અનંતની યાત્રાAnant ni Yatra
૧૦૮ ઉપનિષદ સિરીઝ · 108 Upanishad Series

ઉપનિષદ સિરીઝ · વિડિયો ૩૯

વિડિયો ૩૯

લેખ ૩૬ / ૧૪૯ · 63 મિનિટ વાંચન · વિડિયો જુઓ ↓

ૐ પૂર્ણમદઃ પૂર્ણમિદમ્ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ૐ શાંતિ શાંતિ શાંતિ. જય સચ્ચિદાનંદ.

ગઈકાલે આપણે મંડલ બ્રાહ્મણ ઉપનિષદનો પ્રથમ બ્રાહ્મણનો ખંડ કર્યો હતો અને હવે આપણે બીજા ખંડ વિશે જે કંઈ જાણકારી પ્રાપ્ત કરીએ તે આગળ હવે પ્રકાશિત કરીએ છીએ.

તો કહે છે કે જે સમયે પશ્ચિમાભિમુખ આંતરિક પ્રકાશ દ્રષ્ટિગોચર થાય છે, જેની આભા પ્રકાશ એ ધૂમ્રવર્ણિક ધુમાડા જેવા વર્ણવાળી છતાં પણ સ્ફટિક મણિ સમાન હોય, બિંદુ હોય એવું જે મનસ તત્વ છે; અને નાદ એટલે કે બુદ્ધિ તત્વ છે; કલા એટલે મહત તત્વ છે; નક્ષત્ર, ખગોળ, આગીઓ કે જુગનું છે; અને દીપ, નેત્ર, સોનું અને નવરત્ન વગેરે જેવી હોય છે, એ જ પ્રણવ "ઓમ"નું સ્વરૂપ છે.

આને પ્રાપ્ત કરવા માટે શું કરવાનું? તો કહે છે કે પ્રાણ અને અપાન વાયુને એક કરીને કુંભક ધારણ કરો. પ્રાણ અને અપાન વાયુને એક કરીને એટલે પહેલા પ્રાણ લો, પછી અપાન લો. બંને સમ થવા જરૂરી છે. પ્રાણ અને અપાન બંનેને સમ થવાથી ઈડા અને પિંગળા સંપૂર્ણ શુદ્ધ થઈને સમ થઈ, પછી એ સુષુમ્ણાની સાથે એકરૂપ બની જાય છે. એટલે એવી જ્યારે સ્થિતિ થાય ત્યારે કુંભક ધારણ કરો. મતલબ કે લીધેલો જે પ્રાણ છે તેને કાં તો રોકી રાખો તો એ "આંતરકુંભક" થશે અને જો બહાર તમે એને રોકી રાખશો તો એ "બાહ્ય કુંભક" કહેવાય છે.

હવે એવા બાહ્ય કુંભક થયા પછીથી કે આંતરકુંભક થયા પછીથી નાકના ટેરવા પર દ્રષ્ટિને એકાગ્ર કરીને દ્રઢ ભાવનાથી કરદ્વય (એટલે બંને હાથની આંગળીઓથી) "ષણ્મુખી મુદ્રા" (આ મુદ્રાને જ 'ષણ્મુખી' કહેવામાં આવે છે, પણ કુંભક કર્યા પછી આ કરવાનું છે) કરીને પછી પ્રણવ નાદ એટલે કે અંદર ઉત્પન્ન થતો જે નાદ છે તેમાં સાંભળો. તેની અંદર મન તમારું લીન થઈ જશે. આવો અભ્યાસ કરનારને કર્મ લિપ્ત થતા નથી.

સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે, એટલે કે પ્રાતઃકાળ અને સંધ્યાકાળ, તો કર્મ ધર્મ કૃત્ય સંપન્ન કરવામાં આવે છે. તો આ કર્મને "ધર્મકૃત્ય" કહેવામાં આવ્યું. કુંભક કરવાનો, સન્મુખી મુદ્રા કરવાની અને પ્રણવ નાદ સાંભળવાનો, આને "ધર્મકાર્ય" કહેવામાં આવે છે. આપણે ધર્મકાર્ય કોને સમજીએ છીએ ખરેખર અને શું શું કર્યા કરીએ? આ બહુ વિચારવા જેવો વિષય તો છે આપણા માટે. અને પછી પાછા આ બાબતોનો આગ્રહ હો કે "આમ જ હોવું જોઈએ અને તેમ જ હોવું જોઈએ." અહીંયા તો બહુ સ્પષ્ટ કહી દીધું છે કે "આને જ ધર્મ કાર્ય કહેવામાં આવે છે."

પરંતુ "ચિદાદિત્ય", ચૈતન્ય સ્વરૂપ આદિત્યનો ઉદય કે અસ્ત થતો જ નથી. હવે જો એક આગળની વાત કરી: પહેલા એમણે શું કીધું કે પ્રાતઃકાળે અને સંધ્યાકાળે બે સમય એવા છે કે જે સમયે તમારે કરવાના છે? હવે આ તો કાળના હિસાબે, બે સ્થળના હિસાબે પૃથ્વી પરની સ્થિતિની વાત કરવામાં આવી છે કે જ્યાં બેસીને આપણે આ ધર્મ કાર્ય કરીએ. તો એમ કહેવામાં આવે છે કે "ચિદાદિત્ય" એટલે ચિદાદિત્ય જે આપણી અંદર રહેલો આંતરિક સૂર્ય જે છે તેનો તો ઉદય કે અસ્ત થતો જ નથી. એટલે રાત્રે બે વાગે પણ તમે આ કરી શકો છો, કારણ કે ત્યારે ચિદાદિત્યની અંદર કાળ નથી એટલે સમયનું મહત્વ ત્યાં નથી રહેતું. ત્યાં ઉદય કે અસ્ત થતો જ નથી. એટલા માટે એને જાણનારા અથવા તો દર્શન કરનારાને માટે કોઈ જ કર્મ બાકી રહેતા નથી.

ચિદાદિત્યનો તમે દર્શન કરો જે આપણી અંદર રહેલું છે અને વાસ્તવમાં એ આપણું પોતાનું સ્વરૂપ છે, આપણે પોતે છીએ. આજે દ્રશ્યમાન દેખાઈએ છીએ આપણે, જેના આપણે ફોટા પાડીએ છીએ તે આપણે નથી; જેના આપણે એક્સ-રે લઈએ છીએ તે પણ આપણે નથી; જેનો આપણે એમઆરઆઈ કરાવીએ છીએ તે પણ આપણે નથી; જેને આપણે અલ્ટ્રા સાઉન્ડ સિસ્ટમ કરાવીએ છીએ તે પણ આપણે નથી. આ બધા સાધનો વડે આ ચિદાદિત્ય દેખી શકાય નહીં, જોઈ શકાય નહીં, સમજી શકાય નહીં. એ માત્ર અનુભવી શકાય.

અને આ જ્યારે સન્મુખી કરવામાં આવે છે ત્યારે વાસ્તવની અંદર તો બધી જ ઇન્દ્રિયો બંધ થઈ ચૂકેલી હોય છે. એટલે ઇન્દ્રિયોનો વ્યાપાર બંધ થઈ ગયો છે. પ્રાણનો વ્યાપાર, પ્રાણ અને અપાનનો વ્યાપાર પણ બંધ થઈ ચૂક્યો છે ત્યારે સન્મુખી કરવાની છે અને એ બસ ત્યાં આગળ જે પ્રગટ થાય છે આદિત્ય એટલે કે સૂર્ય, એને "ચિદાદિત્ય" કહેવામાં આવે છે. કારણ કે આ ચિદાકાશમાં પ્રગટ થાય છે એટલે એને "ચિદાદિત્ય" કહેવામાં આવે છે. તો એના દર્શન કરનાર માટે કોઈ જ કર્મ બાકી રહેતા નથી.

આવું કેમ કહે? "કોઈ જ કર્મ બાકી રહેતા નથી"? તો કે આ એક અંતિમ, આ અંતિમ કાર્ય છે. બધી કલ્પનાઓનો અંત આવી જશે. કલ્પનાનો અંત આવી ગયો એટલે સંસારનો અંત આવી ગયો તમારા માટે, પ્રલય થઈ ગયો, બધું પતી ગયું. આ છેલ્લું કાર્ય થયું કે તમારું બસ આ છેલ્લું કાર્ય નિરંતર કર્યા કરવાનું એમ કહે છે. એટલે જ્યારે જ્યારે, જ્યાં જ્યાં, જેટલું થાય તેટલું આ કર્મ કરો. આને "ધર્મ કાર્ય" કહેવામાં આવ્યું છે.

શબ્દ અને કાળનો લય થઈ જવાથી મનુષ્ય દિવસ અને રાત્રીથી અતીત બનીને... જુઓ, શું કહે છે? આપણે કોઈ મોટા શોપિંગ મોલમાં જઈએ કે પેલા શું કહેવાય એરપોર્ટ ઉપર જઈએ છીએ. હવે જો આપણી પાસે મોબાઈલ પણ ના હોય અને ઘડિયાળ પણ ના હોય તો આપણને સમયનું ભાન જેમ રહેતું નથી, સમજાય છે? એક્ઝેટલી એવી રીતના જ્યારે તમે ચિદાદિત્ય બનીને બેઠા હો છો ત્યારે શું થાય છે કે શબ્દ અને કાળ (કારણ કે આ શબ્દ અહીંયાથી સાંભળો છો એટલે એ બંધ થઈ ગયો છે) કાળનું અસ્તિત્વ રહેતું નથી, કારણ કે મનનો લય થઈ ચૂક્યો છે. જ્યાં સુધી મન ઊભું છે ત્યાં સુધી કાળનું અસ્તિત્વ છે. મન ગયું, તમે અમન થઈ ગયા એટલે કાળ પણ તમને બે હાથ જોડીને જતો રહેશે, વિદાય લઈ લેશે ત્યાંથી કે "બસ, હવે મારું કામ અહીંયા પૂરું થઈ ગયું, હું આમને કશું કરી શકું નહીં." તો આવી સ્થિતિની અંદર ઋષિમુનિઓ કેટલોય કાળ પસાર કરતા હતા.

તો બહારના એમને જોડનારા અને જાણનારા માણસો એમ કે ભાઈ "સો વર્ષની"...

એમણે તો સમાધિ ૨૦૦ વર્ષની કરી, પણ એમના માટે તો એ કોઈ સમય હતો નથી; કારણ કે એ તો આકાશથી પણ પરે થઈ ચૂક્યા હતા. હવે જ્યારે અંતરિક્ષ આકાશની અંદર જેમ તમે જાઓ, તો તમારા માટે કાળનું અસ્તિત્વ રહેતું નથી. એટલે તમે ૨૫ વર્ષે દાખલા તરીકે અવકાશમાં ગયા અને પાંચ વર્ષ તમે સ્પેસ સ્ટેશનમાં ગાળીને પાછા આવ્યા. તમે પૃથ્વી ઉપર પાછા આવો ત્યારે તમારી ઉંમર ૨૫ વર્ષ હોય છે. એટલે એ જે તમે દેહની બહાર ગાળેલો સમય છે, દેહથી અતીત થઈને, મનથી અતીત થઈને જે બહાર ગાળેલો સમય છે, તમે સ્પેસની અંદર ગાળેલો સમય છે, તમારી પોતાની સ્પેસમાં, તો એમાં સમયનું અસ્તિત્વ રહેતું નથી.

તો શબ્દ અને કાળનો લય થઈ જવાથી મનુષ્ય દિવસ અને રાત્રિથી અતીત બની જાય છે. એના માટે દિવસ કે રાત જેવું કશું રહેતું નથી. બધાનું પૂર્ણ જ્ઞાન તે મેળવી લે છે. જે કંઈ જાણવા યોગ્ય છે, એ બધું જ બસ સ્વયંભુ એની અંદર પ્રગટ થવા માંડે છે. અંદર જ હતું, પણ અત્યાર સુધી એ અપ્રગટ હતું, હવે પ્રગટ થઈ જાય છે. એટલે સંપૂર્ણ જ્ઞાન એ મેળવી લે છે અને એના દ્વારા શું થાય? તો કે ઉન્મની અવસ્થાને એ પ્રાપ્ત કરી લે છે. મની કે જેની અંદર મન ઉર્ધ્વમાં ચાલી ગયું છે. ક્યાં? ખબર નથી, પત્તો પડતો નથી, ક્યાં છે મનમ? એવો અમન થઈ ગયો. એ મુદ્રાને ઉન્મની કહેવામાં આવે છે. અને એવું થાય ત્યારે શું થાય? ત્યારે એ બ્રહ્મની સાથે એકત્વ થઈ જાય છે. એનું શું થયું? બ્રહ્મ જોડે એકત્વ, એકતા થઈ ગઈ, અભેદતા થઈ ગઈ. "હું અને બ્રહ્મ એક જ છીએ." હવે "હું અને બ્રહ્મ" એવું પણ રહેતું નથી.

છેવટે "હું બ્રહ્મ છું" આવીને ઊભું રહે અને એનો એક જ અનુભવ હોય, એ અંતિમ અનુભવ છે: "હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું." અત્યારે પણ તું બ્રહ્મ છું, બ્રહ્મ છું, બ્રહ્મ જ છું. અનુભવ કર, આવી જશે. આ એક જ વસ્તુ પકડી રાખી હશે, કામ પૂરું થઈ ગયું. બીજું કંઈ કરવાનું નથી, કોઈ સાથે નહીં. બસ આ એક જ. પહેલા બ્રહ્મ શું છે તે સમજી લે, એના વિશે જાણી લે, માહિતી એકઠી કર. પછી નિશ્ચય કરી નાખ. સંકલ્પ ના કરીશ તું કે "હું બ્રહ્મ છું," કારણ કે એ કલ્પના છે. નિશ્ચય કર તું. યાદ રાખો, સંકલ્પ અને નિશ્ચયની અંદર બહુ ફરક છે. તમે વિચારી જોજો, તમને જો મળે જવાબ તો મને કહેજો. સંકલ્પ અને આ જે કહેવાય કે નિશ્ચય, તેમાં કેટલો ફરક છે. પેલું ૧૦૦ ટચનું સોનું છે અને પેલું ૧૪ કેરેટ છે. સંકલ્પ જે છે અને બધા વિકલ્પો પેદા થાય છે, એ તો બે કેરેટ ને ચાર કેરેટના હોય છે.

તમે એવી રીતે સમજી શકતા હોય તો એમ સમજી જાવ કે આની કોઈ બહુ જાજી કિંમત હોતી નથી. એટલે આ જગત આખું વૈકલ્પિક છે. દરેક વસ્તુના વિકલ્પ હોય ને હોય જ.

