું થાય, ભલું થાય એના માટેની; એટલે શ્રેષ્ઠ કામનાઓ હોય તેમને થઈ કામના. કેવી? "હું સૃષ્ટિનું સર્જન કરું!" સ્ફૂર્ણા થઈ ગઈ એમ એકદમ, અને એ કામનાથી કામેશ્વર વૈશ્રવણની ઉત્પત્તિ થઈ. પોતે પોતાના સ્વરૂપે કામ નથી કરતા, કે મેં તમને સમજાવ્યું હમણાં, કામ તમે ડેલિગેટ કરી દો. એટલે એમણે પોતાનું એક રૂપ પ્રગટ કરીને એને આ કામ આપી દીધું. પોતે પોતાનામાં જ છે બ્રહ્મની અંદર, સમજાયું? માથે નથી લેતા સૃષ્ટિનું સર્જન બ્રહ્માજી પોતે, પણ અન્ય રૂપને પ્રગટ કરી અને પછી એને કામ આપી દીધું. એને કામેશ્વર વૈશ્રવર્ણ કહેવામાં આવે. એટલે હવે એ જે બ્રહ્મપુત્ર થયો, કોણ? વૈશ્રવણ, બરાબર ને?

કારણ કે એનાથી ઉત્પન્ન થયો એટલે એનો પુત્ર બની ગયો.

ત્યાર પછી બ્રહ્મપુત્ર વૈશ્રવણ (જે પ્રગટ થયો એનું નામ જ વાલખિલ્ય) વાલખિલ્ય ઋષિએ સ્વયંભુ બ્રહ્માજીને પ્રશ્ન કર્યો. એને બ્રહ્માજીને પ્રશ્ન કર્યો કે, "હે ભગવાન, આ જગતની વિદ્યા કઈ છે? દેવતા કયા છે? જાગ્રત અને તુર્યાવસ્થાના દેવતા કયા છે? આ જગત કોને વશ છે? કાળનું પ્રમાણ શું છે? સૂર્ય, ચંદ્ર, ગ્રહો વગેરે કોની આજ્ઞાથી પ્રકાશિત થાય છે? કોનો મહિમા ગગન જેવો વિશાળ છે, તે હું સાંભળવા માગું છું. તે બીજું કોઈ જાણતું નથી, તેથી હે બ્રહ્માજી, તમે જ મને કહો."

સ્વયંભુ બ્રહ્માજીએ કહ્યું, "સમગ્ર જગતને ઉત્પન્ન કરનારી માતૃકા વિદ્યા અક્ષર વિદ્યા છે. અક્ષરનું કેટલું બધું મહત્વ છે, એ સમજો. રોજ આટલું બધું તમે લખો, વાંચો, બધું કરો છો, એ બધું અક્ષર છે. ખરેખર ક્યારેય ક્ષર ના થાય, એટલું બધું એ શાશ્વત ચાલે, તો એ અક્ષર વિદ્યા છે."

હવે વર્ણમાળાના અક્ષરો જે બધા બન્યા, તેમાં એ બે અક્ષર જો જે છે તે હંસથી યુક્ત છે, અને ત્રણ અક્ષર જે છે તે પ્રણવથી યુક્ત છે: 'અ', 'ઉ', 'મ' અને પહેલો 'હંસ'. આ પહેલો જે છે તે હંસથી યુક્ત છે, અને બીજો છે તે પ્રણવથી યુક્ત. બે અક્ષરવાળી અને ત્રણ અક્ષરવાળી ત્રણ વર્ણો સહિત છે, અને ચાર માત્રાઓથી યુક્ત ઓમકાર એ મારો પ્રાણાત્મક દેવતા છે. હા, પ્રાણ છે મારો, કહે છે, એ પ્રાણાત્મક દેવતા.

એકમાત્ર હું જ ત્રણે લોકનો પતિ છું, ભરણપોષણ કરનારો માલિક છું કે ત્રણેયનો. બધા જ યુગો પણ મારા વશમાં છે ને મારા નિયંત્રણમાં છે, કંટ્રોલમાં છે. અહોરાત્ર (અહો એટલે દિવસ, રાત્ર તો રાત છે) વગેરે કાળમાંથી વૃદ્ધિ પામ્યા છે. કાળ હતા તેની ભાગ પડ્યા તો અહો અને રાત્ર એમ થયા છે. સૂર્ય, ચંદ્ર, બધા નક્ષત્રો અને ગ્રહોમાં રહેલું જે તેજ રહેલું છે, તે બધા મારા જ રૂપો છે.

ત્રણ શક્તિથી યુક્ત સત્વ, રજસ અને તમસ રૂપી માયા જે છે, તે પણ મારું જ સ્વરૂપ છે. એટલે માયા જેમ કે કોઈની નથી એવું તમે સમજતા નહીં. એને કોઈ આમ છૂટી મૂકી દીધી છે ને તમે ગમે તેમ બોલી શકો એવું તમારે સમજવાનું નથી, કારણ કે બ્રહ્માજીનું સ્વરૂપ છે. તમે જો એની અવહેલના કરશો તો તમે બ્રહ્માજીની અવહેલના કરી બેસો છો એમ આપણે જાણવું જોઈએ. તો માયાને પણ ઉચિત આદર આપવો કે, "બ્રહ્માજી તમારી..."

માયા અજબ છે, અદભુત છે, અચિંત્ય છે. કોઈ એનો પાર નથી પામી શકતું એવી એમણે માયા રચી કાઢી છે. "બધી મારા સિવાય બીજું કંઈ જ નહીં." બધાની બુદ્ધિ બેરમાં રહી જાય એવી માયા! તમોગુણી માયારૂપ રુદ્ર છે, વિષ્ણુ સત્વગુણી માયારૂપ છે અને બ્રહ્મા રજોગુણી માયારૂપ છે. ઇન્દ્ર આદિ દેવતાઓ તમોગુણ અને રજોગુણ યોગતા છે, એટલે એ લોકોને લડવાઈ જવું પડે છે અને સાથે સાથે એ લોકો પછી ઇન્દ્રના દરબારની અંદર મોજમજા, સંગીત, ગાયન, વાદન, નૃત્ય આ બધું ચાલ્યા કરતું હોય છે. તો એવી રીતના એમાંથી કોઈ દેવતા સાત્વિક નથી. કેવળ અઘોર જ સર્વસાધારણ એટલે કે સામાન્ય રૂપવાળા છે.

અઘોર જે ઘોર નથી તે અઘોર છે. આપણે અઘોરીને જોઈને બીએ છીએ. સામાન્ય રીતે એવું કહેવાય ને કે અઘોરી પણ એ ઘોર છે તો ભયંકર છે, પણ અઘોર છે તો એ ભયંકર નથી, સમજો. એટલે અઘોરીથી તમને ભયભીત થવાનું કોઈ કારણ નથી. સમાજે એમને બધાને આમ જાણે આઉટકાસ્ટ કરીને મૂકી દીધેલા હોય, કોઈ એના વિશે વાતચીત કરવા તૈયાર ના થાય કે ભાઈ, "યાર, બીજી કંઈ વાત કરો ને!" એમ. એવું જે થાય છે તેવું નથી. અઘોરીઓ જે છે, અઘોર છે, તેના એમાંથી આવે છે. લીનીએજમાં તો બધા યજ્ઞોના કર્તા પશુપતિ રુદ્ર છે. પશુપતિ: પશુત્વ જ્યાં છે ત્યાં ત્યાં એને પતિની જરૂરત પડે છે. ગાય, બકરી જે કોઈ હોય તેને કોઈકને કોઈક એને પાલન કરનારો કોઈક જોઈએ છે. ભગવાન વિષ્ણુ અધ્વર્યુ છે, યજ્ઞના અંદાજે મુખ્ય બેઠા હોય, બધું યજ્ઞ કરાવનાર સંપન્ન જે શ્રેષ્ઠ બ્રાહ્મણ જેને કહેવાય, બ્રહ્મને જાણનાર તે ભગવાન વિષ્ણુ છે અને ઇન્દ્ર દેવતા એના હોતા છે.

ઇન્દ્ર પોતે જાણે યજમાન હોય, જનક જેવા તો યજ્ઞ કરાવડાવે અને અધ્વર્યુ કોને બનાવે? તો કે યાજ્ઞવલ્ક્ય જેવાને બનાવે. એ પરંપરામાં પછી આગળ ઉપર આવી રીતે આવ્યું. તો ઇન્દ્રની જગ્યાએ જનક અને એમના જગ્યાએ યાજ્ઞવલ્ક્ય.

મહેશ્વર બ્રહ્મના માનસરૂપ બ્રહ્મ જ યજ્ઞના ભોગતા છે. મહાન ઈશ્વર જે છે તે યજ્ઞના ભોગતા છે. આ આખા આ યજ્ઞનું જે કાંઈ પરિણામ આવે, ફળ આવે તે બધું કોને મળે? મહેશ્વરને પ્રાપ્ત થતું હોય છે. તો એમને સમર્પિત હોય છે આખું તે માનસ બ્રહ્મનું માનસ બ્રહ્મ. હવે બ્રહ્માજીના માનસનું પાછું કોઈ તમારા મારામાં માનસનું નહીં, એવી રીતના સમજો. પણ તમે જ બ્રહ્મા, તમે જ વિષ્ણુ, તમે જ રુદ્ર, તમે જ ઇન્દ્ર, તમે જ અગ્નિ, તમે જ વાયુ, સૂર્ય, ભૂ, ભુવસ્વહ, બધું તમે જ છો ખરેખર. તે માનસ બ્રહ્મનું રૂપ જે છે તે હંસ, સોહમ. આ તન્મયતાની પ્રાપ્તિ માટે જે યજ્ઞ થાય છે તે નાદાનુસંધાન છે. તન્મયતાનો વિકાર જ જીવ છે. જે તન્મય થાય આ બાજુ ને પહેલી બાજુ તે બધો જીવ સંસારમાં તન્મય થાય તે જીવ. આ બાજુ જાય તે બ્રહ્મ થતો જાય. એટલે એક આખો સ્પેક્ટ્રમમાં અહીંયા આગળ આપણને જોવા મળે છે.

હંસ સાધના અને સોહમ સાધના બંને એક જ છે. એક બાજુથી હંસ એ નાદ અને બીજી બાજુથી સો અહમ એવું જે કહેવાય છે તે ભાવ રૂપે પણ "હું તે જ છું." સો અહમ જ્યારે એમ કે એટલે એટલે "હું તે છું, હું તે છું" એમ એ કરે છે. જીવાત્મા એવી રીતના જપે છે અને તે "હું જ છું." સ અહમ, સ અહમનું સો અહમ થયેલું છે. વાસ્તવમાં એ બંને તાત્વિક રીતે જીવ અને બ્રહ્મના એકત્વના બોધક છે. તમે હંસ બોલશો કે સો અહમ બોલશો કે સ અહમ બોલશો, બંનેનો ભાવ અલ્ટીમેટલી એક જ જગ્યાએ પહોંચે છે અને તે તે બ્રહ્મ "હું છું" એમ એ નિર્દેશિત કરે છે. તો હંસ જે છે તે પરમાત્મ સ્વરૂપ છે. આપણે શ્વાસ લીધે રાખીએ છીએ, દીધે રાખીએ છીએ. વાસ્તવમાં આ પ્રત્યેક શ્વાસ જે છે તે શું છે? પ્રગટ પરમાત્મા સ્વરૂપ છે. કાલે જીવ છે જે લે છે. આજે બ્રહ્મ છે. આ બ્રહ્મના અધિષ્ઠાતા પણે હવે એ જીવત્વ પામી ગયો છે ને?

હવે એને પાછા વળવાનું છે. એટલે હવે એને આ પ્રક્રિયા શરૂ કરી છે. કારણ કે જીવ એવો ભાવ નથી કરતો તો કે "હું જીવ છું, હું જીવ છું." સો અહમ એવો ભાવ નથી. જીવ આ કરે છે અને એ પેલા ભાવને પામે છે, બ્રહ્મભાવને પામે છે. પ્રક્રિયા આખી આમ ઉલટી દિશામાં જાય છે કે સંસારમાંથી મુક્તિ માટેની છે આખી વિદ્યા અને એને યજ્ઞ કહેવામાં આવ્યો.

હંસ બાહ્ય અને આભ્યંતરમાં વિચરણ કરતો રહે છે. એટલે તમે જ્યારે પણ હંસ કરો તો બાહ્યકરણની અંદર તો ચાલે જ છે નાસિકાથી આવી રીતના. આ બધા બાહ્યકરણમાં તો ચાલે જ, પણ અંતરંગની અંદર એ હંસ હંસ કર્યા કરે તો કે "તે હું છું, તે હું છું, તે હું છું" એમ સતત એનો બોધ થયા કરતો હોય છે જીવને. અંતરના અનવકાશની અંદર સુંદર પરણો એટલે કે ઈશ્વર પરબ્રહ્મ રૂપે હંસ વિદ્યમાન અંદર બેઠો. પછી એ પ્રગટ થાય ૯૬ તત્વોના તંતુ રૂપમાં જે વ્યક્ત થાય છે. ૯૬ એલિમેન્ટ છે બધા થઈ. ત્રણ સૂત્રો છે. કયા સૂત્રો છે ત્રણ? સત્, ચિત્ અને આનંદ. આ ત્રણ સૂત્ર છે. "જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ" જ્યારે કરો છો ત્યારે ત્યારે તમે તે સૂત્ર સાથે જોડાવ છો. એ ભાવ પકડવાનો અને એ સૂત્ર પકડીને તમે બ્રહ્મરૂપ બનવાના છો આગળ ઉપર. તે ચિન્મય લક્ષણવાળો, ચિન્મય મનની અંદર ચિન્મયતા પ્રગટ કરે, ચિન્મય બનાવે છે એવા લક્ષણોવાળો, ત્રણ ગુણોથી આવૃત, નવ તત્વવાળો, બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરાત્મક, ત્રણ અગ્નિઓથી યુક્ત, ચિદ ગ્રંથિથી બંધાયેલો, અદ્વૈત ગ્રંથિ એટલે કે બ્રહ્મ ગ્રંથિથી યુક્ત, યજ્ઞના સામાન્ય અંગ સ્વરૂપ, બહારથી અને અંદરથી પ્રકાશિત કરનાર, યજ્ઞના અંગરૂપ લક્ષણોવાળું આજે યજ્ઞોપવિત બ્રહ્મ છે તે બ્રહ્મ સ્વરૂપ હંસ છે.

આ યજ્ઞોપવિત અહીં યજ્ઞોપવિતની વ્યાખ્યા બ્રહ્મસૂત્ર રૂપે કરી છે. સ્થૂળ યજ્ઞોપવિતનું નિર્માણ જે ચેતન તત્વોના આધારે કરવામાં આવે છે તેનો ઉલ્લેખ અહીંયા આગળ કરવામાં આવ્યો છે. યજ્ઞોપવિત બનાવવામાં ચાર આંગળ અથવા તેટલા માપની કોઈ વસ્તુ ઉપર કાચા સૂતરના ત્રણ તારને ૯૬ વાર લપેટવામાં આવે છે. ૯૬ ટાઈમ એવી રીતે તે સૂત્રને.

લપેટીને તેના સરખા ભાગે ત્રણ ગણા કરીને ફરીથી વહેંચવામાં આવે છે. આ રીતે એક લડીમાં નવ તાર થાય છે. આખી જે બ્રહ્મસૂત્રની વાત થઈ તેની એવું ત્રણ-ત્રણ દોષવાળું યજ્ઞોપવિત ગુંથવામાં આવે છે અને છેલ્લે પછી એને બ્રહ્મગ્રંથી બાંધવામાં આવે છે.

બીજી બાબતો બહુ સ્પષ્ટ છે. અહીંયા 96 તત્વો જે છે, 96 નો ઉલ્લેખ નથી પણ તેનું સમ-વિશ્લેષણ સ્પષ્ટીકરણ જે છે તે સામવેદના છાંદોગ્ય પરિશિષ્ટમાં આપેલું છે. તે શું કહે છે કે, "પંચવિંશતિ તત્વાનિ ત્રયો ગુણાસ્તિથય: પંચદશ વારા: સપ્ત નક્ષત્રાણિ સપ્તવિંશતિ: કાલત્રયં માસા દ્વાદશ બ્રહ્મસૂત્રં હિ ષણ્ણવમ્." અર્થાત 25 તત્વો, ત્રણ ગુણ, 15 તિથિ, સાત વાર, 27 નક્ષત્ર, ત્રણ કાળ અને 12 માસ – આ બધું મળીને કુલ 96 તત્વો થાય છે અને તેનાથી એક બ્રહ્મસૂત્ર બને છે. આ બ્રહ્મસૂત્ર પકડીને જ બ્રહ્મ સુધી પહોંચી જવાય.

આ બધું કરતાં કરતાં કરતાં કરતાં પણ આ બધાનું આપણને યજ્ઞોપવિત્ર તો પહેરી લઈએ પણ આ બધાનું કંઈક આપણને કોઈ ઉલ્લેખ કરતું નથી, કોઈ ખ્યાલ આપતું નથી, કોઈ સમજણ આપતું નથી. કેવળ ગાયત્રી મંત્રને "ઓમ" કરે ને બસ આપી દેવામાં આવે છે. અત્યારે તો આ જ રીતની પ્રચલિતતા છે, પણ ગુરુકુળમાં જે વિદ્વાન, બ્રહ્મનિષ્ઠ, શ્રોત્રીય ગુરુજનો હતા એ લોકો પોતાના શિષ્યને આ બધી સમજણ આપતા પહેલા અને પછી એને યજ્ઞોપવિત ધારણ કરાવતા હતા.

એટલે જેમ રાજા હોય તો એની પાસે રાજદંડ હોય, યોગી હોય તેની પાસે યોગદંડ હોય, પણ જે બ્રાહ્મણ છે તેના પાસે બ્રહ્મસૂત્ર હોય અને એ બ્રહ્મસૂત્ર એ પોતે જ. એટલે એ આખી જાણે બ્રહ્માંડનો માલિક હોય ને એવી રીતના એક-એક બ્રાહ્મણ એ જમાનામાં ફરતા. એટલો પાવર એમનો. એમનો બ્રહ્મસૂત્ર કોઈ જોઈ જાય એટલે "બ્રાહ્મણ દેવતા, બસ નમસ્કાર." કે પેલા દેવો બધા નથી દેખાતા એ દેવો પછી કહે છે, "તમે પ્રત્યક્ષ દેવ છો સૂર્યનારાયણની જેમ જ અને સૂર્ય તો રોજ પ્રગટ થાય છે પણ તમે તો કોચિત કોક દિવસ દર્શન આપો છો." કે એટલું સન્માન એક-એક બ્રાહ્મણને તે જમાનામાં આપવામાં આવતું.

કોક જગ્યાએ જઈને બ્રાહ્મણ ઊભો રહે ને કોઈ રાજદરબારની અંદર એમ કહે કે, "હે રાજા, આ તારું રાજ્ય હવે તું મને અર્પણ કર." એટલે પેલો બોલ્યા ચાલ્યા વગર ચૂપચાપ આપી દેતો. તો સાચો બ્રહ્મનિષ્ઠ હોય એટલે શું કરે? "રાજા, તે મને અર્પણ કર્યું. હું ખૂબ પ્રસન્ન થયો તારી ઉપર. આ તારું રાજ્ય હવે હું તને પાછું અર્પણ કરું છું અને તું હવે બ્રહ્મરાજ્ય છે એવી રીતના કરીને તું આનું પાલન કરજે પ્રજાનું." બસ પતી ગયું. તો કેવો પણ રાજા હશે ને તો બસ એકદમ લાઈનસર ધર્મનિષ્ઠ બની જાય. એટલો બધો પાવર હતો.

