અનંતની યાત્રાAnant ni Yatra
૧૦૮ ઉપનિષદ સિરીઝ · 108 Upanishad Series

ઉપનિષદ સિરીઝ · વિડિયો ૫૯

વિડિયો ૫૯

લેખ ૫૫ / ૧૪૯ · 60 મિનિટ વાંચન · વિડિયો જુઓ ↓

ચૈતન્યમ શાશ્વતમ શાંતમ, વ્યોમાતિતો નિરંજનમ. બિંદુનાદ કલાતીતમ, તસ્મય શ્રી ગુરુવે નમઃ. પરબ્રહ્મ પરમાત્માને નમસ્કાર કરું છું. પરબ્રહ્મ સ્વરૂપ સમસ્ત સૃષ્ટિમાં જે કાંઈ છે તે બધું બ્રહ્મરૂપ છે. તો તેના હું બ્રહ્મ રૂપે દર્શન કરવાનો નિશ્ચય, નિર્ણય કરું છું. આ જ્ઞાન સ્થિર થાવ, જેનાથી બ્રહ્મનો સાક્ષાત્કાર કરી શકાય એ ઉપનિષદ છે. ઉપનિષદોમાં મુખ્યત્વે બ્રહ્મજ્ઞાનનું જ વિવેચન થયેલું છે. જેને કારણે ઉપનિષદોને અધ્યાત્મ વિદ્યા પણ કહેવામાં આવે છે. બ્રહ્મજ્ઞાન, આત્મજ્ઞાન, તત્વજ્ઞાન, બ્રહ્મવિદ્યા – આ બધા પર્યાયવાચી શબ્દો છે. એટલે ઉપનિષદોની મહત્તા ભારતીય અને પાશ્ચાત્ય વિદ્વાનોએ મુક્તપણે સ્વીકારેલી છે.

એક પ્રવચનમાં સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે, "હું ઉપનિષદોને જ્યારે વાંચું છું ત્યારે મારા આંસુ વહેવા માંડે છે. આ કેટલું મહાન જ્ઞાન છે!" ઉપનિષદોમાં રહેલું જ્ઞાન એ જીવનમાં ધારણ કરવામાં આવે તે જીવનનું લક્ષ્ય છે. આપણે શક્તિ જોઈએ, શક્તિ વિના કામ ચાલતું નથી. તો આ શક્તિ ક્યાંથી મળે છે? તો કહે છે કે ઉપનિષદો જ શક્તિની ખાણ રૂપ છે. તો આજે આપણે ઉપનિષદ શૃંખલામાં જ્ઞાનખંડની શરૂઆત કરીએ છીએ. જ્ઞાનખંડની અંદર સૌપ્રથમ ઉપનિષદ આપણે લઈશું એ છે અમૃતનાદોપનિષદ. એટલે કે એમાં અમૃતનાદ વિશે વાત કરવામાં આવેલી છે. એ કૃષ્ણ યજુર્વેદ સાથે સંબંધિત છે. આ ઉપનિષદોમાં પ્રણવની ઉપાસના સાથે યોગના છ અંગો – પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, પ્રાણાયામ, તર્ક, સમીક્ષા અને સમાધિ વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે. પ્રાણાયામની વિધિ, ઓમકારની માત્રાઓનું ધ્યાન, પાંચ પ્રાણોનું સ્થાન અને રંગોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

અગાઉ બીજા ઉપનિષદોમાં પણ આ બાબતો આવી ગઈ હોય, પણ તમે જો એ જ્ઞાનને આના સાથે જોશો તો અહીંયા કંઈક પાછું બીજું વિશિષ્ટ, અદભુત, કંઈક નવી જાણકારી અંદર આપવામાં આવેલી હશે.

તો યોગ સાધકે શું કરવું જોઈએ? તો કે સૌથી પહેલા ભયથી મુક્ત થવું જોઈએ. હવે ભયથી મુક્ત થવા માટે પણ ભયથી મુક્ત થવું! સંસાર જે છે તેની અંદર રહેવું એટલે ભયાવહ સ્થિતિમાં રહેવું એ બહુ નક્કી બાબત છે. કઈ ક્ષણે, શું બાબતે, શું ભય ઊભો થઈ જાય એનું કંઈ કહેવાય એવું નથી. એટલે એને દૂર કરવા માટે પ્રથમ નિર્ભયતા ધારણ કરવાની કે બધું બરાબર છે, હું પહોંચી વળીશ. અને પછી પાછું જ્ઞાન સંપાદન કરી અને પછી સંપૂર્ણ નિર્ભયતા પ્રાપ્ત કરવાની છે કે બ્રહ્મ સ્વરૂપ જે છે તેને તો કોઈનો ભય હોતો નથી, કારણ કે એ જ છે, બીજું છે જ નહીં. એટલે દ્વૈત જ નથી. ઉપનિષદો આપણને આ સમજાવવા માંગે છે, પણ એ સ્ટેપ બાય સ્ટેપ આપણને ઉપર લઈ જાય છે. એટલે જેની જે જ્ઞાન કક્ષા હોય તે કક્ષાનું જ્ઞાન તેને આપે, ત્યાંથી એને મજબૂત બનાવીને વળી આગળ લઈ જાય. એમ એમ કરતાં કરતાં કરતાં છેવટે કહેશે કે તું જ બ્રહ્મ છું.

તો સાધનાના ફળ સ્વરૂપ દેવતુલ્ય જીવનની પ્રાપ્તિ થાય છે અને ત્યાંથી શરૂ કરીને છેલ્લે બ્રહ્મ નિર્વાણ સુધીની ઉપલબ્ધિનું માર્ગદર્શન આ એક જ અમૃતનાદોપનિષદમાં આપવામાં આવેલું છે.

ઉપનિષદની શરૂઆત શાંતિ પાઠથી થાય છે. આપણે પણ શાંતિ માટે પ્રાર્થના કરીએ: "ૐ સહનાવવતુ સહન ભુનક્તુ સહવીર્યમ કરવાવહય તેજસ્વીના વધિતમસ્તુ મા વિદ્વિષાવહે ૐમ શાંતિહી શાંતિ." સ્વર્ગ, આ મૃત્યુ અને પગથી નીચેનો આ બધો પાતાળ પ્રદેશ – ત્રણેય પ્રદેશોમાં, ત્રણેય લોકોમાં સંપૂર્ણ શાંતિનો સામ્રાજ્ય સ્થપાવ. હે પરમાત્મા, આપ આપણા બંનેની, જો પરમાત્માની અને પોતાની, ગુરુ અને શિષ્ય એકસાથે રક્ષા કરો. આપણા બંનેનું એકસાથે પાલન કરો. આપણે બંને એકસાથે શક્તિ અર્જિત કરી સામર્થ્યવાન બનીએ. આપણા બંનેની ભણેલી વિદ્યા પ્રખર તેજસ્વી બનો. આપણે બંને એકબીજા પ્રત્યે ક્યારેય પણ ઈર્ષા, દ્વેષ ન કરીએ. હે શક્તિ સંપન્ન, અમારા ત્રિવિધ આદિભૌતિક, આદિદૈવિક અને આધ્યાત્મિક તાપોનું સમન થાવ, સમન થાવ, સમન થાવ. અક્ષય શાંતિની પ્રાપ્તિ સૌને થાવ.

પરમ જ્ઞાનવાન મનુષ્યનું એ કર્તવ્ય છે. જ્ઞાનવાન જે જ્ઞાન પ્રાપ્ત કરતો હશે તેને જ્ઞાનવાન કહેવાય. એના પ્રોસેસમાં પડી ચૂકેલો છે જ્ઞાન સંપાદન કરવા. તો એનું કર્તવ્ય છે શું? તો કે શાસ્ત્ર આદિનું અધ્યયન કરી વારંવાર તેનો અભ્યાસ કરતા. એક વખત વાંચી નાખ્યું એટલે પૂરું થઈ ગયું એવું હોતું. એ સામાન્ય પુસ્તકો જે આપણે હોય, સામાન્ય બીજા બધા વિષયો જે હોય છે તે બધાને પણ આપણે વારેવારે રેફર કરતા હોઈએ છીએ, જેમ જરૂર પડે તેમ તેમ પણ આપણે કરતા હોય છે. તો આનું તો શું છે? તો કે તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કરવું છે. જ્યાં સુધી આત્મસાત થાય નહીં ત્યાં સુધી એ જ્ઞાન કહેવાતું નથી. તો અભ્યાસ કરતાં કરતાં કેવી રીતે? તો કે વારંવાર અભ્યાસ કરતાં કરતાં બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ કરે. વિદ્યુતના પ્રકાશ સમાન, જો બ્રહ્મવિદ્યામાં શું થાય? તો કે વિદ્યુતના પ્રકાશ સમાન આ ક્ષણભંગુર જીવનને નષ્ટ ના કરે.

શેનાથી? તો કે આળસ અને પ્રમાદમાં. પ્રમાદ ના થવો જોઈએ. પ્રમોદ હોય, ક્ષણભર હોય છે, સાંસારિક છે અને દરેક પ્રમોદની પાછળ પાછો એ પૂરું થઈ જાય એટલે ભય ઊભેલો છે. તો તેવી રીતે જીવનને નષ્ટ કરવું જોઈએ નહીં.

ઓમકાર રૂપી રથમાં આરૂઢ થઈને ભગવાન વિષ્ણુને પોતાના સારથી બનાવીને. ભગવાન વિષ્ણુ એટલે વ્યાપક છે. તો જે વ્યાપકતા છે તેને સારથી બનાવવાનું વાત કરે છે. તો તમારી ગતિ ક્યાં થઈ ગઈ? તો કે વ્યાપક થઈ ગઈ. પોતાના સારથી બનાવીને બ્રહ્મલોકના પરમ પદનું, બ્રહ્મલોકનું સર્વોચ્ચ પદ શું છે? તો કે પરમ તત્વ બ્રહ્મ સ્વરૂપ. તેનું જ ચિંતન કરતાં કરતાં જ્ઞાની પુરુષ દેવાધિદેવ ભગવાન રુદ્રની ઉપાસનામાં તલ્લીન રહે. આદેશ આપી દીધો. ભગવાન રુદ્ર અંદર બેઠેલા છે, અત્ર તત્ર સર્વત્ર. આપણે બહુ સરસ મજાનું એક ઉપનિષદ એ માટે પણ કરેલું.

સૌથી પહેલામાં પહેલું ઉપનિષદ આપણે કરેલું છે, હા, અથર્વશીર્ષ ઉપનિષદ, યાદ છે? તો ક્યારેક ક્યારેક એનો પણ આપણે ઉપયોગ કરવાનો. પણ સાથે અહીંયા એ કહે છે કે આવી રીતના એ ભગવાન રુદ્રની ઉપાસનામાં તલ્લીન થઈ જાય. તો પ્રાણ અગર લૌકિક સુખ-દુઃખોના ઉપભોગ ઉપર આરોગ થઈ જાય તો ક્ષીણ બનતો જાય. પ્રાણ જે છે એ સાંસારિક બાબતોમાં જો વપરાશે તો શું થશે? વપરાઈ જશે અને ક્ષીણ થશે. જ્યારે રેડિયો તરંગો પર ધ્વનિને આરોપિત કરવામાં આવે (સુપર ઇમ્પોઝ) ત્યારે રેડિયો તરંગો કેરિયર બની જાય, રથરૂપ. કેરિયર અને એ ધ્વનિને બ્રહ્માંડમાં બધે પહોંચાડી દે છે. રેડિયો ટેલિસ્કોપ હવે તો આવી ગયા છે, ક્યાંના ક્યાંય બધા પડેલા છે, બધા ઉપગ્રહો, ગ્રહો બધાને ખોળી કાઢે છે. જાય ને પાછું આવે એટલે રેડિયો તરંગોથી આ પ્રમાણે કામ જેમ થાય છે એ પ્રમાણે ઓમકાર પર આરોપિત પ્રાણ પરબ્રહ્મ સુધી પહોંચી જાય છે.