તો ઉન્મનીય અવસ્થામાં રહેવાને કારણે વ્યક્તિ કેવો બની જાય છે? તો કે અમનસ્ક બની જાય છે. એને મનની જરૂર રહેતી નથી. એટલે એવું થઈ જાય છે. ચિંતા વગરની સ્થિતિ જ એનું ધ્યાન છે. જો આ મોડર્ન વર્લ્ડની મોટામાં મોટી બબાલ જો કોઈ હોય તો એ છે ચિંતા. અંદરથી બાળ્યા કરે, વગર અગ્નિએ બાળ્યા કરે. એટલે ચિંતાને પણ એક જાતનો અગ્નિ કીધેલો છે. બધું બાળ્યા કરે, લોહી બાળી નાખે, બધા સપ્ત ધાતુઓ જે છે એ બાળી નાખે. એટલે માણસ દિવસે દિવસે સુકાતો જાય, બધું એ થતું જાય. એમાંથી સત્વ બધું પહેલામાં પહેલું બળી જાય. છેલ્લે જળ બળે ત્યારે સત્વ બધું બાળી નાખે એવી આ ચિંતા હોય છે. એમ કે તો સમસ્ત કર્મોનું નિરાકરણ એટલે કે દૂર કરવું એ જ એનું આવાહન છે. બધા કર્મો પૂરા કરી નાખવા એ જ એનું આવાહન છે. નિશ્ચય જ્ઞાન એ જ એનું આસન છે. નિશ્ચય કરો એટલે શું થઈ ગયું?

આસન સિદ્ધ થવા માંડ્યા. તમે આસન સિદ્ધિ નિશ્ચયથી આવે છે કે બસ, "હું અહીંયા ચાલ્યા વગર ત્રણ કલાક બેસીશ." તો આ નિશ્ચય થઈ ગયો અને પછી એ પ્રમાણે એ કર્યા કરે. ઉન્મન ભાવ એટલે કે મન રહિત થવું એ એનું પાદ્ય છે. હંમેશા અમનસ્ક ભાવ જ એનો અર્ગ્ય છે. આ અર્ગ્ય આપીએ છીએ તો આપણે આવી રીતે આપીએ છીએ. પાદ્ય આપીએ એટલે કે કોઈને પદ પ્રક્ષાલન જ્યારે કરીએ છીએ ત્યારે જે પાણી આપણે રેડીએ છીએ તેને પાદ્ય કહેવામાં આવે છે. તો આ સન્માનસૂચક બધી સંજ્ઞાઓ છે. સતત દીપ્તિ, દીપ્તિ, સતત દીપ્તિ અને અપાર અમૃત વૃત્તિ જ એનું સ્નાન છે. સર્વત્વ બ્રહ્મ ભાવના જ એની ગંધ છે. જો કેટલી ઉત્કૃષ્ટ કક્ષાએ પહોંચવાનું છે તે અહીંયા આગળ આપણને આ બતાવી દીધું છે. સતત દીપ્તિ અને અપાર અમૃત વૃત્તિ જ એનું સ્નાન છે. અપાર અમૃત વૃત્તિ નિરંતર બસ, "હું અમર છું, અમર છું" એ ભાવના, "હું શાશ્વત છું." તો એ એનું સ્નાન છે.

સર્વત્વ બ્રહ્મ ભાવના જ એની ગંધ છે. દર્શનના સ્વરૂપનું અવસ્થાન જ અક્ષત છે. દર્શનના સ્વરૂપનું અવસ્થાન, આજે આંતરિક દર્શન ઊભું થાય છે તે જે છે તેને અક્ષત કહેવામાં આવે છે. ચૈતન્યની પ્રાપ્તિ જ પુષ્પ છે. ચૈતન્ય અગ્નિનું સ્વરૂપ જ એનું ધૂપ છે. ચૈતન્ય આદિત્યનું સ્વરૂપ જ દીપક છે. પરિપૂર્ણ ચંદ્રના અમૃતનું એકીકરણ એ જ એનું નૈવેદ્ય છે. નિશ્ચલત્વ જ એની પ્રદક્ષિણા છે. નિશ્ચલત્વ, જો ચાલવાનું નથી અને છતાંય પ્રદક્ષિણા થાય છે. નિશ્ચલત્વ એ એની પ્રદક્ષિણા છે. કોની? અમૃત તત્વની, બ્રહ્મત્વની વાત કરે છે. સોહમ ભાવ જ નમસ્કાર છે. નમસ્કાર થયા ત્રણ નમસ્કાર. મૌન જ એની સ્તુતિ છે. મૌન એની સ્તુતિ છે. બધી જ રીતનો સંતોષ જ એનું વિસર્જન છે. જે આ રીતે જાણે છે તે બ્રહ્મ સ્વરૂપ થઈ જાય છે. આ પાના નંબર ૨૪૪ નો આ પેરેગ્રાફ બહુ જ અગત્યનો છે અને બસ આ ભાવ પકડીને બેસવાનું.

આપણે થોડોક સમય તો સ્વતંત્ર ધ્યાન થઈ શકે એવું છે. આવું ધ્યાન કરી શકાય. આ રીતે જ્યારે જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય સ્વરૂપ, જ્ઞાતા એટલે જાણનારો, જ્ઞાન એટલે જાણવા યોગ્ય જે છે તે અને જ્ઞેય સ્વરૂપ જેને જાણવાનું છે તે, ત્રણેય ત્રિપુટી નિરસ્ત થઈ જાય, ત્રણેય એક જ થઈ જાય છે ત્યારે તરંગહીન સાગર સાગર.

તરંગહીન હોય, જોયો છે. બસ એક જ જગ્યાએ હોય છે એ બ્રહ્મસાગર છે. એને સાગરની ઉપમા આપવામાં આવે છે. વાસ્તવમાં બ્રહ્મ છે, પણ એ સાગરથી પણ વિશાળ છે અને પાછો કેવો તરંગહીન છે, નિસ્પંદ છે. વાયુ રહિત સ્થાનમાં રહેલા દીપકની માફક, કોઈ જગ્યાએ પવન ના વાતો હોય અને જેમ કે દીવો ત્યાં આગળ પ્રગટાયેલો હોય ને, જે રીતે એની જે જ્યોત છે એ જેમ સ્થિર રહેતી હોય છે, તેવી રીતે અચલ, સંપૂર્ણ ભાવ અને અભાવથી વિહીન થઈને કેવળ જ્યોતિ પ્રગટે છે. ભાવ પણ નથી, અભાવ પણ નથી, એવી સ્થિતિની અંદર કેવળ જ્યોતિ જ બાકી રહી જાય છે.

જેનું જાગૃતતા અવસ્થા અને નિંદ્રા અવસ્થામાં પણ અંતરજ્ઞાન જળવાઈ રહે છે, તે બ્રહ્મવિદ હોય છે. જાગૃત સ્થિતિમાં તમને કીધું તું ને, અવધાન તમારું બહાર હોય છે અને નિંદ્રા અવસ્થાની અંદર કંઠમાં હોય છે. સુષુપ્તા અવસ્થામાં હૃદયમાં હોય છે અને તુર્યા અવસ્થામાં ક્યાં હોય છે? ઉપર હોય છે. પણ આ ચાર અવધાનોની વાત કરી. હવે પાંચમાની વાત કરે છે. આ પાંચમું શું? તો કે, "હું સર્વત્ર છું, હું સર્વવ્યાપી છું." આ પાંચમું અવધાન છે. એ જેને નિરંતર જળવાઈ રહે છે, તે બ્રહ્મવિદ છે, તે બ્રહ્મને જાણે છે. બીજો કોઈ બ્રહ્મને જાણતો નથી. એટલે આટલી ખામી રહી ગઈ હોય ત્યાં સુધી તમે હજુ પણ બ્રહ્મને જાણ્યું નથી એમ આપણે સમજવાનું અને એ દિશામાં આપણે નિશ્ચયપૂર્વક આગળ વધવાનું.

ત્યારે કેવી રીતે આગળ વધવાનું? તો કે જો, આવી રીતે આગળ વધવાનું છે: શાંત, સ્થિર થઈને બેસી જાઓ. આંખો બંધ કરો. જ્યાં છો ત્યાં જ શાંત થઈ જાઓ. "સમસ્ત કર્મો તમે હવે ત્યજીને આ એક જ ધર્મ કાર્ય કરવા બેઠા છો, બ્રહ્મની પ્રાપ્તિ કરું છું." એવો નિશ્ચય એ જ તમારું આસન છે. સંપૂર્ણ મન રહિત ઉન્મની ભાવમાં આવો. "ઉન્મની ભાવમ સમર્પયામી." બ્રહ્મના તમે પાદ્યનું પ્રક્ષાલન કરી રહ્યા છો. ઉમંગથી, આનંદથી, પુલકિતતાના ભાવથી પરબ્રહ્મ પરમાત્માના પાદ્ય અર્પણ કરો. "સંપૂર્ણ અમનસ્ક સ્થિતિનો ભાવ બ્રહ્મ સ્વરૂપને અર્પણ કરું છું." આજ અર્ગ્ય છે. દીપ્તિ અને અપાર અમૃત વૃત્તિ એ જ બ્રહ્મનું સ્નાન છે. "સ્નાનમ સમર્પયામી." ચૈતન્ય અગ્નિ સ્વરૂપ એ ધૂપ છે. "ૐ ધૂપમ ધ્રાપયામી." ધૂપ અર્પણ થઈ રહ્યો છે, સંસાર વિલીન થઈ રહ્યો છે. ચૈતન્ય આદિત્યનું સ્વરૂપ એ દીપક છે.

તો બ્રહ્મચૈતન્ય પ્રગટી રહ્યું છે એ દીપક. "દીપમ દર્શયામી."

હવે પરિપૂર્ણ ચંદ્રના અમૃતનું એકીકરણ છે. પૂનમના ચંદ્રના બધા જ પ્રકાશ કિરણો એકઠા કરી અને બધાને સજાવીને તમે નૈવેદ્ય અર્પણ કરી રહ્યા છો બ્રહ્મને. "નૈવેદ્યમ અર્પયામી." હવે "કરચરણકૃતં વા..." (અપરાધ-ક્ષમાપના શ્લોકનો આરંભ) આજ બ્રહ્મની પ્રદક્ષિણા છે. વાસ્તવમાં બ્રહ્મની પ્રદક્ષિણા કોઈ કરી શકે નહીં. માટે ભાવના કરો કે "જે બ્રહ્મ છે તે હું છું, જેવો બ્રહ્મ છે તેવો હું જ છું." આ પ્રદક્ષિણા છે. પ્રત્યેક શ્વાસ લેતી વખતે, સો નિશ્વાસ વખતે આવતો "હમ" એ જ બ્રહ્મને નમસ્કાર છે. મનસા, વાચા, કર્મણા સંપૂર્ણ મૌન એ જ બ્રહ્મની સ્તુતિ છે અને સંપૂર્ણતા, પરિપૂર્ણતા, "પૂર્ણમદઃ પૂર્ણમિદમ" એના વડે સમગ્ર સંસાર ભાવનું વિસર્જન છે.

હવે બાકી રહી ગયું કેવળ એક બ્રહ્મ સ્વરૂપ: અનંત, અસીમ, અત્યંત તેજોમય, નિર્મળ, નિસ્પંદ, શાંત. "અલ્લાહ તે હું છું, હું બ્રહ્મ છું. સર્વ અવસ્થામાં હું કેવળ બ્રહ્મ જ છું." એવું જે જાણે છે તે જ બ્રહ્મને જાણે છે, તેને જ બ્રહ્મવિદ કહી શકાય. તો સુષુપ્તિ અને સમાધિ, બંને સ્થિતિની અંદર મનોલય જે હોય છે, મનનો જે લય થાય છે, તે સમાન હોવા છતાં બંનેમાં મહાન ભેદ છે. શું ભેદ છે? તો કે સુષુપ્તિમાં મન અજ્ઞાનમાં લય થાય છે, જેને લઈને મુક્તિની સ્થિતિ બનતી નથી. જ્યારે સમાધિ અવસ્થાની અંદર મનનો લય જ્ઞાનમાં થાય છે અને તમામ વિકારો નષ્ટ થઈ જાય છે, જેને કારણે તદાકાર અને અખંડ આકાર બનેલી વૃત્તિ રૂપ સાક્ષી ચૈતન્યમાં પ્રપંચનો વિલય થઈ જાય છે. સાક્ષી ચૈતન્યની અંદર સંસાર ભાવ સમાઈ જાય છે, બધું સમાપ્ત થઈ જાય છે. પછી કોઈ વિચાર નથી, કોઈ કલ્પના નથી, કશું જ નથી, કારણ કે પ્રપંચ મનથી કલ્પિત હોય છે.

ત્યારબાદ ભેદના અભાવમાં પછી ભેદ રહેતો નથી. એટલે એના અભાવમાં સમાધિમાંથી બહાર આવવા છતાં પણ પ્રપંચનો મિથ્યાત્વનો બોધ જળવાઈ રહે છે. એટલે જ્યારે સમાધિમાંથી પછી બહાર આવે છે, ત્યારે શું થાય છે કે એનો જે બ્રહ્મત્વનો બોધ છે તે એ લઈને પાછો આવે છે સમાધિમાંથી, જેના કારણે એ તદરૂપ બની રહે છે. એટલે એક વખત સદાનંદનો અનુભવ થઈ જવાથી એ જ પ્રમુખ વિષય બની જાય છે. પછી બસ એ બ્રહ્મ સ્વરૂપ જ રહી જાય છે, બાકી કશું રહેતું નથી, કારણ કે બાકી બીજું બધું તો ગયું. એટલે હવે કેવળ બ્રહ્મ સ્વરૂપ બાકી રહી ગયું. આ રીતે બ્રહ્મને જાણનારા બ્રહ્મવિદ બ્રહ્મ જ બની જાય છે. તો આવી રીતે બ્રહ્મને જે લોકો જાણે છે, તે બધા જ બ્રહ્મને જાણે છે.

હવે આગળ કહે છે કે જેના સંકલ્પો નષ્ટ થઈ ગયા છે, એના હાથમાં મુક્તિ છે. બધા જ સંકલ્પો નષ્ટ થઈ ગયા છે, તો એના હાથમાં મુક્તિ છે. એટલા માટે એ સાધક ભાવ અને અભાવને છોડી દઈને પરમાત્માનું ધ્યાન કરવામાંથી પણ મુક્ત બની જાય છે. પછી એને ધ્યાન કરવાનું નથી, કારણ કે ધ્યાનમાં તો શું છે? કેન્દ્રિત થવાનું છે ને? કોઈક એક જગ્યા, કોઈ એક સ્થળ, કોઈ એક સમય. આવું બધું. હવે પરમાત્મા બની ગયો પોતે સ્વયં. અને પરમાત્મા ક્યાં નથી? પરમાત્મા ક્યારેય નથી? પરમાત્મા શું નથી? સર્વ કાંઈ પરમાત્મા છે. હવે એ પરમાત્મા ઓલરેડી બની ચૂક્યો છે. એટલા માટે હવે એને ધ્યાન પણ કરવાનું નથી, કશું કરવાનું નથી. બધામાંથી એની મુક્તિ થઈ ગઈ. એ પોતે સ્વયં પરમાત્મા બની ગયો. બસ આવા કોઈ મળી જાય તેને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. તો આ આપણું પરમ લક્ષ્ય છે. આ રીતે બધી જ અવસ્થાઓમાં વારંવાર જ્ઞાન અને જ્ઞેય, ધ્યાન અને ધ્યેય, લક્ષ્ય અને અલક્ષ્ય, દ્રશ્ય અને અદ્રશ્ય આવા.