એટલે જ્યારે આ લોકો તપશ્ચર્યામાં નિરંતર રત રહે, પણ એ કાળની અંદર કોઈ એવો લપસેલો હોય રાજા દાખલા તરીકે અને ખબર પડે અને આ લોકોના કોઈ એમાં આવે નિમિત્ત રૂપે તો બ્રાહ્મણ ત્યાં પહોંચી જાય રાજદરબારની અંદર અને પછી આખું આમ પરિવર્તન આવે સમાજની અંદર જબરજસ્ત રીતના. એટલો મોટો પાવર જનરેટ થતો હતો તે વખત. એટલે આવી રીતે આ ઉપવિતના લક્ષણોથી યુક્ત છે. બ્રહ્મસૂત્ર જે છે તે યજ્ઞરૂપ છે. અર્થાત એ બ્રહ્મના પ્રતીકરૂપ છે. એને ધારણ કર્યું છે એટલે તમે બ્રહ્મને ધારણ કરેલો છે એવા ગૌરવ સાથે ફરતા હતા. અત્યારે તો ખાલી બસ આટલું આમ આમ કરે એ બહુ ઓછા લોકો.

તો બ્રહ્મના લક્ષણોથી યુક્ત એવું આ બ્રહ્મયજ્ઞ સૂત્ર છે તે જ બ્રહ્મસૂત્ર છે. એના પાસે આ હોય એટલે તો બહુ "ધન્ય છું, ધન્ય છું" કરતો ફરતો હોય. એટલે યજ્ઞોપવિત્ર અને બ્રહ્મયજ્ઞ બંને પરસ્પર એક જ સ્વરૂપ છે એમ કહેવા માંગે. માત્રાઓ તેના અંગ છે. આ યજ્ઞસૂત્ર જ મનોયજ્ઞનો હંસ છે. મનોયજ્ઞ આ એને ધારણ કર્યું પછી એ મનોયજ્ઞ કર્યા જ કરતું હોય. મનની અંદર એનું આ ચાલતું હોય: "હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું." ચાલ્યા જ કરતું. પ્રણવ બ્રહ્મ યજ્ઞમય બ્રહ્મસૂત્ર છે. જો એ આવી રીતે ભાવ એનો હશે પણ એ વાસ્તવની અંદર અંદરથી એ શું કરતો હશે? નિરંતર "ઓ હર પલ, હર પલ, હર પલ" એક ઓમકાર અને પરમ શાંતિ વર્તાય છે.

જો પ્રણવની અંદર રહેલો હંસ પણ બ્રહ્મસૂત્ર છે. પ્રણવમાં પાછો હંસ રહેલો એટલે ઓમમાં હંસ છે. "ઓ" શરૂઆતની અંદર એને જે લીધો એ "હ" છે અને પછી જે બધું આવે છે તેના અંદર શું છે? "સ" ચાલી રહ્યો છે. એટલે નિહિત છે. હંસ છે તે ઓમકારની અંદર નિહિત છે, પ્રણવની અંદર નિહિત છે એમ કહેવા માંગે. તમે આ કરો કે આ કરો બંને એક જ છે. ભાવ તમારું લક્ષ્ય શું છે? તો કે બ્રહ્મ છે. હંમેશા કંઈ પણ કરો, ચાહો તો તમે ઓમકાર કરો, ચાહો તો તમે હંસનું ધ્યાન કરો.

એટલે બહારથી બ્રહ્મસૂત્રને ધારણ કરવાનો વાસ્તવિક ઉદ્દેશ્ય જે હતો તેને અંતર્વર્તી બ્રહ્મસૂત્રને જાગ્રત જીવંત બનાવવાનો છે. એ આપે એટલે એને કહે છે કે, "હવે તને અધિકાર છે, હવે તને અધિકાર છે કે તું બ્રહ્મ સ્વરૂપ બની જા." "લાયસન્સ ટુ બી બ્રહ્મન" એવી રીતના અને "લાયસન્સ ટુ કિલ યોર સંસાર." તારો સંસાર ભાવ સમાપ્ત કરી નાખ. તું બ્રહ્મભાવની અંદર પ્રવેશ પામી જાય એ ત્યાં આગળે આપતા.

જ્યારે અંતરવર્તી બ્રહ્મસૂત્ર પરિપક્વ અવસ્થાએ પહોંચે છે, હવે જો આ કાયમી નહતું પાછું, ત્યારે બાહ્ય સૂત્રને ત્યજીને સન્યાસમાં પ્રવેશ કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. જો કરવો હોય સન્યસ્ત ધારણ કરવું, અંદરથી સન્યસ્તનો ભાવ ઊભો થઈ જાય આખો કે હું હવે સંસાર ભાવનો ત્યાગ, સંસારનો ત્યાગ નોતો કરવાનો, સંસાર ભાવનો ત્યાગ કરું છું એમ કરીને પોતે બ્રહ્મસૂત્ર છે તેનું વિસર્જન કરે જળની અંદર એવી રીતના અને પછી એ અંતરંગ બ્રહ્મસૂત્ર પોતાના પાસે જ છે, અમે ધારણ કરેલું જ છે એવી રીતના કરીને એના આધારે પછી નિરંતર રહ્યા કરતા. એટલે બ્રહ્મસંધ્યા જે છે એ માનસિક યજ્ઞની ક્રિયા છે. બાહ્ય સ્થૂલ આચમની, પવાલું, તરભાણું બધું રાખે અને પછી.

રોજ સંધ્યાવંદન કરતા એ બધી વસ્તુઓ બરાબર છે, પણ એ માનસિક યજ્ઞની ક્રિયા છે. ખરેખર, એટલે એ કોઈપણ સાધન ન હોય તો પણ, જ્યાં હોય ત્યાં સંધ્યા એને લાગે. એટલે વંદન કરવા બેસી જાય. એટલે સંધ્યા એટલે ખાલી સવારે જ કરવાની એવું નહીં, ચાર વાગ્યે જ કરવાની એવું નહીં, પાંચ વાગ્યે, છ વાગ્યે, સાત વાગ્યે જ કરવાની એવું નહીં. સૂર્યોદય સમયે જ કરવાની એવું જ નહીં. સંધ્યા એટલે પ્રાતઃ સંધ્યા અને સાયમ સંધ્યા એમ બે કરે. એટલે જ્યારે એને આવિર્ભાવ આવે ત્યારે એ પાછો કરે, અંદર માનસિક ક્રિયા કરે. સંધ્યાવંદન કોઈને દેખાય નહીં, પણ એને સંધ્યાવંદન કરી લીધું. પ્રાતઃ સંધ્યા એને કહેવાય. સાયમ સંધ્યા એટલે બ્રહ્મત્વની અંદર હતો બે, અઢી, ત્રણ, ચાર કલાકથી. હવે એને એકદમ કહે છે, "કહું છું, સાંભળો છો?" એટલે એ સાંભળતા પહેલા એ ત્યાં આગળ સંધ્યા કરશે કે, "બ્રહ્મમાંથી બહાર નીકળું છું ભાઈ, રજા આપજે.

આ પૂરું કરીને પાછો આવું છું." ઓલવીને શું? આ ભાવ સાથે એ લોકો સંધ્યાવંદન કરતા હતા. એટલે એવું નહીં કે સૂર્યાસ્ત થાય ત્યારે જ કરવાનું. આટલી બધી તીવ્રતા હતી એ લોકોની. આને તપશ્ચર્યા કહેતા હતા.

બ્રહ્મ સંધ્યા માનસિક યજ્ઞની ક્રિયા છે અને સંધ્યા ક્રિયા એ માનસિક યજ્ઞનું લક્ષણ છે. લોકો બ્રહ્મ સંધ્યાને સ્થૂળ કર્મકાંડના રૂપમાં દોરાવીને પોતાનું દાયિત્વ પૂરું થઈ ગયું છે એમ સમજી લેતા હોય કે, "મારી જવાબદારી પૂરી થઈ ગઈ. મેં સંધ્યા કરી લીધી. હવે આસનને ખીટી ઉપર લટકાવો અને પછી આ જનોઈ પણ કાઢીને આમ લટકાવી દો." એવું નથી. એમ કહે છે, માનસિક યજ્ઞના રૂપમાં તેને જાગ્રત કે વિકસિત કરતા અત્યારે જે થઈ રહ્યું છે, એટલે એ લોકોને શાસ્ત્રોક્ત સંધ્યાવંદનનો લાભ મળતો નથી. સ્થૂળ લાભ કદાચ થોડો મળી જાય, અલ્પ પ્રમાણની અંદર સામાન્ય. એથી વિશેષ કાંઈ થતું નથી. આ જ વાત સંધ્યાવંદનની કરી છે, એ અગ્નિહોત્રને પણ આ જ રીતે લાગુ પડે છે. એની કોઈક વખતે આગળ વાત કરીશ.

જે માણસ યજ્ઞોપવિત, પ્રણવ અને બ્રહ્મ યજ્ઞની ક્રિયાથી સંપન્ન હોય છે, તે જ બ્રાહ્મણ છે. બહમણની વાત નથી. દેવતાઓ બ્રહ્મચર્યમાં જ વિચરણ કરે છે. બ્રહ્મમાં ચરણ કરતો હોય ત્યાં આગળ દેવતાઓ વિચરણ કરે છે. એમ કે કે જે બ્રહ્મમય હોય તેની આગળ પાછળ દેવતાઓના ટોળા હોય. અત્યારે પેલું આમ આમ છાંટે ને એવું ફળે, દેવતાઓ દૂરથી ભાગી જાય. ધરતીના પેટાળમાંથી પેલા શું કહેવાય ડીઝલ, ક્રૂડ ઓઇલ બધું કાઢે ને એમાંથી વળી પાછું કંઈક સુગંધીદાર બનાવે ને બધું કંઈક જાતનું કરે, એટલે દૂર થઈને જતા રહે કે હવે રહેવા દો. દેવતા અપ્રસન્ન થઈ ગયા હોય ને એવું લાગે. હું એટલે હંસ અને યજ્ઞસૂત્રમાં તો યજ્ઞો વિચરણ કરે. યજ્ઞના દેવતાઓ જે પ્રગટ થાય, યજ્ઞમાંથી પ્રગટ થતા હતા દેવતાઓ વન ટુ વન. એટલે દેવત્વ પ્રદાન કરતા. તમે આવી રીતના યજ્ઞ કરીને આમ બેઠેલા હોય એટલે દેવતા પ્રગટ થાય.

તમારી આંખોમાં વસે, તમારા કાનમાં વસે, તમારા ચિત્તમાં વસે. આવી રીતના આ બ્રાહ્મણો બધા આ દેવતાઓને ધારણ કરીને ફરતા હતા. એમનામાં એટલું બધું દેવત્વ, એટલું બધું પાવર હોય કે ના પૂછો. એટલા માટે તે જમાનામાં બ્રાહ્મણો આટલા બધા પાવરફુલ હતા, એટલા બધા શક્તિશાળી કે ના પૂછો. એની સામે કોઈ ના જુએ, આમ બિલકુલ નતમસ્તક. એટલો કોક જમાનામાં એમના પાસે એ પણ એ આંતરિક પાવર, એમની શક્તિ હતી. પ્રચંડ શક્તિઓ. ચાહે તે કરે, ચાહે તે કરે. એવી રીતના એક તણખલું ખાલી આમ મંત્ર હાથમાં લઈને આમ કરીને આમ કરે ને એટલે એ બ્રહ્માસ્ત્ર બની જતું. તમે વિચાર તો કરો, બ્રહ્મનું અસ્ત્ર. અમુક કોઈ એની સામે ના આવી શકે. આખા સર્જનની અંદર કોઈ જગ્યાએ કોઈ દેવતાઓ બધા જ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ હોય તો પણ બધા નતમસ્તક. "બ્રહ્માસ્ત્રની સામે અમારથી ના જોવાય." એટલો બધો પાવર, એટલો બધો રિસ્પેક્ટ, એટલો બ્રહ્મનો હું હંમેશા આદર કરું.

બ્રહ્મ મારો અનાદર ના કરે. આ વાત હતી.

દેવતાઓ બ્રહ્મમાં જ વિચરણ કરે છે. હંસ અને યજ્ઞસૂત્રમાં યજ્ઞો જ વિચરણ કરે છે. હંસ અને પ્રણવ બંને અભેદ છે. ફાઇનલ કહી દીધું હવે તમને કે તમે ઓમકાર કરશો એટલે હંસ એની મેળે થશે અને તમે હંસ કરશો તો પણ ઓમકાર ઓટોમેટિક થવાનો છે. એટલે તમારે મનમાંથી આ વસ્તુ કાઢી નાખવાની જરૂર છે કે હું આ હંસ હંસ સોહમ વાળું કરું કે પછી ઓમ કરું. એક કરશો તો બીજું ઓટોમેટિક થવાનું છે, નિહિત છે અને બંનેનું લક્ષ્ય એક જ છે. તમને આ બે લાગે છે જુદા, વાસ્તવમાં બંને એક જ. તમે એક જ જગ્યાએ પહોંચશો ને. બે રસ્તા નથી, એ બે રસ્તા પણ એક જ છે. એમ કે હંસની પ્રાર્થના ત્રણેય કાળમાં કર, ત્રણેય સમયમાં કરવામાં આવે છે. હંસની પ્રાર્થના ત્રણ કાળ, ત્રણ વર્ણ, અકાર, ઉકાર અને મકાર રૂપ છે. આ યજ્ઞ ત્રણ અગ્નિના અનુસંધાનથી થાય છે. તમે જ્યારે ઓમ કરો છો ત્યારે ત્રણ પ્રકારના અગ્નિ તમે પ્રગટાવો છો.

ત્રણ અગ્નિરૂપ આત્માની આકૃતિ અને અક્ષરવાળા ઓમકારનું રૂપ હંસનું અનુસંધાન એ એનો અંતર્યજ્ઞ અને આવી રીતે મોટેથી બોલી શકાય, પણ એ લોકો આંતરિક અંદર બોલે. કોઈને સંભળાય પણ ન પણ સાચો આવીને આમ સૂઈ ગયો હોય ને તમારા ઘરની અંદર રાત્રે, તો તમારા આખું ઘર ગુંજતું હોય. તમને બધે ઓમકાર જ સંભળાય. એવો એની વાત છે. આને કહેવાય તપશ્ચર્યા. ત્યાં પહોંચવાનું છે. ચિત્ત સ્વરૂપમાં તન્મય થવું. ચિત્ત સ્વરૂપ, સ્વરૂપ જે છે તે ચિત્ત સ્વરૂપ છે. તેમાં તન્મય થવું તે તુર્યાવસ્થાનું સ્વરૂપ છે. સ્વરૂપ જે છે તેની અંદર બસ આમ એકદમ પોતાની ચિતિ ત્યાં ચેતના બધી આમ સ્થિર થઈ ગઈ, એક રૂપ થઈ ગઈ હોય, બસ તો એને કીધું એ તુર્યા અવસ્થા અને પછી કોઈ બાહ્યભાન કશું હોય નહીં. આવા પ્રકારનું એને સ્વપ્ન ના આવે. તે વખત જે તુરિયામાં હોય તેને સ્વપ્ન ના આવે. એ ક્યારેય સુષુપ્તિમાં ના જતો રહે.

તુર્યા અવસ્થામાં હોય ને કોઈ આઘાત પ્રઘાત થાય, કશું થાય તો એવું.

"કોબમ ના જતો પોરે અને કશું ના થાય. બ્રહ્મને કંઈ ના થાય અને બ્રહ્મને કોઈ કશું કરી પણ ના શકે, એટલો પાવર અંતરના આદિત્યમાં. જો સાંભળો, શું કહે? આદિત્યમાં, અંતરના આદિત્યમાં, અંતરની અંદર તમારે આદિત્ય એટલે સૂર્ય ભગવાન જેમ પ્રગટ છે ને અહીંયા બહાર, એસન બિલકુલ એવા એની અંદર હંસ એ જ્યોતિ રૂપે રહેલા છે એમ કહે છે. આમ કરીને આમ તમારે આમ જોવાનું, તો ત્યાં તમને અંદર અંતરની અંદર આદિત્ય દેખાય ને આદિત્યની અંદર પાછું તમારે જ્યોતિરૂપ જોવાનું, પ્રકાશ એનો જે છે તે એને જોવું.

યજ્ઞનું અંગ એટલે યજ્ઞોપવિત. એ બ્રહ્મ સંપત્તિ તમારી મહા અનમોલ મૂડી જેને કહેવાય તે આ છે. તમારા પાસે યજ્ઞોપવિત્ર છે એમ? ઓહોહો! તમે તો બધા દુનિયાના બધાય રાજા-ધીરાજો એક બાજુ, તમે એકલા એક બાજુ. જેના પાસે બ્રહ્મ સંપત્તિ હોય એની પાસે શું ના હોય એમ? શું ના કરી શકે? ચાહે તે કરે. જબરજસ્ત!

અમે એક એ સાંભળેલી એટલે અમારા વાંચનમાં પણ થોડુંક આવેલું. તમને નાનકડી એક આડ વાત કરી દઉં. મત્સેન્દ્રનાથ અને ગોરખનાથની તમને ખબર? બંનેના નામ તમે બધાએ સાંભળેલા. હવે મત્સેન્દ્રનાથ છે, મત્સ્યમાંથી આવેલા એટલે મત્સેન્દ્રનાથ કહેવાતા. અને ગૌરક્ષ એટલે ગાયના છાણના ઢગલામાંથી પ્રગટ થયેલા હતા એટલે ગૌરક્ષનાથ કહેવાય. એ શિવ સ્વરૂપ અને ગૌરક્ષનાથ એ વિષ્ણુ સ્વરૂપ પાછા. બંને તો ગુરુ-શિષ્ય. બે જણા આમ જતા હતા. જતાં જતાં એક આખી વાત છે એની તો. રાજ દરબારની અંદર ત્યાં આગળે મત્સેન્દ્રનાથ જતા રહેલા અને કોઈકના રાણી સાથે રહેતા હતા ને આનંદ કરતા હતા ને આવું બધું હતું. એટલે બધા નાથો જે હતા એમના શિષ્યો બધાને ટેન્શન થઈ ગયું કે યાર આપણા ગુરુજી આવું કેવું કરવા માંડ્યા છે કે ભોગવિલાસમાં ક્યાં પડી ગયા? પણ આખી વાત જુદી.

એટલે એ ત્યાં આગળે ગયા પછી એને પુત્ર સ્વરૂપે જે કોઈ હતું એને કોકને વરદાન આપવાનું હતું, જે કંઈ હતું એ બધું કાર્ય પૂરું કર્યું. ને પછી એમને પેલા રાણી હતા તો કે, "હવે હું એમને એમ તો ના જવા દઉં. રાણી છું રાજ્યની, બરાબર? અને તમે તો એમ કે પતી ગયા મારા." એટલે પછી આમ કોથડો ભરીને સો સોનું આલ્યું એને કે, "લો ભઈ, આ તમે રાખજો કે તમારી પાસે." તે પેલાએ આપ્યું એટલે આમને સહજ ભાવે લઈ લીધું. લઈને પછી આમ જતા હતા બે જણા એટલે પેલું હાથમાં વજન ખરું ને એટલે એમને મત્સેન્દ્રનાથને ચાલવામાં થોડી તકલીફ પડે. તે તકલીફ પડતી જ હોય. એટલે ગૌરક્ષનાથને એમ થયું કે, "તમે આ મને આપી દો એવું હોય તો, એટલે તમે સારી રીતે ચાલી શકો." ત્યારે પેલા એને કહે છે કે, "આ તો તને નહીં આપવું." એમ કરે. દર વખતે આવું કરે. ઘણો લાંબો કાળ ચાલ્યો. ત્યાર પછી કે, "ગુરુજી, તમારાથી બરાબર ચલાતું નથી આ વજનના કારણે.