એડ્રેસ એક જ છે, બરાબર? હવે એને મોકલવાની વિધિ જો બરાબર હશે તો અચૂક એ ત્યાં પહોંચી જશે. ઘણી વખત આપણને શંકા થાય કે આપણે પ્રાર્થનાઓ કર્યા કરીએ છીએ પણ એનો સ્વીકાર થાય છે કે નહીં, આપણને ખબર નથી. અહીં તો સ્પષ્ટપણે કહેવામાં આવે છે કે પહોંચી જ જાય જો એ ઓમકાર રૂપી રથ ઉપર સવાર કરવામાં આવે તો.

તો એ પ્રણવ રૂપી રથ દ્વારા ત્યાં સુધી ચાલવું જોઈએ કે જ્યાં સુધી રથનો ચાલવા યોગ્ય માર્ગ પૂર્ણ ન થઈ જાય. જ્યારે એ માર્ગ લક્ષ્ય પૂર્ણ થઈ જાય, તમે પહોંચી જાવ, ત્યાર પછી શું કરવાનું? તો કે એ રથને છોડીને મનુષ્ય જાતે જ પ્રસ્થાન કરી દે છે. એ જ પ્રમાણે તમે પોતે ત્યાં ગંતવ્ય પર પહોંચી જ જતા હોવ છો. આમ ઓમકાર પૂરો થાય છે. બસ, આ તમારું મારું લક્ષ્ય છે. બસ, હંમેશા યાદ રાખવું, ચોથી માત્રા સાયલેન્સ છે. બે ઓમ વચ્ચેનો ગેપ યાદ રાખવાનો છે. તો જ્યારે ધ્વનિ તરંગો રેડિયો તરંગોની સાથે પોતાના લક્ષ્ય સુધી પહોંચી જાય છે, ટ્રાન્ઝિટ કરીને, તો એને છોડીને પછી પોતાના વાસ્તવિક રૂપમાં ફરીથી એ પ્રગટ થાય છે. એ જ પ્રમાણે પ્રાણે ઈચ્છવું જોઈએ કે તે પોતાના ઈષ્ટ લક્ષ્ય સુધી પહોંચી અને પછી કેરિયરને છોડી દઈ, વાહકને પોતાને ઈષ્ટ સાથે જોડી દે.

આવો પરામર્શ અહીં ઋષિ આપણને આપી રહ્યા છે. એટલે ઓમકાર કરવાનું લક્ષ્ય જે છે તે શું છે? પરબ્રહ્મની પ્રાપ્તિ. તો દર વખતે આપણે ઓમકાર પૂરો થાય અને પછી જ્યાં હોય તે જગ્યા પરબ્રહ્મની છે એમ આપણે સમજવું બહુ જરૂરી છે. જરાય દૂર નથી પછી આપણાથી અને તદરૂપ થવામાં પછી એ આપણને અનુકૂળ પડવાનું છે. બહુ સારું, આ આવડી જશે.

તો પ્રણવની અકાર આદિ જે માત્રાઓ છે, તેમાં માત્રાઓમાં જે લિંગભૂત પદ છે, એ બધાયના આશ્રય વાળા સંસારનું ચિંતન કરતાં કરતાં પછી એને ત્યાગી દેવાનું કે "હવે આ સંસાર હું નથી." છેલ્લે "મારો પણ નથી" એમ કીધું ને? એમ કરી અને પછી સ્વરહીન મકાર પછી બબી પૂરો થઈ જાય છે, તે જગ્યાએ ઈશ્વરનું ધ્યાન કરવાથી એ ઈશ્વર કયો? વ્યાપક છે, સર્વવ્યાપી છે, જે તેજસ્વી છે, જે જ્ઞાન સ્વરૂપ છે, વિજ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, તેનું ધ્યાન કરવાનું. તો ધ્યાન ઊભું થશે ખરેખર તો કરવાનું નથી. એ છેલ્લી માત્રા જેવી તમારી મન મકારની પૂરી થઈને આગળ વધ્યા એટલે બસ ત્યાં પ્રગટ. તો સાધનાનો ક્રમ એ સૂક્ષ્મ પદમાં પ્રવેશ થઈ જાય છે. એ પરમ તત્વ અકાર આદિ સ્વરો તથા કકાર આદિ વ્યંજન રૂપી બધા જ પ્રપંચોથી પૂર્ણતયા સંપૂર્ણ પૂર્ણપણે દૂર છે. એટલે આ બધું પૂરું થઈ જશે ત્યાર પછી પહેલું પ્રગટ બ્રહ્મત્વ પ્રગટ થઈ જાય છે.

હવે બીજી રીતે કહે છે કે શબ્દ, સ્પર્શ વગેરે પાંચ જે વિષયો છે, પાંચ સબ્જેક્ટ છે, એને ગ્રહણ કરનારી પાંચ ઇન્દ્રિયો છે. તો પાંચ તત્વો પણ છે, જોયું બધું? તો હવે આ ઇન્દ્રિયો પણ પાંચ તત્વોથી જ બનેલી છે. અત્યંત ચંચળ મન, મન કેવું થાય છે? ચંચળ થાય. એ બધાયને સૂર્યના જેમ જ, સૂર્યની જેમ પોતાના આત્માના કિરણ રૂપે જુઓ. "તમે સ્વયં સૂર્ય છો" એમ તમે જુઓ એમ કહે છે. અને આ એક એક ઇન્દ્રિયો જે છે તે એક એક કિરણનો વહાવનારો જાણે કે મેન સોર્સ હોય એવી રીતના આ પાંચ છે. એવી રીતે તમે જુઓ તો સૂર્ય ક્યાં છે? તમે સ્વયં પોતે છો. પાંચ ઇન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો છે એટલે દસ વાહકો તૈયાર થઈ ગયા તમારા, દસ સોર્સ તૈયાર થઈ ગયા છે. તો તેને એવી રીતે તમે જુઓ એમ કે તમે સમજો, જાણો અને અનુભવવાનું શરૂ કરો. તો આમ બેસીને તમે જુઓ કે "હું જ સ્વયં સૂર્ય છું અને આ બધી ઇન્દ્રિયો જે છે, આંખો, કાન, નાક, મુખ અને સમગ્ર સ્ક્રીન, આ બધેથી આમ કિરણો રલાઈઝ રહ્યા છે, રલાઈ રહ્યા છે.

હું તે રૂપ છું, પ્રકાશ સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું, સ્વયં જ્ઞાન રૂપ જ છું." બસ, આ સ્થિતિ અહીંયા અટકી ગયા. હવે મન પણ બંધ થઈ ગયું છે, કશું જ નથી પણ આ ભાવ છે. બસ, અહીંયા રહો.

ઓમ. આત્માના પ્રકાશથી જ મનની સત્તા છે અને પ્રકાશ સ્વરૂપ આત્માની બાહ્ય સત્તાથી પદ વગેરે વિષય પણ સત્તાવાન થાય છે. આ રીતે આત્મચિંતનને જ પ્રત્યાહાર કહેવામાં આવે છે કે જ્યારે તમે આત્માનું ચિંતન કરતા હશો ત્યારે બધી જ ઇન્દ્રિયો જે છે તે બધી કેવી થઈ ગઈ હશે? આત્મકેન્દ્રી થઈ ગઈ હશે. બધી જ ઇન્દ્રિયો મારફતે તમે આત્માને જ જોતા હશો, જાણતા હશો. જો આખી બધું બદલાઈ ગયું. આંખનું કામ જોવાનું છે પણ હવે આંખ ફક્ત બ્રહ્મને જુએ છે. કાનનું કામ સાંભળવાનું છે પણ કાન ફક્ત બ્રહ્મને જ સાંભળે છે. બસ, આ રીતે જ હોય કે "આ સ્કીનથી હું સ્પર્શ કરું છું તો હું કેવળ બ્રહ્મનો સ્પર્શ કરું છું કે બ્રહ્મ મને સ્પર્શ કરી રહ્યું છે." બંને રીતે. તો આવા પ્રકારની એક પરિસ્થિતિ, એક એક સ્થિતિની અંદર બસ આપણે નિરંતર રહેવું તો ઓટોમેટિક પ્રત્યાહાર થઈ જશે.

પછી તમે ઇન્દ્રિયોને પ્રત્યાહાર કરવા બેસવાની જરૂરત રહેતી અલગ ટાઈમમાં.

કરવાની જરૂર રહેતી નથી. અહીંયા જ પ્રત્યાહાર પૂરો થઈ ગયો તમારો. તો જ્યારે જ્યારે ઇન્દ્રિયો બહારની તરફ જવાનું શરૂ કરે એવું તમને લાગે, તો તરત જ પાછા આમ બેસી જાવ. "સૂર્ય સમાન તેજસ્વી, ચંદ્ર સમાન શીતળ એવો હું અને આ બધા કિરણો આ બસ મારામાંથી બહાર નીકળી રહ્યા છે." જો, બધે ઇન્દ્રિયો મારફત એ જ છે અને બધાનું ગંતવ્ય શું છે? બ્રહ્મ છે. આવું ધ્યાન કર્યા કરવાનું, સતત આ અનુભવ કર્યા કરવાનું એમ અહીંયા કહેવામાં આવે છે.

"પ્રત્યાહાર, ધ્યાન, પ્રાણાયામ, ધારણા, તર્ક અને સમાધિ" — આ છ અંગો યુક્ત સાધનાને યોગ કહેવામાં આવે છે. યોગ એટલે બ્રહ્મ સાથે જોડાવું, તેને યોગ કહેવાય. બરાબર? એટલે કંઈ પણ કરો કે ના કરો, તમારું લક્ષ્ય શું છે? બ્રહ્મ સાથે જોડાવવું. એટલા માટે એને યોગ કહેવામાં આવે છે.

જેવી રીતે પર્વતોમાં ઉત્પન્ન સોનું, જો અહીંયા આપણને એક દાખલો આપવામાં આવે છે. વગેરે શું છે? આ સોનું વગેરે ધાતુઓનો મેલ છે. ખરેખર પૃથ્વી તત્વનો મેલ એટલે સોનું, યુરેનિયમ, ટાઈટેનિયમ. તમે ગમે તેટલી કિંમતી કિંમતી ચીજો ખોળી કાઢો છો, બધી ખાણો ખોદી કાઢો છો ને બધું કરો છો અને તેમાંથી આ કિંમતી છે. પણ માન્યું કોણે કિંમતી છે? તમારા મને માન્યું. એ ગાંડો માણસ હોય, સાવ ગાંડામાં ગાંડો માણસ, તેના પાસે તમે એક કિલો સોનું મૂકો તો એ તો ફગાવી દેશે, કારણ કે એને ખ્યાલ જ નથી કે આ કિંમતી છે. એ તો આ બધાથી પર થઈ ચૂકેલો છે. પણ જે લાલચમાં પડેલો છે, જેને એનો ખબર છે, તો એ કેટલોય અંદર સલામત જગ્યાએ રાખેલું હોય તો પણ એ સોનું મેળવવા માટે કેવી રીતે પ્રયત્ન કરે? કેટલો બધો પ્રયત્ન કરે! ઘણા તો પોતાના જાન જોખમમાં મૂકીને પણ એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતા હોય છે.

પણ યાદ રાખો, ખાણોની અંદર ખાણો ધસી જાય છે, તો એ સોનું મેળવવાનો પ્રયત્ન કરનારા ખાણીયા લોકો પોતાનો જાન ગુમાવે છે. ઘણી વખતે જોયું છે ને? આખું અંદર દબાઈ જાય છે. તો આ જે કંઈ સોનું આપણે જેને કિંમતી કહીએ છીએ, તે કેટલી કિંમતે આવ્યું છે? કેટલાય લોકોએ જાન આપ્યા પછી બહાર આવ્યું છે. વિચાર કરો!