બધા ઉહાપોહને છોડી દઈને મનુષ્ય જીવન મુક્ત બની જાય છે. જીવન મુક્ત બનવાનું એટલે જીવનની જીજીવિષા, જેને કહેવાય એષણાઓ, ઈચ્છાઓ, એનાથી મુક્ત થવાનું છે. જીવન મુક્તનો મતલબ શું છે? જીવવાનું છોડી નથી દેવાનું. એ તો જીવતો રહી જ જવાનો છે જ્યાં સુધી એનું પ્રારબ્ધ છે. તે તો સ્વયં પરમાત્મા પણ જ્યારે દેહધારી બનીને આવે, એટલે એમને પણ એમનો કાળ તો પૂરો કરવો જ પડે છે.

પણ જીવન મુક્ત બની ગયો એટલે શું થયું? તો કે જીવન વિશેની જીજીવિષાઓમાંથી મુક્ત થઈ ગયો. નિશ્ચિંત હોય, બિલકુલ નિશ્ચલ હોય. કોઈપણ સ્થળ, કોઈપણ સમય, કોઈપણ કાળ. કેવો પ્રચંડ વિશ્વાસ હોય શેની પર? આત્મા પર! "હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું" એવી રીતે બ્રહ્મને જાણો એમ, એ અહીંયા આગળ આપણને સમજાયું.

હવે આગળની વાત કરે છે પાંચ અવસ્થાઓની. તો પહેલી છે જાગૃત અવસ્થા, બીજી સ્વપ્ન, ત્રીજી સુષુપ્તિ, ચોથી તુર્ય અને પાંચમી તુરિયા. આ પાંચ અવસ્થાઓ. આ પાંચ અવસ્થાઓમાંથી, જાગૃત અવસ્થામાં જીવ પ્રવૃત્તિ માર્ગમાં પ્રવૃત્ત થાય છે. એક્ટિવિટી, ચંચળતા: "આ કરું કે આ કરું? આ કરું કે આ કરું?" બસ, એ લાગેલું હોય તો એ જાગૃત છે એમ કહેવાય. બોલો, ફની વસ્તુ છે? પણ એને આપણે વ્યવહારમાં કીધું કે, "ભાઈ, આ તો બહુ જાગૃત છે." બહુ ચંચળ હોય, કંઈ ને કંઈ સવારથી સાંજ સુધી કર્યા કરતો હોય, તો એ ચંચળતા છે ખરેખર તો, પણ એને જાગૃતિ કહેવામાં આવે છે.

તો જીવ પ્રવૃત્તિ માર્ગમાં બસ પ્રવૃત્તિ કર્યા જ કરે, કર્યા જ કરે, કર્યા જ કરે. જેનાથી એ આકાંક્ષા કરે છે કે, "પાપનું ફળ નર્ક મને પ્રાપ્ત થાય નહીં અને શુભ કર્મોનું ફળ સ્વર્ગ મને અવશ્ય પ્રાપ્ત થાય." અંતિમ બાબત તો આ જ હોય એની અંદર કે, "મને તો અહીં પણ સુખ જોઈએ અને પછી પણ જોઈએ. દુઃખ મારે જોઈતું નથી." એટલે એના માટે અતિશય પ્રવૃત્તિશીલ બની જાય છે કે, "કેમ કરીને બધું હું પુણ્ય ભેગું કરી લઉં ને બધું એમ કે ફળ, સુખ, ભોગ, આનંદ, બસ આ બધું પ્રાપ્ત કર્યા કરવું."

એવી રીતે એ જ જીવ જ્યારે વૈરાગ્યનો સ્વીકાર કરી લે છે. વૈરાગ્ય એટલે રાગ વગરનું. વિશિષ્ટ સ્થિતિ આવી જાય છે કે જેમાં એ રાગમુક્ત બની જાય છે. કોઈપણ પ્રકારનું આકર્ષણ નથી, તેને વૈરાગ્ય કીધું. દ્વેષ છોડવો એનાથી અઘરો છે, પણ કોઈ દ્વેષ જેવો શબ્દ વાપરેલો નથી. જેમ વૈરાગ્ય છે, એના માટે શબ્દ આપ્યો તો કેવો? "વિતરાગ" કીધો. કે જેની અંદર રાગ પણ નથી અને દ્વેષ પણ નથી. સંપૂર્ણ ન્યુટ્રલ બની ગયો છે, તો તેને શું કીધું? વિતરાગ કીધું.

નિશ્ચલ કહેવાય. બાકી બધા ચંચળ હોય, ચલાયમાન હોય. આ બાજુ જતા હોય કાં તો આ બાજુ જતા હોય. એટલે આકર્ષણ થાય કાં તો વિકર્ષણ થાય. કાં તો લંબ તરફ જતા હોય કાં તો લંબથી દૂર જતા હોય. લંબ એટલે સેન્ટર, સેન્ટર પોઈન્ટ. પણ કોઈ સેન્ટરમાં રહી શકતા નથી. હવે સેન્ટરમાં રહેવા માટે શું થાય? બંને પ્રકારના બળથી મુક્ત થવું પડે. સમજાય છે? રાગ કેમ વ્યાપે છે? બેઠો છે વ્યક્તિ અહીંયા, પણ એને ખેંચાણ થવા માંડે છે કોઈ વસ્તુનું, કોઈ વ્યક્તિનું કે કોઈ ઘટનાનું. તો એ વસ્તુ, વ્યક્તિ કે ઘટનાને એ ખેંચે છે અથવા તો એ ખેંચાવા માંડે છે. અગાઉ પણ એક વખત કહ્યું હતું કે, કાં તો વસ્તુ, વ્યક્તિ અને ઘટના એના પાસે આવશે અથવા તો વસ્તુ, વ્યક્તિ અને ઘટના જ્યાં હશે ત્યાં આવો ખેંચાતો જશે.

એટલે પછી શું થાય? તો કે, લીંબડી ગામે ગાડી મળી. અહીંથી બેઠો હોય અને કલાકમાં લીમડી પહોંચી જાય. પણ વચ્ચે જો ટ્રાફિક જામ થઈ ગયો હોય તો કાલની જેમ ક્યારે પહોંચે કંઈ નક્કી નહીં. પણ મોબાઈલ પર તો કહી દીધું હોય કે, "આવું છું હમણાં કલાકમાં." અને પેલો ભાઈ ત્યાં ઊંચો નીચો થયા કરે, "કલાક થવા આવ્યો કે હજી આવ્યા નહીં? શું થયું ભાઈ?" ફસાયો હોય જામમાં બરાબરના. તો એ વખતની સ્થિતિ કેવી હોય છે? અંદર માણસ આમ કશું કરવું છે પણ કરી શકતો નથી. બસ, એ ગાડીમાં બેસી રહ્યો છે. ચારે બાજુ બધા વાહનો ભરચક થઈ ગયા છે. નીચે ઉતરાય એવું નથી. આવતો એવી ફસામણ જિંદગીની અંદર અનુભવ કર્યા કરતો હોય બધો જ ટાઈમ. એટલે ના આગળ જવાય, ના પાછળ.

એટલે ઘણી વખત તો આકર્ષેલી વસ્તુ, વ્યક્તિ કે ઘટના તરફ એ જઈ શકતો નથી અથવા એ વસ્તુ આવી રીતે આવી શકતી નથી. કારણ કે એ એવી રીતના ફસાયેલી હોય. આ જેમ અહીં ફસાય છે, ભાઈ, એવી રીતે વસ્તુ, વ્યક્તિ કે ઘટના પણ ફસાયેલી હોય બીજી બધી બાબતોમાં, સંયોગિક બાબતોમાં. એટલે ત્યાં સુધી આવવામાં વાર થતી હોય. ને આ ભાઈ અહીંયા આગળ ઊંચા નીચા થાય, "પોણા થયા, પોણા થયા, હજી કેમ ના આવ્યા? શું થયું? કુરિયર આવવાનું હતું. મને હમણાં ફોન આવી ગયો હતો કુરિયર આવતું." કુરિયરવાળો ટ્રાફિકમાં ફસાયો છે. બસ, આવું ચાલે.

તો આકર્ષણ અને વિકર્ષણ. વિકર્ષણનું પણ એવું છે. દ્વેષ ઊભો થાય એટલે વિકર્ષણ પેદા થાય, અભાવ પેદા થાય. "આ ના જોઈએ, આવું ના હોવું જોઈએ, આમ નહીં." બસ. એટલે પછી એને શું કર્યું? ધક્કો માર્યો તે વસ્તુને, વ્યક્તિને કે ઘટનાને. ધક્કો મારી દીધો એને. તો કે, "ના, એવું પણ નહીં કરવાનું, આ પણ નહીં કરવાનું." એવી જ્યારે સ્થિરતા આંતરિક રીતે અંદરથી પ્રગટ થશે, ત્યારે પેલું મુક્ત થઈ જશે આનાથી અને આનાથી કે આ બેનું બળ હવે એની ઉપર ચાલી શકે નહીં.

આમ, અંતરિક્ષની અંદર અમુક હાઈટ પર પહોંચી ગયા પછી જેમ આપણને ગુરુત્વાકર્ષણ નીચે ખેંચી શકતું નથી, તેની જેમ પછી આપણને ખેંચી શકે. આપણે પૃથ્વીની ભ્રમણકક્ષાની પાર થઈ ગયા, વાત પૂરી થઈ ગઈ.

તો આકર્ષણ અને વિકર્ષણની પણ પોતપોતાની એક ભ્રમણકક્ષા હોય છે. હવે જો ભ્રમણકક્ષાને તોડવી હોય તો તમારે શું કરવું જોઈએ? અહીંયા શું કર્યું હતું? સ્પીડ વધારી હતી. તો સ્થિર થવાની તમારી સ્પીડ વધારો. સ્થિરતા પ્રાપ્ત કરવાની તમારી જે છે, તેની સ્પીડ વધારો. રોજ થોડુંક વધારે બેસો, થોડુંક વધારે બેસો, થોડુંક વધારે બેસો. પછી બેસાશે પાછું. સેમ.

ગોઝ વિથ ધ પ્રાણાયામ ઓલસો. આસન સિદ્ધિ કરવી છે તો ધીરે ધીરે થાય. પ્રાણાયામ પણ ધીમે ધીમે, ધીમે ધીમે તમે વધારશો. તમે જોશો કે કુંભક કરવાની તમારી ક્ષમતા દિવસે દિવસે વધતી જશે, ચાહે આંતરકુંભક હોય કે બાહ્ય કુંભક હોય. એટલે એ સ્થિરતા જેવી પ્રાપ્ત થશે એટલે પછી આકર્ષણ અને વિકર્ષણ બંનેથી તમે સંપૂર્ણપણે મુક્ત થઈ શકશો.

સૌથી મહાન આકર્ષણ કેવળ પરમાત્માનું હોઈ શકે. અને એનો તમે જો સ્વીકાર કરી લેશો સહજતાથી, સ્વાભાવિકતાથી, બસ પરમાત્મા તમને કહેશે, "આવતું રહે!" અને બસ તમે તદ્રુપ થઈ જશો, પરમાત્માના ધામમાં પહોંચી જશો. સહજ સ્વીકાર! આ બધા મહાન ભક્તોને આવું થયું હતું, ભાઈ. બાકી બધા જ વસ્તુઓને એમને નિછાવર કરી દીધી કે બસ મને કેવળ પરમાત્મા જોઈએ, બીજું કોઈ નથી જોઈતું. એની નેસેસિટી જુઓ! જીવવું કે મરું, કંઈ પણ કરું કે ના કરું, મારે પરમાત્મા! બસ, આ પરમ તત્વને પામવાની આટલી ભયંકર જંખના અંદરથી પ્રચંડ ઝંખના ઊભી થાય. પ્રબળતા એની અંદર લાવવાની છે. પરમાત્મા પછી બાકી બધી જ વસ્તુઓમાંથી તમને કહેશે કે "આવતો રહે!" એટલે તમારે તાકાત આવી જશે છલાંગ મારવાની. સંસારમાંથી સીધો બ્રહ્મની અંદર ભૂસકો મારી દેવાનો. બસ, પતી ગયું!

રોજ બેસો અને આવી રીતે ભૂસકો મારો. વ્યર્થની કુદાકૂદ બંધ કરો. વાંદરાય કરે છે એ તો. સમાધિ અવસ્થામાં તમો વિકાર નષ્ટ થઈ જાય છે. ગઈકાલે આપણે થોડીક વાત કરી હતી કે યોગ વશિષ્ઠની અંદર એમ કીધું કે આટલી વિશાળ જેને કહેવાય એવી પૃથ્વીની આખી જે આ મોટી સૃષ્ટિ નિર્માણ બધું થઈ ગયું, તેની અંદર રહેલી આ પૃથ્વી. મૂળ તો 14 લોક છે, એમાંનું એક આ પૃથ્વી લોક. તેની ઉપર આટલા બધા પ્રાણીઓ છે, કેટલી બધી જાતો છે! કોઈ એક વખત મેં કાઢ્યું, એ ઘણું બધું એનું કેલ્ક્યુલેશન છે કે આટલા જીવડા હોય, આટલા જંતુ હોય, આટલા પ્રાણીઓ હોય, આટલા પક્ષીઓ હોય, આટલા મનુષ્યો હોય. બધું નક્કી છે, ડિસાઈડેડ છે, બોલો! એક પૃથ્વી પર આટલું હોય જ છે, આખું નિશ્ચિત છે. અને એમાં એક ઓછો વધારે ના થાય, દર વખતે એટલી સંખ્યા જળવાયેલી રહે. અહીં એક માણસ મૃત્યુ પામે, એક માણસનો જન્મ થાય; એક પ્રાણી મૃત્યુ પામે, એક પ્રાણીનો જન્મ થાય.

ઇન શોર્ટ, ટોટલ જેટલા જીવ હોય એટલા ને એટલા જ રહે છે, ક્યારેય વધે નહીં. માણસમાંથી જાનવરમાં ગયો, ટોટલ એનું એ જ રહેશે.