એટલા માટે હું કહું છું, આ તમારું જ છે, હું તમને પાછું આપી દઈશ." કે, "ના ના, તારો ભરોસો નહીં." કે જેવું એવું એવું કીધું એટલે ગોરખનાથ જે હતા ને તે તેમણે કીધું, "ભલે તમે તમારું સોનું રાખો તો મારી પાસે કે સોનામોરો. અને કે હું આવું કે લઘુશંકા કરવા જવું છે." તો ત્યાં ઊભા ઊભા જ એમણે લઘુશંકા કરી જે પહાડ ઉપર કરીને આખો પહાડ સોનાનો થઈ ગયો. આ બ્રહ્મનિષ્ઠ જે હોય ને શું કરી શકે છે જો! એ આખી આલકેમી, માટીમાંથી સોનું એમણે પ્રગટ કરી દીધું એકદમ એટલા માત્રથી. એટલે કે, "હવે તમારે જોઈતું હોય તો આ પણ લઈ જાવ કે પહાડું પાડીને કે હું તો એને અહીંયા જ મૂકીને જવાનો છું." આ વાત એટલે આટલી પણ લાલચ ના હોય એમ કહેવાનો મતલબ. તે આવું કરી શકે. આલકેમી ચેન્જ. સો તો એકદમ હીરાની ખાણ ખોલી નાખે તમારા માટે. "જાઓ કે ત્યાં જઈશ ને એટલે તને જોવે એટલા કે ઠોકર મારીશ ને એટલા તને મળશે કે હીરા." જતો રહીએ ત્યાં.

પણ એ તમે જાવ જુઓને તમારી અંદરથી લાલચ તૂટી જાય સંપત્તિ માટેની, પૈસા માટેની. એના માટે થઈને એ લોકો આવું બધું કરતા હતા. તો બે ગુરુ-શિષ્યએ બંને એકબીજાની પરીક્ષા કરી લીધી.

ની અંદર એટલે તપશ્ચર્યનો માર્ગ ક્યારેય સહેલો હોતો નથી. પ્રતિપળ તમારી પરીક્ષા થયા જ કરશે. અહીંયા પરીક્ષક જે છે ને એ વ્યવસ્થિત છે. પળે પળે તમારી કસોટી. કસોટી એટલે આમ પેલો આમ આમ કરે ને કસોટી પત્થર ઉપર સોનું ઘસે છે ને સાચું છે કે નહીં એમ. એમ તમને ઘસવામાં આવે છે દર વખતે. શું? કોઈપણ સંજોગ સાથે તમને ઘસે પછી અને પછી ચેક કરે કેટલે પહોંચ્યું? કેટલા ટકા? તમે એમ કહો કે આ આ બધું આખો પાવાગઢ સોનાનો, બધી વાત સાચી પણ મારે કેટલા ટકા? તમે જેવો એ ભાવ ધારણ કર્યો એટલે તરત કહેશે કુદરત કે, "બસ, હવે તું જા આગળ." કે પણ પછી એને ક્યારેય કોઈની સામે આમ હાથ લાંબો ના કરવો પડે. એની જરૂરિયાત તો સહજપણે કુદરત પૂરી કર્યા જ કરે, કર્યા જ કરે. કે જંગલમાં ઊભો હોય ને તો બેસવાની ઈચ્છા થાય તો કોક આવીને ઊભો રહી જાય, "લો, સિંહાસન પર બેસો." કે ખુરશી ના મળે રોયલની કે આવી કોઈ પ્લાસ્ટિકની કે એવી કોક સિંહાસન લઈને પ્રગટ થાય કે, "પ્રભુ, બેસો તમે અહીંયા." એવો પાવર.

પણ બધું અંદરથી આમ મુક્ત થઈ ગયો હોય, બ્રહ્મ સ્વરૂપમાં હોય તેના માટે છે આ બધું. એને લાલસા નથી કે મને બેસવા કોક મને કંઈક આપે આમ તેમ. કશું કાંઈ ઈચ્છા નથી. સહજ આકાશ સ્વરૂપ બનીને રહી ગયેલો. બસ.

તો આવી રીતના યજ્ઞનું અંગ જે છે તે જ બ્રહ્મ સંપત્તિ છે. તેથી બ્રહ્મ પ્રાપ્તિ માટે પ્રણવરૂપ હંસ સૂત્રથી ધ્યાન કર્યા કરવું જોઈએ. સતત અવિરતપણે કર્યા. સવારમાં અડધો કલાક કરી લીધું ને ધન્ય થઈ ગયા એવું નથી. સારું છે તમને નતા કરતા એના કરતા અડધો કલાક કરવા માંડ્યા, પણ આ નિરંતરનું અનુસંધાન કરવાનું છે બ્રહ્મનું. કારણ કે અહીં તમે જીવ ભાવે છો, ત્યાં બ્રહ્મભાવમાં તમારે લીન થવાનું છે. એટલે એ અનુસંધાન તમારે વારે વારે કરવું પડે, હર પલ, હર પલ, હર પલ બ્રહ્મ એવી રીતે. હવે બ્રહ્મપુત્ર ઋષિ વાલ્ખિલ્ય ફરી સ્વયંભુ મનને પૂછ્યું."

આ બ્રહ્માજીને કે હંસ સૂત્રોની સંખ્યા કેટલી છે અને એનું પ્રમાણ શું છે? જો સાબિત આપો કે ફાધરને કહે છે ઋષિપુત્ર, એનું પ્રમાણ શું? ત્યારે કહે, "સાંભળો." હવે બ્રહ્માજીએ ઉત્તર આપ્યો છે, "હૃદય આદિત્યના 96 કિરણો છે." ઉપર 96 આવ્યા હતા ને ગણતરી? "હૃદય કિરણના 96 કિરણો છે. જ્ઞાનસૂત્ર અને ગ્રાણમાંથી સ્વહિત નીકળનારી પ્રણવની આધારરૂપ તે 96 આંગળની હોય છે." 96 આંગળ ગણતા જાવ આમ એટલે શોધીને બ્રહ્મસૂત્ર ચાલે, એ તમારો હંસ ચાલે ને? 96 ડાબા બાહુ, ખભા અને જમણી બાજુએ કમરના અંતની મધ્યે હૃદયના ક્ષેત્રમાં પરમાત્મા હંસનો નિવાસ છે. એટલા માટે આમ ધારણ કરવામાં આવે છે, ક્યારેય આમ ધારણ નથી કરવામાં આવતી. સમજાય છે? તે બ્રહ્મનો ગુહ્ય વિષય છે જે બીજે ક્યાંય જાણી શકાતો નથી. અહીંયા આગળે એટલે આ સેન્ટર પોઈન્ટમાં બ્રહ્મ જે છે તે રહેલો છે.

જેમને અમૃતત્વની પ્રાપ્તિ થઈ છે તેવો સર્વકાળ પ્રકાશક હંસને જાણે છે. અમૃતત્વ, અમૃત તત્વ કયું તત્વ છે? બ્રહ્મ તત્વ છે. એ શાશ્વત છે ને? એટલે જે બ્રહ્મમાં પ્રવેશ પામી ચૂકેલો છે તેવો સર્વકાળ હંસને જાણે છે. જાણે છે એટલે બસ આ ચાલે છે હંસને. આ હંસ છે એને બસ એ આમ જાણે છે, નિરંતર એમાં છે એમ કહે છે. "પ્રણવરૂપી હંસનું અંતરધ્યાન કર્યા વિના મુક્તિ પ્રાપ્ત થતી નથી." કોઈપણ રીતે તમારે આ પ્રણવરૂપી હંસનું અંતરધ્યાન છેવટે ઊભું થશે, થશે અને થશે અને ત્યાર પછી જ મુક્તિ પ્રાપ્ત થાય. "રંગાયેલા નવ સૂત્રોવાળા આ બ્રહ્મસૂત્રને ધારણ કરનાર બ્રહ્મમાં વિચરણ કરે છે." તે અંતરમાં સ્થિત આદિત્યનું મનુષ્યને જ્ઞાન થતું. મનુષ્યત્વ તમારે ત્યજવું પડશે ત્યારે જ આ બ્રહ્મસૂત્રને ધારણ થશે અને પછી તમે એવી રીતે કરી. જનોઈ તો એમ પેરી લેવાય, બરાબર છે?

ઈટ મીન્સ નથિંગ.

"આદિત્ય જગતને પ્રકાશિત કરે છે તે જાણીને બુદ્ધિમાન મનુષ્યો તપ અને પ્રાર્થનાનું આચરણ કરે છે." તપ જે છે તે આચરવાનું છે અને પ્રાર્થના પણ આચરણમાં લાવવાની છે. આચારશુદ્ધિ માંગે એમ જ પ્રાર્થના કરી નાખી તેનાથી આચારશુદ્ધિ નથી થતી હોતી. ક્ષણભર માટે તો એ અલ્પલાભ આપશે. નિષ્ફળ ક્યારેય હોતું નથી કશું એટલે એનુંય ફળ તો આવશે જ. પણ જે એ શ્રેષ્ઠ ફળ જે છે તે શું છે? તો કે બ્રહ્મપ્રાપ્તિ, બ્રહ્મ સાથે એકરૂપતા, એકતા અને અભેદતા. "હું બ્રહ્મ છું." બ્રહ્મ અને ખાલી બોલવાનું નથી આમ અનુભવતો હોય એટલે આમ થાંભલો પકડીને તમે ઊભા રહો ને પ્રહ્લાદની જેમ તો તરત જ આમ ખબર પડે કે મહીં નરસિંહ ભગવાન છે. આ રહ્યા કે છે પ્રહ્લાદ એટલે કહી શકતા હતા કારણ કે એ પોતે બ્રહ્મમાં ઓલરેડી હતા. અસુરપુત્ર હોવા છતાં પણ પ્રહ્લાદજી અસુરપુત્ર હતા એટલે પણ અસુર હોય કે અસુરપુત્ર હોય એટલે ખોટો જ નીકળે ને ખરાબ જ નીકળે એવો પણ કોઈ નિયમ આપવા જ છે.

પ્રહ્લાદજી તમે જુઓ, બલિરાજા આપવા જ છે. શુક્રાચાર્યને અસુરોના ગુરુ તરીકે સ્થાપિત કર્યા હતા. એમને ખરેખર તો બૃહસ્પતિ બનવું હતું પણ બ્રહ્માજીએ કીધું કે ભાઈ વિધાન આ છે એટલે તમારે તો અસુરના ગુરુ બનવાનું. પણ નિષ્ઠા કેટલી છે એમની તમે જુઓ શુક્રાચાર્યની. અસુરોને હંમેશા એ મદદ કરવા માટે તત્પર જ રહે છે. જાણે છે કે આ લોકો બધા ઊંધું કરી રહ્યા છે, દેવોની સામે પડે છે, યુદ્ધો કરે છે, આટલું બધું અત્યાચાર કરે છે, બધું હિંસા કરે છે, બધું કરે છે. જાણે છે તેમ છતાં એ બધાની અસુરોની હેલ્પ કરે. એમનું શું છે મેન્ડેટ? અસુરોને આવી રીતના કરવાના, આમના સામે જ ભટકાવાના, લડાવાના બધુંય કરવાનું અને દેવો સાથે લડાઈને પહેલા લોકોને મુક્તિ અપાવતા જવાનું, અસુરત્વમાંથી મુક્તિ અપાવવાની. બોલો, કેટલો ઊંચો મેન્ડેટ છે તમે વિચાર કરો. જેને ખરેખર બૃહસ્પતિ બનવું છે એટલા માટે બૃહસ્પતિ દેવોનો ગુરુ છે.

બૃહસ્પતિ હોય તો બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ પણ એને નમસ્કાર કરે. સામસામ છે ને પરસ્પર દેવોભવ. એવા આ શુક્રાચાર્યજીને આવું કરવું પડે તમે વિચારો.

"વાજપેય યજ્ઞ એટલે પશુહરતા." વાજપેય યજ્ઞ જે કરે એના પશુત્વનું હરણ થાય છે. એનામાં જે કાંઈ પશુત્વ હોય એ જાય એમ કહે છે. "આ યજ્ઞના અધ્વર્યો અને દેવતા ઇન્દ્ર છે. આ અહિંસાત્મક ધર્મ યજ્ઞ છે." જો અહીંયા કહી દીધું છે એટલે અહીંયા કઈ બલિ આપવાના પહેલા પશુઓના એવું નથી. પશુત્વનું બલિ આપવાનું અહીં બહુ સ્પષ્ટ કરી દીધું છે. "એના અધ્વર્યો પરમહંસ છે, પરમાત્મા અને દેવતા એના પશુપતિ છે." "વેદ અને ઉપનિષદમાં જે બ્રહ્મનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે પરમાત્મ તત્વની આસ્વાધ્યાય યુક્ત બ્રહ્મજ્ઞાનીઓ ઉપાસના કરે છે." ઉપાસના કરે, ઉપાસના કરે હંમેશા. "મહાયજ્ઞનું જ્ઞાન જે છે તે જ અશ્વમેઘ યજ્ઞ." આપણે સામાન્ય રીતે એવું જોઈએ છે પેલો ઘોડો છૂટો મૂકી દે એક વર્ષ સુધી ને પછી બધો ચક્રવર્તી બને, બધા ખંડણીઓ આપે. વર્ષ પછી એ પાછો આવે ને પછી યજ્ઞની વિધિ પૂરી કરે.

એ અશ્વમેઘ મહાયજ્ઞનું જ્ઞાન એ અશ્વમેઘ યજ્ઞ મહા તે રાજાથી મહાયજ્ઞના આશ્રયથી જ્ઞાનીજનો બ્રહ્મચર્યનું આચરણ કરે છે અને પૂર્વે કહેલો બ્રહ્મયજ્ઞનો કર્મ એ મુક્તિનો ક્રમ છે. બ્રહ્મયજ્ઞ કરવાનો છે.

ફરી પૂછ્યું, "બ્રહ્માજીએ કહ્યું કે હંસરૂપી ઋષિ, ઋષિ એટલે કે જ્ઞાનનું પ્રાગટ્ય થયું છે." જો બ્રહ્માજીએ કહી દીધું કે હંસ ઋષિ રૂપે પ્રગટ થઈ ગયેલા અને સ્વયંભુ તિરોધાન પામ્યા. તિરોધાન પામ્યા એટલે એમનું અજ્ઞાન બધું નષ્ટ થઈ ગયું, જે કઈ એમની શંકાઓ હતી બધી દૂર થઈ ગઈ. "આ બ્રહ્મોપનિષદમાં જેનું વર્ણન થયું છે તે હંસજ્યોતિ એ જ રુદ્ર છે, તે જ સંસાર તારક પશુપતિ પ્રણવ સ્વરૂપ છે એમ જાણવું જોઈએ." આ પૂર્વકાંડ અહીંયા પૂરો થાય છે. હવે ઉત્તરકાંડમાં આગળ વાત. "હંસનો જપ જે છે તે વર્ણબ્રહ્મ છે એટલે કે અક્ષરબ્રહ્મ છે." દર વખતે "હ" અને "સ", "હ" અને "સ" ચાલ્યા જ કરે છે. એનાથી શું?

થશે બ્રહ્મ પ્રાપ્તિની પ્રેરણા મળે છે. જેટલું તમ બધા વધારે કરશો, એટલું તમને વધારેને વધારે પ્રેરિત થશો કે હવે તો બસ હું પહોંચી જ જઈશ બ્રહ્મની અંદર. અંદરથી આમ તમને આમ એવું શરૂ થઈ જશે. એક સમય સુધી જો આ ચાલુને ચાલુ રહ્યું, તો તરત ખબર પડશે તમને. પછી બાકીનું કશુંન કોઈ મહત્વ રહેતું જ નથી. બસ, એમાં ને એમાં જ લીન રહેવાનું. આમ તમને એમ થાય કે બસ, આ બરાબર છે. આજ કર્તવ્ય. આ બ્રહ્મ જ પરમાત્મા છે અને પુરુષ છે અને તે બ્રહ્મ સંપત્તિનો કારક છે. "બ્રહ્મ સંપત્તિ એકઠી કરો," એમ કહે છે.

મનુષ્યમાં આવ્યા તો છો, પણ તમારી પાસે તક છે. વેળફી ના દેશો ટ્રિવિયલ મેટર્સની અંદર, ગૂચવાઈ ના જશો; કારણ કે કસોટીના પથ્થર પર તમને સંજોગો રૂપી ઘસવામાં આવશે. એટલે એ તો આવશે. કેટલા તૈયાર થયા? તમે એમ કરો કે "મેં છ કરોડ હંસ જાપ કરી દીધા છે." તમે એવું જેવું બોલ્યા, બધું "ભસ્મી ભૂતાય સ્વાહા." કશો અર્થ રહેતો નથી. એ ક્યારેય ડીકલેર ના થવી જોઈએ. બ્રહ્મ સંપત્તિ અતિગુપ્ત, અતિગુપ્ત હોય.

જે મનુષ્ય અધ્યાત્મ જ્ઞાનથી બ્રહ્મ સમાન થઈ ગયો છે, એના વિશે શું કહેવાનું? જ્ઞાનીજનો બ્રહ્મજ્ઞાનની કાંતિ અને બ્રહ્મ સંધ્યામાં જ સમય વ્યત કર્યા કરે છે. જો, અહિંયા બ્રહ્મ સંધ્યાનો કોઈ સમય નથી કીધો. બધો સમય એ સંધ્યા જ કર્યા કરતા હોય, બ્રહ્મ સંધ્યા કર્યા કરતા હોય. આવી ગયું. હંસ નામનો દેવતા જ્યારે દેવાત્મા બની જાય છે, ત્યારે આત્મતત્વમાંથી બીજું કેવી રીતે? એટલે દ્વૈત ક્યાંથી પ્રગટ થાય? પેલો તાર થઈ ગયો હોય બ્રહ્મસૂત્ર પકડીને. બિલકુલ, "હંસ હંસ ઓમ" વોટએવર, પણ એવી રીતે બસ એની અંદર જ હોય, ટીકી લગાડીને. બરાબર. પણ નો એવો જ અંતઃકરણમાંથી નીશરૃત. તમે શરૂઆત કરશો જ્યારે, ત્યારે તો તમે મોટેથી પહેલા તો "હંસ હંસ" બોલશો. પછી મનમાં થશે. પછી ધીમું ધીમું ધીમું ધીમું કરતાં કરતાં છેવટે શું સ્થિતિ હોવી જોઈએ? તો કે અંતઃકરણમાંથી નિશૃત થશે પ્રણવ, જેમ પાળમાંથી ઝરણું ફૂટે છે એવી રીતના.

અમે હમણાં ક્યાં ગયા હતા? ટપકેશ્વર મહાદેવ હતા. ટપક ટપક ટપક. આખી શિલાઓમાંથી પાણી એટલું બધું ટપક્યા કરે. આપણને ઘણી વખતના હોય, જો, પહાડોમાંથી પાણી મળે છે આપણને. આ પહાડ પથ્થરમાંથી પાણી નીકળે છે. બોલો, કેવી મજાની વાત છે! પહાડો બધા શું છે? પથ્થર છે. એ પથ્થરોમાંથી પાણી નીકળે એટલે અને અમે તો ત્યાં જોયું, એટલું ટપકેશ. ટપક ટપક ટપક ટપક પાણી નીકળ્યા જ કરે, નીકળ્યા. એટલો મોટો વિસ્તાર બધો પાણી પાણી. અને એ બધું પાછું ટપકા ટપકા ભેગા થયેલું પાણી આમ કરીને આમ નીચે આવે. એ આગળ જાય એટલે પણ નાનું ઝરણું બની જાય અને સતત ચાલ્યા જ કરતું.