મેલ કેવી રીતે મેલ છે? મેલ એટલે ધાતુઓનો મેલ છે. ધાતુઓનું સંસ્કરણ થતો થતો થતો થતો અલગ અલગ ધાતુઓ બધી બનતી જાય. પૃથ્વી તત્વ જે છે મૂળ, એ પૃથ્વી તત્વનું આ અલગ અલગ વસ્તુઓ બને. અમુક પ્રકારનો એસિડ નાખવાથી અમુક પ્રકારની સ્થિતિ પેદા થાય, એના જેવું છે આ બધું. એટલા માટે એને મેલ કહેવામાં આવ્યો. પૃથ્વી તત્વનો મેલ છે. પણ કોને? જે બ્રહ્મત્વ પામે છે તેના માટે. બાકી તો ઝવેરીઓના બધા છે, પછી બધા સ્ત્રીઓ જે કોઈને સોનાનો જરૂરત છે, શોખ છે, બધું આડંબર દેખાવ કરવાનો છે, પહેરી કરીને બધું, તો એ લોકોના માટે તો એ બહુ કિંમતી વસ્તુ છે. પણ એ માન્યતા છે આટલા બધા લોકોની. પણ છેવટે તો શું છે? માન્યતા જ છે. આવતી કાલે તમે એમ કહો કે ભાઈ આ એલ્યુમિનિયમ કે ટીન છે તે સૌથી કિંમતીમાં કિંમતી ધાતુ છે, આખા વર્લ્ડ વાઈડ એક્સેપ્ટ થઈ જાય, તો શું થાય?

સોના કરતા એનો ભાવ અનેક ઘણો વધી જાય, કારણ કે એલ્યુમિનિયમ તો કેટલી બધી જગ્યાએ ઉપયોગમાં આવે છે. તો એ પ્રમાણે છે. સોનું ફક્ત પહેરવામાં આવે છે. અમુક અમુક હવે આજકાલ ઇલેક્ટ્રોનિક આઈટમોમાં, એમતીમાં બધામાં કંઈક ઉપયોગ થતા હશે. આપણે પણ મૂળભૂત રીતે આ બધું જ જે કંઈ છે તે પૃથ્વી તત્વનો મેલ જ છે એમ સમજવાનું છે.

કેટલું બધું પ્રેશર થાય, કેટલી બધી જાતની ક્રિયા પ્રક્રિયાઓ કુદરતી રીતે થાય ત્યારે સોનું બને. પૃથ્વીના ગર્ભની અંદર એ બધું બફાય, કેટલું બધું જાતની પ્રોસેસ થાય ત્યારે એ થાય છે. એને શું કરીએ છીએ? તો અગ્નિમાં આપણે તપાવીએ છીએ. એમાંથી પછી શુદ્ધિકરણની પ્રક્રિયાઓ કરવા માટે જે તે ધાતુ, ઇવન સોનું પણ, તો આપણે જેમ અગ્નિમાં આપીએ, એવી રીતે એ સમસ્ત ઇન્દ્રિયો દ્વારા કરવામાં આવેલા દોષ પ્રાણોને રોકવાથી અર્થાત પ્રાણાયામની પ્રક્રિયા દ્વારા ભસ્મ થઈ જાય છે. બધા દોષો ભસ્મ થઈ જાય એટલે વળી પાછા તમે નિર્દોષ થઈ જાવ. પણ ગ્રેડેશન વધતું જાય શુદ્ધતાનું. જેમ જેમ એ થાય તેમ રોજ પ્રાણાયામ કરવાથી એ શુદ્ધતા વધતી જાય છે, કારણ કે દોષો તમારા ભસ્મ થાય છે, દૂર થાય છે. એટલા માટે નિયમિત પ્રાણાયામ કરવા જોઈએ. ગમે તેટલી પણ આકળવિકળ સ્થિતિની અંદર રહેલું માણસ હોય, આપણે ત્યાં એમ કહેવામાં આવ્યું છે કે ત્રણ પ્રાણાયામ કરવા.

ત્રણ પ્રાણાયામ જેવા તમે કરો એટલે તમારી મનસ્થિતિ જે શરૂઆત કરી હતી એવી ને એવી ના હોય, બધું બદલાઈ ચૂક્યું હોય, એમાં બહુ ફેરફાર આવી જતો હોય છે.

કારણ શું છે? તો કે પ્રાણશક્તિનો ભોગો તરફ ભટકવું. ભોગો તરફ પ્રાણશક્તિનો વ્યય કરીએ છીએ જ્યારે, ત્યારે શું થાય છે? એ પાપને જન્મ આપે છે. એને કારણે પાપ થાય છે. આપણે પ્રાણશક્તિનો દુર્વ્યય કર્યો, વ્યય કર્યો, ખર્ચો કરી નાખ્યો, ખોટી જગ્યાએ વાપરી કાઢ્યા પૈસા, એના જેવી વાત છે. એના નિયમનથી પાપની સંભાવના ઓછી થવા માંડે છે. તમે પૈસા છે એ પણ પાવર યોગ્ય રીતે વાપરશો તો પાપ થવાની સંભાવનાઓ ત્યાં પણ ઓછી થાય છે. પ્રાણાયામના માધ્યમથી દોષો અર્થાત ઇન્દ્રિયોમાં એકત્રિત વિકારોને તથા ધારણાના માધ્યમથી પાપોને, કુસંસ્કારોને બાળીને ભસ્મ કરી નાખો. ઋષિ અહીંયા જો કેવી સરસ વાત: તમે પ્રાણાયામ કરો અને બધા તમારા કુસંસ્કારો છે તેને બધાને ભસ્મીભૂત કરતા જાવ કે મારાથી આ દોષ થયો તો પેલો દોષ થયો તો પેલો દોષ. આ બધા બધા હું અગ્નિ રૂપી જે આ પ્રાણાયામ ચાલી રહ્યો છે, પ્રાણાયામ કરો એટલે હંમેશા ગરમી પેદા થાય, ઉત્પન્ન થાય.

તો તેનાથી તમે દોષોનું શમન કરો છો. ઇન્દ્રિયના સંસર્ગથી ઉત્પન્ન થયેલા દોષો તથા ધ્યાન દ્વારા અનઈશ્વરીય ગુણોનો નાશ થાય છે. અનઈશ્વરીય ગુણો જે ઈશ્વરીય નથી તેવા બધા જ અનઈશ્વરીય કહેવાય. એવા બધા ગુણોનો નાશ થાય છે. જોયું? સંસારી ગુણો જેને કહેવાય.

ને એવા બધાનો પણ નાશ કરવો પડશે. સંસારમાં એની જરૂર હશે, પણ બ્રહ્મ પ્રાપ્ત કરવામાં એની કોઈ આવશ્યકતા હોતી નથી. એટલે એનો આપણે નાશ કરવાનો. કેવી રીતે? પ્રાણાયામ કરીને. આ પ્રમાણે સંચિત પાપો, સંચિત એટલે એકઠા કરેલા. આ બધું જાણે કે એક જાતનું કેપેસિટર હોય ને, આપણે બોડી માઈન્ડ એ બધું જેમ પાવર ભરભર કર્યા કરતું હોય, એવી રીતે આ બધા સંચિત બધા જે હોય, તો એ સંચિત પાપો અને ઇન્દ્રિયોના કુસંસ્કારોનું સમન કરતાં કરતાં શું કરવાનું? એક બાજુ સમન થાય જો, અને બીજી બાજુ પોતાના ઈષ્ટના મનોહારી રૂપનું ચિંતન કરવું જોઈએ.

"બ્રહ્મનું સ્વરૂપ કેવું છે?" એમ પૂછવાનું. અને પછી આપણે બ્રહ્મના જે જે ગુણો જાણ્યા હોય તેના વિશે વિચારવાનું. બ્રહ્મ કેવું છે? તો કે બ્રહ્મ તો નિરાકાર છે, એનો તો કોઈ આકાર જ નથી. હા, સાચી વાત. પણ બ્રહ્મ સ્વતંત્ર છે, તો બ્રહ્મ જ્યારે ત્યારે ચાહે તે આકાર ધારણ કરી શકે છે. એટલે એ કોઈપણ ક્ષણે, કોઈપણ જગ્યાએ પોતે જે ચાહે તે સ્વરૂપ લઈ શકે છે અને જેટલા ચાહે તેટલા સ્વરૂપો લઈ શકે છે. એ રીતે પણ જોઈએ તો આ જે કંઈ આખી સૃષ્ટિની અંદર આપણને નામ અને રૂપ દેખાય છે, તે પણ બધું શું છે? તો કે સાકાર બ્રહ્મ છે. આપણે એને સાકાર બ્રહ્મ સ્વરૂપે ના જોતા બીજા સ્વરૂપે જોઈએ છીએ. આપણે એને સાથે બીજા પ્રકારનો સંબંધ જોડવાનો, વ્યવહારિક સંબંધ જોડવાનો પ્રયત્ન કરીએ છીએ. બસ, આ ભૂલ છે અને આ પાપ છે એમ કહેવામાં આવે છે.

પાપ એટલે આવું બીજું કશું નથી. ન કરવા યોગ્ય વસ્તુ જે થઈ, એનાથી જે કંઈ ડિસ્ચાર્જ પેદા થાય, જે ચાર્જ થઈ જાય છે તે. એને હવે ડિસ્ચાર્જ થવો જરૂરી છે. કારણ કે એક વખત ચાર્જ થયેલું હોય એટલે રહી જાય. જેમાં ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે, બધાની અંદર એક મેમરી હોય ને? તો જેમ જેમ આપણે રેકોર્ડ કરતા જઈએ તેમ શું થાય છે? ચાર્જિંગ થતું હોય છે. મેમરીનું ચાર્જિંગ ઇલેક્ટ્રોનિકલી થઈ અંદર બધું સ્ટોર થઈ જાય, સચવાઈ જાય. "૧૦ કલાકનો ડેટા છે ભાઈ!" કે બસ જો એની અંદર જડ વસ્તુઓમાં રહી શકે છે, એવી જ રીતે આ બધું જે છે એ શરીર પણ જડ છે. એના એક એક સેલની અંદર અરબો ખરબો ગીગાબાઈટ જેને કહેવાય એવી મેમરી બધી સ્ટોર થઈ શકે એવું છે. એટલે આ દેહ બહુ મોટો કેપેસિટર જેવો છે અને કેપેસિટી ગજબ છે, ગજબ છે. અને કેવી અદભુત વાત કે પાછું એક એક કેપેસિટર બીજા જેવું ના હોય.

ફેક્ટરીમાં બનેલું હોય એ બધું કેવું હોય? તો કે બધું એક સરખું હોય, ૨૫૬ જીબી. જ્યારે અહીંયા ગાળે એવું નહીં, કેપેસિટી તો કે અનંત અનંત છે.

હવે એની અંદર આ બધા જે સંસ્કારો પડ્યા છે, જે એ બધા ડિસ્ચાર્જ જ્યારે થશે એક બાજુએ અને બીજી બાજુ સ્વરૂપ ઉપર જઈશું આપણે આપણું, ત્યારે સ્વરૂપ રૂપનું ચાર્જિંગ શરૂ થશે. એમ એમ કરતાં કરતાં કરતાં આપણે બ્રહ્મ સ્વરૂપની અંદર સ્થિર થઈ શકીશું. એટલે કીધું કે પ્રાણાયામની સાથે ઈષ્ટના મનમોહક, મનને મોહી લેવું. મન મોહિત થઈ જાય એટલે કેવું થઈ જાય? પછી ત્યાંથી જાય નહીં એમ. હવે દાખલા તરીકે તમને આ બહુ સરસ લાગ્યો કેમેરા, તો બીજા ૧૦ કેમેરામાંથી તમે આ એક જ કેમેરા પસંદ કરો છો. કેમ? પ્રેફરન્સ આવ્યો. તમે મોહિત થઈ ચૂક્યા છો શેનાથી? એના વિશેની બધી જે જાણકારી, એના સ્ટ્રક્ચર, એનું ફંક્શન, બધી વસ્તુઓથી. તો એક એક વ્યક્તિઓથી પણ આવી રીતે બધા મોહિત થઈ જતા હોય. તો પાછું મોહિત થાય એટલે શું થાય? અંદર ચાર્જિંગ થવા માંડે છે. ધ્યાન રાખવું બહુ જરૂરી છે.