તો આવી એ સૃષ્ટિની અંદર, બધા પ્રાણીઓની અંદર, કેવળ એક મનુષ્ય એવો છે કે જે એ બ્રહ્મના ઉપદેશને માટે લાયક છે. બાકી બીજા બધાને તમે ગમે તેટલો ઉપદેશ આપશો પણ એને કંઈ ફળવાનો નથી, કારણ કે એ લોકોનામાં ગ્રહણશીલતા નથી. મનુષ્ય એક જ એવો છે કે જે આ બ્રહ્મના ઉપદેશને ગ્રહણ કરી શકે. એ મનુષ્યોમાં પાછા ત્રણ ગુણાત્મક હોય છે. તો જે લોકો તમોપ્રધાન છે તેવા બધાની પાછી બાદબાકી કરી નાખો. હવે બાકી રહેશે રજોગુણી અને સત્વગુણ. તો રજોગુણી જે છે એ ક્યારેક સાંભળશે, ક્યારેક નહીં સાંભળશે, પણ એ પોતાની પ્રવૃત્તિમાં જ વધારેને વધારે ખેંચાયેલો રહેશે, આ બાજુ નહીં. પણ એના એ સંસ્કારો પડશે એટલે વારે વારે પાછો એ ખેંચાઈને પાછો આવશે, પાછો આવશે, પાછો આવશે. કાળે કરીને એને વૈરાગ્ય ઉત્પન્ન થશે. એટલે રાગ એનો જેમ જેમ ઓછો થતો જશે તેમ એ સત્વગુણી બનતો જશે.

તો કેવળ સત્વગુણી જે છે એ તૈયાર ખેતર કહેવાય કે જેની અંદર બ્રહ્મનો ઉપદેશ કરીએ તો એ ત્યાં શક્ય છે કે એની અંદરથી ઊગી નીકળશે. તો એવા સત્વગુણી મનુષ્યો હોય તેમના માટે આ બધું જ્ઞાન છે. બધાના માટે હોવા છતાં બધાનું નથી. બધાનું હોવા છતાં એટલે અખંડાકાર બનેલી વૃત્તિ રૂપ સાક્ષી ચૈતન્યમાં પ્રપંચનો વિલય થઈ જાય છે.

શું કીધું? પ્રપંચનો વિલય થવો. પ્રપંચ એટલે શું? આ આખું સૃષ્ટિ નિર્માણ જે કંઈ થયું છે, છેક ટોપથી શરૂ કરીને, એ બધું જ પ્રપંચ. તો જીવન આપણું જે કંઈ આખું કરી રહ્યા છીએ, બધું કેવળ પ્રપંચ જ છે, બીજું કશું છે નહીં. અને એનાથી મુક્ત થવાનું છે, ત્યારે જીવન મુક્ત થવાશે. તો આ પ્રપંચ કેવી રીતે વિલય થશે કે સાક્ષી ચૈતન્યનો ઉદય થશે? સાક્ષી ચૈતન્ય, કારણ કે આ પ્રપંચ જે છે એ ઊભો કેવી રીતે થયો? બ્રહ્મા એટલે મન. તો મનમાં કલ્પના ઊભી થઈ અને કલ્પના ગાઢી થતી જ ગઈ, થતી જ ગઈ, થતી જ ગઈ. કાળાંતરે કરીને આ બધું આટલું બધું આવું બની ગયું છે. એટલે મન દ્વારા કલ્પિત છે આખે આખી સૃષ્ટિ અને સૃષ્ટિની અંદર રહેલું જે કાંઈ છે તે બધું જ કેવું છે? કલ્પિત છે. હવે કલ્પનાના પદાર્થો સાથે જો રમ્યા જ કરતો હોય, રમ્યા જ કરતો હોય તો તેને શું કહેવાય?

એ વ્યક્તિ જાગૃત છે એવું કહેવાય. છતાંય આપણે એને જાગૃત કહીએ છીએ, વ્યવહારિક રીતે બરાબર લાગે.

ત્યારબાદ ભેદના અભાવમાં, ભેદના અભાવમાં એટલે કે એકત્વ થઈ જવાના કારણે, સાક્ષી ચૈતન્યના સાથે એકરૂપતા થવાના કારણે ભેદનો અભાવ થઈ જાય છે. પછી અભેદ થઈ જાય છે. સાયોજ્ય પામી ગયું બ્રહ્મની સાથે. બ્રહ્મ લીન થઈ ગયો, પૂરું થઈ ગયું. પછી એ સમાધિમાંથી બહાર આવે છે, તેમ છતાં પણ પ્રપંચનો જે મિથ્યાત્વનો બોધ છે તે જળવાઈ રહે છે. એને ખબર પડે છે કે આ પ્રપંચ જે છે તે રીયલ નથી, દરઅસલ નથી. બ્રહ્મ જ સત્ય છે, બાકી બધું મિથ્યા. માટે શંકરાચાર્ય વારેવારે બોલતા હતા: "બ્રહ્મ સત્ય જગત મિથ્યા, બ્રહ્મ સત્ય જગત મિથ્યા." ખાલી આ બે વસ્તુ પકડાય અને પછી જો સમજાઈ જાય તો પણ માણસ મુક્તિ પામી જાય, એટલા પાવરફુલ છે. પણ એ ભાવ બરાબર પકડાવવો જોઈએ. અને એ ભાવ ક્યારે પકડાય? લુવો બનાવવો હોય ને, તો એ લોટને બરાબર તમારે કેળવવો પડે. તો કેળવો બેસીને. એટલે પછી બધી કણક છૂટી ના પડવી જોઈએ, અભેદતા થઈ જવી જોઈએ.

ત્યાર પછી એ પકડાશે. એટલે એક વખત એવો સદાનંદનો, નિરાકારનો એક વખત અનુભવ આવી જશે ને, પછી એમાંથી તમે ક્યારેય મુક્ત થઈ શકવાના જ નથી. એટલી બધી બ્રહ્મની પ્રચંડ શક્તિઓ છે કે તમને પછી એમાંથી બહાર જોવા જ ના દે પોતાને.

એ અનુભવમાં નહીં, કારણ કે બ્રહ્મ છે એ કોણ છે? તો કે મહાગુરુ છે. એ તો પછી કે, "તું એકવાર આવી ગયો મારી શરણમાં, હવે તને બહાર ના જવા દઉં. કરફ્યુ લાગી ગયો છે. હવે તારો મેળ નહીં પડે. સંસારમાં પાછા જવાના તું બધા ભસકા બંધ કરી દે." થઈ જાય આ રીતે. બ્રહ્મને જાણનાર બ્રહ્મવિદ પોતે સ્વયં બ્રહ્મ બની જાય છે. જેના સંકલ્પો નષ્ટ થઈ ગયા છે, એના હાથમાં મુક્તિ છે. મતલબ બહુ સરળ છે. જેના સંકલ્પ બંધ થઈ ગયા, એટલે ભાવ છોડીને પરમાત્માનું ધ્યાન કરવામાંથી પણ એ મુક્ત થઈ ગયો, કારણ કે હવે પોતે સ્વયં પરમાત્મા બની ગયો. એટલે બધા જ ઉઘાપો છૂટી જતાં મનુષ્ય જીવન મુક્ત બની ગયો છે.

જ્યારે જીવ વૈરાગ્યનો સ્વીકાર કરી લે છે, ત્યારે કર્મફળ સ્વરૂપ જન્મ અને સંસાર રૂપ બંધનથી મુક્તિ પ્રાપ્ત કરવાનો આકાક્ષી થઈને મુક્તિ તરફ તે અગ્રેસર થાય છે અને નિવૃત્તિ પથગામી બને છે. હવે એ માર્ગી થઈ ગયો છે મુક્તિ પથનો, મોક્ષનો. બિલકુલ લાયક માણસ બની ગયો એટલે શું કરશે? તો કે, "હું તો હવે પ્રવાસી છું મુક્તિ પથનો અને મારા માટે આ બધું વ્યર્થ છે. હું જો આ ઘર લઈ જઈ શકું એવો નથી. આ ઘરની કોઈ ચીજ વસ્તુ લઈ જઈ શકું એમ નથી. આ યાત્રાની અંદર આ શરીર પણ બોજો છે, એટલે હું આ શરીર પણ લઈ જઈ શકું એવો નથી. પરબ્રહ્મ પરમાત્મા તો ઇન્દ્રિય અગોચર છે, એટલે આ કોઈ ઇન્દ્રિયો પણ મારા કામની નથી. આ ઇન્દ્રિયોને જે ચલાવનારું મન છે, એ મન પણ મને પાછું સંસારમાં લઈ જાય છે. આ તરફ ના લઈ જાય એટલા માટે આ મન પણ મારા માટે નકામું છે. સંસારી મન મારા માટે હવે કામનું નથી." એટલે એ મનનો પણ ત્યાગ કરે છે, લય કરે છે અને એનાથી પણ મુક્ત થાય છે.

બોજો બધો મનમાં જ તો હોય છે. મનમાંથી મુક્તિ. બસ પરમાત્મા સાક્ષાત પ્રગટ જ છે. ક્યાંય બીજે જવાનું જ નથી, ક્યાંય આવવાનું નથી. આ મૂક્યું અને બસ પેલું ખુલ્લું જ છે, પરમાત્મા પ્રગટ થઈ જશે.

એ જીવ સંસાર સાગરને તરવા માટે, પાર થવા માટે ગુરુનો આશ્રય લઈને જે અંધકારમાં પ્રકાશ ફેલાવે છે, તે ગુરુ અજ્ઞાન દૂર કરી આપે છે. તે ગુરુ. તો પહેલો ગુરુ તમારો દીવો ફિઝિકલ વર્લ્ડમાં અને છેલ્લો ગુરુ તમારું જ્ઞાન, તમારી અંદર જે પ્રગટ થઈ રહ્યું છે એ જ્ઞાન એ જ તમારો ગુરુ. એના દ્વારા જ બસ તમે આમ આગળ વધો છો. એમનો આશ્રય લઈને કામ આદિ વિકારોને છોડી દઈને પાછળ છોડવાના છે. વિહિત એટલે કે બતાવેલા કર્મો ક્યાં બતાવેલા છે? તો કે વેદોમાં બતાવેલા છે. વેદ ક્યાંથી આવ્યા છે? ગુરુ મુખેથી આવેલા છે. આ બોલતા બધા બોલતા દીવડા છે ગુરુઓ, સ્પીકર સાથેના. મોટો અવાજ બી હોય, રેકોર્ડેડ બધો પાછો તે પછી બોલે, રિપ્લે થાય બરાબરનું સરસ રીતે. તે એવા બતાવેલા કર્મોનું આચરણ કરતાં કરતાં સાધન ચતુષ્ટય એટલે કે વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ અને મુમુક્ષત્વથી પૂર્ણ થાય છે.

સાધન ચતુષ્ટય આ ચાર કહેવામાં આવ્યા છે. તો આ ચારની અંદર મુખ્ય બાબત સીધી પાછી વિવેક. વિવેક ના હોય ત્યાં સુધી તો કાંઈ શક્ય જ નથી. પણ વિવેકની સાથે સાથે વૈરાગ્ય હોવો જરૂરી છે. એટલે જો વિવેક હશે અને વૈરાગ્ય નહીં હશે તો પણ એને ન્યૂનતા રહી જવાને કારણે એને આભાસ થતો હોવા છતાં બ્રહ્મનો, એ બ્રહ્મને પામી શકતો હોતો નથી. જે ગૌતમ સ્વામીને થયા કરતું હતું મહાવીર ભગવાનની હાજરીમાં. એમને ખ્યાલ આવે કે હું બસ આ જ્ઞાન છે, આવું છે, આવું છે. પછી એક દિવસ પૂછ્યું કે, "ભાઈ આ ક્યારે થશે?" તો કે, "ભાઈ જ્યારે હું નહીં હોવ ને ત્યારે થશે." અને ખરે જ એવું જ થયું. પછી મહાવીરના વિદેય દેહ લઈ થયા પછીથી જ એમને ગૌતમ સ્વામીને જ્ઞાન પ્રગટ્યું. કારણ શું હતું ખબર છે? મહાવીર પ્રત્યેનો ફક્ત એક એમને મોહ હતો. વિવેક હોવો જોઈતો હતો, પણ આ આસક્તિ હતી.

મારા ભગવાન ફિઝિકલ સ્વરૂપમાં, નામ રૂપમાં અટકી ગયા હતા. ભાઈ બીજા કશાના નહીં, ફક્ત એમના ગુરુના. તો પણ અટકી ગયા હતા. એટલે વિવેક પણ જોઈશે, સાથે વૈરાગ્ય પણ જોઈશે. જોઈશે. 50-50 નહીં ચાલે, બંને 100% જોઈશે.

સાથે સાથે ષટ સંપત્તિ જોઈએ. સમ, દમ, આસન, પ્રાણાયામ વાળું જે છે તે. છ વસ્તુઓ જોઈશે જ. અને પછી છેલ્લે આવે છે મુમુક્ષત્વ. ષટ સંપત્તિ સાથે આ બધું ચારે ભેગું કરે તે સાધન ચતુષ્ટયનો મુગટ શું છે? શણગાર શું છે? મુમુક્ષત્વ. "મારે મોક્ષ પ્રાપ્ત કરવો છે." એને મુમુક્ષ કહેવાય, જેને એવી ઈચ્છા થઈ હોય. છેલ્લી ઈચ્છા આ કહેવાય. બાકી બસ પછી બધું ગયું, ગયા ખાતે હોય તેનાથી પૂર્ણ થાય છે. અને હૃદયકમળની વચ્ચે, જો હવે આગળની સ્થાન બતાવે છે. હૃદય કમળની વચ્ચે, મધ્યમાં એકમાત્ર ભગવત સત્તાને અંતરલક્ષ કરીને, "બસ આ જે છે તે જ પરમાત્મા છે, બસ બીજું કંઈ નહીં." આમ ઊંડે ઊંડે ઊંડે ઊંડે ઉતર્યા જ કરે. "પ્રભુ, પ્રભુ, પ્રભુ, પ્રભુ." બસ ત્યાં આગળ અનેક રૂપ થઈ જાય. જેવી રીતે મીઠું પાણીમાં ઓગળી જાય છે, તેમ તમે પણ પરબ્રહ્મમાં ઓગળી જાવ. સુષુપ્તિ અવસ્થાથી મુક્ત થઈને, પાછા સુષુપ્તિમાં નથી જવાનું આપણે.

મુક્ત થઈને બ્રહ્માનંદની યાદ મેળવીને, યાદ કરો જ્યારે તમે છેલ્લા બ્રહ્મ સ્વરૂપમાં હતા. તે આનંદ હજુ અકબંધ છે અંદર પડેલો. એને યાદ કરો એમ કહે છે. આ પણ એક ટેકનિક છે. કશું નહીં, બસ બેસીને શાંતિથી વિચાર કરો, "છેલ્લે હું બ્રહ્મ સ્વરૂપ હતો. ક્યારે હતો? ત્યારે કેવું હતું?" અને ઊંડા ઊંડા ઊંડા ઉતરવા માંડ્યા. "ઓમ, ઓમ, ઓમ." એવી રીતે વિચારે છે, અનુભવ કરે છે કે, "હું એક અને અદ્વિતીય જ છું, પરંતુ હજુ હમણાં જ અજ્ઞાનગ્રસ્ત થયો હતો અને આત્મસ્વરૂપને ભૂલી ગયો છું. જાગૃત અવસ્થામાં રહેલી વાસનાના ફળ સ્વરૂપ સ્વપ્નમાં મારું એ માનવું હતું કે હું તેજસ છું." એવી રીતે જાગૃત અને સ્વપ્ન એ બંને અવસ્થાઓમાંથી નિવૃત્ત થયાથી સુષુપ્ત અવસ્થામાં હું પ્રાજ્ઞ છું એવું માનતો હતો, પરંતુ હવે હું એક જ છું એવો અનુભવ થાય છે. સ્થાનભેદના કારણે અલગ અલગ અવસ્થાઓ હતી.