અંતઃકરણમાંથી નિશૃત પ્રણવ નામનો હંસજ્ઞાનનો બોધ કરાવનાર, એ જે ચાલશે ને, એ જ તમને બોધ કરશે. જ્ઞાન બ્રહ્મ વિશેનું તમને આમ અનુભવ આપશે," એમ કહે છે. અંતરમાં અનુભવ ગમ્ય છે. પ્રમાણ બુદ્ધિમાં ગુળ એવો તે જ્ઞાનને નાળ રૂપે સોપે. એ ત્યાં રહેલો છે, એ છે જ, પણ તમને જડશે જ્યારે તમારું આ પરિપક્વતા થશે. ક્યારે? અંતઃકરણમાંથી આમ ઝરણું વહેતું હોય જેમ પારમાંથી, એવી રીતના તમારે "હંસ હંસ" ઓટોમેટિક ચાલે, આજ કરે, ચાલે અને તમે એમાં લીન હોય. બરામર. કેટલી સુંદર વાત છે!

શિવ શક્તિ આત્મક તે ચિન્મય આનંદ રૂપે જ્ઞાન થાય છે. નાદબિંદુ અને કલા, એ ત્રણ નેત્રથી આ સમગ્ર જગત ચેષ્ટાયુક્ત થયું છે. નાદ, બિંદુ અને કલા — ત્રણથી આ જગત જે છે, તે હરકતમાં આવ્યું છે. નતો તો જળ જગત હોત, કેવું? ચિત્રમાં દોરેલું હોય એવું. પણ આ ત્રણ જેવા પ્રગટ થયા એટલે પછી એ બધું જીવંત થઈ ગયું હોય એવું આપણને લાગે છે. એટલે અવાજ, કલા અલગ અલગ: "૧૬ કલા, ૧૬ કલા, ૬૪ કલા," એ તમે જે કહો છો. બિંદુ, નાદ, બિંદુ અને કલા. બિંદુ જે છે, તે જ મુખ્ય બાબત છે. ઉપર જે ટપકું છે, એ પ્રકાશનું બિંદુ છે. એ બ્રહ્મનું બિંદુ છે. એમાંથી બધું જ થાય છે અને બધું જ એમાં સમાય.

તમે વિચાર કરો, ટપકું ગોળ કેમ? બિંદુ ગોળ જ કેમ? આમ સીધી લીટી દોરીને એને કેમ બિંદુ નથી કહેતા? તો જે કાઈ આમ પ્રગટ થાય છે, એ બધું એમાંથી નીકળે અને જ્યારે જાય છે ત્યારે પણ એમ. આ સાયન્ટિસ્ટ તો પેલું શોધેલું છે મોટું બ્લેક હોલ, બરાબર? તો બહુ મોટું હોલ હોય. દાખલા તરીકે, કોક પૃથ્વીમાંય કોક જગ્યાએ આવો મોટો પડેલો છે હોલ, કે છે. કેટલો ઊંડો છે, ખબર નથી. પણ એ જે બ્લેક હોલ હોય, તેને પણ તમે અમુક અંતરથી જુઓ. દાખલા તરીકે, અમુક પ્રકાશ વર્ષ દૂરથી તમે જુઓ, તો તમને કેવું લાગે? બિંદુ અને ગોળ જ દેખાય. એટલે દૂરથી જુઓ તો પણ તમને એવું અને પછી નજીક જાવ તો કેટલું મોટું થાય! બધા બધા ગ્રહોને ગળી જાય એટલું મોટું હોય અને ક્યાં ગયા, ખબર નથી કે બોલો! એટલે એના વડે આખું જે જગત છે, એ ચેષ્ટાયુક્ત છે. એ બિંદુ છે, તે જ શૂન્ય છે. શૂન્યની શોધ પણ એના પરથી કરી હતી.

ભારતની અંદર થઈ તી શૂન્યની શોધ, ઋષિઓએ કરેલી બિંદુમાંથી શૂન્ય.

ત્રણ અંગો, ત્રણ શિખાઓ અને બે કે ત્રણ માત્રાઓથી યુક્ત એવી એની આકૃતિને જાણી શકાય છે. અંતઃકરણમાં ગુર પ્રમાણ યુક્ત હંસ પ્રમાણો વડે બાહ્ય જગતમાં આવે. અંતઃકરણમાં ગુર પ્રમાયુક્ત. અંતઃકરણમાં તો તમે પકડી પણ નહીં શકો, પણ એ જે છે, તે જ બહાર આવે છે અને પછી બાહ્ય જગતમાં આવ્યા પછીથી શ્વાસ લેવાના શરૂ થાય. આવી રીતે જીવ પ્રગટે. બ્રહ્મસૂત્રના પદો વડે જાણી શકાય તેવું વિધિપૂર્વક એના આ બધા લક્ષણો આપ્યા છે. તે બ્રહ્મને જ્ઞાન રૂપી સાગરમાં પ્રણવ ધ્યાનથી પ્રાપ્ત હંસરૂપી સૂર્ય એવું એને કહેલું. આ રીતે વિશેષ જ્ઞાનની પ્રાપ્તિ થયા પછી જ જ્ઞાનરૂપી સાગ સાગરને તરી શકાય છે, પેલે પાર જઈ શકાય છે. એટલે જ્ઞાનની પાર જવાનું છે. પહેલા તો આપણે જ્ઞાન તો ભેગું કરીએ, પછી એને તરવાનું છે, પાછું તરી અને પેલે પાર જવાનું છે. એટલે સમુદ્રના બીજા છેડે નીકળવાનું છે.

જ્ઞાનને પણ આપણે ક્યાંક છોડી દેવાનું છે પછી.

"અહીંયા મુક્તિ એટલે આમ કોઈ આટલું જ્ઞાન લઈને ફરતો હોય તો એમ કહે છે કે, 'હા, બરાબર છે કે તું આટલું વજન લઈને ફરે છે.' એવું છે. હજી તો પેલા સોનાને પાડ જેવું થાય. બહુ જ્ઞાન થઈ ગયું કે લઈને ફર્યા કર કે મુક્તિ નહીં મળે. ભગવાન કહે છે, 'આને મૂકી દેવું પડશે તારે છેવટે.' એટલે જ્ઞાનની પણ આસક્તિ નહીં. પહેલા ગ્રહણ કરવાનું છે, એ આમાંથી ખેડાણ કરવાનું છે, બધું જ સાચું; પણ પછી એક ક્ષણે પછી બધું મૂકી દેવાનું. અધ્યાત્મમાં જડ-ચેતન બંને પ્રકારના જ્ઞાનને અતિવાદને યોગ્ય ગણ્યો નથી. એને અતિવાદ કહે છે. જડ અને ચેતન બંને પ્રકારનું જ્ઞાન. પંદર પીએચ.ડી.ની ડિગ્રીઓ જુદા જુદા સબ્જેક્ટમાં ભેગી કરેલી હોય તો પણ બોજો છે. અને ચારે વેદ કંઠસ્થ કરી લીધા છે, બધા યજ્ઞો કરી લીધા છે, બધું કરી લીધું છે, 'મેં આ કર્યું છે, આ કર્યું છે' – એ પણ બધો બોજો જ છે.

બધું છોડવું પડશે એટલે એને અતિવાદ કહ્યો તો કે એ યોગ્ય ગણ્યો નથી. ઈશોપનિષદમાં પણ એમ કહે છે, "અંધતમ પ્રવિશયતિ" એટલે કે કેવળ મંત્રોમાં, કેવળ વિદ્યાની જ ઉપાસના કરનારને પણ અંધકારમાં જ ફસાઈ જનારો કહ્યો છે. તારે વિદ્યા અને અવિદ્યા બંનેનો ત્યાગ કરવો પડશે. અધ્યાત્મ વિદ્યા છે, પણ પછી તો કે એનોય અંત આવી જશે. ત્યાર પછી મુક્તિ છે, તે પહેલા નથી. એના સહિત તો ક્યારેય નથી એમ. એટલે બહુ જ આ બધું કરી લીધા પછી છેવટે માણસ કેવો થઈ જાય? જે બ્રહ્મની અંદર પ્રવેશ પામી ગયો છે તેને કશું રહેતું નથી. નિરંતર તુરિયામાં જ હોય એટલે બસ પતી ગયું એનું. કશું છે નહીં. અને સામે ઊભેલો માણસ ના દેખાય, આ સંસાર ના દેખાય, કશું નહીં. કેવળ બ્રહ્મ, કેવળ બ્રહ્મ. બીજું કંઈ છે જ નહીં. ત્યાં પહોંચવાનું છે ભાઈ.

એટલે બધાના મન નિયમપૂર્વક તેનાથી જ પ્રેરાય છે અને નિયમિત થાય છે. "ઓર્ડર છે ત્યાં આગ કાઢે" એમ કહે છે. વ્યવસ્થિત છે આ બધું. એટલે અત્યારે તમે અહીંયા બેઠા બેઠા એમ વિચાર્યા કરશો કે આપણે ક્યારેય પાર આવશે? ક્યારે? ત્યારે પતું આ વાત પેલા કાલે જે કરતા હતા એવી છે કે આ જાતના પાંજરા જેટલા છે ને એટલા જન્મ થશે. પણ તારું મુક્તિ જ છે. એટલે તમારે નક્કી કરી નાખવાનું કે આપણે તો મુક્તિ છે ને બસ એનો આનંદ છે કે જ્યારે થાય ત્યારે પાકી છે. એટલે પછી બસ, પછી જે કર્તવ્ય છે તેનો નિર્વાહ કરી જવાનો. તો પૂરું તો કરવું જ પડશે ને ભાઈ? આપણે ક્યાંકથી ક્યાંક જવાનું હોય તોય શું કરીએ છીએ? જરૂરી જે આવશ્યક હોય સામગ્રી એને એકઠી કરીને સૂટકેસ ભરીએ. આખું ઘર મૂકીને જતા રહીએ છીએ. બે દાડા માટે, ચાર દાડા માટે બીજ જવું પડે છે તો આપણે મૂકીને જ જઈએ છીએ.

પાછું મનમાં જોડે લઈને ફરીએ તો શું થાય ખબર છે? એવાય હોય ને લોકો અહીં બેઠા બેઠા પછી વિચાર કર્યા કરે, "તાળું માર્યું તું કે નહીં? પંખો બંધ કર્યો તો કે નહીં? પેલો નળ બંધ કર્યો તો કે નહીં? કે સિંકનો ચાલુ જ હતો?" અહીં બેઠા બેઠા પેલું હોય અનુસંધાન ત્યાનું કર્યા કર તો એ ખરેખર અહીંયા આયો જ નથી એમ કહેવાય. આવું પણ નહીં એમ. જે મૂક્યું એ મૂક્યું, બસ પતી ગયું. હવે એને યાદ નહીં એમ. આવી રીતના ધીરે ધીરે ધીરે ધીરે સંસાર બધો આમ મુકતા જવાનું છે અને બ્રહ્મ તરફનું અનુસંધાન આપણું વધારતા જવાનું છે. આ કર્તવ્ય મનુષ્ય માત્રને આપવામાં આવેલું છે. સમજાય તોય, ના સમજાય તોય. પોતાને આસ્તિક ગણતો હોય તોય અને નાસ્તિક કહેવાડાવામાં જો ગૌરવ અનુભવતો હોય તો પણ એને એનો ટાઈમ થશે એટલે જવું જ પડશે. હા, થોડીક આડાઈ વધારે કરશે, થોડા વધારે જન્મ કરશે, થોડા વધારે આટાફેરા મારશે.

પાછા ફરી ડાયનોસોર પ્રગટ કરવાના હોય છે બ્રહ્માજીને તો તો બને પાછો આમ કરીને ડાયનો કોક પૃથ્વી ઉપર કોક જગ્યાએ જઈને પાછું એ બધું પરવારી જાય. વળી પાછો પાટલું ને પહેરવા આ પૃથ્વી ઉપર આવી જાય. એ પૂરું થઈ ગયું એટલે હવે અહીંયા આગળ કે બોલો સારું છે કે આ બધી સ્મૃતિ નથી. એટલે કહે છે ને કે બ્રહ્મની પ્રાપ્તિ થાય નહીં ત્યાં સુધી જો તમને કાળનું જ્ઞાન થવા માંડે ને તો મુસીબત છે. આ ઘડિયાળનું જ્ઞાન છે ને એટલું પૂરતું છે કે ૨૪ કલાક વાળું. કારણ કે જો તમને ફક્ત અહીંયા આમ ઘડિયાળ જોતા જોતા કાલે આમ જુઓને કે ૧૨ વાગ્યા, કાલે ૧૨ વાગ્યે આ થવાનું છે વાળું જો આમ ભૂલથી ઝડકી ગયું ને તો કઈનું કઈ થવા માંડે. જીરવી ના શકે આપણો ફાફ આપણો થઈ જાય માણસ. અને એમાં એના ૨૪ કલાક બગાડે પાછો. કારણ કે એ જે નિશ્ચિત પરિણામ છે ને નિયતિનું નિશ્ચિત પરિણામ એને એવા ધક્કા મારવાનો પ્રયત્ન કરશે ગમે તેમ કરીને આઘા પાછું કરીને.

એ તો થઈને જ રહેવાનું છે. પણ એને આ જે કંઈ પાછું આ ૨૪ કલાકમાં ગોદાબારી કરીને એનું એને પાછું પરિણામ આવશે ને ફળ ભોગવવું પડશે. તો એ જીવાત્માનો બોજો વધ્યો કે ઘટ્યો? અને કમાઈ કંઈ થઈ? કમાઈને કંઈ થઈ નહીં. નિયતિને ચેલેન્જ ના કરશો ક્યારે પણ. તમારે કરવું હોય ભલે તમે કરો, આગળ વધો. એના માટે નિયતિ ના નથી પાડી દીધી. તમે પુરુષાર્થ કરો, બરાબર છે. પણ પછી જે તે ઘડીએ જે તે બન્યું તે બન્યું. તે ન્યાય દાદાએ કહી દીધું કેટલી સુંદર વાત કે જે થઈ ગયું છે તે ઓકે એમ. એક્સેપ્ટ કરો. એક્સેપ્ટન્સ આપણે મેડિટેશન કરાયું તું એટલા માટે. બરાબર.

એટલે બધાના મન નિયમપૂર્વક પ્રેરાય છે. એનો પણ એક ઓર્ડર છે. એવી રીતના થશે. અમુક સમયે અમુક જગ્યાએ જઈને તમને અંદરથી અમુક વસ્તુઓ ઉદ્ભવ પામશે. અમુક વિચાર આવશે જેનાથી મન વિષયોમાં ગતિશીલ થાય છે. પ્રાણ ચેષ્ટા કરે છે અને વાણી પણ તેનાથી જ ઉચ્ચારણનું કાર્ય કરે છે. તેની જ પ્રેરણાથી ચક્ષુ રૂપોને જુવે છે, દ્રશ્યો જુવે છે. સ્ત્રોત્ર સર્વનું શ્રવણ કરે છે. બીજી બધી ઇન્દ્રિયો તેનાથી જ પ્રેરાઈને કાર્યો કરે છે. વિષયોને ગ્રહણ કરવાનું કામ છે ઇન્દ્રિયોનું. હવે પાછા આપણે તો ઇન્દ્રિયોની બહુ સંભાળ કરીએ. આંખો, કાન બધું બહુ સારું રાખવાનું."

કરીએ છે ને નથી કરતા પણ કહે છે ને, તું એ બધું આળ પંપાળ બહુ કરે છે. એના પરિણામ ભોગવે છે. તારા કેટલા બધા દુઃખો થઈ ગયા, બધી જાતના રોગો, નાન તેન બધા ઇન્દ્રિયોમાં થાય. તો કહે છે, ના, તું એની કાળજી લેજે, એના પાસે કામ લેજે, પણ તું એને નિત્ય દેવત્વ પ્રદાન કરજે તારી ઇન્દ્રિયોમાં.

હવે દેવત્વ પ્રદાન કરવું એટલે દિવ્યતા જોવી, શ્રેષ્ઠતા જોવી, જાણવી, સાંભળવી. તેને દેવત્વ પ્રદાન કરવું, કરવું એમ કહેવાય. બહુ સીધી-સાદી વિધિ હોય એની, સિમ્પલ. કઈ? તો કે, ન્યાસ કરો. આંખોને તો કે, "હું દેવત્વ પ્રદાન કરું છું." કાન તો કે, "હું દેવત્વ પ્રદાન કરું છું." એવી રીતના બધા દેહને આખાયને તો કે, "હું દેવત્વ પ્રદાન કરું છું." એવી રીતના કરો. પછી એ કર્મો તમારા બદલાઈ જશે.

કર્મો કેવા થશે? દિવ્ય કર્મો થશે. દ્રષ્ટિ કેવી થશે? દિવ્ય દ્રષ્ટિ થશે. શ્રવણ કેવું થશે? દિવ્ય શ્રવણ થશે. સ્પર્શ કેવો થશે? દિવ્ય સ્પર્શ થશે. આમ ખાલી અહીંથી આટલે દૂરથી આમ કરે અને પેલા રોગો મટી જાય! જુઓ તમે, કેટલું અદભુત એ દેવત્વ છે! એને સમજો.

વિષયોમાં ઇન્દ્રિયોની પ્રવૃત્તિ માયાથી જ થાય છે. મોટી વાત કરી એને: વિષયોમાં ઇન્દ્રિયોની પ્રવૃત્તિ માયાથી જ થાય છે. ઇન્દ્રિયોનો એ સ્વભાવ નથી. આમ કરીને આમ જુવે છે, કાંઈ જુગપસા વાળું ઘસું, એ આંખનો સ્વભાવ નથી. માયાના કારણે પહેલો પ્રેરાય છે એવું જોવા માટે, એને આધીન થઈ જાય છે ત્યાં આગળે, અને પછી એ એવું જોવા માંડે છે. એ એવું જોવે છે એટલે એની પાછળ રહેલી દિવ્યતા ઢંકાઈ જાય છે, આવરણ આવી જાય છે એને, અને એ દિવ્યતાની પાછળ પેલી પાર રહેલું બ્રહ્મત્વ એને જણ ગણાતું નથી.

યસ, બેકગ્રાઉન્ડમાં અને ફોરગ્રાઉન્ડમાં આખો ગેમ પ્લાન ચાલે છે આવી રીતે. યસ, આમ બહાર પડે છે બધો.

આત્મામાં અધ્યસ્ત સ્્રોત્ર સ્વયં પશુપતિ પુરુષ. શું કહે છે? "આત્મામાં અધ્યસ્ત, આત્મામાં જ આમ સ્થિરતા પ્રાપ્ત કરેલું હોય એ સ્્રોત્ર." સ્્રોત્ર સ્વયં પશુપતિ પુરુષ, એ જ આ બધા પશુત્વનો માલિક છે એમ કે. એની પર એને કંટ્રોલ કરી લીધો ને, નિગ્રહ કરી લીધેલો છે. એટલે એ પુરુષ છે તે સ્્રોત્રમાં પ્રવેશીને શિવજ તેને સ્્રોત્રત્વ આપે છે. એનામાં શિવત્વ આવે અને પછી સ્્રોત્રત્વ આખું પ્રગટ થઈ જાય છે. એટલા માટે પછી એ પશુપતિનાથ બની જાય છે.

એ જ જીવડો મનુષ્ય બનીને ફરતો હતો અને હવે પશુપતિનાથ બની જાય. નેપાળ જઈને જવું હોય, જાય ભલે દર્શન કરે, પણ અહીં બધા પશુપતિનાથ બની શકે એવું છે. એની પોસિબિલિટીની અહીંયા આગાડે ઋષિઓ વાત કરી રહ્યા છે ઉપનિષદની અંદર કે, "તમારું જીવત્વને તમે દૂર કરીને તમારું પશુપતિનાથપણું પ્રગટાવો." આવી રીતે એને માર્ગ પણ બતાવી દીધો.