આમ બહાર ગયા ઇન્દ્રિયોની અને ઇન્દ્રિયોને પોતાનું કામ જો છૂટપથી કરવા દીધું, તો ચાર્જિંગ નક્કી. એટલા માટે કીધું કે ઈષ્ટના મનમોહક રૂપના સ્મરણ. તમને ઈશ્વરનું જે પણ સ્વરૂપ મનમોહક લાગે, બસ ત્યાં પકડી રાખજો મનને, બીજે ક્યાંય ના જવા દેતા. બસ એટલી વાત કરું. કેમ? તો કે ત્યાં જો બંધાઈ ગયું ને, તો એટલો સમય એટલી સ્થિરતા પ્રાપ્ત કરી લેશે. તો એ બીજે જઈને પાછું બીજું નીતનવું જે કંઈ બધું પાપ છે તે પેદા નહીં કરે. તો તમારા જીવનનો એટલો સમય સદવ્યય થયો. પ્રાણશક્તિનો પણ સદવ્યય થયો. એની અંદર પ્રાણશક્તિ તમને મળેલી છે ૧૦૦ વર્ષ માટેની, એનાથી જીવન બનેલું છે. હવે એનો વ્યય કેવી રીતે થઈ રહ્યો છે એ જોવાની વાત છે. તો બ્રહ્મના સ્વરૂપની અંદર ચિંતનની અંદર જો એનો વ્યય થઈ રહ્યો હોય પ્રાણશક્તિનો, તો એ યથાર્થ છે, એ યોગ્ય છે એમ ઋષિ અહીંયા આપણને કહે છે.

આમાં કીધું ને, "તમે પ્રાણાયામથી બધા દોષો નાશ થઈ જાય." એટલે કોઈપણ જાતના પ્રાણાયામ કરે, કંઈ પણ અનુલોમ વિલોમ, કંઈ પણ, કે પછી આપણે કૃષ્ણ ભગવાન જે વિધિ હમણાં યથાર્થ ગીતામાં એ કંઈ પણ પ્રાણ પ્રત્યે આપણું ધ્યાન રહીને પ્રાણમાં જે ચાલે છે એ કંઈ પણ કરે એટલે એવું થાય. હા, એવી રીતે થઈ શકે કે એમાં પણ અપગ્રેડેશન આવે. આ રીતના પ્રાણ દરેકનો પ્રાણનો પાછું એક ફંક્શન આપેલું હોય છે. આપણે જોઈ ને, ૧૦ પ્રાણ રહેલા છે. એટલે અમુક પ્રાણ અમુક જગ્યાએ કામ કરે, અમુક પ્રાણ આવી રીતે કામ કરે. એ પ્રકારનું બધું સાયન્સ ઋષિ મુનિઓએ બધું શોધી કાઢેલું છે. અને એટલા માટે જે પ્રાણને આપણે નિયમન કરવાની જરૂર પડે તેને લગતો જો પ્રાણાયામ આપણે કરીએ તો તેમ થઈ શકે. જેમ કે બોડીમાં દાહકતા ખૂબ વધી ગઈ હોય, એસિડિટી ખૂબ થઈ ગઈ હોય, તમે ઉચ્છવાસને બહાર કાઢ્યા કરશો ત્યારે ત્યારે અમ્લતા આવશે શરીરમાં અને જે એસિડ છે એ બધો બહાર નીકળી જશે.

કેમ? નાકથી બહાર નહીં કાઢવાનું તે વખતે. કેમ? તો કે મોઢાથી કેપેસિટી વધારે છે આપણે. એટલે આપણે ઝડપથી કાઢીએ. અંદર શ્વાસ લઈએ છીએ તે વખતે ઠંડક વ્યાપે છે અને બહાર કાઢીએ છીએ ત્યારે બધી ગરમી બહાર કાઢતા જઈએ તો બોડીનું ટેમ્પરેચર કુલ ડાઉન થાય ધીમે ધીમે ધીમે ધીમે કરે. તો આ બધા પ્રાણાયામના અલગ અલગ ફંક્શનો છે. તો એના આધારે આ બધું ગોઠવવામાં આવેલું.

હવે જ્યાં સહજ પ્રાણની ગતિનું નિરીક્ષણ કરવાની જે પદ્ધતિ કૃષ્ણ પરમાત્માએ આપણને ગીતાજીની અંદર આપી છે, એ કરવાથી શું થાય છે? સહજ સહજ રીતે પુણ્ય અને પાપ બધું જ બળવા માંડે છે. એટલે બંનેમાંથી તમે મુક્ત થવા માંડો છો, કેમ કે પ્રાપ્તિ તમારી સહજની છે, સ્વરૂપની છે, બ્રહ્મ સ્વરૂપની છે, પરમ તત્વની છે. તો પરમ તત્વ સિવાય બાકીનું જે કાંઈ હોય એ બધાનું વિસર્જન, વિઘટન થઈ શકે એ પ્રમાણેની વિધિ ભગવાને આપણને પાંચમા-છઠ્ઠા અધ્યાયની અંદર સમજાવી છે.

અમુક પરિસ્થિતિઓ હોય જીવનમાં કે આપણે કેમ અત્યારે દસ વાગ્યે ક્લાસ ચાલુ કરવો હોય તો પછી છેલ્લી પહેલી દસ-પંદર મિનિટ હોય તો બધું આપણે કેમ આતે કરતા હોઈએ ત્યારે અંદર બધું આમ, શું કહેવાય, પ્રેશર જેવું આપણને ઊભું થાય ને કે ફટાફટ કરવું છે? તો પછી એ સમયે પણ સ્થિરતા રહે. આજે આપણે પ્રાણાયામ કરીએ એ એક સંસ્કાર છે ને કે આ સમયે આમ થવું જ જોઈએ! એટલે આ બધું ઊભું થાય ને અંદર પ્રેશર, એમ કે આ સમયે સવારે દસ વાગ્યે તો ઓફિસમાં આપણે હોવા જ જોઈએ, આ કામ તો અત્યારે થવું જોઈએ. એના કારણે પ્રેશર ક્રિએટ થાય. જેમ જેમ આપણે આ પ્રાણનો કરીએ, એ એક સંસ્કાર છે. એટલે એ બધા સંસ્કારો પછી ભૂસાતા જાય. પછી આપણે કે "આ પણ બ્રહ્મ જ છે" એવું થવા માંડે. છેલ્લે વટે એ પણ ત્યાગ થઈ જાય છે, કારણ કે પ્રાણ જે તમારો સૂક્ષ્મતમ થઈ જશે અને સ્થિર થઈ જશે. પછી એ પ્રાણ જે છે એ સ્થિર જ્યારે થઈ જાય છે ત્યારે બ્રહ્મસ્વરૂપ જ પ્રગટી ગયું હોય છે.

અને આવું થાય છે, અમુક એટલો બધો સમય જતો રહે કે તમે શ્વાસ લીધો છે કે નથી લીધો એ તમને ખ્યાલ જ નહીં આવે. આ કરતાં કરતાં આપણે શરૂઆત કરી તથાસુની અંદર, આજે છ મહિના જેવો સમય થવા આવ્યો છે. તો ઘણા લોકોને આવી સ્થિતિ આવી શકતી હશે, ચોક્કસપણે મને ખાતરી છે. અને કેટલો અદભુત હોય છે એ! કેટલો દિવ્ય હોય છે એટલો સમય! એટલી બધી શીતળતા લાગે! આહાહા! સો ડિગ્રી ટેમ્પરેચરવાળું પેલું એસી ચાલુ કરેલું હોય ને જેમ ઠંડક વરતાય એવું બધું અહીંયા આગળ ઠંડું થયું હોય. આ બધી બોડીમાં પેલા સેલ્સ ને એવું બધું હોય ને એ બધું રિલેક્સ થવા માંડે, એક બધું આમ, આમ શું કહેવાય, પેલું ઠરવા માંડે. આ શાંતિ ઠરી જાય, બોડી જ આખી ઠરવા માંડે, ઠરવા માંડે. આપણને જાણે કેટલા વર્ષો પછી ઊંઘીને જાગ્યા હોય ને એવું બધું અંદર. એટલા માટે જ આપણે મંત્રની શરૂઆતમાં જ કીધું ને: "શાંતિ, શાંતિ, શાંતિ.

સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ લોકમાં શાંતિ થાઓ." આ જ બ્રહ્માંડ છે. આ પહેલા પહેલું તો અહીંથી દરેક સેલ એક બ્રહ્માંડ છે, પછી અંદર ઊંડા ઉતરો ત્યારે.

તો એમ એમ અભ્યાસ કરતા જવાનો અને પછી આ જે કાંઈ છે તે બધું એકની અંદર જ છે. એ જે કાંઈ એક છે તે બ્રહ્મ છે અને તે જ બધું છે. તો આ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે આપણે અને એના માટેનો રસ્તો હવે આપણે વિધિ કરી આપણે આ અને આપણું બધું ટાઢું.

"થઈ ગયું બરાબર, પછી બે-પાંચ દિવસ થાય, બરાબર? તો પાછું બધું આપણે ઊભું થાય એવી પરિસ્થિતિમાં તો એ આપણો એક સંસ્કાર ગયો હોય ને, હજી એના લેયર્સ હોય, એના લેયર્સ હોય. એટલે એક પૂરું થઈ ગયું, હવે પછી નવો આવ્યો છે, પછી એ ઉઘડીને જતો રહેશે."

"એમ, એમ કરતાં કરતાં બધાય ઉખડી જશે. એટલે પછી બધી રાહત થઈ જશે, નિર્મળતા લાગશે, શાંતિ લાગશે. એટલો બધો ઉત્પાત નહીં થાય. છ મહિના પહેલા આવતો તો એટલો ક્રોધ ન આવે, એટલી બધી લાલસાઓ નહીં રહી હોય. એમ, એમ કરતાં કરતાં બધું શુદ્ધ થઈ જાય છે. અને આવો અભ્યાસ સામાન્ય રીતે બાર વર્ષ સુધી કરવાનો હોય છે એમ કહેવામાં આવ્યું છે. છેવટેનું બાર વર્ષે બધું શુદ્ધ, મોટા ભાગે બધું ઘણું થાય છે. બાર વર્ષ સુધી મોટા ભાગે બધું નીકળી જઈ શકે, પણ એક નિષ્ઠાપૂર્વકનો અભ્યાસ હોવો જોઈ. એના માટે લક્ષ્યની પ્રાપ્તિ સુધી નહીં રોકાવું એવો નિશ્ચય હોવો જોઈએ અને એ નિશ્ચય ને અનુવર્તી એવું તમારું વર્તન પણ થઈ ગયેલું હોવું જોઈએ."

"બાકી ખયાલી પુલાવ પકાયા કરતો હોય તો એ માણસને એ વસ્તુ પ્રાપ્ત ન પણ થાય. કારણ કે એ શું છે? હજી વિચારોમાં છે, 'પ્રાપ્ત કરવું છે ભવિષ્યની અંદર ગમે ત્યારે કોઈ એક દિવસ, કોઈ એક દિવસ.' તો ઋષિ કે છે, 'રહેવા દે, તું અત્યારે જ પ્રાપ્ત કર.' હસ્તા વક્રજી કીધું છે ને કે, 'તું અત્યારે જ પ્રાપ્ત કરી લે પહેલા એક વખત અહીં, અત્યારે, રાઈટ હિયર, રાઈટ નાવ. અત્યારે તને પ્રાપ્ત કરી લઈશ એટલે તને ખાતરી થઈ જશે કે આ જ જ્ઞાન છે ને, આ જ સાચું છે ને, આ જ બધું છે.' બસ, પૂરું થઈ ગયું કે તારું પછીનું જીવન તારું એવું ને એવું નહીં રહી શકે, એમાં પરિવર્તન આવી."

"તો જ્ઞાન શું કરે? પરિણામ લાવી આપે છે તમને. 'રિઝલ્ટ ઓરિએન્ટેડ' પણ એપ્લિકેશન હોવી જોઈ. જેમ આપણે વાત થઈ તી કે પ્લે સ્ટોરમાં જઈને આપણે એપ્લિકેશનનો ડાઉનલોડ કર્યા જ કરીએ, કર્યા જ કરીએ, પણ ઉપયોગ જ ના કરીએ તો એનો કોઈ અર્થ રહેતો?"