પણ ત્યાં પણ મારા સિવાય તો કંઈ હતું જ નહીં, એવો વિવેક હવે થવાથી હું શુદ્ધ અદ્વૈત બ્રહ્મ છું એવો અનુભવ હવે થઈ રહ્યો છે. આ અનુભવ થવાથી ભેદભાવની સમસ્ત વાસનાઓ, જે આરોપિત વૃત્તિઓ હતી, બધા એકબીજાની ઉપર શું કર્યું છે? રોપણ કર્યું છે, આરોપણ કર્યું છે વાસનાઓનું બધા એકબીજાની ઉપર. તેનાથી દૂર થઈ જાય છે, બધું ઉખેડીને ફેંકી. સાધક પોતાની અંદર પ્રકાશિત તેજોમંડળનું ધ્યાન કરવાથી, જે અંદરનું તેજ છે, આંતરિક તેજ છે, તેનું ધ્યાન કરવાથી તે પ્રમાણે જ બની જઈને, તદાકાર બની જઈને, પરબ્રહ્મના સ્વરૂપને મેળવીને મુક્તિ પથારૂઢ બને છે અને પરિપક્વ બની જાય. ધીરે ધીરે વો પકને શુરૂ હો જાતા હૈ. કરિયું બફાય ને એમ પછી ધીરે ધીરે ધીરે ધીરે તૈયાર થઈ જાય, સુગંધ આવવા માંડે. કરિયું સુગંધ આવે ને એવી રીતે ખબર પડે કે એ પકડા હૈ, બિલકુલ તૈયાર હો રહા હૈ.

ગુરુને કેટલી બધી સુગંધી દે, ખુશબુ લેવાની આમ કેટલા બધાની પાસેની. સંકલ્પ વગેરેથી યુક્ત મન બંધનનું અને એનાથી રહિત મન મોક્ષનું કારણ થાય છે. જો, કેટલી અદભુત ફોર્મ્યુલા આપી દીધી! મનને તમે સંકલ્પ રહિત કરો એટલે એ મોક્ષનું કારણ બની જશે. હવે કારણ ઊભું છે તો મોક્ષ તો થઈ જ જશે ને પછી? સમજાયું કંઈ? કારણ ઊભું થયું છે એટલે કાર્ય તો થઈ જ જશે. કુદરતની અંદર આ સાયન્સ છે. તો કારણ ઊભું કરો મોક્ષે જવાનું. અત્યાર સુધી નહોતું, સંસારમાં રહેવાના કારણો ઊભા કર્યા હતા. સંસારમાં બેસી રહ્યા છીએ, સોફામાં બેઠા છીએ, ઘરમાં બેઠા છીએ. હવે મોક્ષમાં જઈને બેસી જવાનું. તેમાંય પાછું શું છે? કરવાનું બીજું કશું છે જ નહીં. સીધા બસ અહીંયા, હિયર એન્ડ નાઉ, "હું મોક્ષ સ્વરૂપ છું, કારણ કે હું બ્રહ્મ છું." અંદર ઉતરવા માંડો, પાછા જ ન આવતા.

આવી રીતે પૂર્ણ જીવિત સ્થિતિમાં જ મોક્ષ પ્રાપ્ત કરી લેનાર સાધક ચક્ષુ વગેરે બાહ્ય પ્રપંચોથી ઉપર બની જાય છે. આ બધા ઇન્દ્રિયોના જે પ્રપંચો છે, તે બધાથી પછી એ મુક્ત થઈ જાય છે. એમાં પ્રપંચોની ગંધ પણ બાકી રહેતી નથી. એટલે શું થયું? તો કે એની બધી ઇન્દ્રિયોમાં દેવત્વ પ્રગટે છે, દિવ્યતા પ્રગટ થાય છે, પ્રકાશ પ્રગટ થાય છે. બધી એની ઇન્દ્રિયો પણ કેવી બની જાય? દિવ્ય જાય. જેને બ્રહ્મને જાણી લીધો છે, એની આંખની અંદર તમે આમ ખાલી આમ જુઓને તો આમ લાગે કે તમે સૂર્યની સામે જોઈ લીધું છે, એવો અનુભવ થાય. તો સમજવું કે આનામાં કંઈક પ્રગટી ગયું છે, કંઈક થઈ રહ્યું છે. એ સંપૂર્ણ જગતને આત્મ સ્વરૂપ જુએ છે. આ જગત છે તો એને જ જાણે બહુ જ મોટું એક સૂર્ય હોય ને, પ્રકાશિત ચકચકિત, બસ એટલો જ એનો અનુભવ હોય, બીજું કંઈ ના હોય. એને બહુ બહુ બહુ પ્રયત્ન કરે ત્યારે આમ દેખાય કે આ અમિતભાઈ લાગે છે.

આમ ઓળખાણ એવી રીતે પડે, પ્રકાશના પુંજની અંદર રહેલો આવડો અમથો અંધકાર એને જોઈને કે હા, આ માનવ લાગે છે. એને ઓળખાણ જ ના પડે વ્યક્તિઓની. જે એક્ઝોલ્ટેડ બીઇંગ હોય ને, એ નામ રૂપમાં નીચે જ ઉતરવા એટલા માટે તૈયાર જ નથી. એમને આવવું જ નથી. પણ કોઈક એવી અનુકંપા હોય ઈશ્વરની, ત્યારે પછી આવો વ્યક્તિ તમારા સાનિધ્યની અંદર પણ આવતો હોય. ત્યાં સુધી તો એ આવે પણ ઈશ્વરની અનહદ કૃપા થાય. બસ, તો પછી એનું સાનિધ્ય પ્રાપ્ત થાય તમને. ફિઝિકલ તો બહુ દૂરની વાત છે, પાછી સૂક્ષ્મ સાનિધ્ય પ્રાપ્ત થાય તમને. રામકૃષ્ણ પરમહંસનો કે દાદા ભગવાનનો વિચાર સુધા પણ આવે, સૂક્ષ્મ સાનિધ્યમાં પહોંચી ગયા તમે. બે હાથ જોડો, "કર ચરણું કૃતમ, હે પરમ કૃપાળુ પરમાત્મા, હે સદાશિવ, હે શંભુ, હે કૈલાશપતિ." અને તમે ત્યાં સાનિધ્યમાં પણ એ ભાવ થવો જોઈએ સામે એ પૂર્ણતાનો, પવિત્રતાનો, એકતાનો, અભેદતાનો એવો ભાવ પેદા થઈ જાય.

બસ, આપણું કામ થઈ જાય. નથી બેસી રહેવા જેવું અહીંયા. આગળ જતાં રહેવાનું તરત. જ્યાં જ્યાં તક મળે ત્યાં ત્યાં મુક્તિ પ્રાપ્ત કરવું એ એકમાત્ર સાધન કરો.

એ સંપૂર્ણ જગતને આત્મ સ્વરૂપમાં જુએ છે અને ત્યક્ત અહંકાર બનીને, કેવો ત્યક્ત અહંકાર બનીને? અહંકાર છે પણ ત્યજાયેલો અહંકાર છે, એ બનીને "હું બ્રહ્મ છું." આ "હું બ્રહ્મ છું" એ બોલે છે, એ શું છે? ત્યક્ત અહંકાર છે, જીવતો અહંકાર નથી. "હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું." કારણ કે આપણે કોકને કંઈક આપવું પડે છે. એવી રીતે આપણે આના માધ્યમ દ્વારા આપીએ છીએ કે "હું બ્રહ્મ છું." તો વાણી દ્વારા, વર્તન દ્વારા એવી રીતે આપણે બીજાને ઓળખાણ આપીએ છીએ કે ભાઈ, "હું આ નથી, તું ભૂલ કરે છે હો. જોજે, તારું આ પરસેપ્શન તું સુધારી નાખ. હું તો બ્રહ્મ છું." બ્રહ્મ બ્રહ્મ જ રહે. બ્રહ્મ ક્યારેય દિવ્યાંગ બને જ નહીં. તો બને છે તે શું? તો કે એ ભાસ છે, પડછાયો છે ખાલી અને એની કોઈ કિંમત નથી, નકામો છે અધ્યાત્મ માટે, મોક્ષ માટે નકામો. તો સંસાર શું છે?

આ બધા પડછાયાઓની રમત છે આખી. આમ આમ થયા કરે છે. આ જો આવા પડછાયાની રમત નાના છોકરાઓ કરતા હોય છે ને આમ દિવાલ ઉપર, ત્યાં જુએ છે એ સંસાર છે. સંસાર અહીંયા છે જ નહીં, એ તો બ્રહ્મ જ છે બધે. એવું "હું બ્રહ્મ છું" એવું ચિંતન કરતાં કરતાં, "આ બધું જ આત્મા જ છે, આ બધું જ આત્મા જ છે" એવી ભાવના કરતાં કરતાં એ કૃત કૃત્ય બની જાય છે. "હું કૃતાર્થ છું, હું કૃતાર્થ છું, હું આત્મા છું, હું ધન્ય છું, હું ધન્ય છું, હું ધન્ય છું." આવી રીતે પાંચમાં ખંડમાં આપણો પ્રવેશ બધી રીતે પરિપૂર્ણ થયા પછી એ તુર્યાતીત યોગી બ્રહ્મ સ્વરૂપ બની જાય છે. "આ બ્રહ્મ છે." લોકો આવી જાતની એની સ્તુતિ કરવા માંડે છે, "બ્રહ્મ સ્વરૂપ થઈ ગયા છે આ તો." એ સમસ્ત લોકોની સ્તુતિનું પાત્ર બને છે. સમસ્ત લોકોમાં સંસાર કરનારો હોય છે અને પરમાત્મા રૂપ ગગનમાં બિંદુ સ્થાપિત કરીને, ચિદાકાશની અંદર મનને વિલીન કરીને, શુદ્ધ અદ્વૈત, જડતા રહિત, મતલબ સંપૂર્ણ ચૈતન્ય વાળો, સહજ અને અમનસ્ક, મન વગરની સ્થિતિ વાળો યોગ નિંદ્રાની અંદર અખંડ આનંદમાં અનુસરણ.

કરીને એ વ્યક્તિ જીવનમુક્ત બની જાય છે. એ આનંદના સમુદ્રમાં મગ્ન રહેનાર જે હોય છે, તેને સિદ્ધ કહેવામાં આવે છે, તેને યોગી કહેવામાં આવે છે. આ બધા કરે છે તે યોગીઓ નથી, શરૂઆત કરી ચૂક્યા છે અલગ અલગ રીતે, ક્યારેક પહોંચી જશે. એ યોગીઓના કરતાં ઇન્દ્ર વગેરે દેવગણ પણ સ્વલ્પ આનંદ પ્રાપ્ત કરનારા હોય. ઇન્દ્રજીનો આનંદ એમ કે ઘણો વધારે હોય, આપણા મનુષ્યો કરતાં, પણ એક યોગીનો આનંદ છે તેની સામે ઇન્દ્રનો આનંદ પણ કંઈ નથી. સ્વર્ગના શ્રેષ્ઠ ભોગો ભોગવતો હોવા છતાં પણ એની પાસે યોગીનો આનંદ હોઈ શકે નહીં. આ પ્રકારે અને જુઓ, ઇન્દ્ર જે છે તે આનંદનો ભોગી હોવા છતાં લાલસું હોવાના કારણે એને હંમેશા ભય લાગેલો રહે છે કે મારો આ આનંદ કોઈક છીનવીને હાલે. એટલે કોઈક થોડુંક તપ કરવા બેસે ને, એટલે એને તરત ચટપટી ચાલુ થઈ જાય કે યાર, આ મારા કરતાં વધારે જો બળવાન બની જશે તો પછી ઇન્દ્ર બનશે નેક્સ્ટ મારા પછીનો.

પણ એ તૈયાર થઈ જશે એટલે મારે ખસી જવું પડશે. એટલે એવું હોય ત્યાં આગળ જઈને શું કરશે? હવનમાં હાડકા નાખશે, પેલાના તપનો ભંગ કરી નાખશે. ગમે તે રીતે તમે જુઓ, પુરાણોમાં આવી બધી બહુ વાતો કરેલી છે. તો ઇન્દ્ર પછી શું કરે? પોતાની અપ્સરાઓને મોકલાવે. ઋષિ-મુનિઓ બધા તપ કરવા બેઠા હોય, બધાનું ભંગ કરી દે એ તપ. એટલે વળી પાછું એને એકડે એકથી ફરી ચાલુ કરવું પડે. એટલે એટલો તો એને સમય મળી ગયો ને વધારે. અને અમે હમણાં જે પેલી પૂજા કરી તો કે આસનની અંદર પણ એવું કહે છે કે જો તમે સ્થિર આસન કરીને બરાબર બેઠા ના હોવ તો તમારું જે તપોબળ છે તે ઇન્દ્ર ચોરી છૂપીથી લઈને જતો રહે. એટલે ઇન્દ્ર પેસી જઈને તમને આ બધું ન કરી બેસે તેના માટેની નિશ્ચિત વિધિ પાછી બતાવેલી છે. એટલે "વિમલાસનાય નમઃ", "કૂર્માસનાય નમઃ" કરીને તમારે આસન સિદ્ધિ કરવાની, પૃથ્વીને નમસ્કાર કરવાનું, પૃથ્વીને પ્રાર્થના કરવાની કે ભાઈ, તું મને સ્થિરતા આપજે.

એનો મતલબ શું છે? એન્કરિંગ, દસ ફૂટ જમીનથી નીચે તમે એન્કરિંગ કરો છો. દરેક મેડિટેશન પછી આ જ વિધિ છે. ત્યાં આગળ બ્રાહ્મણો પુષ્પ લઈને પૃથ્વીને પ્રાર્થના કરતા હતા. બસ, આ જ હતો વાત, એક જ હતી.