હંસ ઓમ, નિરંતર આત્મામાં અભ્યસ્ત મનમાં પ્રવેશીને પરમેશ્વર તેના સત્વમાં સ્થિર થઈ તેને નિયમિત કરી અને મનસ્ત્વ આપે છે. કેટલી અદભુત વાત કરે! એવા એ ઈશ્વર સમસ્ત ઇન્દ્રિયોને સચેષ્ટ કરે છે. ઇન્દ્રિયોને ચેષ્ટા કરવાનું બળ આપે છે. પરંતુ તે બ્રહ્મને જેવી રીતે ઓળખે છે તેમનાથી અને નથી જાણી શકતા તેવા બધાથી પણ તે જુદો. જેમની કલ્પના કરવામાં આવે છે તે બીજી ઇન્દ્રિયોનો પણ તે ઈશ્વર સ્વામી નિયામક છે.

ઇન્દ્રિયોના તે તે રૂપને ને પ્રાપ્ત કરીને, ઇન્દ્રિયોના તે તે રૂપને પ્રાપ્ત કરીને તેમને અનુરૂપ ક્રિયા આપીને તેમનું નિયમન કરે છે. સામે ભોજનની થાળી આવે એટલે બસ અંદર બધું ક્રિયા-પ્રક્રિયાઓ, બધું કેવું આમ ચાલુ થઈ જાય ને બધું આમ! એનું રેગ્યુલેશન પણ એ કોણ કરે છે? તો કે, આ એ ઈશ્વર પરમાત્મા કરે છે.

તેથી જ આ ચક્ષુ, વાક, મન તથા અન્ય ઇન્દ્રિયો પરમાત્માના સ્વયં જ્યોતિ-સ્વરૂપ સ્વભાવને પ્રાપ્ત કરી શકતી નથી. એટલે દેવત્વ પ્રાપ્ત કરેલું હોવા છતાં પણ જે તે ઇન્દ્રિય બ્રહ્મ સ્વરૂપ બનીશ. તમારી આંખ ક્યારેય બ્રહ્મ સ્વરૂપ ન બની શકે, કાન તમારા બ્રહ્મ સ્વરૂપ ન બની શકે. એનામાં એ ક્ષમતા નથી, એટલું ડેવલપમેન્ટ નથી.

હા, જીવ જે છે તે પોતાનું જીવપણું ત્યજી દેશે. બ્રહ્મનું અનુસંધાન હંસ કે ઓમ કરતાં કરતાં અને આ બધા ઇન્દ્રિયોને આ બધાથી પર થઈ જશે. આ બધું જ્ઞાન છે. પછી એ મૂકી દેશે ઇન્દ્રિય જ અન્ય જ્ઞાન, એ પણ મૂકી દેવું પડશે ને. બસ, પછી બ્રહ્મ આગળ છે.

તેને અનુરૂપ ક્રિયાઓ આપીને તેનું નિયમન કરે છે. પરંતુ ઇન્દ્રિયો પરમાત્માના ના જ્યોતિ-સ્વરૂપ સ્વભાવને પ્રાપ્ત કરી શકતી નથી. જ્યોતિ-સ્વરૂપ ક્યારેય ઇન્દ્રિયો બની શકતી નથી.

જે મનુષ્ય જાણે છે કે, પરમાત્મા એટલે સ્વ-આત્મા, એટલે કે અંતરાત્મા વડે જ જાણી શકાય. અને તેવો અકર્તા, પ્રકાશ-સ્વરૂપ અને તર્ક-પ્રમાણ વિના જાણી શકાય, તે જ એને જાણે છે. અંતરાત્મા પરમ જ્યોતિ-સ્વરૂપ છે, જ્યારે માયા મહાન અંધકાર-રૂપ. બિલકુલ અલગ, માયા આખી જુદી છે.

તેથી પ્રત્યગ આત્મામાં માયા સંભવી શકતી નથી. તેથી તર્ક-પ્રમાણોથી સિદ્ધ, સ્વ-અનુભૂતિથી અનુભૂત, સ્વ-પ્રકાશથી સિદ્ધ એવા પરમાત્મામાં માયા હોતી નથી. પરમાત્મામાં માયા નથી. પરમાત્માથી બહુ નીચેના સ્તરે આખી માયાનો કાર્યક્રમ શરૂ થાય છે. ત્યાં પરમાત્મામાં માયા ના હોય, એને પ્રવેશ જ નથી એમ પરમાત્માની અંદર.

એટલા માટે કીધું કે, "જીવભાવ જેવો તુંજી દઈશ તો તું સીધો પરમાત્મામાં પ્રવેશ પામીશ." જ્યાં ત્યાં સુધી જીવભાવ છે, એ શા આધારે થયો? માયાના આધારે થયો. તમને લાખ એમ કહે છે ને, "અરે ભાઈ, હું તો માણસ છું, માણસ છું," એમ બોલ્યા કરશે. આમ જોયા છે ને, સાંભળે છે ને લોકો, તે પેલા ઋષિ-મુનિ આવીને એને રાતે કહેતા હોય કે, "હં, ના કે તું બ્રહ્મ છું." પેલા જ્ઞાની પુરુષ આવે અને કહે, "તું શુદ્ધાત્મા છું." પેલો પકડે જ નહીં, પાછો ફરી સ્લીપ મારી જ જાય કે, "હું તો માણસ છું." કે, "માણસ માત્ર ભૂલને પાત્ર," "માણસ માત્ર ભૂલને પાત્ર," કર્યા કરે આખો દાડો. અને પછી એમાં ને એમાં રહે કે, ભૂલો કર્યા કરે બધી. એટલે ભૂલો બધી ભાગવી પડશે એક.

"દાદા, સમજણ કેળવ. તારું જીવપણું ત્યજી દે. એને ટાળતું જીવપણું એટલે, એટલે ઉપર થઈને આવે ને ત્યારે પણ તારે એ જીવપણાને કહેવાનું કે 'આઘું ખસ.' એમ કરવું પડે, કારણ કે દરેક સંજોગની અંદર છે ને, આ માયા એક આવરણ રૂપે ઉપર આવીને પડશે તમારી. એ સંજોગ જે છે ને, તે જ આખું આમ ગોઠવી કાઢશે બધું એવી રીતનું કે આમ જાણે તમને બુરખો જ પહેરાવી દેશે, ના દેખાય એવો. પણ એ પહેરે પછી તમારું વિઝન બદલાઈ ગયું હશે. તો ૨૪ કલાકમાં કેટલા તમે બુરખા પહેરી લીધા? ૨૪ કલાકમાં તમે કેટલું તમારું વિઝન ચેન્જ થતું ગયું, વિચાર કરો.

કાલ સાંજે આઠ વાગતા સુધી બોલતો હતો, "હું શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ આત્મા છું." રાતે સૂઈ ગયો, કંઈક જોવા બેઠો, પાછું આમ થોડુંક ટીવી જોયું ને પાછો સૂઈ ગયો. મોબાઈલ જોયો, સૂઈ ગયો. સવારે ઊઠ્યો, ત્યારે તો કે, "માણસ માત્ર ભૂલને પાત્ર, નાલાયકીની કોઈ હદ નહીં." એમ એવું લાગે ને જ્યારે જ્ઞાનની અંદર આપણે આ બધું જોઈએ, તો આપણને એમ થાય કે આપણે શું કરી રહ્યા છીએ? અરે, રાટી થાય, અરર, આવું આવું કરીએ છીએ આપણે બધા એમ.

તારે કહે છે, "તું બીજાના વર્તન સામે ના જોઈશ. તું સ્વતંત્ર છું, તારું અનુસંધાન રાખ અને તું મુક્તિ પામ." એ કહે છે, "હા, એનો કાર્યક્રમ છે." કેટલા ઝાડના પાંદડા જેટલો એનો કાર્યક્રમ નક્કી છે, નિયતિએ કરેલો છે. હવે તું એમાં હાથ ના ઘાલીશ. એ જે કરે છે તે ડખો છે અને પછી જે આવશે એ બધી દખલ છે. તું આવશે પછી સામે પેલા રોજના પાંચ બુરખા પહેરતો હતો, ૫૦ પહેરજે પછી. એ દખલ બધી પછી એમ કે, "યાર, મારે ઉપાધિ આવી, આમ થયું, તેમ થયું, આવા સંજોગ આવ્યા." આવા સંજોગ પણ ભાઈ, ત્યાં જ નોતરે આપણને. આ બહુ ઝીણું નથી સમજાતું હોતું, પણ બેસીને ક્યાંક તો કરવું પડશે. કારણ કે આપણે તો ઝાડના પાંદડાવાળો કાર્યક્રમ બનકે જ છે. જેટલા પાંદડા એટલા. હા, પણ તું નક્કી થઈ ગયું ને કે બહુ સારી વાત છે, નહિતર તો કેટલા કલ્પો, કોટિ કલ્પો સુધીને તું રખડી મરત તોય નક્કી નહતું કે.

એટલે તો આ બધા પહેલા બુલબુલ કરે ને, "લખચો લખચોરા ૮૪ લાખ યોનિ અંદર જીવ આત્મા ભટક ભટક ભટક ભટક કર્યા જ કરે." કોક કાળે કંઈક થાય ત્યારે માણસ બને. એવો માણસ તમે બનો અને પાછા કહે છે, "માણસ માત્ર ભૂલને પાત્ર." ઉપરાણું લે છે. દાદા એવું કહેતા પોતાનું, કેમ કે, "મેલ તારું જીવપણું ને થઈ જા બ્રહ્મ સ્વરૂપ, કલ્યાણ થશે તારું." એમ.

વાત એટલી કરુણા, એટલું જ્ઞાન આપવા તૈયાર હોય, લોકો લેવા તૈયાર નથી, બોલો. તમે વિચાર કરો. શુદ્ધ જ્ઞાન છે ને, એ કેવું છે ખબર છે? આમ અગ્નિ સમાન છે. એટલે બધા આમ ફરતા હોય, બરાબર. પણ તમે જેવું આમ જ્ઞાનનો એક આમ કરીને મૂકો ને, તરત જ આમ છોડી દે છે, અંગારો જાણે પકડ્યો હોય એવી રીતના. સંસારમાં રહેવાની લાલસા છે, હજી આસક્તિ છે, એટલે એ નહીં પકડે. એટલે કહેતા હતા, "હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનો કામ." અહીં કાણું પડે તો ભલે, પણ કહે છે, "બસ, અંગારો તો હું આમ પકડી રાખું." એવી રીતે જ્ઞાનને પકડી ધારણ કરવું પડે. ધારણ કર્યા પછી આત્મસાત કરવું પડે એમ. જનોઈ પહેરી દઈએ એ ન ચાલે. પછી પેલા તીર્થમાં જઈએ તો કે, "જનોઈ પહેરી છે? નથી પહેરી?" તો પેલો પહેરાવી દે છે. એ કર્મકાંડ છે, આખો વિષય જુદો છે. એ એનું કર્તવ્ય જ કરે છે. પિતૃશ્રાદ્ધ તર્પણ કરવું હોય તો કે, "ના, તમારે જનોઈ પહેરવી પડે." પછી પહેરાવી દેશે તમને થોડી વાર.

પછી પાછું "વિસર્જનમ્" એવું છે.

એટલે જે મનુષ્ય જાણે છે, હવે મનુષ્ય છે, એ જાણે છે કે પરમાત્મા એટલે સ્વ આત્મા, અંતરાત્મા વડે જાણી શકાય તેવો છે. એ કેવો છે? તો કે અકર્તા છે, પ્રકાશ સ્વરૂપ છે અને તર્ક પ્રમાણ વિના જાણી શકાય છે. એ જ સાચું જાણે. પછી એ પોતાનું મનુષ્યત્વ ગુમાવતો જશે અને બ્રહ્મ સંપત્તિ પ્રાપ્ત કરવાની શરૂઆત કરશે. ગીતામાં તો વાત કરી હતી દેવી સંપત્તિની, એ તો વચલું સ્ટેજ છે સદાચાર. અહીં બ્રહ્મ સંપત્તિની વાત કરી નાખી આ ઉપનિષદની અંદર. એને પ્રાપ્ત કરો. રાજાઓ નમસ્કાર કરતા હતા એ બ્રહ્મ સંપત્તિ. અંતરાત્મા પરમજ્યોતિ સ્વરૂપ છે. આટલું જો ગ્રહણ થઈ જાય ને, "અંતરાત્મા પરમજ્યોતિ સ્વરૂપ છે," તો પછી બોલવાની જરૂર નહીં રહે. જીવન આખું તો કે, "હું ધન્ય છું, હું ધન્ય છું, હું ધન્ય છું." અંતરાત્મા પરમજ્યોતિ છે. સાથે જાણી લો કે માયા છે એ મહાન અંધકાર રૂપ છે.

એવા ડીપ ડાઉન અંધારાની અંદર નાખી દે. પછી પ્રાર્થના કરવી પડે, "ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા." અદભુત પ્રાર્થના. પેલા ઇનોસન્ટ ચાઈલ્ડ હોય છે તેને સ્કૂલમાં શીખવાડવામાં આવતી. મોટા થયા, ભૂલી ગયા. પછી ભૂલો કર્યા કરે ને પાછું બોલ્યા કરે, "માણસ માત્ર ભૂલને પાત્ર." સોરી, હમણાં નવું કાઢ્યું છે પાછું.

બધા કહે છે, "શુદ્ધિ એટલે પ્રત્યેક આત્મામાં માયા સંભવતી નથી." વ્યવહારિક દ્રષ્ટિએ આ માયા વિદ્યા અને અવિદ્યા કહેવાય છે. એનો પરમાત્મા સાથે કોઈ સંબંધ નથી. પરમાત્મા સ્વતંત્ર છે. માયાને અવિદ્યા કે વિદ્યા કશાએ સાથે પરમાત્માને કોઈ કશું છે જ નહીં, સંપર્ક જ નથી કે સંબંધ જ નથી. કેટલી સુંદર વાત કરી દીધી. તાત્વિક દ્રષ્ટિ એટલે તત્વ દ્રષ્ટિએ જુઓ ને, તત્વ એક જ પરમ તત્વ. તો પરમ તત્વ તમે છો એમ કરીને જો તમે જોશો, જાણશો, પ્રયત્ન કરશો, તો કંઈ છે જ નહીં, બધું મિથ્યા છે. કારણ કે અનિત્ય છે, સતત પરિવર્તન કર્યા જ કરે છે. આ બધું જે કંઈ છે, સંજોગો કોઈ સ્થિર રહે જ નહીં. સંપત્તિ કહે છે, "કાયમ રહે જ નહીં." અરે, રોગેય ના રહે ભાઈ. કાં તો માણસ જતો રહે ને, કાં તો રોગ જતો રહે. રોગ ના જાય તો માણસ જતો રહે. એ ચાલ્યા જ કરે એમ. કહે છે, "હા, એ જે નિત્ય પરિવર્તનશીલ છે એનો બોધ માટે આ પ્રોસેસ છે." પ્રોસેસ છે આ બધું અનિત્ય છે એવું એને પકડાય.

ધીરે ધીરે સ્પષ્ટતા થાય, નક્કી થતું જાય કે આ બધું અનિત્ય છે, અનિત્ય છે, અનિત્ય છે. લોકોને ૮૦ વર્ષે નથી પકડાતું અનિત્યતા, ૯૦ વર્ષે નહીં પકડાતી, દાદા."

કહેતા હતા ને, જવાન થયો હોય પણ તોય પાછો બોલાતોય ના હોય, દેખા ખાતું ના હોય તોય અગળ કર્યા કરતો હોય કે શું? બાપજી, કે એનો જીવ અટક્યો હોય કે છોકરાને છોકરી પઈને રવાની બાકી રહી ગઈ, એવું કહેતા હતા શું? અલે, કે હવે તું એને મૂક ને, છોકરી મોટી. આ પેલી પાછી કે આઈને કે ખરી કે, "દાદા, ચિંતા ના કરતા, હું તો મારા ટાઈમે પૈણી જઈશ." કે આઈને કે ખરી પાછી. ત પેલા અંદર કે છે, "આ મૂર્ખી, એને કઈ ગમ પડતી નથી." અંદર તો એવું હોય પાછું એને તે વખતે પણ, તે વખતે એને પરમાત્મા યાદ ના આવે કે, "ભઈ, આ બધું મેલ પડે, અનિત્ય છે અને હવે હું મારા ધામમાં જવ કે મારા અંતરાત્માની અંદર હું હવે સ્થિર થવું કે જેથી કરીને ટ્રાન્જીશન ઇઝી બને." નથી થતું, ક્યાયક અટકી ગયેલા છે.

આવીને આવી જ રીતે આ પૃથ્વીની ફરતે 500 માઈલના ચક્કર મારે. જે આખો ગાળો છે ને તેની અંદર, ઘેરાવાની અંદર, 500 માઈલના એરિયામાં આ બધા ફરિયાદ કરતા હોય છે. અશરીરી બધા લાઈન સર એટલા બધા હોય કે ના પૂછવાનું. જોનારો જુએ કે, "આ પૃથ્વીને ફરતા આટલું બધું આ શું છે?" કે તો કે, "વલયો છે." વલયો કઈ કે, "ના ના, કે આ બધી પેલી શું કે છે એને? એસ્ટરોઈડ આયા હતા ને, ધૂમ કેતું હત બધા તેનો." ક, "હા, તે બધો એનો એસ કચરો છે આ બધો." કે એવું જુએ લોકો. બહુ ગાઢું થઈ જાય ત્યારે ભમ્યા કરે ત્યાં આગળ બધું. એવું બધું હોય. અતિશય ગાઢું થઈ જાય ને તો પછી સૂર્યનો તાપે અંદર ના આવવા દે. ત્યાં બધા ટાઢે મરે. પછી સૂર્યનો તાપ ના આવે તો હું થાય? એવું છે.

એટલે તાત્વિક દ્રષ્ટિએ તો કંઈ છે જ નહીં. તત્વ દ્રષ્ટિએ જોશો તો કેવળ પરમાત્મા, પરમ તત્વ જ છે. જે કાંઈ છે તે બધું જ પરમ તત્વ છે, બીજું કાંઈ નથી. વ્યવહારિક દ્રષ્ટિએ જે દેખાય છે તે બધું આભાસિત છે. વ્યવહારિક દ્રષ્ટિ કે તત્વ દ્રષ્ટિ, કઈ પકડશો? તત્વ દ્રષ્ટિએ રહીને વ્યવહાર પૂરો કરી નાખો ઝડપથી.

પ્રકાશ જ સતત વિદ્યમાન છે. અંધકારનું કોઈ અસ્તિત્વ છે જ નહીં. માયાના લીધે અંધકાર એટલે માયાને અંધકાર કીધો છે અને ગાઢ ગહન અંધકાર. આ કેવળ પરમ તત્વ છે, તે કેવું છે? અદ્વૈત. બે થાય જ નહીં કોઈ દાડવાન. એક છે નહીં અને બે થાય નહીં. યાદ રાખો: એક છે નહીં અને બે થાય નહીં, એનું નામ પરમ તત્વ અદ્વૈતમાન. પ્રકાશના અભેદને કારણે જ કહેવાય નિરંતર પ્રકાશ. પ્રકાશ સર્વત્ર સ્થિત છે. જો, આ ઋષિ કહે છે હો આપણ. નિરંતર એટલે ક્યાય અટક્યો નથી, એ ક્ષણ માત્ર માટે પણ. પ્રકાશ સર્વત્ર સ્થિત છે. તમે એમ કહો કે, "અહીંયા કાઢ?" તો કે, "હા, અહિયાય છે." અમેરિકામાં? તો કે, "હા, ત્યાંય છે." કોક બીજા ગ્રહ પર? તો કે, "હા, બ્રહ્મનો પ્રકાશ તો ત્યાં પણ છે." કશું જ બ્રહ્મની બહાર જઈ શકે એવું નથી. એટલા માટે બ્રહ્મ જે છે તે સૌથી મોટામાં મોટો છે, સૌથી મહાનમાં મહાન છે, મોટામાં મોટો છે અને બધું જ જે કંઈ છે તે બધું બ્રહ્મની અંદર છે.