"તો અત્યારે બધા સત્સંગોમાં જાય, આમ કરે, તેમ કરે. બધા શું કરે છે? પ્લે સ્ટોરમાં જાય છે, બધાય જાય. સો, આજે આશ્રમ, કાલે પેલી બાજુ, આમ બધે ફરે. એપ્લિકેશન ડાઉનલોડ કર, આજ કરે પુષ્કળ. એકેનો ઉપયોગ ના થયો હોય તો એ બધી ત્યાં સ્ટોર થયેલી રહે છે. એ બી પાછી બધી સંસ્કાર રૂપે રહેલી છે. ક્યારે કોઈક સમયે પાછું ફૂટી નીકળે ત્યારે વળી પાછી એ ચાલુ થઈ જાય તો એનું રિઝલ્ટ આવવાનું શરૂ થાય."

"સાંભળતા કેવલ્ય ના થઈ શકે. તદરૂપ એ હોય અને એમણે તમે કીધું તું ને, પહેલા સૌથી શ્રેષ્ઠ શ્રોતા અને સાંભળનાર હતા. સાંભળતા, સાંભળનાર ને સાંભળાવે બંને એટલા તદરૂપ એ જ સમયે કેવલ્ય એટલું પ્રગ. હા, પણ પરીક્ષિત રાજા જેવું આપણે થવું જ હોય બધું, એટલી બધી તન્મયતા, એટલી બધી તદરૂપતા કે બસ આ જે બોલાયેલા શબ્દો છે એ એ શક્તિ સ્વરૂપ બનીને અંદર આવી રહ્યા છે."

"કોઈ એક પુસ્તક વાંચો તો આ પુસ્તકની અંદર લખાયેલો એક એક અક્ષર જે છે, શું છે? અક્ષર છે અને."

એ અક્ષર છે એટલે ક્યારે ક્ષર થવાનો નથી. એવી શક્તિ એ ક્યાં જાય છે? બ્રહ્મની અંદર લીન થઈ રહી છે. એવી રીતે એને આત્મસાત કરતા જવું જોઈએ. એવી રીતે આ પુસ્તક વંચાય. અને પછી આપણે આજે ઉપનિષદ છે, પછી સાંભળ મળતા હોઈએ આપણે ગમે ત્યારે અત્યારે પૂરું થાય તો ત્યારે પણ એ તલ્લીનતા, એ તલ્લીનતાથી એવી રીતે સંપૂર્ણ નિષ્ઠા કે બસ, "હું બ્રહ્મ સ્વરૂપ બની રહ્યો છું," આમ પરિવર્તન થઈ જ રહ્યું છે. બસ, એ તમારે અનુભવવાનું છે.

ખ્યાલ આવવું છે તમને? એક ચિત્ત સંસારની અંદર અનંતો ચિત્ત હોય માણસોને. સમજો, વ્યવહારિક માણસ હોય, કોઈપણ આપણે એમ લઈએ, ગમે તો એના અનંત ચિત્ત હોય. સૌથી પહેલા તો અનંતા અનંત ચિત્ત હોય. ભગવાને એવું કીધું છે કે જે સંસારી માણસ હોય છે, જે ભોગ વિલાસમાં રત રહેવાનું કરતો હોય, એ એની બુદ્ધિ કેવી થાય? તો કે અનંત શાખાઓ વાળી બુદ્ધિ થાય. એ બુદ્ધિઓની અનંત શાખાઓ છે. એમાં પછી પાંદડે પાંદડે એટલે એક એક કર્મ, એક એક પાંદડું છે એમ તમે સમજો. એ પ્રમાણે સંસાર વૃક્ષ વધતું જ જાય, વધતું જ જાય. એનું કઈ અંત આવતો નથી લાગતો. આ પ્રમાણે બધાની સ્થિતિ થઈ ગઈ છે.

હવે ત્યાંથી પાછા આવવાનું છે. તો અનંત શાખાઓમાંથી તમારે અનંત અનંત શાખાઓમાંથી અનંત ચિત્ત થવું પડશે. બધુ ચિત્તની વૃત્તિઓ વિખરાય જ જાય, વિખરાય જ જાય. કોઈ મોલની અંદર જાવ, આ પણ ગમે, પેલું પણ ગમે, પેલું પણ ગમે. આખો મોલ ખરેખર તો અંદર વસાઈને આવી જાવ તમે સૂક્ષ્મ રૂપે. તમે અંદર વસાયો, એને વસુઓ કહેવામાં આવે છે. એટલે આ જ્યાં સુધી અંદર વસુઓ હશે ત્યાં સુધી શાંતિ પ્રાપ્ત થતી નથી. એ ઉત્પાદ મચાવશે એક યા બીજા ટાઈમે. જેમ કે ઘરની અંદર એક બાળક હોય અને એક ઘરની અંદર 14 બાળકો હોય ને, કોકને તો 14 બાળકો હોય. બધા અલગ અલગ સાઈઝના, અલગ અલગ ઉંમરના, અવસ્થાઓના હોય. હવે એ ઘરમાં કેવું હોય વાતાવરણ અને એક બાળક હોય એનું કેવું હોય? એ પ્રમાણે ચિત્તની સ્થિતિઓ બદલાતા બદલાતા એ અનંત ચિત્ત હોય. અનંત અનંત ચિત્ત હોય, થી પછી પાછું એક ચિત્ત થાય.

અને એ એક ચિત્તો થયો શેનાથી થાય? તો કે પ્રાણાયામથી.

એટલો સમય તમે આમ સ્થિર થયા, તમે કોઈ ક્રિયામાં લાગ્યા, એ બધું થયું તો તમે એકચિત્ત થયા. એટલો સમય માટે બી થયા તો મનને એનો સંસ્કાર પડ્યો, શેનો? એકચિત્ત થવાનો. પછી એ તમે અભ્યાસ વારે વારે, વારે વારે કર્યા જ કરો, કર્યા જ કરો, કર્યા જ કરો. અને પછી છેવટે તમે જોશો કે તમારે ચિત્તની બધી જ વૃત્તિઓ નિવૃત્ત થઈ જવાના કારણે શાંતિ ચિત્ત છે એવું રહેતું જ નથી. કારણ કે એ ચિત્તને જ્યારે ચૈતન્ય જ્યારે વૃત્તિ રૂપે બને છે ત્યારે એ ચિત્ત હોય છે. સમજાયું? ચૈતન્ય, એ જ્યારે વૃત્તિ રૂપે બંધાય છે ત્યારે એ ચિત્ત બની જાય છે. અને એ ચિત્ત ત્યાં રખડતું થઈ જાય છે, ત્યાં આગળે લાગી ગયું. હા, એટલે એનો એ સંસ્કાર એને ત્યાં પેદા કરી દીધો ને? હવે ત્યાં એ સ્થિર થઈ ગયું છે.

હવે આ બધામાંથી નિવૃત્ત થવાનો રસ્તો? તો કે, પ્રાણાયામ કરો. પ્રાણાયામ કરશો એટલે તમે પાછા આવશો. તો કેવી રીતે કરવાનું? તો કે, ઈષ્ટના સુંદર રૂપનું ધ્યાન કરતા વાયુને અંતઃકરણમાં સ્થિર રાખવું. અંતઃકરણ આપણી અંદર સ્થિર રાખવાનો વાયુને. એની મુવમેન્ટ ના થવી જોઈએ અથવા તો ચોક્કસ રેગ્યુલેટેડ રસ્તા ઉપર જ એની મુવમેન્ટ થવી જોઈએ. અર્થાત, કુંભક કરવું, સ્થિરતા પ્રાપ્ત કરવું. રેચક એટલે શ્વાસને બહાર કાઢવો અને પૂરક એટલે વાયુને અંદર ખેંચવો. એમ ત્રણ પ્રકારના અંતરબાહ્ય કુંભકના રૂપમાં ત્રણ જાતના પ્રાણાયામ કહેવામાં આવ્યા છે.

પ્રાણશક્તિને વધારનારા સાધક વ્યાહરતીઓ અને પ્રણવ સાથે સંપૂર્ણ ગાયત્રી મહામંત્રનો તેના શીર્ષ ભાગ સાથે ત્રણ વાર માનસ પાઠ કરતાં કરતાં મનમાં પૂરક, કુંભક અને રેચક કરે. આ રીતની પ્રક્રિયાને એક પ્રાણાયામ કહેવામાં આવે છે. તમે શ્વાસ ડાબેથી લો છો, જમણેથી લો છો, આ બધું શરૂઆતના તબક્કે તમારે કરવાની જરૂરત પડે. પણ જે સ્થિરતા પ્રાપ્ત થઈ ચૂકેલા છે ઘણા લાંબા કાળથી, એ લોકો અભ્યાસ કરતા હોય. લોકો કોઈ નાક પકડતા નથી. એ લોકો બેઠા છે, સ્થિરતાપૂર્વક આસન ગ્રહણ કરે, વજરાસન કરે, સિદ્ધાસન કરે, પદ્માસન કરે, બેસે. અને પછી એક ગાયત્રી મંત્ર આખો મનમાં કરી શકો ત્યાં સુધી તમે શ્વાસ લીધા જ કરો, પૂરક કર્યા જ કરો. પછી એક ગાયત્રી મંત્ર જ્યાં સુધીને પૂરો કરો ત્યાં સુધી એને સ્થિરતાપૂર્વક રોકી રાખો, કુંભક કરો. પછી એક રેચક કરતી વખતે એક ગાયત્રી મંત્ર પાઠ પૂરો થાય ત્યાં સુધી રેચક કર્યા જ કરો.

અને હવે પ્રાણ બહાર રાખીને પાછો ફરી તમે કુંભક કરો છો, તો ચાર પ્રકાર થઈ ગયા સીધા. તો તમે સૌથી પહેલા શ્વાસ લીધો, પછી રોકી રાખ્યો, પછી પાછો ફરી બહાર કાઢ્યો અને પછી પાછો બહાર રોકી રાખ્યો. હવે આ સાયકલ ચલાયા કરવાની. આવા મિનિમમ જેને કહેવાય કે બાર તો પ્રાણાયામ કરવા જઈએ દરેક માણસ, એમ કહેવામાં આવ્યું છે.

હવે આ કૂતરો પ્રાણાયામ ના કરે, એ શ્વાસ જ લીધા કરતો હોય. કારણ કે એ ભોગીઓની પણ મનુષ્ય છે, એને સંસ્કારિક બુદ્ધિ પ્રાપ્ત થયેલી છે. એને પ્રાણાયામનું જ્ઞાન એ પ્રાપ્ત કરી શકે છે; પોતે પુસ્તક વાંચીને, બીજા પાસેથી, ગુરુ પાસે, સદગુરુ પાસે, ગમે ત્યાંથી. અને પછી સ્વપ્રયત્ન કરીને પણ ઘણી વખત, અને પછી એનો અભ્યાસ કરવાનો શરૂ કરે ત્યારે એને સ્થિરતા આવવાની શરૂ થાય. વિદ્યા યા જેને સંપાદન કરવી હોય તેવા વિદ્યાર્થી. વિદ્યાર્થીની કોઈ ઉંમર ના હોય. એવું નથી કે 25 વર્ષ સુધી વિદ્યાભ્યાસ કરવાનો. શું અત્યારે પણ વિદ્યાભ્યાસ અમારો ચાલુ હોય? એવી રીતના સતત વિદ્યા સંપાદન કરવાની અંદર આ પ્રાણાયામ બહુ મહત્વનો ફાળો એ શક્તિ અને સ્થિરતા બંને આપે છે આપણને. તેજ આપે છે. આગળ ઉપર એ તેજ પછી ઓજની અંદર પરિવર્તિત થઈ જાય. અને એ ઓજ એટલે બસ પ્રકાશ.

એટલે કેવું? જ્યાં આપણે ઉપનિષદની શરૂઆત કરી.