તો આ પ્રકારે પરમાનંદ મેળવનાર પરમ યોગી હોય છે. આ એક અદભુત રહસ્ય છે. હવે ત્રીજા બ્રાહ્મણમાં પ્રવેશ. મહામુનિ યાજ્ઞવલ્ક્યે સૂર્યમંડળમાં રહેલા પુરુષને કહ્યું કે, "હે સ્વામી, આપે અમનસ્ક સ્થિતિના લક્ષણોની બાબતમાં, લક્ષણોના વિષયમાં મને ઉપદેશ આપ્યો. હવે એ હું ભૂલી ગયો છું. કૃપા કરીને ફરીથી મને એના જરા લક્ષણો કહેજો." જો આ વારેવારે કરવું પડે. મહાન ઋષિ યાજ્ઞવલ્ક્ય સૂર્યમંડળની અંદર રહેલા પુરુષની પાસે જઈને આ પ્રાર્થના કરે કે, "મને આ પ્લીઝ તમે ફરી વખત સમજાવો કે હું તો ભૂલી ગયો." ત્યારે મંડળ પુરુષ બોલ્યા, "બહુ સારું." જો ત્યારે એવું નથી કહેતા, "કાલે આવજે." આ અમનસ્ક સ્થિતિ ઘણી રહસ્યમય છે. એના જ્ઞાનથી મનુષ્ય કૃતકૃત્ય બની જાય છે. પરમાત્મા આત્મદ્રષ્ટિથી એનો અનુભવ કરનારા, કરાવનારા લક્ષ્યોને જોઈને, બધાના ઈશ્વર, અપ્રમેય, જેનું કોઈ પરિમાણ નથી એવો અપરિમેય, અપરિમિત, અજ, ક્યારેય પણ ઘરડો નથી થતો, શિવ, સદા કલ્યાણકારી હોય તેને શિવ કહેવાય, પરમ આકાશ, નિરાલંબ, અદ્વિતીય, બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર વગેરેના એકમાત્ર લક્ષ્યરૂપ એવા બધાના કારણ પરબ્રહ્મને આત્મરૂપમાં જોનાર પુરુષ હૃદય ગુફામાં જ વિહાર કરતાં નિશ્ચયપૂર્વક જાણીને ભાવ, અભાવ વગેરે દ્વંદ્વોથી અતીત બનીને મનની ઉન્મની અવસ્થાનો અનુભવ કર્યા કરતા હોય.

ત્યારબાદ સમસ્ત ઇન્દ્રિયોના ઇન્દ્રિયજન્ય પ્રવૃત્તિનો ક્ષય થયેથી, બંધ થઈ જવાથી, અમનસ્ક સુખરૂપ બ્રહ્માનંદ સાગરમાં એમનો મન પ્રભાવ વધે છે, જેના યોગથી એ વાયુ શૂન્ય સ્થળમાં રહેલા દીપક સમાન અચળ પરબ્રહ્મને પ્રાપ્ત કરી લે. ત્યારબાદ શુષ્ક વૃક્ષવત્ મૂર્છા અને નિંદ્રાની સ્થિતિની અંદર શ્વાસોચ્છ્વાસના અભાવમાં, સસ્પેન્શન ઓફ બ્રીધિંગ સંપૂર્ણ ગયું કે હવે પ્રાણની જરૂર નથી. એને મહાપ્રાણ મળી ગયો કનેક્શન એકદમ આગળ. પછી અહીંયા આગળ પેલું આમ લંગસ્યું નાખવાની જરૂર નથી. મારે તો સીધો જ ખેંચવા માંડ્યો છે હવે તો પરમબ્રહ્મને. તો પછી હવે એને આ પ્રાણની શું જરૂર પડે? એટલે સુખ-દુઃખ વગેરે દ્વંદ્વ બધા એના નષ્ટ થઈ જાય અને શરીર અચંચળ બની જાય છે, સ્થિર થઈ જાય છે શરીર એનું. આવી સ્થિતિનો પુરુષ પરમ શાંતિનો સ્વીકાર કરી લે છે, જેનાથી મન પ્રચાર શૂન્ય બની જાય છે.

પ્રચાર થાય છે મનનો, પ્રસાર થાય છે મનનો, એ બધું બંધ થઈ જાય, સ્થિર થઈ ગયું તથા પરમાત્મામાં લીન થઈ જાય છે. જે રીતે દૂધ દોહી લીધા પછી ગાયના સ્તનોમાં, આંચળમાં દૂધ રહેતું નથી, એવી રીતે બધી જ ઇન્દ્રિયો વર્ગના નષ્ટ થઈ જવાથી મનનો પણ વિનાશ થઈ જાય છે. સમજાયું ગોપાલ? દૂધ બધું કાઢી લેવાનું. ઇન્દ્રિયો છે એ ગાયો છે. એની અંદર રહેલું જે દૂધ છે તે તમારી વૃત્તિઓ છે, ઇન્દ્રિયોમાં પડેલી તે વૃત્તિઓને બધી દોહી લેવાની. તો તમે ગોપાલ છો અને એવું જે કંઈ થઈ ગયું તેને જોનારો એ સાક્ષી ગોપાલ કહેવાય. સાક્ષી ગોપાલના બધા મંદિરો બની ગયા છે, બધા દર્શનો કરવા જાય પ્રતીક રૂપે ત્યાં આગળ ભગવાન બેસાડ્યા મૂર્તિમાં સાક્ષી ગોપાલ. પણ સાક્ષી ગોપાલ તો સુંદર છે. "સર્વદા સાક્ષિભૂતં ભાવાતીતં ત્રિગુણરહિતં સદ્ગુરું તં નમામિ." એ ઉપરાંત, "હું જ નિત્ય શુદ્ધ પરમાત્મા છું" એવો તત્વમસિ ઉપદેશ પ્રાપ્ત થઈ જવાથી, "તમે પણ હું જ છું, હું પણ તમે જ છો." આ તારક યોગ માર્ગમાં અખંડ આનંદ મેળવીને સાધક પૂરેપૂરી રીતે કૃતકૃત્ય થઈ જાય છે.

હવે બીજા ખંડમાં પ્રવેશ. તેનાથી આગળનું જ્ઞાન આવે છે. ત્યાં પહોંચી ગયા હવે આગળ. જેનું મન પરમ આકાશમાં પૂરેપૂરા રૂપથી મગ્ન થઈ ગયું હોય, જેની ઉન્મની અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ હોય, જે સમસ્ત ઇન્દ્રિય વર્ગથી વિયુક્ત.

થઈ ગયો હોય એનું અનેક જન્મોથી મળેલા પુણ્ય પુંજ દ્વારા એનું કેવલ્ય સ્વરૂપ ફળ પરિપક્વ થઈ જાય છે. જેને પરમાકાશ જોઈ લીધું, જેને ઉન્મની પ્રાપ્ત થઈ ગઈ અને સમસ્ત ઇન્દ્રિયોથી એ અલગ થઈ ગયું હોય એવું જેને મન મેળવી લીધું, તો એવું ક્યારે બને છે? અનેક જન્મોથી એને પેદા કરેલો જે પુણ્યનો પુંજ પહાડ હતો, બહુ મોટો પ્રકાશનો, એનું કેવળ ફળ સ્વરૂપ પરિપક્વ થઈ જાય; કેવલ્ય રૂપી ફળ એનું પરિપક્વ થઈ જાય છે. ત્યારે એ બધું પુણ્ય એમાં વપરાઈ જાય છે. ત્યારે એ અખંડ આનંદ મેળવે. કેવો આનંદ? ખરો પણ ખંડિત થયા વગરનો, સળંગ આનંદ બંધાયા જ કરે. એના બધા જ કલેશ રૂપ પાપ નષ્ટ થઈ જાય છે. આ બાજુ આનંદ પ્રાપ્ત થાય છે ને આ બાજુ પાપ જતા રહે છે. આ બાજુ કેવળ આનંદ જ પ્રગટ થઈ જાય છે. એમાં એનું પુણ્ય બધું કામે લાગી ગયું, બધું પુણ્ય કામે લાગી ગયું. બસ કે આ પતી ગયું કે એટલે અહીંયા પુણ્ય બી જતું રહ્યું.

હવે બાકી તો કે આ પુણ્ય કહ્યું એટલે આ ઓછું થયું તો પેલું જતું રહ્યું. તો કે હવે બેય બાજુથી વજન ઓછું થયું. પુણ્ય નહીં, પાપે નહીં. એ હતું એટલે એને સંસારમાં આમ આમ આમ આમ આયા કરવું પડતું હતું દર વખતે. ક્યારેક પુણ્યનો સહારો, ક્યારેક પાપનો સહારો, તો સંસારમાં બિચારો ચાલ્યા કરતો હતો આવી રીતના. હવે બંને જતા રહ્યા, હવે એને ચાલવાનું રહ્યું નહીં સંસારમાં. તો ઉપાડી લો કે હવે સંસારમાંથી. એટલે એને આ લોકમાંથી ઉપાડી લે. "હું બ્રહ્મ છું" એ ભાવનાથી એ નિરંતર અભિભૂત રહેતા કૃત કૃત્ય બની જાય છે.

પરમાત્મા પૂર્ણ છે, એટલા માટે "તું જ હું છું" એવું ઉચ્ચારણ કરતાં ગુરુ મંડળ પુરુષે એ શિષ્ય યાજ્ઞનું આલિંગન એટલે કે એને ભેદીને એમને આ જ્ઞાનનો ઉપદેશ કર્યો હતો કે "જે તું છે તે જ હું છું." પણ એ તું કયો? આ નામ, રૂપ, આકાર વાળો નહીં. એ જે પરબ્રહ્મ પરમાત્માનું મૂળ સ્વરૂપ જે તારી અંદર રહેલું છે, તે હું છું. દાદા આજ કહેતા હતા.

હવે ચોથા બ્રાહ્મણમાં પ્રવેશ. એના પ્રથમ ખંડની અંદર હવે એનાથી ઉપરની વાત આવે છે. ત્યારબાદ ઋષિ યાજ્ઞવલ્ક્ય કે મંડળ પુરુષે સૂર્ય મંડળમાં રહેલા પુરુષને પ્રશ્ન કર્યો છે: "હવે આપ મને આકાશ પંચકનું લક્ષણ વિસ્તાર સાથે કહો." આકાશ પંચક, પાંચ આકાશની વાત છે. આપણે તો કે આકાશ બધું એક છે અત્યાર સુધી એવું કહેતા હતા, અને હવે પાછા કહે છે કે ના, એમાંય પાંચ આકાશ છે. પાછા ઉત્તરોત્તર સૂક્ષ્મતાનો ભેદ છે આની અંદર. એટલા માટે એને પાંચ આકાશ કહેવામાં આવે છે. તો જેમ વ્યક્તિ છે, પુરુષ છે, છોકરો છે, પણ એ બાળક છે, એ કિશોર છે, એ યુવાન છે, એ મધ્યવયનો વ્યક્તિ છે અને હવે એ વૃદ્ધ છે, એમ જેમ વિભાગ પડે છે એક જ વ્યક્તિના, તે જ પ્રમાણે અહીં આકાશના પણ પાંચ ભાગ પડે છે સૂક્ષ્મતાના ભેદ પ્રમાણે. તો એને આકાશ, પરાકાશ, મહાકાશ, સૂર્યાકાશ અને છેલ્લે પરમાકાશ કહેવામાં આવે છે.

એટલે પહેલા તો આપણને બધું આકાશ જ દેખાશે. યાદ રાખો, અંતરિક્ષ નથી આ. આ અંતરિક્ષ છે બે હાથની વચ્ચે. પણ આ અંતરિક્ષની અંદર જેવા અંદર આગળ આગળ સ્તરમાં વધતા જશો, તો ૧૪મા લેવલે આવશે તેને આકાશ કહેવાય છે. જે અહીંયા આગળ પહેલું કીધું પાંચમાનું, એટલે ૧૪માનો પહેલો એને આકાશ કહેવામાં આવે છે. ૧૪માનો બીજો છે તેને પરાકાશ કહે છે. આકાશથી પર થાય છે એટલે એને પરાકાશ કહેવામાં આવ્યું છે. પછી જે આકાશ છે તે બહુ જ મોટું છે. એટલું બધું મોટું છે કે એમાં જ લાખો કરોડો જન્મો જતા રહે આપણા. ત્યાં ખાલી જો કર્યા કરેને ટ્રાવેલ, તો એમાં કેટલો બધો ટાઈમ જતો રહે. એને મહાકાશ કહેવામાં આવે છે. એ પૂરું થાય ને પછી જ્યારે આગળ વધે છે, આમ વધારે ઓર સૂક્ષ્મ, ઓર સૂક્ષ્મ થાય છે, ત્યારે ત્યાં આગળ સૂર્યાકાશ. કારણ કે સૂર્ય જેવો પ્રચંડ તેજ તેજસ્વી આકાશ આવે છે એ.

તો એ આકાશને સૂર્યાકાશ કહેવામાં આવે છે. અને એ સૂર્યાકાશની મર્યાદા પૂરી થયા પછી નેક્સ્ટ લેવલ ઉપર આવે છે તેને પરમ આકાશ કહેવામાં આવે. અને પરબ્રહ્મ પરમાત્મા તો આ પરમ આકાશ કરતાં પણ સૂક્ષ્મ છે. આ પરમ આકાશ શેનાથી ઓતપ્રોત છે? તો કે એ "ઓમ"થી ઓતપ્રોત છે, અક્ષરથી ઓતપ્રોત છે. અને પછી કહે છે કે આ અક્ષર શેનાથી ઓતપ્રોત છે? તો કે પરમાત્માથી ઓત, પરબ્રહ્મથી ઓતપ્રોત છે. એને જે જાણનારો છે તે પાછો હોવો જોઈએ ને! તે પરબ્રહ્મ પરમાત્મા પોતે જે અક્ષરને જાણે છે તે પરબ્રહ્મ છે. ઓમકારને જે જાણે છે તે તે જ બ્રાહ્મણ.

યાદ રાખો, જે બહારથી ને અંદરથી અંધકારમય છે. આંખો બંધ કરો. હવે જુઓ, આ સામે શું દેખાય છે? અંધારું દેખાય છે. તો એ, એને એમ કીધું કે "જે બહારથી અને અંદરથી અંધકારમય છે એને આકાશ કહેવામાં આવે છે." તો તમે જ્યારે આંખો મીંચો છો ત્યારે તમે આકાશનો અનુભવ ઓલરેડી કરો. સમજાયું? જે બહારથી અને અંદરથી કાલાગ્નિ સમાન છે, કાળા અગ્નિ સમાન છે, એટલે એમાં હીટ. એટલે આકાશની અંદર તમે થોડુંક ટ્રાવેલ કરશો ને, પછી કાલાગ્નિ સમાન એવું આવશે. તેને કાલાગ્નિ સમાન જે છે તેને પરાકાશ કહેવામાં આવે છે. એમાં હીટ છે, ગરમી લાગે બહુ જબરજસ્ત રીતે. આમ અંદર બેઠા બેઠા જુઓ એટલે આકાશ તત્વ. આકાશ તત્વ પૂરું થાય પછી આગળ જાવ એટલે પછી આ કાલાગ્નિ સમાન એવું કાળું આકાશ છે, અગ્નિ સમાન કાળું આકાશ. તેને પરાકાશ કહેવામાં આવે છે. જે બહારથી અને અંદરથી અપરિમિત કાંતિ સમાન છે, તે તત્વને મહાકાશ કહેવામાં આવે છે.