હવે જો તમે બ્રહ્મ છો તો આ બધું જ જે કંઈ થઈ રહ્યું છે તે તમારી અંદર થાય છે, તમારી અંદર થાય છે. ઋષિ મુનિઓ આ સમજાવવા માંગતા હતા. તો અહીંથી આટલા મોટા મોટા હાઈવે કાઢ્યા છે અને બુલેટ ટ્રેનો ચાલે છે ને, વિમાનો ઉડે છે ને, બધુંય થાય છે તે તમારી અંદર થઈ રહ્યું છે એમ કહે છે. આ આટલી મોટી મોટી સુવેદની ગટરની લાઈનો છે તે બધી તમારી અંદર જ છે. પણ જો તમે બ્રહ્મ સ્વરૂપમાં સ્થિત છો તો આની અંદર નથી. આ તો લિમિટેડ છે ને. કંપની લિમિટેડ હોય. આના બધા તો પેલા શેર બધાને આપી દીધા હોય: છોકરાને, છોકરીને, દાદાને, દાદીને, ફલાણાને, ઢીકણાને, બોસને, ઓફિસમાં બધાને શેર આપી દીધા છે. તમે જેટલા સગા વાલા જન્મ્યો ત્યારથી જેટલા જડ્યા, બધાને શેર આપતો જ ગયો છે. "શેર કરું છું" બોલતો જાય ને આપતો જાય એટલે પોતાપણ હું વહેચવા નીકળ્યો, વેચવા નીકળ્યો છે માણસ પાછો.

કેમ ભૂલને પાત્રો?

એટલે નિરંતર પ્રકાશ સર્વત્ર સ્થિત છે. એટલે આ અંગે મૌન જ યોગ્ય છે, બોલવા જેવું જ નથી કશું. આ મહાન જ્ઞાન જેને ને આપ જોડે સમજાઈ જાય છે. જેને આ સમજાઈ ગયું તે જીવ નથી, બ્રહ્મ નથી, શબ્દરૂપે કે બીજું કંઈ પણ નથી. તેને વર્ણ નથી કે નથી તેને કોઈ આશ્રમ. નથી એનો કોઈ ધર્મ બાકી કે નથી અધર્મ. તેને કોઈ વિધિ નથી, એને કોઈ નિષેધ નથી. જ્યારે બધું જ બ્રહ્મમય અને બ્રહ્મથી વ્યાપ્ત જણાય છે, પછી આ બધ બધું ઉડી જાય છે એક સામટું.

આ જે કંઈ છે તે બધું માયામાં છે. એટલું જ્યારે પકડાય કે બ્રહ્મમાં કંઈ નથી, જે કંઈ છે તે બધું માયામાં છે. અને આ માયા છે તે પાછી ક્યાં છે? તો કે, "એ બ્રહ્મમાં છે, પણ બ્રહ્મ નથી." માયા બ્રહ્મ નથી, બ્રહ્મથી અલગ છે. એણે દ્વૈત ખડું કર્યું એટલે કીધું, "બ્રહ્મ અને માયા, બ્રહ્મ અને માયા." એમ બધા ભણભણ કર્યા કરે છે ને. એટલા વ્યાપ્ત જણાય છે ત્યારે દુઃખ વગેરે ભેદરૂપ આભાસ પણ રહેતો નથી. દુઃખનો આભાસ બી ના થાય. ભોગ ગવવાનું એ બધું તો જવા દો, વાત જ જવા દો કે આભાસ શુદ્ધા ના હોય. સ્વપ્ના જેવું એ ના લાગે તમને. દેખાય જ નહીં, જણાય જ નહીં, અનુભવ આવે જ નહીં તમને દુઃખનો કે એટલું બધું આવીને પડ્યું હોય તો.

એટલા માટે કહે છે ને, "ઘેર તારું માણસપણું છોડ અને બ્રહ્મ બની જા." બધું દુઃખ ગયું એક સામટું. એક જ ઉપાય કરવાનો, ખતમ. ઈત સિદ્ધમ. બસ, આ સિદ્ધ કરવા જેવું જો કંઈ હોય તો આ બ્રહ્મપણું છે, બાકી કંઈ છે નહીં. અંદર ઠૂસી ઠૂસીને ભળી દેવાનું બરાબરનું સારી રીતના. અને આ બાકીને બધું છે ને એ અનિત્ય છે, મિથ્યા છે. આ બધું છે ને પરિવર્તનશીલ છે એટલે ગોળ ગોળ ગોળ ગોળ ફર્યા જ કરે બધા. પેલા મશીનમાં સાફટીન હોય છે ને, એ ગોળ ગોળ ફર્યા કરે બસ. ક્યાંય ક્યાંય જાય ની, ક્યાંય પહોંચે ન પાછી. મ ગોર ગોર પા એવું છે આ સંસાર. સમજાય જગત, જીવ વગેરે રૂપે એ બધાને જોતો હોવા છતાં પણ પરમાત્માને જાણનારો એને જોતો પણ નથી કે અનુભવતો પણ નથી. આઈ ગઈ વાત, પૂરી થઈ ગઈ. એટલે પેલા જે આમ પરમહંસ હોય, અવધૂત હોય, તમે જોયા છે એવા એક્ઝોલ્ટેડ બીંગ પાસે એને.

કશું જ નથી. એમ કોઈ મોટો સૂટ પહેરીને આવ્યો હોય, ગાડીમાં આવ્યો હોય કે કંઈ આમ સાડી પહેરીને આવ્યો હોય કે ગમે તે હોય, એને તો કશું છે જ નહીં, કશાની ગણતરી જ નહીં. એમ કોઈ રાજા આવ્યો તોય ભલે અને કોઈ બીજો આવ્યો તોય ભલે. બોલો, કેટલી સુંદર ઉત્કૃષ્ટ અવસ્થા છે! આ છે આપણે એમ એનો અનુભવ કરવાનો. બાકી રાખશો નહીં, કરવા જ માંડો. ક્યારેય એમ ના પૂછો, અત્યારથી અનુભવ માંડો. આ બધું અનિત્ય છે, મિથ્યા છે. જે બ્રહ્મ છે તે સત્ય છે. શંકરાચાર્ય બૂમો પાડી પાડીને કીધું: "બ્રહ્મ સત્ય જગત મિથ્યા." બધાય બોલ બોલ કરે છે. પછી પાછા કહે: "માણસ માત્ર ભૂલને પાત્ર." એટલે એ તો ચિત્ત સ્વરૂપ, બ્રહ્મરૂપ વસ્તુને જ જુએ છે. અહીંયા વસ્તુરૂપ કીધું છે, પણ વાસ્તવમાં વસ્તુની અંદર પણ એ બ્રહ્મને જ જુએ છે એમ કહે છે. એને વસ્તુ જણાતી જ નથી. આ બ્રહ્મ. દાખલો આપ્યો ને પ્રહ્લાદનો?

તો એનો પેલો અસુર બાપો રાજા જે હિરણ્યકશિપુ, તે પૂછ પૂછ કરે કે, "ક્યાં છે તારો વિષ્ણુ? ક્યાં છે તારો વિષ્ણુ?" તો કે, "પિતાજી, એ તો સર્વત્ર છે." કે, "તો કે આ થાંભલામાં?" તો કે, "હા, જો આ રહ્યો. મને દેખાય છે." બોલો, એને તો ત્યાંય જણાતો હતો. આ સ્થિતિ છે બ્રહ્મનિષ્ઠ નહીં, બ્રહ્મમય જે બની ગયો છે તેની. બ્રહ્મ સ્વરૂપની પ્રાપ્તિ કરી લીધી છે તેની. આ તમારી ને મારી અંતિમ સ્થિતિ. હજી ત્યાં નથી પહોંચ્યા. કેટલી વાર ધર્મ અને ધર્મની વાતો તો ભેદ દ્રષ્ટિથી થાય છે. ધર્મ, અધર્મ, આ બધું જે છે એ બધું માયા છે એમ કહે. વ્યવહારની અંદર ચાલે છે આ બધું. વ્યવહારના નામે લોકો એને ચલાવે જ રાખે છે. એટલે પણ ક્યારેક તો પારલાય ધર્મનો અંત આવશે, ત્યાર પછી તને આત્મા જડશે. ત્યાં સુધી તું એમાં જ ગોળ ગોળ ગોળ ગોળ ફર્યા જ કર. સાપટી ક્યાંય પહોંચે નહીં.

એટલે ભેદ બુદ્ધિ જન્માવે છે. ભેદ બુદ્ધિ થયા કરે. દરેક વસ્તુમાં ભેદ પાડ્યા કરે. એક હોય તો કહે કે, "કેમ કરીને બે ટુકડા કરવું?" એના બસ એ જ હોય, "ડિવાઈડ એન્ડ રૂલ, ડિવાઈડ એન્ડ રૂલ." પણ રૂલ ક્યાં કરવાનો? વ્યવહારમાં કરવાનો ને? એટલા માટે જે ખરેખર રૂલર છે ને, એ રૂલ ના કરે. ખરી વાત ના કરે. રૂલર એ ખાલી હોય જ રૂલર. એવી વાત છે. સાક્ષાત પરમાત્મામાં જ ભેદ છે, અભેદ છે. એવી રીતે ભેદ અભેદ પણ છે. આ બધું જે કંઈ છે તે પરબ્રહ્મ પરમાત્મા જે છે, એમાંથી કોઈ બહાર નીકળી શકવાનો નથી એમ કહે છે. આત્મા સર્વદા સર્વત્ર અસ્તિત્વ ધરાવે છે. તું એમ માની બેઠો છે કે અહીં છે, તહીં છે, બટન જેટલો છે ને આ વાળ જેટલો છે ને લાખનો ભાગ છે ને, બધી વાતો છે સમજણ માટે આપી છે. તું આત્મા કે બ્રહ્મ કે પરમાત્મા કે પરબ્રહ્મ કે જે બી કેટલો? તો કે અનંતા અનંત છે.

અનંતા અનંત અને છે જ એમ. તું હા પાડે તોય, તું એક્સેપ્ટ કરે તોય ને ના કરે તોય, એ ક્યાંય જતો નથી રહેતો. આત્મચેતના સિવાય બીજું કંઈ અસ્તિત્વ ધરાવતું. એટલે જે કંઈ છે, અસ્તિત્વ ધરાવે છે એવું લાગે છે, તે બધું વાસ્તવમાં અનઅસ્તિત્વ છે, ઉત્પન્ન થયું જ નથી. વસ્તુત: એ અવસ્તુત વસ્તુ કે અવસ્તુ જે કંઈ વિદ્યમાન છે તે બધું જ બ્રહ્મ સ્વરૂપ છે. આવું જાણનારો બ્રહ્મવિદ જ્ઞાની પુરુષ શું ગ્રહણ કરે ને શું ત્યાગ કરે? એને બ્રહ્મને પકડ્યો ને બ્રહ્મને છોડ્યો એવું કંઈક તો કરી શકતો નથી. વસ્તુ રૂપે એ લેમુખ કર્યા કરે. વ્યક્તિ રૂપે આવજાવ કરે છે. સમજાયું? બ્રહ્મરૂપે શક્ય જ નથી. આવડો મોટો આ બ્રહ્મ છે, અનંતા અનંત. અહીંથી ક્યાં જવાનો છે? કહે છે ને, "મોક્ષે જવાનું." અલ્યા પણ ક્યાં? કઈ જગ્યા છે? કોઈ એડ્રેસ છે તારી પાસે મોક્ષનું? આવડો મોટો ઉચકીને ક્યાં મૂકીશ બ્રહ્મને?

અને ઉચકાશે પહેલી વાત તો? આ બ્રહ્મનું તો તું કરી શકેશ ધારણ. અડવા જઈશ ને એટલે બ્રહ્મ સ્વરૂપ થઈ જઈશ. સીધો બ્રહ્મમાં પ્રવેશ. બ્રહ્મનું ખાલી સ્પર્શ કાફી. આ તમારું અવસ્તુ, અવિદ્યા, વિદ્યા બધું ગાયબ, ખતમ. આ થયું તું પહેલા. રામકૃષ્ણ આ ખાલી આ મળ્યા ને પહેલી વખત વિવેકાનંદજી એને મળવા ગયા હતા. ભાઈ બધાને પાસેથી સાંભળેલું કે આ બહુ સારા સંત છે એટલે કે આપણે જઈને દર્શન કરીએ. હવે રામકૃષ્ણને તો આમ જાણે રાહ જોતા હતા કે આ ક્યારે આવે, ક્યારે આવે, ક્યારે આવે. નામ ના જાણે એમ કંઈ બધું, પણ એને ખબર હોય કે આ આવવાનો છે, આજે આવવાનો છે. તૈયાર થઈને નાઈ ધોઈને બેસી ગયા હોય, રાહ જોતા આમ ક્યારે આવે એમ. એટલી બધી કે જેવા આવ્યા ને, તો એટલો બધો એને આમ આ વીરભાવ. તું આવી ગયો કરીને આમ બસ એને આમ સ્પર્શ કર્યો અને જેવું એ કર્યો ને એની સાથે પેલાને તો આખું બધું આમ સામેનું બધું ગાયબ થવા માંડ્યું.

ગોળ ગોળ ચકેડા, ભમેડા બધું થવા માંડ્યું. નરેન્દ્ર તે વખતે ગભરાઈ ગયા. તો કે, "મહાશય, તમે આ શું કરી રહ્યા છો? મને આ શું થઈ રહ્યું છે?" એમ કહ્યું. ત્યાર પેલા એકદમ પેલા એમાંથી જાગ્યા અને પછી એને કીધું કે, "કશો હતો નહીં, તને વાર છે હજી થોડી." એમ કરીને પાછો સ્થિર કર્યો સંસારની અંદર અને કે, "હવે તું એક ભજન ગા." નરેન્દ્ર બહુ સારું ભજન ગાતા હતા વિવેકાનંદ. એટલે પછી એમણે ભજન ગાયા. એટલે આવું પછી એને ધીમે ધીમે થયું. તો એ મુલાકાત પછી તો કેટલા એટલા બધા ટાઈમે પછી પાછા સેકન્ડ ટાઈમ ગયા હતા. હું અહીંથી હાલી ગયું તું બધુંય. એટલું બધું આમ એ બ્રહ્મ છું, તે હું છું, તે તું છું. એટલે વિચારો કે જો એમને પણ હચમચાવનારો અનુભવ થઈ ચૂક્યો છે જ્યારે બ્રહ્મનો સ્પર્શ થયો છે અને એમણે જો તે વખતે એક્સેપ્ટ કર્યું હોત ને તે વખતે તો તે તત્ક્ષણ એમને ત્યાં બ્રહ્મ સ્વરૂપમાં પ્રવેશ થઈ ગયો હોત.

ત્યાં એ પતી ગયું હોત એમનું કામ. પછી અટક્યું અટક્યું અટક્યું બધું થયું. એમને પણ કેટલો લાંબો કાળ પછી થયું જ્યારે પરમહંસદેવ હતા પણ નહીં. ત્યાર પછી આ બધું જઈ આયા, ફરી આયા, બધું કરી આયા. ત્યાર પછી કેટલા બધા ટાઈમ રાહ જોવી પડે છે. એક વખત જો આમ બ્રહ્મ ઘોઘવતો તમારી સામે આવ્યો હોય ને તમે

એમ કહો કે, "હમણાં નહીં," તો કે સારું. યા પાછો જાય. પરમાત્મા તમારો એક વિનય કરે છે, તમે એનો કરો છો, એનો આદર કરો છો. કેવી વાત! તો આવો બ્રહ્મવિદ, એ જ્ઞાની પુરુષ શું ગ્રહણ કરે ને શું છોડે? કશું ના થાય. એટલે વ્યવહારિક રીતે એ બિલકુલ બસ અલિપ્ત થતો જાય છે. એનું કારણ જ આ છે. છેલ્લે તમે જોશો જીવનમુક્તના લક્ષણો, તો વ્યવહારિક દૈનિક કાર્યો, ક્રિયાઓમાં પણ તમારે એમને સહાય કરવાનો વખત આવે. કારણ કે દેહ ધારણ કરવો જ એવા પ્રકારનું એમનામાં કંઈ બાકી રહ્યું જ નથી હોતું. પણ વખતે રહી ગયો તો કેટલાયનું કલ્યાણ કરી નાખે એવા બ્રહ્મજ્ઞાની બધા આ ભારત ભૂમિ પર પ્રગટ.

પરમબ્રહ્મ જે છે તે જગતનું અધિષ્ઠાન છે. એટલે શું કહે છે કે, "પરબ્રહ્મ છે તો જગત જણાય છે અને પરબ્રહ્મ ના હોય એવું હોતું નથી." કારણ કે શાશ્વત છે, "ચૈતન્યમ શાશ્વતમ શાંતમ." એ કેવા ઉપમા રહિત છે! કોઈ શબ્દથી કશું તમે કંઈ જ નથી કહી શકતા જ નથી અને મનથી અગોચર. મન છે ને ફોટો પાડે દરેક વસ્તુનો. બ્રહ્મનો ફોટો જ ના પડે. તમે બ્રહ્મ સ્વરૂપમાં સ્થિર થઈ જાઓ, કોઈ દુનિયાનો કેમેરો તમારો ફોટો નહીં લઈ શકે. કેટલાયને એવું થતું હતું. દાખલો: લાહિરી મહાશયનો એક ફોટોગ્રાફર આવ્યો હતો, ગમે તેમ કરીને કે, "ફોટો લઉં, લઉં," એમ. એટલું બધું એને કેટલા દિવસો સુધીને એને એ ચાલ્યું હતું. ફોટો જ ના આવે ને! ગમે તેટલો ડેવલપ કરે, આમ કરે, તેમ કરે, કેમેરા બદલે, એટલે બધું કરે. ફોટા જ ના આવે. પછી એક ટાઈમે જ્યારે એમને જાણમાં લાવવામાં આવ્યું કે, "મહાશય, એક જો હશે ને ફોટો, તો કે અનેક લોકોને પ્રેરણા આપશે તમારો." પછી એમણે કન્સેન્ટ આપી કે, "ઓકે." ત્યાર પછી એ ફોટો લેવાયો.

લાહિરી મહાશયના જેટલા ફોટા તમે જોશો ને, એ બધા એક જ ફોટા છે. બીજો કોઈ ફોટો નથી. આમ કરીને આમ બેઠેલા છે. કોઈ ફોટો ના આવે. ફોટો બ્રહ્મનો ફોટો ના પડે. બ્રહ્મ સ્વરૂપ થઈ જશો, એરપોર્ટ પરથી આમ કરીને આમ જશો તો ક્યાંય કશું દેખાશે જ નહીં. પેલા લોકો, "માથી પસાર થઈ ગયો કે કોઈ ફેદ નહીં." આવું જાણનારો બ્રહ્મવિદ, જ્ઞાની પુરુષ જે એ મનથી અગોચર એવો હોય. આવું કેમ થાય? શા માટે? દાખલો આપ્યો કે, "અદ્રશ્ય છે બ્રહ્મ." દ્રશ્ય ના કરી શકાય એબો એટલે અદ્રશ્ય બ્રહ્મ છે. અગ્રાહ્ય: બ્રહ્મને પકડી પણ ના શકો. બ્રહ્મ સ્વરૂપ જે હોય એના લોકો આમ આમ કરે કે, "બાપજી, મને જરા ચરણ સ્પર્શ કરવા દો, આમ તેમ કરવા દો." તો પેલો સામાન્ય રીતે અડવા નથી દેતા. એનું મૂળ કારણ આય તે અપરિપક્વ સ્થિતિમાં જો એ બ્રહ્મનો સ્પર્શ કરીને બેઠો અને પછી બ્રહ્મ સ્વરૂપ થઈ ગયો તો પાછળ બૈરી છોકરા તે બધા રોગ કળ મચાઈને મુકશે.