તીવ્રતાથી તે જગ્યાએ કે "હું સ્વયં સૂર્ય સમાન છું અને આ બધા કિરણો છે, બસ બહાર બધે પ્રસરી રહ્યા છે અને જ્યાં પહોંચી ગયા છે, બસ આ બધું જે કાંઈ છે તે બધું જ બ્રહ્મ સ્વરૂપ જ છે." આવી સ્થિરતા પકડીને આમ બેસવાનું. અંદર આટલું ધ્યાન, આ જ ચિંતન, બસ સતત, અવિરત, અતૂટપણે જ્યારે થઈ જશે, તો એક દિવસ એમ થઈ જશે.

પ્રાણશક્તિને વધારનારા સાધક વ્યાહૃતિઓ તથા પ્રણવ સાથે સંપૂર્ણ ગાયત્રી મહામંત્રનો તેના શીર્ષભાગ સાથે ત્રણ વાર માનસ પાઠ કરતા જો ત્રણ વખત ગાયત્રી મંત્ર પૂરો થાય ત્યાં સુધીને તો એ પૂરક કર્યા કરે ધીમે ધીમે ધીમે. એટલે 24 તરી 72, 72 અક્ષર બોલાય એટલો જે સમયગાળો છે ત્યાં સુધીને પ્રાણ લીધા જ કરતો હોય છે. પણ 72 બોલાય એટલે આખા બ્રહ્માંડનો બધો પ્રાણ જાણે કે આમ એવા લઈ લેતો હોય એવી રીતના થઈ જાય. પછી એને રોકી રાખ્યો હોય, ફરી બીજા ત્રણ ગાયત્રી મંત્રનો પૂરા થાય એટલા સમય સુધી રોકી રાખ્યો હોય અને પછી પાછા ત્રણ ગાયત્રી પૂરા થાય ત્યાં સુધી બહાર કાઢ્યા જ કરે. પણ આવું પહેલા દિવસે ના થાય, છ મહિના પછી થાય, ધીરે ધીરે ધીરે. પહેલા એકથી શરૂઆત કરો. ગાયત્રી મંત્રનો એક ભાગ લો. એમાં પણ છે, એક ભાગ લો, પૂરક કરો. બીજો ભાગ લો તો કુંભક કરો, પછી રેચક કરો અને છેવટે પાછો ફરી બાહ્ય કુંભક કરો.

તો એને 24 અક્ષરોને ચાર ભાગમાં વેચી દેવાના અને પછી આપણે કરવાનું. એટલે છ સેકન્ડનો એક પ્રાણાયામ થયો કે રેચક શરૂઆતમાં બરાબર કુંભક કરો, પછી પૂરક કરો, એવી રીતના કરવાનું અને તે પણ હાથ લગાવ્યા વગર આગળના તબક્કે. હવે તમે આ બધું શરૂ કરી શકો છો જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે. તો એને આ પ્રાણાયામ કહેવામાં આવે છે. પ્રાણનો આયામ, પ્રાણનો વિસ્તાર થાય. ધીરે ધીરે ધીરે ધીરે કરતાં તમે આટલો આજે લો છો એવું નહીં, પછી તો તમે એટલો બધો પ્રાણ લેતા હશો કે આમ એક ભાગમાંથી તમે બધો પ્રાણ જાણે કે આમ ખેંચી લેતા હોય તેવી રીતના પુષ્કળ પ્રાણ તમારી અંદર આવે. તો એને પ્રાણાયામ કીધું.

તો નાક દ્વારા પ્રાણવાયુને આકાશમાં કાઢી, હૃદયને વાયુ રહિત, તેમાં ચિંતનથી ખાલી થતા શૂન્ય ભાવમાં પ્રાણ જ્યારે બહાર કાઢી નાખશો ત્યારે ભાઈ, એક જાતની શૂન્યતા વ્યાપી જશે અંદર. મનને સ્થિર કરવાની પ્રક્રિયા એ રેચક છે. આ રેચક પ્રાણાયામનું લક્ષણ છે. પછી જે રીતે પુરુષ મુખના માધ્યમથી એટલે કે મોં દ્વારા કમળ નાળ દ્વારા જળને ધીમે ધીમે ગ્રહણ કરે, સ્ટ્રો લીધી હોય ને આપણે આમ પીએ અથવા પીનારા સિગરેટ ફૂંકે છે આમ કરીને આમ એ લેતા હોય એવી રીતે ધીમે ધીમે ગ્રહણ કરે છે. એ જ રીતે ધીમી ગતિથી પ્રાણવાયુને પોતાના અંતઃકરણમાં ધારણ કરવો જોઈએ. આ જ પ્રાણાયામ અંતર્ગત પૂરકનું લક્ષણ છે. અગાઉ આપણને કીધું કે એક ગાયત્રી મંત્ર પૂરો થાય ત્યાં સુધી તમે પ્રાણ લઈ શકો, એક પછી બે ગાયત્રી સુધી લઈ શકો, પછી ત્રણ ગાયત્રી લો, પૂરા થાય ત્યાં સુધી તમે પ્રાણ લીધા જ કરતા હો.

72 સેકન્ડ સુધી લગભગ ખેંચે જ રાખે ધીરે ધીરે. પણ આ વસ્તુ થાય છે. એટલે તમે હંમેશા છ સેકન્ડનો પૂરક, છ સેકન્ડનો કુંભક, છ સેકન્ડનો રેચક અને છ સેકન્ડનો બાહ્ય કુંભક એવી તમે શરૂઆત કરી શકો.

પણ જે લોકો કૃષ્ણ પરમાત્માએ બતાવેલી વિધિનો અભ્યાસ કરવાનો શરૂ કરી દીધા છે, તે બધાના માટે આ જરૂરી નથી. તમે થોડા દિવસ ચાખો તો કરી શકો છો. ના જ કરવો એવું નથી કહેતો, પણ એક પદ્ધતિ પાછી બીજી પદ્ધતિ. તો તમે પાછી એક એપ્લિકેશન છોડીને બીજી એપ્લિકેશન કરો છો. તમે એક એપ્લિકેશન કરશો તો તમને એનું રિઝલ્ટ મળશે. વારેવારે એપ્લિકેશનો ચેન્જ કરવાથી આપણને કશું જ પ્રાપ્ત થતું નથી અને ઉપરથી સમયનો અને પ્રાણનો વ્યય થાય છે. જીવન તમારું સમાપ્ત થઈ રહ્યું છે બહુ ઝડપથી. એટલે પહેલા નક્કી કરો, "મારે આ કરવું છે." કર્યા પછી બસ એ એક જ એપ્લિકેશન. અને ભગવાને પ્રોમિસ આપેલું છે, "તમે કે આ કરશો એટલે તમે બસ પ્રગટ થઈ જ જશે બ્રહ્મ." તો પછી શા માટે આ બધા જટિલ પ્રાણાયામની પ્રક્રિયાઓમાં? પણ આ ઋષિ મુનિઓએ તો વાસ્તવમાં આ વસ્તુ આપણા માટે શોધી કાઢી છે અનેક લોકોએ, બધાએ પ્રયોગો કરીને કે આમ કરવાથી પણ થાય છે, આમ કરવાથી પણ થાય છે.

તમે એક જ પદ્ધતિ પકડો અને પછી તેમાં લાગી જાવ.

તો જે રીતે શ્વાસને ના તો અંતઃકરણમાં ખેંચવામાં આવે, ના તો બહાર કાઢવામાં આવે, એક એવી સ્થિતિ આવી જશે આગળ ઉપર કે જ્યારે પૂરક બી કરવાની જરૂર ના લાગે, ક્યારેક તમને રેચક કરવાની પણ જરૂરત ના લાગે, સહજ કુંભક થઈ ગયો હોય અંતર કે બહાર ગમે તે સ્થિતિ. ત્યારે શરીરમાં કોઈપણ જાતની જો હલચલ કરવામાં ના આવે, આ રીતે પ્રાણવાયુને રોકવાની પ્રક્રિયાને કુંભક કહેવામાં આવે. સહજ હોય, બિલકુલ સ્વાભાવિકતા. ચહેરા પર બી કોઈ શિકન નહીં, કશું નહીં. આનંદથી, આરામથી બસ. અને એવી રીતના રોકી રાખેલો શ્વાસ હોય તેને કુંભક કહેવાય. કુંભ એટલે ઘડો. આ આટલો ભાગ કુંભ જેવું બની ગયું હોય, રોકી રાખેલો છે પ્રાણ. તો ત્યાં આગળે એને કુંભક કીધું. એટલે એને પ્રાણાયામનું ત્રીજું લક્ષણ કહેવામાં આવ્યું છે.

હવે આગળ જો બહુ સરસ વાત કહે છે કે જે રીતે આંધળાને કંઈ જ દ્રષ્ટિગોચર થતું નથી, દેખાતું નથી, એવી રીતે સાધકે શું કરવું જોઈએ? તો કે નામ રૂપ બીજું કંઈ પણ ના જુએ. જુઓ દાખલો કેટલો અદભુત છે. જેમ અંધ વ્યક્તિ નામરૂપ જોતો નથી, કશું જોતો નથી, એટલે એવી રીતે શબ્દને બહેરાની જેમ સાંભળે અને શરીરને લાકડા સમાન ગણે. એ પ્રશાંતના લક્ષણ. સંસારને જોવાનો જ નથી કહે છે, સાંભળવાનો પણ નથી, કશું જ નહીં એમ બસ. અને જડ લાકડા જેવું શરીર બનાવીને રાખવાનું. શરીર બી એવું થઈ ગયું, મન બી એવું થઈ ગયું અને બસ બિલકુલ શાંત. તો એ પ્રશાંતના લક્ષણ. પણ આ કોના માટે છે? જેને બ્રહ્મ પ્રાપ્તિ કરવી છે તેના માટે. આંખ, કાન વગેરે પ્રાણના સંયોગથી જુએ છે અને સાંભળે છે જ્યારે.

પ્રાણ પ્રણવ તરફ જોડાઈ જાય છે, તો ઇન્દ્રિયો સાથે પ્રકાશપૂર્ણ ધ્વનિ તરંગો માત્ર ટકરાય છે. એને બોધ કરનારો પાછળ ન હોવાથી, ત્યાં ન હોવાથી આંધળા-બહેરા જેવી સ્થિતિ સર્જાય છે. છેવટે આ કરવાનું છે તો કે પાંચે પાંચ ઇન્દ્રિયોને મૂક-બધિર બનાવી દેવાની છે. એવી રીતના કે જીભ પર કોઈ ટેસ્ટ ના આવે, કાનથી કંઈ સંભળાતું નથી, નાકથી કોઈ સ્મેલ આવતી નથી, આંખથી કંઈ જોતો નથી અને કોઈપણ પ્રકારનો સ્પર્શ – ઠંડીનો, ગરમીનો, ખરબચડાનો, સુવાળાપણાનો, કશાનો – એ અનુભવ કરવાનો બંધ કરી દે છે. મતલબ, ઇન્દ્રિયો જે પ્રાણનો દુર્વ્યય કરી રહી છે સાંસારિક બાબતોની અંદર, તેને બંધ કરવાનું છે. આટલું જ લક્ષ્ય એની અંદર આપ્યું છે.

બુદ્ધિમાન મનુષ્ય, બુદ્ધિમાન કોણ છે? જેનામાં બ્રહ્મ પ્રાપ્ત કરવો છે એવી બુદ્ધિ થઈ છે, એક જ બુદ્ધિમાન છે. બાકી બધા મનને સંકલ્પના રૂપમાં જાણીને, સમજીને, મન જે છે તે કેવું છે તો કે સંકલ્પ અને વિકલ્પ થયા કરે છે, એ મન છે એમ એને જાણવાનું છે. પહેલા તો ખબર જ ના પડે કે મારું મન, મારું મન બધા બોલ્યા કરતા હોય બધું, પણ મન ક્યાં છે તારું? એમ આપણે પૂછીએ તો ઝટ દઈને કોઈ કહી શકતું નથી. તો અહીં ઋષિ કહે છે કે, "ભાઈ, જ્યાં તને સંકલ્પો અને વિકલ્પો થઈ રહ્યા છે બધા, એ તારું મન છે, એ જગ્યા છે." હવે એને તું આમ પીન-પોઇન્ટ કોઈ જગ્યા નહીં કરી શકું, પણ તે જગ્યા જેમ આપણે પહેલા કહીએ ને કે "પ્લેસલેસ પ્લેસ", જગ્યા વગરની જગ્યા છે આ તો. તો ત્યાં આગળ મનમાં સંકલ્પો થાય છે. એક વિચાર આવે, એક વૃત્તિ થઈ એટલે એક વસુ પેદા થઈ ગયો. બીજો વિચાર આવ્યો, બીજી વૃત્તિ બની ગઈ અને બીજો વસુ પેદા થઈ ગયો.