અંદરથી અને બહારથી કેવું છે? અપરિમિત કાંતિ સમાન છે. પુષ્કળ એની અંદર લાઈટ, લાઈટ, લાઈટ, લાઈટ આવવાનું ચાલુ થાય પછી. તો એ તત્વ મહાકાશ છે. જે બહારથી અને અંદરથી સૂર્ય સમાન છે, તેને સૂર્યાકાશ કહેવાય. પછી તો લાઈટ એટલું બધું વધી જાય છેવટે કે પછી એ સૂર્યાકાશ થાય છે. અને સૂર્યાકાશ પૂરું થયા પછીથી જેનું તમે કંઈ નામ, રૂપ, કોઈ શબ્દ આપી શકતા નથી, કશું વિચારી નથી શકતા, એવું જે કંઈ છે તે અર.

નિર્વચનની જ્યોતિવાળું, સર્વવ્યાપક અને અતિશય આનંદના લક્ષણથી યુક્ત છે તે પરમ છે. તે પરમ આકાશ સચ્ચિદાનંદમાં રહેલો છે. એ રીતે મનુષ્યો જે જે લક્ષ્યનું દર્શન કરે છે, એ એના જેવા બનતા જાય છે. તો આંખો બંધ કરીને તમે આકાશનો અનુભવ કરો. પછી કાલાની સમાન જે પરાકાશ છે, તેનો અનુભવ કરો. પછી એનાથી આગળ લાંબા સમય સુધી લાગેલા રહેશો તો પાછું બદલાશે અને મહાકાશ આવશે, જે તેજસ્વી કાંતિ સમાન છે. એનાથી પણ આગળ લાગેલા રહેશો તો સૂર્ય સમાન કાંતિવાળું જે છે, તે સૂર્યાકાશ આવશે. છેવટે એ પણ ક્રોસ કરીને જ્યારે આગળ જશો ત્યારે પરમ આકાશ આવશે કે જે આનંદના લક્ષણોથી યુક્ત અને અનિર્વચનીય છે. આવું પરમાકાશ એને ભેદીને હજી તો આગળ તમારે અક્ષર અને ત્યાર પછી તમારે પરબ્રહ્મને પ્રાપ્ત કરવાનો છે. તો લક્ષ્ય ત્યાં સુધી તો રાખવું પડશે, ગાડીમાં ત્યાં સુધી તો બેસી રહેવું પડે.

આપણે તો ગાડીમાંથી થોડી થોડી વારે ઉતરી જઈએ. "બે" ને કરી લીધું. અલ્યા ભાઈ, તું બે માઈલ પણ નથી ચાલ્યો હજી તો તું આકાશની અંદર અને તું સંતોષ માની લે છે અને તું વિચાર કરે છે કે હું પરબ્રહ્મમાં પહોંચી જાઉં? પહોંચાશે? "ઈટ રિક્વાયર્સ એન એફર્ટ."

જે નવ ચક્ર (એટલે ષડ ચક્ર, તાળવું, આકાશ અને ભૂચક્ર), ષડ આધાર (એટલે મૂલાધાર વગેરે ષડ આધાર), ત્રિલક્ષ (એટલે અંતર્લક્ષ, બહિર્લક્ષ અને મધ્ય લક્ષ), વ્યોમપંચક (એટલે કે આકાશ, પરાકાશ, મહાકાશ, સૂર્યાકાશ અને પરમ આકાશ) ને સમ્યક રીતે જાણતો નથી, એ નામ માત્રનો યોગી છે. અર્થાત, યોગીને આ બધાનું જ્ઞાન હોવું આવશ્યક છે, અતિ આવશ્યક છે. એના વગર યોગ નકામો છે, અધૂરો છે, હજી એ પૂરો થયો નથી એમ કહેવાય. એટલે આને જાણવું જોઈએ. તમે શબ્દ રૂપે આજે જાણ્યું છે, એને અનુભવ રૂપે જાણવાનું. ખ્યાલ આવ્યો? તો બેસવાનું અને પછી આમ કરીને આમ પાર ઉતરવાનું છે અંદરથી. બસ, તમે ત્યાં જ છો.

હવે પાંચમો બ્રાહ્મણ શરૂ થાય છે. તેના પ્રથમ ખંડની અંદર હવે થોડું વધારે ડીટેલિંગ આપે છે. એ કહે છે કે, "સવિષય મન બંધનનું અને નિર્વિષય મન એ મુક્તિનું કારણ થાય છે." આ પહેલી ફોર્મ્યુલા આપી દીધી કે વિષય વગરનું મન હોવું જરૂરી છે પહેલામાં પહેલું, તો જ મુક્તિ છે. એટલે વિષયોનો ત્યાગ કરો મનમાંથી, પછી આગળ વધો એમ કીધું. તેથી સમસ્ત જગત ચિત્ત ગોચર થાય છે. એ ચિત્ત અગર આશ્રય વગરનું થઈ જાય તો મન ઉન્મની અવસ્થાથી પરિપક્વ થઈને ઈશ્વરમાં લય થવા યોગ્ય બની જાય છે. અહીં બહુ સુંદર વાત કરી દીધી, વાહ વાહ! એ શું કહે છે કે મન જે છે એને ફિઝિકલ છે, એને તમે તમારા આ ડેસ્કટોપ પર સ્ક્રીન જે છે ને એને એવું સમજો. મન તમારું. હવે સૂક્ષ્મ તરંગ રૂપે જે ચૈતન્ય છે, તે આમ જાય છે બધે, અલગ અલગ અલગ અલગ અલગ જગ્યાએ. સંસારિક બધી બાબતો ઉપર. હવે સળંગ એ બધે જાય છે, પણ એ શું થાય છે?

પેલી માખી જેમ થોડીક વખત આમ બેસી જાય કોઈક વસ્તુ ઉપર, એવી રીતે કોઈક વસ્તુ ઉપર બેસી જાય છે એનું ચિત્ત. જેમ પતંગિયું બેસી જાય છે કોઈક ફૂલ ઉપર થોડોક ટાઈમ અને પછી રસ ચૂસવા માંડે છે, તેવી રીતે તે રસ ચૂસવા માંડે છે એ વસ્તુમાંથી. એ વસ્તુના સાનિધ્યનો એને આનંદ લેવાનું શરૂ કરે છે. એટલે ત્યાં આગળ ચિત્ત તમારું ચોંટી ગયું. એ ચોંટી ગયું છે આ જગ્યા પર ચિત્ત. તેનો ફોટો પાછો મને બતાડે તમને કે આ ફૂલ છે, એની ઉપર આ પતંગિયું અહીંયા આગળ આમ આવ્યું, આમ આમ આમ કરતું આવીને બેસી ગયું અને બસ હવે એ ફૂલને અંદરથી રસ ચૂસવાનું શરૂ કરી દીધું. એવી રીતે ચિત્ત જે છે તે તમારો રસ ચૂસે છે એમાંથી. બરાબર? જેટલો સમય અટકેલું રહે છે ત્યાં આગળ. પછી પાછું ત્યાંથી ઉડીને ફરી બીજી જગ્યાએ, ત્રીજી જગ્યાએ, ચોથી જગ્યાએ, પાંચમી જગ્યાએ. પણ દરેક જગ્યાએ આશ્રય લે છે, ક્યાંક ક્યાંક અટકે છે અને જ્યાં જ્યાં એ અટકે છે તે જગ્યાનો આ સીધો ફોટો બતાડે છે ત્યારે.

જેમ કે ચંદ્ર પર પેલું રોવર કે વિક્રમ કંઈક ઉતારે છે, તેવી રીતે આ તમારું ચિત્ત બધે જા જા કરે છે. હવે પેલું આમ ઉપર ચડે, નીચે ઉતરે, આમ આમ આમ આવી રીતના એ બધું અહીંયા આગળ તમે અહીં બેઠા બેઠા સાયન્ટિસ્ટ જુએ છે. ટેલિકાસ્ટ થાય તો તમે જુઓ છો, સેમ ટાઈમે જુઓ છો. પેલું ત્યાં છે, આ અહીંયા થઈ રહ્યું છે, પણ એ બતાડે છે અહીંયા. વાસ્તવની અંદર અહીં કે ત્યાં તો છે જ નહીં કશું. સ્થળ અને સમય પણ નથી. આ તો બધો ઉત્પન્ન થયેલી બાબતો છે. એટલે તમે "વિધિન બોક્સ" આખી વસ્તુ જોઈ રહ્યા છો. આ આ જે "વિધિન બોક્સ" વાળું છે તે મન. સમજાયું? હવે જ્યાં જ્યાં ચિત્ત અટક્યું છે, તે બધાયના ફોટા મને સ્ટોર કર્યા, પાડી પાડીને બધા ફોટોકોપી જ રાખે છે બધાયની. તે બધી સ્ટોર કરેલી છે અને પાછી કોમ્પ્રેસ તમારી કેવી હોય છે આ હાર્ડ ડ્રાઈવ? કેવી બનાવે છે અને કોમ્પ્રેસ કરે છે ને પાછી ફાઈલને?

એ ઝીપ કરી નાખે, ઝીપ કરી નાખે અને પછી મૂકી રાખે. તે બધી સ્મૃતિ સંગ્રહો બધા અંદર અંદર અંદર અંદર અંદર બધે જ છે, ખીચોખીચ ભરેલું છે. એ બધું અનંત જન્મોથી પાછી આ ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. તો એ ફિઝિકલ સેલમાં નથી, એ તો સૂક્ષ્મથી સૂક્ષ્મ દેહના અંદર રહેલા છે, તેના પરમાણુઓની અંદર સ્ટોર થયેલું છે બધું. તો નાવાથી તો એ નીકળવાનું નથી. મંદિરે જવાથી પણ નીકળવાનું નથી. તીર્થયાત્રા કરવાથી પણ નીકળવાનું નથી. થોડું થોડું, થોડો થોડો ફરક પડતો જાય. એનો મતલબ એ થયો કે રોજ નાહવું તો જરૂરી છે. મંદિરે જવું તો જરૂરી છે. તીર્થયાત્રા પણ કરવી જરૂરી છે જ્યારે શક્ય ત્યારે. કેમ કે એટલું તો ઓછું થશે ને? કોને ખબર પછી કોક જગ્યાએ પ્રયાગમાં ગયા અને અમૃતકુંભ ખુલી ગયો તમારી ઉપર ઢમ્બ દઈને અને બધું એકદમ ધોવાઈ જાય, સાફ થઈ જાય. કોક બ્રહ્મનિષ્ઠની દ્રષ્ટિ આમ કરીને આમ પડી ગઈ અને પછી બધું ભેદી કાઢે તમારું.

કારણ કે એની તો આંખોમાંથી અમૃત છે એટલે બધું ચોખ્ખું કરી નાખે.

એને એક વખત ડિક્લેર કરી દીધું કે, "તું શુદ્ધ છું, તું શુદ્ધ છું, તું બુદ્ધ છું, તું મુક્ત છું, તું બ્રહ્મ છું, તું બ્રહ્મ છું, તું બ્રહ્મ છું." બસ, થઈ ગયું. આને કહેવાય કૃપા. એનું તમારી સામે આવવું કે તમારું એની સામે જવું, એને "અહેતુકી કૃપા" કહેવામાં આવે છે. પરમાત્માની કૃપા જ્યારે તમારી ઉપર થઈ હોય, ત્યારે તમારો ભેટો થાય અથવા તો તમારી એમને યાદ આવે તો પણ કામ બની જાય. દુરસ્થ ચિકિત્સા થઈ જાય, તમારી સંપૂર્ણપણે ક્લીન થઈ જાય. પછી બસ, એકદમ જ તમને બહુ જ સારું થઈ જાય. ખરેખર આનંદ, આનંદ, આનંદ થઈ જાય.

એટલે કીધું છે કે, "જે જેને લક્ષ્યનું દર્શન કરે છે, તે તેના જેવા થઈ જાય છે." તમે જો બ્રહ્મદર્શન કરશો તો તમે બ્રહ્મ સ્વરૂપ થઈ જ જશો. આ સાયન્સ છે, કશું અટકવાનું નથી. માટે સર્વત્ર નિશ્ચયપૂર્વક બ્રહ્મ સ્વરૂપ જ જુઓ. બીજું કાંઈ જોવા જેવું નથી. એટલે કીધું કે, "આ ચિત્ત છે, એ જો આશ્રય વગરનું થઈ જાય તો મન ઉન્મની અવસ્થાથી પરિપક્વ થઈને ઈશ્વરમાં લય થવા યોગ્ય બની જાય છે."

હવે શું થયું? તો કે, ચિત્ત જે વારેવારે તમારા અલગ અલગ જગ્યાએ જઈને વાસ કરતું હતું અને ત્યાંથી જે મનને સપ્લાય કરતું હતું, તે બંધ થઈ ગયું. ચિત્તને ક્યાંય બેસવાની જગ્યા જ મળતી નથી. સંસારિક કોઈપણ બાબત ઉપર બધેથી ભમીને ગોળ ગોળ ગોળ ગોળ ગોળ ભમ્યા કરે છે. છેવટે પછી, "હવે ક્યાંય કશું છે જ નહીં ભાઈ કે મારે રોકાવાની કોઈ જગ્યા જ નથી." ડિસાઈડેડ ડિક્લેર થઈ ગયું એને કે હવે ચિત્તમાં મને કશું વસ્તુ જ નથી કે મારે ક્યાંક બેસવું જોઈએ કે ક્યાંથી હું રસ ગ્રહણ કરું. એવી સ્થિતિ થતી જ નથી. એટલી પરિપક્વતા થતાં થતાં થતાં થતાં એ પાછું ફરી આવીને પોતાના મૂળ સ્થાનમાં બેસી જાય. એવું થવાના કારણે મન શુદ્ધ થઈ જાય છે અને પછી મનોલય થઈ જાય છે. અને એવું મનોલય થઈ જવાના કારણે પછી તમારું મૂળ સ્વરૂપ જે છે, તે પ્રગટી જાય છે. જે બેકગ્રાઉન્ડમાં હતું, તે ફોર ગ્રાઉન્ડમાં ચાલુ થઈ ગયું, પાછું આવી ગયું.

એટલે મન ઉન્મની અવસ્થાથી પરિપક્વ થઈને ઈશ્વરમાં લય થવાને માટે યોગ્ય બની જાય છે.

પછી આ લયનો પૂરેપૂરો "અહમ" એટલે "હું"માં અભ્યાસ કરવો જોઈએ. એટલે કીધું કે, "હમ, હમ, હમ... આ ક્યાં થઈ રહ્યું છે, એને જુઓ." તમે બીમાર માણસ હશે ને, તે "હમ" એમ કર્યા જ કરતો હોય. મરવાનો થયો હોય ને, એ પણ "હમ" આ કર્યા જ કરતો હોય અને પછી એ દેહ છોડી દે છે. પણ આગળ જવા માટે તો સંસારમાં પાછો ફરવાનો હોય, તેના માટે પણ આ સ્થિતિ છે. અને જેને સંસારમાંથી મુક્ત થવાનું આવ્યું છે, આ જીવનમાંથી બીજા જીવનમાં જવા માટે કે બ્રહ્મમાં જવા માટે, બધાના માટે મૂળ જગ્યા તો આ જ રહેશે. "આ જે હું થઈ રહ્યું છે, તે જ જગ્યાને પકડો," એમ કીધું.