"શું થશે આના સંસારનું શું?" એમ કરશે બધા. વકીલાત અમારે જ થઈ તી. અગ્રાહ્ય છે એટલે બ્રહ્મને પકડી નહીં શકો. તમે જે બ્રહ્મ સ્વરૂપ થઈ ગયો, આમ આમ કર્યા કરશો, નહીં આવે હાથમાં. આ એક્સટ્રીમ કેસની વાત છે અહીંયા ગાળે. આકાશને તમે પકડી શકો? આ પકડાય? ના પકડાય. આકાશ તો બહુ સ્થૂળ છે. બ્રહ્મ તો અતિ અતિ સૂક્ષ્મ છે. કેવી રીતે પકડાશે બતાવો? બ્રહ્મનો હાથ ના જલાય એટલે બ્રહ્મને ચરણ સ્પર્શ બી ના થાય. બ્રહ્મને પૂજા ના કરાય, બ્રહ્મની પ્રાર્થના ના થાય, કશું ના થાય. બસ ખાલી કેવળ સરેન્ડર. બ્રહ્મ સ્વરૂપ સ્વીકાર મુદ્રામાં રહો. બ્રહ્મ સ્વરૂપ બનો. બીજું કાંઈ ના થાય.

ગોત્ર રહિત છે. તમે કયા ગામના? તમે કયા કુળના? તમે કયા ગોત્રના? બ્રહ્મનું કોઈ કુળ ના હોય, કોઈ ગોત્ર પણ ના હોય. બ્રહ્મ પટેલે ના હોય અને બ્રાહ્મણે ના હોય. બ્રહ્મ બ્રહ્મ જ હોય. બ્રાહ્મણત્વ પણ જ્યારે માણસ ત્યજી દેશે, ત્યાર પછી એ બ્રહ્મમાં પ્રવેશ કરશે. "હું બ્રાહ્મણ છું," વાળું હશે ને, ત્યાં સુધી હજી એને રાજ હોવાની છે. રૂપવિહીન: રૂપ નથી, આકાર નથી, કશું નથી એવો બ્રહ્મ છે. એટલે એને રૂપવિહીન કીધો. તમે જોઈ શકો તો બસ અત્યંત તેજસ્વી, ચકચકિત છે. બસ એવું કે આંખો ચકાચો બંધ જ થઈ જાય. ચક્ષુ, સ્ત્રોત્ર, હાથ, પગ વિનાનું છતાંય બધે જાય, જુએ, જાણે, સમજે, બધું કરે છે. બોલો! નિત્ય: એ ના હોય એવું હોતું જ નથી એમ. કોઈ જગ્યા નથી કે કોઈ એવો ટાઈમ નથી. કારણ કે બ્રહ્મ જે છે એ નામ, રૂપ, સ્થળ અને કાળ ચારથી પર છે. આ ચાર ડાયમેન્શન છે ને, એનાથી પણ એ પર એટલે ત્યાં બી નહીં પકડાય.

વિભુ: પોતે કેવો છે? વિશ્વનો પ્રભુ છે. વિશ્વની ઉપર પણ એનું પોતાનું પ્રભુત્વ. ઇસ ધ રૂલર. સર્વત્ર સ્થિત: ઉપનિષદમાં કીધું છે. બુદ્ધિ કબૂલ કરે છે. પ્રશ્ન એ આવે, "સર્વત્ર સ્થિત છે?" આ ઋષિએ કહી દીધું છે. અનુભવી છે આ ઋષિ. આપણે વાંચીને આગળ જતા રહીએ. "સર્વત્ર સ્થિત છે ભગવાન." બરાબર બોલીએ. એ પાછા દક્ષિણમાં એટલે જમણી બાજુ ને ઉત્તરમાં એટલે ડાબી બાજુ એમ. એટલે કે સર્વત્ર વિદ્યમાન. પણ બ્રહ્મ તો દિશાઓથી પણ વિહીન છે. કારણ કે અનંત છે. અનંતમાં કઈ દિશા? કઈ બાજુ? કેવી રીતે નક્કી કરશો? કોઈ રેફરન્સ પોઈન્ટ જ નથી. બ્રહ્મનો રેફરન્સ પોઈન્ટ ના હોય. વ્યવહારમાં રેફરન્સ પોઈન્ટ હોય એટલે રિલેટીવિટી ઊભી થાય છે. બ્રહ્મ છે તે એબ્સોલ્યુટ છે. કશું જ નહીં. વ્યવહારમાં પૂછો કે, "બ્રહ્મ શું છે?" તો વ્યવહારમાં જવાબ આપે, "કશું નથી એ બ્રહ્મ છે." કશું નથી એ બ્રહ્મ છે.

બધું ચોખ્ખું એકદમ સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ. પેલી ગણતરી આપી તી: એક લાખમો ભાગ જીવ છે અને પછી એના પાંચા ભાગ, કરોડ લાખમો ભાગ ને એનો ૫૦,૦૦૦ મો ભાગને પણ તોય એ બધું મેન્ટલ મેથેમેટિક્સ છે. એ બધુંય બ્રહ્મમાં સમાય, ઝીરો થઈ જાય. સૂક્ષ્મ હતી સૂક્ષ્મ. એટલા માટે બ્રહ્મને જોઈ શકતા નથી. બ્રહ્મને જાણી શકાય, અનુભવી શકાય અને પછી બ્રહ્મ બની જવાય. બસ બીજું કંઈ નહીં. સિમ્પલ. એની સર્વોચ્ચ આરાધના શું? તો કે બસ તદરૂપ થઈ જવાનું. બ્રહ્મનું જે રૂપ છે તે તમારું થઈ જાય. આ રૂપ તજી દેવું પડે. આ હોય ખરું તો પણ બ્રહ્મરૂપ તો તદરૂપ તો થઈ જવાય. થવાય ખરું ને તારે પછી. એટલે જ્યારે જ્ઞાની પુરુષ પોતાના આત્મામાં સમસ્ત જગતને જુએ.

છે, એટલે એને ક્યાંય જવાનું જ નહીં. જાણવા માટે, જોવા માટે કશું. તમે જ્ઞાની પુરુષ પાસે જાઓ. જે પૂછવું હોય એ પૂછો, એમ કહેશે. તમારે 'અન નો લિમિટ' (unlimited) કોઈપણ જવાબ એ આપી દેશે; કારણ કે સમસ્ત જગતને પોતાની અંદર જોયા જ કરતો હોય. જ્યારે જોવું હોય, ઈચ્છા ના હોય એની પોતાની સહજ. જળ કે કોઈક નિમિત્ત ઊભું થાય ને કોઈક આવીને પૂછે કે, "બાપજી, આનું શું?" એટલે પેલો જરાક આમ જોઈને કહી દે કે, "કામ બસ." એ સહજ ભાવે. જરૂરી નથી કે જવાબ આપે, બંધાયેલો નથી. બ્રહ્મ કોઈને જવાબદાર નથી. બ્રહ્મ પોતે જ જવાબદાર છે, પોતાને જ જવાબદાર છે. એટલે કીધું કે, "સ્વયંને ખોજ જો ભાઈ, સ્વયંને ખોજો." એ નિર્ભય હોય છે, ભયથી સદા મુક્ત. કોઈ એને ભયભીત ના કરી શકે. ભલભલું એ બંધાયેલો હોય તો પણ એ મુક્ત જ છે સ્વરૂપે. વખતે કોઈ કામ બાંધી દે તો પણ એ મુક્ત.

ઔરંગઝેબને આવા બે-ચાર મળ્યા હતા. નસીબદાર કહેવાય ખરેખર તો એને આવો અનુભવ થયો એના જેવાને. પણ એના જીવને એવું મળી પણ રહેતું હોય છે ઇતિહાસમાં જ. આવું એને પૂરી દીધા હતા આવા સંતોને. તે પેલા સંતને એને પૂરી દીધા ને પછી પોતે જમવા બેઠો હતો. અહીંયા એનો મહેલની અગાસી ને ત્યાં આગળ જેલ. તે પેલો અહીં અગાસીમાં બેઠો બેઠો ભોજન કરતો હતો. જુએ તો પેલા સંતો તો અહીંયા આંટા મારે જેલની અગાસી પર. પાછો મહીં અંદર જઈને જુએ તો પેલો જેલની પેલી કોટડીની અંદર પાછા જેમ છે તેમ દેખાય. પાછો બહાર આવીને જુએ તો કે, "એ તો આકાશીમાં આંટા મારે ને ભજન ગાતા હોય, કંઈ પણ કરતા હોય." રોહિદાસ જેવા આવા બધા ઘણા વૈષ્ણવ સંતો પણ એ વખતે બ્રહ્મનિષ્ઠ. બસ, બ્રહ્મની અંદર એકમાત્ર નિષ્ઠા. બાકી કશું કોઈ લેવા દેવા જ નહીં. એમ માખણ ચોપડવું, પેલા શ્રીકૃષ્ણ ભગવાનને દોરી ખેંચીને હિંડોળો કરવો, કશું નહીં.

બ્રહ્મનિષ્ઠ અદભુત.

એટલે એ બંધાયેલો હોય તો પણ એ મુક્ત જ છે. વ્યવહારમાં બંધાયેલો લાગે વખતે તમને. અને ઘણીવાર તો એ એવી બધી કળાઓ વ્યવહારમાં કરે કે દાખલા રૂપે, દ્રષ્ટાંત રૂપે કે તમને એમ થાય કે, "આવો કેવી રીતે બ્રહ્મ સ્વરૂપ આ હોઈ શકે?" પણ પછી અડો ત્યારે ખબર પડે કે કેવું સો? કેટલા લાખ ફેરનહીટ એનું તાપમાન હોય બ્રહ્મનું! તો એવું લાગે શું?

તો આ પ્રકારની પરાવિદ્યા સત્ય, તપ અને બ્રહ્મચર્ય વગેરે ધર્મોનું અનુપાલન કરવાથી વેદાંત માર્ગે પ્રાપ્ત થાય છે. આ એક સ્ટેટમેન્ટ આપ્યું. આ પરાવિદ્યા છે. તો સત્ય કયું? સત્ય છે બ્રહ્મ સત્ય છે. એના પર ટકી રહેવું એને તપ કહેવાય. એના પર ટકી રહેવું કે બ્રહ્મ સત્ય છે, બસ. અને એ સત્યને અનુભવ્યા કરવાનું એ તપ. અને એ બ્રહ્મચર્ય એટલે બ્રહ્મ સત્ય છે એનું જ આચરણ કર્યા કરતો હોય તે બ્રહ્મચર્ય. પેલું નહીં, એ બ્રહ્મચર્ય વગેરે ધર્મોનું અનુપાલન કરવાનું. અનુપાલન કરતાં કરતાં કરતાં કરતાં એક ટાઈમ આવશે, બધા ધર્મોએ બધા પૂરું થઈ જશે ને બધું. પછી આવશે વેદાંત માર્ગે. વેદનું અધ્યયન કરવાનું. વેદ શું કહે? "બ્રહ્મ સત્ય છે." એ વેદ છે. "અહમ બ્રહ્માસ્મિ" એ વેદ થઈ ગયો. વેદનો એક શબ્દ પણ તમે આમ કાઢીને બોલો ને, એટલે 'બાય ઈટસેલ્ફ' એ વેદ કહેવાય.

એક સેન્ટેન્સ ક્યાંકથી કાઢો કે એક મંત્ર પણ કાઢીને તમે બોલો, તો એ એક મંત્ર છે, એ પણ 'બાયસેલ્ફ' એ વેદ કહેવાય. સ્વતંત્ર બિલકુલ આ.

હવે એ વેદનો અંત આવે છે ક્યાં? વેદાંતમાં. એ પૂરું થઈ જાય ત્યાર પછી કર્યું ને આપણે? હા, ધાત. વેદનો અંત આવ્યો અહીંયા. સ્થિતિ જુઓ. તે બ્રહ્મ એમ અનુભવવાનો છે. વેદાંત માર્ગે પ્રાપ્ત થાય છે. વેદાંતની ચોપડી મૂકી દો બાજુ પર, પછી પ્રાપ્ત થશે. વ્યવહારમાં કહું તો, જ્યાં સુધી હજી પકડીને ફરો વેદાંતની ચોપડી, ત્યાં સુધી બ્રહ્મની પ્રાપ્તિ બહુ દૂર છે. પેલો કહે છે ને કે આમાં માપ હોય છે કે, "અહીં આ ગ્રહથી પેલો ગ્રહ છે ને એટલે લાખ પ્રકાશ વર્ષ દૂર છે." ત્યારે પેલો આની અંદર કેવું માપ નીકળશે ખબર? કે બ્રહ્મની પ્રાપ્તિ તો કે, "હજી આટલા ભવ દૂર છે." એટલા માટે એવું કહે છે કે જે માર્ગે આવ્યો ને માર્ગે, એનું જ નક્કી કહી શકાય કે આ કેટલા જન્મ પછી આની મુક્તિ છે કે આ બ્રહ્મમાં પ્રવેશ પામશે. હજી તો માર્ગે આવ્યો છે કે નહીં એ કોઈને ખબર નથી હોતી પોતે.

એટલે એનું કંઈ નક્કી નહીં. એ સાપટી પછી ફરિયાદ કરવાની, "લખ ચોરાસી, લખચોર."

એટલા માટે કીધું હતું, "સર, અત્યારે આપણે કહીએ ને કે આખો બ્રહ્મ છે, એની અંદર આખું બ્રહ્માંડ છે." એક્ચ્યુઅલમાં આ જે દેખાય છે એ બધું બ્રહ્મની માયા. આ આ બ્રહ્મ છે. અહીં આટલું ટપકું કરે છે ને લોકો, બસ એટલું જ. આ બધા અનંતા અનંત બ્રહ્માંડો આટલી જ જગ્યામાં સમાય આખા બ્રહ્મમાંથી, એમ સમજવું. એટલે આ રિલેશનલ. હજી તો સમજાવાનો પ્રયત્ન કરું છું. બ્રહ્મનું કોઈ માપ જ નથી. એ અસીમ છે, અમાપ છે, અનંત છે. બસ, પતી ગયું. અને નિત્ય છે, શાશ્વત છે, અવિનાશી છે. એવું એવું કોઈ એટમ બોમ્બ નથી બ્રહ્મનો નાશ કરે એવું. કશું નથી કે જે બ્રહ્મને નષ્ટ કરી શકે. બ્રહ્મ પ્રગટ થાય એટલે અજ્ઞાન નષ્ટ થઈ જાય, સંસાર નષ્ટ થઈ જાય, બધું જ જતું રહેશે. એટમ બ્રહ્મ. હા, એક એક પરમાણુ જે છે ને, તે પણ બ્રહ્મથી સંયોજિત છે. એટલા માટે છે. બ્રહ્મ છે તો તને પેલું દેખાશે, નહીંતર એ નહીં દેખાય.

સાહેબ, પ્રહલાદ છે, એમને બધે બ્રહ્મ દેખાતા. બરાબર? હવે આપણે છે તેમ આપણે અત્યારે ધારણાસરી તરીકે લઈએ ને કે અહીંયા બ્રહ્મ છે. હા, આ છે જ બધું. પહેલા બ્રહ્મની ધારણા કરવાની. પણ ધારણા કેવી રીતે થશે? તમારે કશું પણ ધારણ કરવું હોય તો તમારે ધારણા કરવી પડે, બરાબર ને? ધારણા કેવી રીતે કરો? કંઈક ગ્રહણ કરવું પડે ને? શું ગ્રહણ કરવાનું? બ્રહ્મના લક્ષણોથી એ જણાવવાનો છે. તો બ્રહ્મના લક્ષણો કયા છે? એને તમે ગ્રહણ કરો. આગળ ઉપર બ્રહ્મ એ જ ગ્રહણ કરાવી દેશે. તો કે: અનંત છે, શાશ્વત છે, ચૈતન્ય ઘન છે, અવિનાશી છે, નિરાકાર છે, નિર્વિકાર છે, સચ્ચિદાનંદ છે, અવ્યાબાધ છે, ટંકોત્કીર્ણ છે, અવિનાશી, નિરોગી છે અને નિરાગી છે, અનાસક્ત છે.

એ બ્રહ્મ છે, અનંત કોટિ સૂર્ય અને ચંદ્રની પ્રભા અને કાંતિવાળો એ જે છે, તે કેવળ બ્રહ્મ જ છે. આ ધારણા એટલે પ્રશ્ન એ નથી કે આ રૂમમાં હાજર છે; એ પ્રશ્ન જ નથી. એમ એવું કરી જ ના શકે, કારણ કે નિત્ય છે. કીધું એટલે અહીંયા આગળ તમને પહેલા કીધું: "સર્વત્ર સ્થિત, ખાલીના કોઈ સ્થળ વીણ આપતારો, બ્રહ્માંડમાં અણુ અણુ મહિવાસતારો." તારે તું અણુને ફોડી નાખીશ ને, તો મહીથી બ્રહ્મ તો છે, નહિતર અણુ જ નથી. ખરેખર, એક અણુને ફોડવાની તાકાત છે બ્રહ્મની, પણ બ્રહ્મને ફોડવાની તાકાત કોઈ નામ નથી. અખંડ છે. "અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યન ચરાચર." ચર, અચર બધે એ જ છે.

એવો ગુરુ એ ગુરુ છે જેમના દોષો નાશ પામ્યા છે. એવા જ્ઞાનીજનો પોતાના શરીરમાં જ રહેલા સ્વયં જ્યોતિ સ્વરૂપ પરમ તત્વને જુએ છે. બીજા માયાથી આવૃત્ત લોકો એનું દર્શન કરી શકતા જ નથી. બ્રહ્મનું દર્શન શક્ય જ નથી. કેવળ આ લોકો જ કરી શકે છે કે જેના દોષો નાશ પામ્યા. એટલે પ્રાર્થના કરે છે પછી કે, "સંસારના સગળા દોષો કાપો, સમૂળા કાપો. મામપાહી ભગવતી, ભવ દુઃખ કાપો." રોજ ઘા ઘા કરે, "રે રે ભવાની, બહુ ભૂલ થઈ જ મારી." માણસ માત્ર બોલને પાત્ર. બોલીને પાછો આગળ જતો રોજ ગાય. માયાથી આવૃત્ત લોકો બ્રહ્મ દર્શન કરી શકતા નથી.

બાકીનાને બ્રહ્મ સ્વયં સ્પષ્ટ છે, સ્વયં સ્પષ્ટ છે, કારણ કે સ્વયંભુ છે. લોકો દોડ દોડ કરે, "જ્યોતિર્લિંગ સ્વયંભુ" એમ કરીને. મય બેઠો છે, સ્વયંભુ વિભુ બેઠો છે. ઓનરેટ. જે કોઈ યોગીને આવું સ્વરૂપ જ્ઞાન થાય છે, (સ્વરૂપ જ્ઞાન હ, વચ્ચેથી "રૂપ" બી કાઢી નાખો તો "સ્વ"નું જ્ઞાન થાય છે). પછી "સ્વ" બી કાઢી નાખો તો જ્ઞાન થાય છે. તેને ને પૂર્ણ રૂપ એટલે કે પરબ્રહ્મ પ્રાપ્તને ક્યાંય ગમન કરવાનું રહેતું નથી. બસ, એ છે જ. પછી એ નિત્ય થઈ ગયું, પતી ગયું. "મોક્ષ જવાના છો? એડ્રેસ આપજો, પિનકોડ હાથે પોસ્ટ કોડ રાખે છે બ્રિટનમાં." ખાલીના કોઈ સ્થળ, કોઈ જગ્યા જ નથી કે જ્યાં બ્રહ્મ નથી. એમ અધ્યાત્મ નાવ એર આત્મા. કહેવાનો અર્થ એ એ છે: અનુભવ, અનુભવ, અનુભવ, અનુભવ જોઈશે. અનુભવ તૃપ્તિનો ઉદઘાત. "સુણી હશે, હશે તે ખાસે માર." શું કીધું? "સુની હશે તે ખાસે." ખાલી સાંભળીને ફરફર કર્યા કરતો હશે, એ માર ખાધા જ કરશે.