આવા કેટલાય વસુઓ પેદા થઈ ગયા, બધા અંદર વસ્યા જ કરે છે. આખી કોલોની બની ગઈ છે. કીડીઓના રાફડામાં જેમ જોઈએ, એ કેવું લાગે એવું થઈને માણસ ફરતો દેખાય છે.

સારો ક્લેર પોઈન્ટ આ જોઈ શકે છે. પેલો, શું કહેવાય, સાંસારી એના વાળો માણસ પેલા બ્યુટી પાર્લરમાં જાય. મેલ-ફીમેલ બ્યુટી સલૂનો આજકાલ હોય છે. બધું કરાવીને બહાર નીકળ્યો હોય, મનમાં એમ માને કે "હું બહુ રૂપાળો લાગું છું". પણ જો ક્લેર હોય, ત્યાં આગળ જોવે, તો એને એમ થાય કે આટલી કર્મની વર્ગણાઓ લઈને આ જીવ ભટકી રહ્યો છે. આનો ક્યારે ઠેકાણું પડશે કે ક્યારેય ના પડે? કારણ કે એના વિશે તો જ્ઞાની પુરુષ પણ કહી શકતો નથી કે આ ક્યારે મોક્ષે જશે. જ્યાં સુધી આત્મા વિશેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું નથી, "આત્મા છું" એવો નિશ્ચય થયો નથી, ત્યાં સુધી તો એણે અધ્યાત્મમાં કોઈ શરૂઆત જ કરી નથી. એટલે નક્કી જ નથી. એટલે એ અનંત જન્મો કરવાનું, કારણ કે અનંત ચિત્ત છે હજી તો. અનંત ચિત્તમાંથી પાછું એક ચિત્ત જે દિવસે થશે, ત્યારે એના જન્મો કપાવાની કે ગણવાની શરૂઆત થશે.

ત્યાં સુધી ના થાય શરૂઆત. નિશ્ચય નિશ્ચયથી થશે અને એ નિશ્ચય એક જ છે કે "હું આત્મા જ છું અને બીજું કંઈ નથી". આ એકમાત્ર નિશ્ચય, ખાતરીપૂર્વકનું જ્ઞાન જેને કહેવાય, એ જ્યારે એને થાય ત્યાર પછી જ એને કહી શકાય કે, "ભાઈ, હવે એના કેટલા જન્મ બાકી રહ્યા? ૧૨ રહ્યા? ૧૫ રહ્યા? કેટલા રહ્યા?" એમ કહી શકે પછી જ્ઞાની પુરુષ કહી શકે. તેમાંય પાછું ઉપર-નીચે થયા કરતો હોય, પણ વહેલો-મોડો ૧૫ જન્મે એનો મેળ પડી જાય પછી.

એટલે આ રીતની ક્રિયા જે કહે છે, કેવી? તો કે આત્મામાં બુદ્ધિનો લય કરીને, બુદ્ધિને ક્યાંય વાપરતો નથી, કશું જ કરતો નથી. તો આત્મારૂપી સદબુદ્ધિને પણ પરમાત્મા સત્તાના ધ્યાનમાં એ સ્થિર કરી દે. આ રીતની ક્રિયાને જ ધારણાની સ્થિતિના રૂપમાં જાણવામાં આવે છે. શાસ્ત્રની અનુકૂળ પદ્ધતિ પ્રમાણે "ઉહા" – એ મતલબ વિચાર કરવો, તર્ક કહેવામાં આવે છે. એવા તર્કને મેળવીને, કોના પાસેથી મળે? સંત પાસેથી મળે, સદગુરુ પાસેથી મળે, સત્સંગમાં જ્યારે જાઓ ત્યાં તમે પ્રાપ્ત કરી શકો. તો ત્યાંથી તમને એનો તર્ક મળશે. બીજા બધા મળનારા અન્ય પદાર્થોને તુચ્છ ગણવામાં આવે અને તર્કને શ્રેષ્ઠ ગણવામાં આવે. પાછો આવી જાતની સ્થિતિને સમાધિની અવસ્થા કહેવામાં આવે કે "હું સ્વયં પ્રકાશ સૂર્ય છું, આત્મારૂપ જ છું". આ બેઠો, આ એક પકડ્યું હોય એને, તેને સમાધિની સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ એમ કહેવાય.

પછી એને રહેવાનું છે. ક્ષણ સમાધિ હોય, અનંત કાળની પણ સમાધિ હોય. તમે નક્કી કરો કે એટલો ટાઈમ રહેવું છે સમાધિમાં, એટલો ટાઈમ તમે સમાધિમાં રહી શકો છો. આજીવન રહેવું જોઈએ, તમે આજીવન સમાધિમાં રહો. બધું તમે જ નક્કી કરો છો, ભાઈ, આ સંસારની અંદર કોઈ બીજું છે જ નહીં. ભૌતિક પદાર્થની પસંદગી એટલે કે "વરેણ્યમ્" કરવા યોગ્ય નથી. ઈષ્ટ જ વરેણ્ય છે. આ તર્ક અંતઃકરણના બેસતા જ પ્રાણોને ઈષ્ટમાં મેળવી દે છે. પ્રાણોને ઈષ્ટમાં મેળવી દે છે. ઓહ, ઈષ્ટની પ્રાપ્તિ થઈ ગઈ, પ્રાણોને એટલે કામ પૂરું થઈ ગયું.

ભૂમિને આખી પદ્ધતિ હવે કેવી રીતે કરવાની છે, તેની પાછી વિધિ આપી. ભૂમિને સ્વચ્છ, સમતળ કરીને, રમણીય તથા અશુદ્ધ વિષય અને ક્રીડા વગેરે બધા જ પ્રકારના દોષોથી રહિત ક્ષેત્રની અંદર માનસિક રક્ષણ એટલે દિગ્બંધ કરવાનું. કરતાં કરતાં રથ મંડળ એટલે કે ઓમકારનો જપ કરે. આખો જાણે ઓમ છે, એ મોટો રથ હશે. તેની અંદર મન-ચિત્ત તમારો બેસાડી દેવાનો અને પછી ઓમ કરો એટલે એનો જપ કરવાનો. તેમ કરતાં કરતાં પછી આગળ વધવાનું. આસનમાં પદ્માસન, સ્વસ્તિકાસન, ભદ્રાસનમાંથી કોઈ એક યોગાસનમાં બેસવાનું. ઉત્તરાભિમુખ થવાનું. ઉત્તર દિશા (નોર્થ) જોયા કરવાની. લો, ચુંબક શું બતાવે? નોર્થ-સાઉથ. ઓલવેઝ નોર્થ. તમે કરો છો તમારા મોબાઈલની અંદર પેલું જીપીએસમાં ઓલવેઝ નોર્થ બતાવવું જોઈએ. ઓલવેઝ નોર્થ એટલે ઓલવેઝ બ્રહ્મ. એને ઓલવેઝ નો અર્થ કહેવાનું. કોઈપણ જગ્યાએ તો કે "બ્રહ્મ જ દેખાડે બસ મને" એવા પ્રકારનું થાય તેને ઉત્તરાભિમુખ કરેલું કહેવાય.

બાકી તો આમ તમે ઘણા લોકો આમ બેસી જતા હોય છે ઉત્તર દિશાની.

અંદર મોઢું કરીને એ વ્યવહારિક પદ્ધતિ છે, એ ખોટું છે એવું નથી કહેતો, પણ મૂળ અભિપ્રેત જે છે તેની અંદર આ છે. ત્યારબાદ નાસિકાના એક છિદ્રને, જો હવે છેક પહેલેથી એણે શરૂઆત કરી. એક જમણા છિદ્રને એક આંગળીથી બંધ કરી, બીજા ખુલ્લા છિદ્ર એટલે ડાબાથી વાયુને ખેંચો. પછી બંને બંધ કરો અને નાસિકાઓને બંધ કરીને પ્રાણવાયુને ધારણ કરો.

ધારણ કરવાનો મતલબ શું છે? કે જાણે કે તમે વસ્ત્ર ધારણ કરી રહ્યા છો, તેમ તમે પ્રાણને તમે ધારણ કરી રહ્યા છો તમારી અંદર. એવો અનુભવ કરો કે એક ઘૂંટ પાણી જ્યારે તમે પીવો છો, ત્યારે જેમ આમ અંદર બધે આખા બોડીમાં પ્રસરતું હોય છે, એક પ્રકારની એક અનુભૂતિ તમને થાતી હોય છે, એ પ્રમાણે આ જે પ્રાણ છે તે તમારા આખા બોડીની અંદર વ્યાપી રહ્યો છે, સમગ્ર શરીરની અંદર વ્યાપી રહ્યો છે, એવો અનુભવ કરવો તેને કુંભક કહેવામાં આવે છે.

એ સમયે તેજ સ્વરૂપ શબ્દ, જો તેજ સ્વરૂપ શબ્દ કયો છે? "ઓમકાર" છે. દરેક અક્ષરની પાછળ ઓમકાર રહેલો છે. તમે કંઈ પણ બોલશો, વાસ્તવની અંદર બોલાય છે "ઓમ". આ પરાવાણી અને પરાનાદ જે કહેવામાં આવે છે, તે આ કારણસર કહેવામાં આવે છે પરા. કે તમે કંઈક કરો છો, વાસ્તવની અંદર "ASDFGF" લખો છો, પણ ખરેખર પેલું કોડિંગ થાય છે એનું અને મશીન લેંગ્વેજની અંદર રાખ્યું, જેમ વાત ચાલી જાય છે, તે પ્રમાણે ત્યાં આગળ ઓમકાર થઈ રહ્યો છે. તમે ગમે તે કરો છો, પણ છેવટે ઓમકાર થઈ રહ્યો છે. એ પરાવાણી છે, એ પરાનાદ છે અને એ પરાવાણીને પરાનાદ જ પહોંચાડી દે છે ક્યાં? બ્રહ્મ સ્વરૂપની. વેલા મોડા તો જવું જ પડશે ભાઈ, શરૂઆત કરદોને! એટલે ઓમકારનું ચિંતન કરો.

"આ શબ્દરૂપ એકાક્ષર પ્રણવ ઓમ જ બ્રહ્મ છે." આ ધારણા આપી ઋષિએ તમને કે આને બ્રહ્મ સ્વરૂપ પહેલા તો પકડો અને પછી બસ એનું તમે ચાલુ કરી દો. છેવટે એ જ તમને ત્યાં ડિલિવર કરી દેશે અને તમને ખબર જ પડી જશે કે બસ, પતી ગયો, હું બ્રહ્મ સ્વરૂપ થઈ ગયો. ત્યાં સુધી આચાર કર્યા જ કરજો. "નેવર સ્ટોપ ધીસ" એમ કહે છે ઋષિ, અવિરતપણે.