આટલા મોટેથી અવાજ નહીં આવે, પણ અંદર છે જેને તમે "હું" કહો છો. "હું", "હમ" – એ ક્યાં થઈ રહ્યું છે? ખોળો કયા ભાગમાં? એ ફિઝિકલ નથી. પહેલા શરૂઆતમાં લાગશે ફિઝિકલ છે, ક્યાં? તો કે અહીં હૃદયમાં. પછી એમાં ઊંડા ઊંડા ઊંડા ઊંડા ઉતરવા માંડો. પછી બધા આકાશ ચાલુ થશે લાઈન સર. પછી બધા આકાશ ચાલુ થઈ જશે એટલે પછી દેખાશે બરાબરનું. છેલ્લે પરબ્રહ્મા, "કે યાર, હું તો અહીંયા જ હતો. હું તો ક્યાંય ગયો જ નથી યાર. તું શું અનંતકાળથી કે હું તારી રાહ જોતો અહીં જ ઉભો છું." કે બોલો, તે પંઢરપુરમાં પેલા વિઠોબા બેઠા છે એવી રીતના કે, "હું તો અહીંયા જ છું કે તું આવી જા." બસ, આ લયનો પૂરેપૂરો અહમમાં અભ્યાસ કરવો જોઈએ, કારણ કે મનોલયનું કારણ "હું" જ છું.

અનાહત શબ્દ અને એ શબ્દની અંદર જે ધ્વનિ થાય છે, એ ધ્વનિની અંતર્ગત જ્યોતિ રહે છે. એક ઓર બાત આ ગઈ. બેસીને તમે ફક્ત શ્રવણ કરો, બધા નાદ છોડી દો. ખરેખર આ બધા નાદ અલગ છે, સ્થૂળ છે. અનાહત નાદ સૂક્ષ્મતમ અને પછી જેવો પકડાય એટલે તેનામય સીધો રસ્તો છે. અંધારામાં હાથ નાખીને આંગળી. બસ, આનું શ્રવણ કર્યા કરો. એ કરતાં કરતાં કરતાં એ નાદની પાછળ રહેલી છે જ્યોતિ, તે પકડાવે. નાદનું શ્રવણ કરતાં કરતાં જ્યોતિ પ્રગટ થઈ જશે. એ જ્યોતિની અંતર્ગત મન હોય છે.

હવે બતાવ્યું, મનનું સ્થાન આ છે. જે મન ત્રિગતની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર રૂપ કર્મ સંપાદન કરે છે. બતાવ્યું ને તમને? સ્મૃતિ રૂપે સંગ્રહિત બધી વસ્તુઓ, ચિત્ત જે જે લાઈ આપે, જે જે લાઈ આપે, તે બધું જ્યાં આગળ પડેલું છે, તે કઈ જગ્યા છે? એ આ બતાવ્યું એને. તો એને કીધું કે, "તમે પહેલા નાદ શ્રવણ કરો. નાદ શ્રવણ કરતાં કરતાં જ્યોતિ પ્રગટ થશે અને એ જ્યોતિ જે જગ્યાએ છે, ત્યાં અંતરગત મન છે." એટલે અંતરમન ત્યાં રહેલું છે. આ તો સ્થૂળ બાહ્ય મન છે, પેલું અંતરમનની વાત કરી દીધી.

એ અંતરમનની અંદર જે કંઈ બધું હજી સ્ટોર થયેલું છે તમારી સ્મૃતિ રૂપી, તે ત્રણેય જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર રૂપ જે કંઈ બધા કર્મ સંપાદન થયા છે, એટલે કે જે કંઈ બધી સ્મૃતિ કર્મની રહેલી છે, અંદર પડેલી છે, એ જ મન જેમાં વિલયન વિલય થાય છે, તે વિષ્ણુનું પરમ પદ છે. એ મનનો વિલય કરવાનો છે પાછો. હા, અંદર તો કે એને વિષ્ણુનું પરમ પદ કહેવામાં આવે છે.

આ વિષ્ણુ એટલે વ્યાપક હોય તે વિષ્ણુ કહેવાય. તો એ વિષ્ણુના પરમ પદમાં લય થવાથી શુદ્ધ અદ્વૈતની સિદ્ધિ થાય છે, કારણ કે એમાં ભેદનો અભાવ રહે છે. ભેદ હોતો જ નથી એટલે અભેદ હોય. આ જ પરમ તત્વ છે.

આ પરમ તત્વને જાણનાર બાળકની જેમ, ઉન્મતની જેમ અથવા પિશાચની જેમ ગમે તે રીતે જડ વૃત્તિથી લોકમાં એટલે કે સંસારમાં વિચરણ કરે. એની પાસે એટલું બધું હોય છે કે બસ, લોકો પછી એને પજવે નહીં એટલા માટે થઈને એ કાં તો સાવ સહજ બાળક જેવો બની ચૂક્યો હોય, કારણ કે એની પાસે કશું છે; અને કાં તો પછી પિશાચ જેવો દેખાય. કંઈ પણ કરતો હોય રૌદ્ર રૂપે, એકદમ બધું કે બધાને બહાર ભગાડ્યા જ કરે, ભગાડ્યા જ કરે, "મારી પાસે કોઈ આવે જ નહીં." પછી એનો એવો ભાવ થઈ જાય એટલે બધાને ભગાડી મૂકે, જુએ.

જાણે કે આ બધા સંસારીઓ છે, બધા લપડા છે અને બધા લેપ લગાડવા જ આવે છે, ચોંટવા જ આવે છે. અને એને ચોંટવા દેવું નથી એટલે બધાને ઉખાડી મુકશે. કાં તો પછી સાવ બાળક સહજ બની જશે કે, "તો આ જે કરવું હોય એ કરું, મને તો કંઈ ખબર પડતી નથી." બે જ વાત થાય છે. અને આ સહજ સ્વાભાવિકતાથી બને છે પાછું, કારણ કે એમને મન હોતું નથી. સંસારી મન રહ્યું નથી, એના કારણે એ લોકો આવા થાય છે, બની જાય છે. આ સ્વાભાવિક બનતી ઘટના છે, કુદરતી છે. પેલી સંતરામ બુક છે ને, એમાંય લખ્યું છે કે ઘણીવાર સિંહ બની જતા. એટલે લોકો એની પાસે, ઘણાને ખબર હોય કે આ એ જ છે, એટલે એની પાસેથી નીકળી જાય, નીકળી જાય. આ રીતે અમનસ્ક સ્થિતિના અભ્યાસથી નિત્ય તૃપ્તિનો અનુભવ થવા લાગે છે. (અસ્પષ્ટ - સંભવતઃ તૃપ્તિના અનુભવ વિશેનો કોઈ સંસ્કૃત/ભજન વાક્યાંશ, જેમ કે 'તત્વમસિ' સંબંધિત ઉદ્ગાર, ગુરુદેવ પ્રત્યેની સ્તુતિ) બોલો જય જય શ્રી ગુરુદેવ.

અવધૂત અવસ્થામાં હોય, બિલકુલ અવધૂત રંગ. અવધૂત સાહેબ હતા, દત્તાત્રેય, સંતરામ મહારાજ, દત્તાત્રેય વાસુદેવાનંદ સરસ્વતી સાહેબ. સ્મૃતિ માત્રથી વાંચા બંધ થઈ જાય છે. બોલી શકાતું નથી કે, "પ્રભુ, તમારી શું સ્તુતિ કરું? વાણી તો પહોંચતી નથી. ઇન્દ્રિયો વાંજણી છે કે એ ત્યાં સુધી પહોંચાડતી નથી, મને સંસારમાં જ ગૂંચવાયેલો રાખે છે." કેવી રીતે? તો આવું જ્યારે થાય ત્યારે તૃપ્તિનો અનુભવ થાય. ભૂખ, તરસ, આળસ, નિંદ્રા કશું આવતું નથી, કંઈ થતું નથી એને. પછી એના ફિઝિકલ બોડીની અંદર મળમૂત્રની માત્રા પ્રમાણ નહિવત્ જેવું થઈ જાય છે. પછી ખાસ કંઈ નીકળતું જ નથી. અને ઘણા ઓછા આહારથી કામ ચાલી જાય છે. એને ખવડાવવું પડે, એને જરૂર નથી, પણ પેલા લોકોને એવું લાગે છે કે આને ખાવાની જરૂર છે, નહિતર મરી જશે. વાસ્તવમાં એ મરવાનો નથી, એ તો અમર છે.

આ બધાને ખબર નથી કે સીધું આમ ગ્રહણ કરી રહ્યો છે, તેજ પી રહ્યો છે, બિલકુલ ઘટક ઘટક ઘટક. ક્યાંથી મરવાનો છે? ના મરે. એના અંગોમાં દ્રઢતા આવી જાય છે. કોકને આમ કરીને આમ પકડી રાખ્યું હોય ને, એટલે કે ઘણા ઓછા આહારથી એનું પછી કામ ચાલી જાય. છ મહિના ના ખાધું તો ક્યાંય ખબર નથી એમ. "છેલ્લે ક્યારે ખાધું?" તો કે, "છ મહિના પહેલા." વચ્ચેનો ગાળો ગયો એ એને ખબર જ ના. છ મહિનાનો ગાળો જતો રહ્યો એવું ના. "એને કાલે તો ખાધું તું." "અરે, કાલે નહીં, છ મહિના થયા ભાઈ." આવી સ્થિતિ અવધૂતોની હોય, પરમહંસોની હોય, બ્રહ્મલીન. નિરંતર બસ એક જ એના અંદર રહેતા હોય એટલે સંસારની કોઈ મોહ ના હોય. માયાને તારું શું? કંઈ થાય કે ના થાય, કારણ કે એને આ બધા પડછાયા જેવું દેખાય. ભાઈ, આ બતાવ્યું ને આમ પડછાયા હોય, માણસો ના દેખાય, કશું દેખાય નહીં એને. એટલે પડછાયાથી એ ના ડરે, એટલો એ નીડર હોય.

એટલે પડછાયાથી બધા ડરે છે ને, બધા એકબીજાના. એના શરીરમાં જડતા રહેતી નથી. એના અંગોમાં દ્રઢતા આવી જાય છે. અંગોમાં દ્રઢતા એટલે કેવી હોય ખબર છે? આમ જો તમારે કાંડું પકડી રાખ્યું હોય, કોક કોકને મારવા જતો હોય અને પેલો ત્યાંથી પસાર થાય, તો આવા ઘણા સંતો હતા ને, ઘણી વખતે આવું બની ચૂકેલું છે. તો આમ પકડી રાખે ખાલી એનો હાથ પકડી રાખે ને, 50 માણસો એની ઉપર લટકી પડ્યા હોય, પણ એ છોડે નહીં. એવી એને મજબૂત પકડ હોય. અથવા દાખલા તરીકે 50 માણસો કોઈ વસ્તુની અંદર હોય, બેઠા હોય ગાડીબાડીની અંદર કે મોટું એની અંદર મોટી લક્ઝરી બસ સમજો કે તમે હાઇપોથેટીકલી. પણ આ એના બળની વાત કરું સમજ માટે થઈને. હવે જો એ કોઈ રીતે કરીને જવા માંડી હોય ને, પેલો જુએ કે આ 50 જણા હમણાં મોટી ખાઈમાં ગબડી પડવાના છે, તો પેલો આમ કરીને આમ પકડી રાખે ત્યાં આગળ.

આખી લક્ઝરી બસને 50 માણસો સહિત એમાંથી આમ પડવા ના દે, ઉપરથી પાછો ખેંચી લાવે બહાર. વગર દોરડે ને વગર કશું કરે. એટલું બધું પ્રચંડ બળ આવે એની અંદર, આવી જાય. પણ આ તો કંઈ નથી. નથી ને જેની પાસે બ્રહ્મનું બધું જ સર્વશક્તિમાન સત્તા આવી ગઈ હોય, એ લક્ઝરી ના પકડી શકે? અને મોટી આખી ટ્રેને લટકાયેલી હોય તો બહાર કાઢે. કોડાઈકેનાલ કે ક્યાંક આવી હોય તો આમ કરીને આમ બહાર કાઢે દોરડીની જેમ જ. એના માટે દોરડીથી વધારે કશું છે જ નહીં. વાસ્તવમાં તો શું? સિંદરી બળેલી કે લે અહીંથી અહીંયા મૂકી. આ કોઈ સ્ત્રીઓનો લાંબો વાળ આમ કરીને આમ કોક મૂકતો હોય ને, એવી રીતે મૂકી શકે. એટલું પ્રચંડ બળ હોય એની અંદર. અને છતાંય આવો ફરતો હોય, બિલકુલ. શરીરમાં જડતા રહેતી નથી. એના શરીરમાં જડતા ના હોવાના કારણે એ એની વ્યાપ્તિ વધી જાય. વિષ્ણુ સ્વરૂપ બની ગયો છે ને, એટલે અહીં પણ હોય, અહીં પણ હોય, અહીં પણ હોય, બધે જ હોય.

અને જ્યાં હોવું જોઈએ ત્યાં એ બધે પ્રગટ થઈ શકે, અલોપ થઈ શકે. આ બધું કરી શકે છે. એના નિંદ્રા, નેત્ર પલક પડવી, આંખ ઝપકવી, વાયુ, શ્વાસની ગતિ બધું સમાપ્ત થઈ જાય. સસ્પેન્શન ટોટલ બંધ. જેના ફળ સ્વરૂપ આવું બધું હોય, તેના કારણે તો કે એનું પાછળ શું રહેલું છે? તો કે બ્રહ્મદર્શન રહેલું છે. અજ્ઞાત સુખમય સ્વરૂપની સિદ્ધિ થઈ ગઈ હોય છે એને. બ્રહ્મની પ્રાપ્તિ કરી લીધેલી હોય એટલે આ બધું જ એના માટે સહજ સ્વાભાવિક. આવી રીતે લાંબા સમય સુધી સમાધિની સ્થિતિના અભ્યાસથી ઉત્પન્ન બ્રહ્મામૃત પાનમાં પરાયણ રહેતો સન્યાસી અવધૂત બની જાય છે. એના દર્શનથી સંપૂર્ણ જગત પવિત્ર બની જાય છે. એના દર્શનથી, એની અંદર જે પ્રગટ્યું છે તેના દર્શનથી, એની સેવામાં પરાયણ રહેનાર અજ્ઞાની પણ બંધનથી મુક્ત થઈ જાય. એ અવધૂત પોતાના કુળની 101 પેઢીને તારી દે છે.

એના માતા-પિતા, પત્ની અને સંતતિ વર્ગ પણ કશું કર્યા વગર મુક્ત થઈ જાય છે. એવું આ ઉપનિષદ છે. ૐ પૂર્ણમદ પૂર્ણમાદાય પૂર્ણમેવાવશે. વી ટેક અ બ્રેક ફોર ફાઈવ મિનિટ્સ.

આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.