અનો હજ ફરશે સાપટીની જેમ. લખ ચોરાસી. તપસી તત્વમ શ્રીદેવ. બોલો, "જય જય શ્રી ગુરુદેવ." તપસી તત્વમ. કોનું તપ કરવાનું? તત્વનું તપ કરો, બસ. બીજા કસાનું નહીં. એમ કીધું. એ તત્વ એટલે પરમ તત્વ. શ્રી એ દેવ કે એ જ સંપત્તિ છે, એ જ દેવત્વ છે, એમ એ જ પ્રભુત્વ છે.

જો આ કીધેલું જ છે ઓલરેડી. બધું જ્ઞાન તો બધું છે જ. આમ જેમ કીધું ને કે બ્રહ્મ ક્યાં નથી? બધે જ છે. તો પછી જ્ઞાન ક્યાં નથી? બધે જ છે. જ્ઞાન સર્વત્ર છે. જ્ઞાન અને બ્રહ્મ, બ્રહ્મ જ્ઞાન એક જ છે. સ્વયંમાં પૂર્ણ એવા આકાશને ક્યાંય જવાનું હોતું નથી. આ આકાશને ઉપાડીને બીજે મુક્યા છે તાકાત? એ તો સર્વત્ર છે. એમ સર્વને બ્રહ્મમય જાણી લીધું છે, તેઓ જ્ઞાની ક્યાંય જતો જ નથી. પ્રસાદમમાં આપણે કીધું હતું: "સ્વયંને જાણવાની જિજ્ઞાસા ઈશ્વરના અનુગ્રહથી પ્રાપ્ત થાય." ત્યાં સુધી તો ભારત જ નહીં પડે, માયામાં જ ગૂંચાયેલો. ત્યારે કહી દીધું તું આખી વાત. એટલે એક એટલા એક વાક્ય પર પણ જો કોક અટકી ગયો હશે ને, પાર આવી જશે એનોય. આવું બધું તો બહુ વેરાયું છે, કેટલુંય. એટલે જ્ઞાન છે ને, એ બધે છે. જ્ઞાન છે એ બધે જ છે અને બધામાં છે. અનુભવ નથી થતો, અનુભવ નથી થતો એનો આવરણના લીધે.

કેટલા બુરખા રોજ ચડાવતો! એટલે પછી શું થાય? આવરણ રૂપી બુરખા બધા અને પછી ફર્યા કરે.

અભક્ષ ભક્ષણનો ત્યાગ કરવાથી હૃદય વિશુદ્ધ બને છે. આ પણ એક બાબત. "અભક્ષયો બ્રહ્મ તારું ભોજન છે, બાકી બધું અભક્ષ છે." એનો ત્યાગ કરવાથી ઇન્દ્રિયોથી પણ ભક્ષણ કરે છે ને? આંખોથી જે કંઈ કરે છે એ ભક્ષણ, કાનથી સાંભળે એ બધું ભક્ષણ જ છે. તો નામ, રૂપને આ બધું જે કંઈ છે તે બધું ભક્ષણ કર્યા કરે છે. પેલો કે, "ગાયો મારી, આમ કર્યું, તેમ કર્યું." ઝઘડા ચાલ્યા જ કરે. એ બધો વ્યવહાર સંસાર. કીધું કે જે બ્રહ્મ તારું ભોજન કહે છે ને, "બ્રહ્મ ભોજન કરાવો." એકવાર કરે ને, પાર ઉતરી ગયો હોય. ફરી જમવા જેવો જ ના રહે. પછી ભૂખ જ ના લાગે. બ્રહ્માંડમાં ભૂખ હોય કશાની? હૃદય વિશુદ્ધ બને છે. હૃદય એટલે આ હૃદય ન તો વિશુદ્ધ હોય જ, એનો કોઈ સવાલ જ નથી. પણ હૃદય વિશુદ્ધ એનો અનુભવ જે છે ને, એ શુદ્ધ સ્પષ્ટ થતો જાય છે એમ કહેવા માંગે છે. પછી એને બ્રહ્મનો સ્પષ્ટ અનુભવ થાય છે.

જે બ્રહ્મ ભોજન કરે છે, બધેથી બ્રહ્મ જ ગ્રહણ કરો એમ કહે છે. અહીંયા ગાળે આહાર શુદ્ધિથી ચિત્તની શુદ્ધિ આપમેળે થઈ જાય છે. એટલે જે કંઈ છે તે બધું બ્રહ્મ જ છે. બસ, આજ જ રીતે તો ગ્રહણ કરું છું તે સર્વ કંઈ બ્રહ્મ જ છે. આહાર શુદ્ધિ થઈ ગઈ. એ આહાર શુદ્ધિ થઈ એટલે તમારા હૃદય શુદ્ધિ થઈ ગઈ. એટલે ચિત્ત શુદ્ધિ ઓટોમેટિક. વૃત્તિઓ ઉઠશે જ નહીં. વૃત્તિ શું? કોઈ નહીં, બ્રહ્મ જ છે. વૃત્તિ તો ગૂંચડું કહેવાય. એ પાછો ગૂંચવાડો પેદા કરે, સંસાર પેદા કરે. વૃત્તિ સાયકિક એન્ટેંગલમેન્ટ કર્યા કરે બધું અને બાંધ્યા જ કરે, બાંધ્યા જ કરે. આમ જુઓ તો કંઈ ના દેખાય ને, પછી આમ જુઓ તો મોટું જાળું થઈ ગયું હોય છે. સવારે આવીને જોઈએ ત્યાં સુધીમાં જોયું, આવડું અમથું જીવડું છે. કરોળીયો પોતે જાતે જ કર્યા કરે. ડિસ્ચાર્જ કરે અને પછી એની પર લટકી લટકીને બાંધ્યા કરે એને બધું.

જીવ એક્ઝેટલી આ કરે છે. જાળા બાંધ્યા કરે અને પછી આમ ઝૂલે, લટકે, બધું કર્યા કરે. આ એની લીલા. એ પછાઈ જાય એની એમને એમ જ. બસ, બીજું કંઈ નહીં. હવે પેલો કરોળીયો તો દેખાય. આ જીવડું હાડું એક લાખમો ભાગ વાળનો કેમ નો દેખાવાય બોલો? અને તોય એવડા જીવડાની આ એણે ઊભી કરેલી માયા. દરેક જીવડાની. ને પાછો કે, "માર બે ફ્લેટ છે, ચાર ગાડી છે, છ બૈરા છે, કેટલા બધા છોકરા?" ત કે, "ખબર નથી કેમ." અને પાછો રાજી થાય એનો.

ગૌરવ પોરસ કર્યા જ કરે. શું? હવે પેલો બ્રહ્મ છે ને, એટલા માટે એ પેશન્સ. કારણ કે એ અક્રિય છે. કોઈ ઈશ્વર હોત ને, તો તો તરત જ એને પનિશમેન્ટ કરત, ખદેડી કાઢત કે આ શું કરી રહ્યો છે? બરાબર? પણ આ ઈશ્વર છે ને, તે પણ બ્રહ્મ ભણી જ જુએ છે અને આ બધું વ્યવહારનું એને જે કરવું પડે છે, એટલું એ કરે છે. એટલો ન્યાયી છે ઈશ્વર રૂપે.

પણ એ જે આહારની શુદ્ધિથી ચિત્તની શુદ્ધિ આપમેળે થઈ, જે કંઈ ગ્રહણ કરું છું તે બધું બ્રહ્મ જ છે. "આ આહાર છે તારો, જે કંઈ કરે છે, જે જે સ્થળે આ મન જાય મારું, તે તે સ્થળે હું તુજને નિહાળું. જ્યાં જ્યાં મુકું મસ્તકમ ગુરુવા, ત્યાં ત્યાં પદ્મમ તારા જ સોહે." આહાર શુદ્ધિ, ચિત્ત શુદ્ધિ આ કહેવાય. એટલે પેલી બધી ભાજગ ઘરમાં ના પડતા કે આ ખવાય ને આ ના ખવાય ને પેલું. એ બધુંની અહીંયા આગળ વાત નથી. ઋષિ મુનિઓ છેલ્લી વાતો કરે હંમેશા. આ ઉપનિષદ છે, વેદનો અંત આવે છે અહીંયા આગળ. ત્યાં બધી વાતો અંતિમ હોય. આ બધું કરો એટલે વ્યવહાર પેલા બહુ પહેલા પૂરો થઈ ગયો હોય, પછી આ આવે, શરૂઆત થાય. સમજાય છે? એટલે ચાર વાગ્યા પછી ના ખાવું, છ વાગ્યા પછી ના ખાવું ને આ બધું જે હોય છે બધું, એ બધું વ્યવહાર રીત નિયમો છે. એ ધર્મને એ સ્તરની અંદર એ બરાબર છે.

એની જગ્યાએ વ્યવસ્થા તો કરવી પડે ને? કારણ કે જીવ ડેવલપ થતો થતો આવે ને ધીરે ધીરે ધીરે ધીરે કરતો અને સ્વબળે, સ્વપુરુષાર્થી, સ્વપ્રયત્નથી એવી એવી રીતના કરી કરીને આગળ વધવાનું. કોઈ ખેંચી જાય ને થાય એવું ના બને. જો નહીંતર નરેન્દ્ર ના પાડી દીધી, તો પેલાએ કીધું, "ઓલ રાઈટ," છોડી દીધા.

પણ ચિત્ત શુદ્ધિ થવાથી ક્રમશઃ ગ્રંથિઓ છૂટવા માંડે. જેટલી ગ્રંથિઓ છે ને, એ બધી અજ્ઞાન છે. નક્કી કર્યું હોય ને, "મારે આમ કરવું પડે," એટલે એક ગાંઠ પડી. "સવારે ચાર વાગ્યે તો ઉઠવું જ પડે," બીજી ગાંઠ પડી. "ઉઠીને તૈયાર થઈને દોડવું જ પડે," ત્રીજી ગાંઠ પડી. "દોડવા માટે પાછા બાટાના જ શૂઝ જોઈએ," ચોથી ગાંઠ પડી. ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. કેટલી? ઓહોહો! તું આમ પેલું આ જીવડું આમ ફરે ને, ગાંઠો બાંધતું જાય છે ને, એ ત્યાં એ જ કરે છે. અને પછી એમાં ને એમાં રહે તે જ્ઞાન સ્ફૂટે જ થાય છે. અજ્ઞાનની જેવી ગ્રંથિઓ તૂટે ને, એટલે પછી જ્યાં જ હોય ને, ત્યાં જ્ઞાનના જબુક્યા થાય. એવું સરસ લાગે કે ન પૂછો! આમ પેલો માણસ આમ બેઠો હોય જંગલની અંદર, અંધારું ઘોર હોય અને પછી આમ જબુક્યા થાય ચારે બાજુ. અજ્ઞાની એવી રીતના એને આમ જ્યાં બધે જ્ઞાન જ છે કે છેવટે એવું કે પહેલા જબુક્યા થશે અજ્ઞાની જેમ એને દેખાશે.

અહીંયા છેલ્લે "નૂર કા દરિયા." આહા! બસ આમ જ જોયા કરતો હશે. બીજું કંઈ છે જ નહીં કે જે કંઈ છે આ બધું અહીંથી આમ જોવું પણ પાર જ નથી આવતો ને કે છે, "આ અનંત છે," કે છે, "આ આશ્ચર્ય છે." અને પછી હવે બોલાય નહીં પાછું, કહેવાય નહીં. પેલો કે, "તું શું જુએ છે?" "કાંઈ નહીં." અને પેલી આમ કોઠી ફૂટતી હોય ને દિવાળીમાં, એમ ધબુક્યા બધા અંદર આનંદના ફુવારા ફુવારા ફુવારા થયા જ કરતા હોય. બસ આ બ્રહ્મજ્ઞાની કહેવાય.

બ્રહ્મજ્ઞાન જેમને થયું નથી, તેવા શરીરધારીઓને જ ભક્ષ અને અભક્ષ્યનો વિચાર લાગુ પડે છે. સમ્યક જ્ઞાન થયું છે તેવા જ્ઞાની જેમ સર્વને સ્વરૂપ રૂપે અનુભવે છે, તેમ અજ્ઞાનીજન. બ્રહ્મજ્ઞાની તો જાણે જ છે કે હું જ અન્ન છું, તેથી અન્નનું ભક્ષણ કરનાર પણ હું જ છું. આ બ્રહ્મ છે, હું બ્રહ્મ છું. બ્રહ્મ જ બ્રહ્મને ભક્ષણ કરે છે, એ જ્ઞાન છે બ્રહ્મજ્ઞાનીનું. અને બ્રહ્મમાં ભેદ ના હોય, એટલે ભાખરી ને દાળ એવું બધું નહીં. જે કાંઈ છે તે બધું બ્રહ્મ જ છે. આટલો ફેર ને પેલો દાળ જુદી જુએ, ભાત જુદી જુએ. પહેલા ભાત ખાઈ જાય ને છેલ્લે દાળ પી જાય. આવા ય જોઈએ. આજ મેં તો એટલે પણ ભેગું કરીને આવે. આખી દુનિયા ખાય તો કે, "ના, આ મારો નિયમ છે." મહીં ગાંઠ પાડી હોય ને આમ. આવું બ્રહ્મજ્ઞાની જ્ઞાનથી જ સર્વ પ્રાણી માત્રને બ્રહ્મમય જાણીને તેનું ભક્ષણ કરે.

ચરાચરને બ્રહ્મરૂપ જાણનાર બ્રહ્મજ્ઞાનીને બ્રાહ્મણ, ક્ષત્રિય વગેરે સર્વ કંઈ તેનું જ ભક્ષ બને છે. એ છે ને તમારું બ્રાહ્મણત્વ ખાઈ જાય અને ક્ષત્રિયત્વ બી ખાઈ જાય એમ. બ્રહ્મજ્ઞાની એ સમર્થ છે ને પોતે, એટલે એના સંસર્ગમાં જેમ તમે આવો ને, તમારું બ્રાહ્મણત્વ છૂટતું જાય, તમારું ક્ષત્રિયત્વ છૂટતું જાય, શુદ્રત્વ જતું રહે. બ્રહ્મ પાસે જશો તો બ્રહ્મમય થશો. સીધો સાદો નિયમ. બસ, નો એક્સેપ્શન. થઈ જ જશો પાછળ સ્યોર.

મૃત્યુ જેનું ઉપસેચન એવા જ્ઞાનીને બ્રહ્મરૂપ જ્ઞાનને કારણે જગત ભોજ્ય બને છે. એ જગતને ખાઈ જાય છે. મતલબ એનું પછી જગત રહેતું જ નથી. એ એને જે ઊભો કરેલો સંસાર હોય ને, દરેક માણસે ઊભો કરેલો. તમે તમે દુકાન કરી, આ કર્યું, તે કર્યું, બધું કર્યું. બ્રહ્મજ્ઞાની જેવો થાય ને, એટલે પછી એ પોતાનો સંસારના જે હોય એને ખાઈ જાય છે એમ. કે એને જે બધું પેદા કર્યું તું, ઊભું કર્યું તું, બધું ખતમ કરતો જ જાય. બધું બ્રહ્મમય થઈ જાય એને. પછી જ્યારે સમગ્ર જગત આત્મ સ્વરૂપ અનુભવાય છે, ત્યારે તે ભોજ્ય બની જાય. ત્યારે આત્મ સ્વરૂપે અવિનાશી બ્રહ્મ નિત્ય તેનું ભક્ષણ કર્યા કરે. આભાસ થવાથી જો જગત ભોજ્ય બને છે, તો આત્મસ્વરૂપનું જ્ઞાન થાય છે ત્યારે તો ચોક્કસ તે બ્રહ્મનું ભક્ષ બને છે. આ રીતે તે સ્વસ્વરૂપ આત્મરૂપે બ્રહ્મનું ભક્ષણ કરે છે, ત્યારે તેના સ્વ આત્મ સ્વરૂપથી ભોજ્ય અલગ રહેતું નથી.

બ્રહ્મમાં બીજું હોય જ નહીં, એ વાત જ ખોટી. "હું બ્રહ્મ છું," ના. બ્રહ્મ ભોજન છે ને એવું બધું કશું હોતું જ નથી. બ્રહ્મ એટલે બસ જાણે પેલું મોટું ફરે છે ને રોડ રોલર, બધું ખતમ કરતું જ જાય સપાચ. સંસાર આખોય એ ખતમ જ કરતો જાય. એટલે કહે છે કે તે જે અસ્તિત્વનું રૂપ છે, તે જ લક્ષણ રહિત બ્રહ્મ છે. અસ્તિના લક્ષણ વાળી સત્તા બ્રહ્મ જ છે. બીજું કશું નથી અને સત્તા બ્રહ્મરૂપ અસ્તિત્વ.

સિવાય અહીં બીજું કશું છે? બ્રહ્મ તો છે જ. આ અસ્તિમાં છે, એટલે અસ્તિત્વમાં આવેલું છે. પણ સત્તા કોની છે? તો કે બ્રહ્મની છે, બરાબર? એટલે એની સત્તાથી આવવા છે.

હવે એ સત્તા જેવી પેલો એ કરી લે પોતાની, એટલે બધું જ બ્રહ્મમય બની જ જાય. એ કહે છે, "વસ્તુ તો માયાનું અસ્તિત્વ જ નથી." "ઇફ યુ બીલીવ ધેર ઇઝ અ માયા, ધેર ઇઝ સર્નલી માયા અને પછી એના અનંત રૂપો છે. બટ ઇફ યુ બીલીવ બ્રહ્મ છે, ધેન ધેર ઇઝ નો માયા."

એ બ્રહ્મની આ બ્રહ્મ છે. જગતવાદીઓ, અસ્તિત્વવાદીઓ, એ ઊભું કરેલું છે કે આ બ્રહ્મ છે અને આ માયા છે. એમ પેલો કહે છે, "આ માયા એટલે તને જણાય છે કે આ છે, ભાઈ." પેલું એમ સમજાવે છે, "અને આ તો છે જ, પણ આ તો નથી જ." એમ કહે છે.

અને તને જે દેખાય છે ને, તે પાછી કેવી છે? રૂપ પરિવર્તનવાળી, અનિત્ય છે, ક્ષણ ભંગગુર; એક ક્ષણમાં ભાગી જાય એવી છે. તમારો ભ્રહ્મ ભાગી જાય ને? એક ક્ષણમાં ભાગી ગયો ને? એવું એવું છે.

આત્મનિષ્ઠ યોગીઓએ માયાને પોતાની અંદર આત્મા સ્વરૂપે જ કલ્પેલી છે. આ પણ કહે છે, "મારું જ સ્વરૂપ છે." એમ. આત્મનિષ્ઠ યોગી હોય એટલે મારાથી અલગ હોઈ ના શકે. એટલે "બ્રહ્મ જ છે, માયા નથી." એમ કહે છે એ લોકો.

બ્રહ્મજ્ઞાન થતા જેનો બાદ થાય છે, બધું બંધ થઈ જાય. બાદ થાય એટલે શું? તો તેનો સાક્ષી રૂપે તેને આભાસ પહેલા થયા કરતો હોય થોડો. પણ જેવું જ્ઞાન થયું, માયા ગઈ, કેવળ બ્રહ્મ.

બ્રહ્મ વિજ્ઞાન જેને થયું છે, તેવો જ્ઞાની આ સમસ્ત દ્રશ્ય જગતને જોતો હોવા છતાં, અદ્રશ્ય જગતને જોતો હોવા છતાં પણ પોતાના આત્મ સ્વરૂપથી એને જુદું જોતો નથી.

એવું આ ઉપનિષદ છે: "પૂર્ણમદ પૂર્ણમિ પૂર્ણાત પૂર્ણ મુદચ્યતે. પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે." ૐ શાંતિ શાંતિ. વન અવર બ્રેક.

આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.