ત્યાર પછી આ એકાક્ષર બ્રહ્મ ઓમકારનું ધ્યાન કરતાં કરતાં રેચક ક્રિયા કરો, અર્થાત વાયુને ધીમે ધીમે બહાર કાઢો. આ રીતે કેટલી વાર, કેટલીએ વાર એમ, કેટલી વખત એમ નથી કીધું. ઓમકાર રૂપી દિવ્ય મંત્રથી પ્રાણાયામની ક્રિયા દ્વારા પોતાના ચિત્તને પ્રમાદ આદિ વિકારોને દૂર કરી નાખવા જોઈએ, કાઢી નાખવા જોઈએ. આ રીતે પ્રાણાયામ દ્વારા બધા જ દોષોનું શમન કરતાં કરતાં પૂર્વ નિર્દિષ્ટ ક્રમ, પહેલા બતાવ્યું ને, "ઓમ" ત્યાં પ્રાણાયામ કરો. આ રીતનો પ્રણવ ગર્ભ પ્રાણાયામ એટલે પ્રણવ સાથેનો, સહિતનો પ્રાણાયામ.

નાભીના ઊર્ધ્વ ભાગ અર્થાત હૃદયમાં વિરાટ આદિનું ધ્યાન કરતાં કરતાં સ્થૂલથી સ્થૂલાતિસ્થૂલ માત્રામાં કરો. એટલે પ્રાણાયામની 80 આવૃત્તિ કરવી એને સ્થૂલ માત્રા. એક શ્વાસમાં 80 પ્રણવ મંત્રનો જપ એ અતિસ્થૂલ માત્રા કહેવાય છે. સમજાય? પ્રાણાયામ 80 વખત તમે આવું કરો, રેચક, પૂરક, કુંભક, અંતરબાહ્ય બંને, એવું 80 આવૃત્તિ કરવાની, તો એને સ્થૂળ કીધો. એ કરતાં કરતાં આગળ ઉપર એક શ્વાસમાં 80 પ્રણવ મંત્રનો જાપ થવો એ અતિસ્થૂળ માત્રા કહેવામાં આવે છે.

આ કરતી વખતે દ્રષ્ટિને ઉપર અથવા નીચેની તરફ ત્રાસી ગુમાવીને કેન્દ્રિત કરતાં કરતાં બુદ્ધિમાન સાધક સ્થિરતાપૂર્વક નિષ્કંપ ભાવથી સ્થિર થઈને બેસીને યોગનો અભ્યાસ કરે. કાં તો તમે ઉપર જુઓ, કાં તો તમે નીચે જુઓ. નીચે મતલબ અહીંયા આગળ જોવાનું છે. ગીતાજીમાં પણ આ જ વાત બતાવેલી છે. એટલે એને જોવાનું અથવા તો ગુમાવીને તમારે નીચે લાવવાનું. ઓમ કરવાનો છે અહીંયા. અહીંયા ઓમ બોલતા, ઓમ આખો આમ ઓમ થઈ જાય તૈયાર આમ, એવી રીતના પ્રાણાયામ કરવાનું. કેવી રીતે? કે નિષ્કંપ રીતે, કોઈ વાઇબ્રેશનો નહીં, એવા સ્થિર થઈ જવાનું. છેલ્લે શરૂઆત કરશો ત્યારે વાઇબ્રેશનો બહુ થશે, પણ પછી ધીમે ધીમે ધીમે ધીમે સ્થિરતા, શાંતિ.

યોગાભ્યાસની આ ક્રિયા તાળના વૃક્ષની જેમ થોડા જ સમયમાં ફળ આપનારી છે. એનો અભ્યાસ પહેલેથી સુનિશ્ચિત યોજના અનુસાર જ કરવો યોગ્ય છે. અર્થાત વચમાં તેને ઘટાડવો, વધારવો, રોકવો જોઈએ નહીં. 12 માત્રાઓની આવૃત્તિ પણ સમાન સમયમાં જ પૂર્ણ કરવી જોઈએ. 12 માત્રા એટલે કેવું? કે 12 વખત તમે ઓમકાર કરી શકો. ઓમ બોલો: "ઓમ ઓમ ઓમ ઓમ ઓ ઓ ઓ ઓ ઓ ઓ ઓ ઓ." એ જેટલો સમય થયો એટલો. એટલે એક પૂરકની અંદર તમે બાર કરી શકો ત્યાં સુધી એવું કીધું. તો એને સમાન સમયમાં પૂરક, તો જેટલા સમયમાં પૂરક કર્યો એટલો જ સમય કુંભક કરો, એટલો જ સમય પાછો રેચક કરો, પાછો તમે રોકી લો એટલે બાહ્ય કુંભક કરો. આવી આવૃત્તિઓ કરવાની અને એવી 80 આવૃત્તિ કરવાની એમ એ કહે છે. ધીરે ધીરે 80 એ પહોંચાય. સો પહેલા તમે ચાર આ ત્રણ પ્રાણાયામથી શરૂઆત કરો.

પહેલાના સમયમાં એવું પણ કહેતા હતા કે સવારે ત્રણ પ્રાણાયામ કરો, બપોરે સંધ્યા કરતી વખતે ત્રણ કરો, પછી સાંજે સંધ્યા કરતી વખતે ત્રણ કરો અને પછી રાત્રે સૂતા પહેલા પણ તમે પાછા ત્રણ પ્રાણાયામ કરીને સૂઈ જાવ. તમને બહુ સુંદર ઊંઘ આવશે, ડીપ સાઉન્ડ સ્લીપ ગેરંટી ભગવાનની પાકી. એટલે આ પ્રણવ નામથી જાણીતા ઘોષ અવાજનું ઉચ્ચારણ બાહ્ય પ્રયત્નોથી થતું નથી. સાંભળો હવે, લોકો મોટે મોટેથી બોલે છે ને, તેની સામે કહે છે કે આ બાહ્ય પ્રયત્નોથી નથી થતું. એ વ્યંજન કે નથી એ સ્વર. એનું ઉચ્ચારણ કંઠ, તાળવું, હોઠ, નાસિકા, સાનુનાસિકાથી પણ થતું નથી. આ બંનેનું હોઠના અંતમાં રહેલા દંત નામના ક્ષેત્રથી પણ ઉચ્ચારણ થતું નથી. પ્રણવ એ શ્રેષ્ઠ અક્ષર છે જે ક્યારેય પણ ચ્યુત થતો નથી. એટલા માટે કીધું, "ઓમકાર અચ્યુતમ." એ પડતો નથી. ઓમકારનો પ્રાણાયામના રૂપમાં અભ્યાસ કરવો જોઈએ તથા મન ગુંજાયમાન ઘોષમાં હંમેશા લગાવી રાખવું.

તમારો ઓમકાર સંભળાવાનો બેઠા બેઠા એમ કીધું, તરત ધ્યાન લાગી જશે ઓમકારને.

તમારે આવી રીતના આમ સતત જુઓ, આમ 'ઓમ' થયો, તરત ધ્યાન લાગી જશે. તો ઓમકારમાં લીન થાઓ. કોઈપણ રીતે, એમ કહે છે, વિઝ્યુઅલ, ઓડિટરી, ગમે તે રીતના કરીને, તમે ભોજન કરતી વખતે ઓમકાર કરો. ખાવાનું બધું પચી જશે, બધું અમૃતુલ્ય થઈ જશે.

આ પ્રણવ એ શ્રેષ્ઠ અક્ષર છે. ઓમકારનો પ્રાણાયામના રૂપમાં અભ્યાસ કરવો જોઈએ. એટલે ઓમકારને 'ઉદગીથ' પણ કહેવામાં આવે છે. એને ઉદ્દ પ્રાણોના માધ્યમથી જંકૃત કરવામાં આવે છે.

તમારે ઓમકાર કરવો એટલે પ્રાણ જે છે, તેની અંદર પુરાવાનો શરૂ થાય, દરેક ઓમકારની અંદર. એટલે જે વ્યય બહાર થવાનો હતો બીજી ઇન્દ્રિયો દ્વારા, તે રોકાઈને હવે ક્યાં ગયો? પેલા રથની અંદર પૂરાતો જાય છે તમારા. એટલે ઓમકાર રૂપી રથ તમને બ્રહ્મ સ્વરૂપની પ્રાપ્તિ કરાવી દેશે.

યોગી પુરુષ જે માર્ગનું અવલોકન કરે છે, "ઓમકાર કેવી રીતે થઈ રહ્યો છે?" એમ એનું અવલોકન કરે અને વાત કરે છે. અર્થાત, મનના માધ્યમથી જે સ્થાનેથી પ્રવેશ કરવા યોગ્ય માને છે, એ માર્ગથી પ્રાણ અને મનની સાથે ગમન કરી દે છે.

પ્રાણ શ્રેષ્ઠ માર્ગથી ગમન કરે એ માટે સાધકે દરરોજ નિયમિત અભ્યાસ કરતા રહેવું. હું બેઠા બેઠા સહજ સ્વાભાવિકતાથી 'ઓમકાર ઓમકાર ઓમકાર'માં લીન રહેવું જોઈએ, એમ કહેવા માંગે.

વાયુના પ્રવેશનો માર્ગ હૃદય છે. એ દ્વારા પ્રાણ સુશુભનાના માર્ગે પ્રવેશે છે. એનાથી ઉપર ઉર્ધ્વ ગમન કરવાથી સૌથી ઉપર મોક્ષનું દ્વાર બ્રહ્મરંત્ર થયું.

યોગીઓ એને 'સૂર્યમંડળ' રૂપમાં ઓળખે છે. અને આ 'સૂર્યમંડળ' અથવા 'બ્રહ્મરંત્ર'નું વેદન કરીને પ્રાણનો ત્યાગ કરવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે. બ્રહ્મરંધ્રનું વેદન કરવાથી પ્રાણનો ત્યાગ કરવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે.

અહીં બે બાબતો સમજવાની છે: કે જેવી રીતે આ વાયુ જે છે, તમે પૂરક, રેચક, કુંભક કરતા જાવ છો, એમ એમ કરતાં કરતાં પછી તમે શ્રેષ્ઠ માર્ગ, એટલે કયો? સુસોમનાનો માર્ગ શ્રેષ્ઠ માર્ગ કહેવામાં આવે છે. તેના મારફતે ઉપર પહોંચતા, જે જગ્યાએ પહોંચે છે તેને 'સૂર્યમંડળ' કહેવામાં આવે છે. કારણ કે ત્યાં પ્રાણ પહોંચતા પહોંચતા તમે સૂર્યમાં પેસી ગયા છો, એવો તમને અનુભવ આવવાનો શરૂ થઈ ચૂક્યો હોય છે.

અને આ બધા ઋષિમુનિઓના અનુભવો હતા. અગાઉ એ લોકો આ કરી ચૂક્યા છે. તો એ કરવાથી 'સૂર્યમંડળ'માં જ્યારે પ્રાણ પ્રવેશ કરે છે, ત્યારે 'બ્રહ્મરંધ્ર'નું વેદન થાય છે. એટલે એ જે 'બ્રહ્મરંધ્ર' છે, તે શુદ્ધ થઈ જાય છે, સ્વચ્છ થઈ જાય છે. અને ત્યાં ત્યાં ગાડેજી પછી પ્રાણનો લય થઈ જાય, એટલે ત્યાં આગાડે એને મુક્તિ પ્રાપ્ત થાય છે. એટલે કે એને સમાધિ પ્રાપ્ત થાય છે. એટલે કે એને બ્રહ્મ સ્વરૂપનો અનુભવ આવવાનો ચાલુ. પણ જે વ્યક્તિ આ રીતે દેહત્યાગ પણ જો કરી શકે, તો તેનાથી પણ તેને મુક્તિ જ પ્રાપ્ત થાય છે.

અંતકાળની વાત કરી દીધી. બે પ્રકારનો અંતકાળ છે. જીવતા જીવતા એક અંતકાળ આવે છે, અને પછી આ દેહનો ત્યાગ જ્યારે કરવાનો વખત આવે છે, તે એક બીજો અંતકાળ છે. એ અંતિમ બાબત છે.

તો આવું કરનાર જે હોય છે, તે અંતિમ અંત અંતકાળની અંદર પોતે આવી રીતે સ્વેચ્છાએ પણ પોતાના પ્રાણનો 'બ્રહ્મરંધ્ર'માં લય કરી, અને પછી દેહ ત્યાગ કરી દેતો હોય છે.

આ બધું કરવા માટે ભય સૌથી પહેલામાં પહેલી વાત. એટલે કોઈ ડરતો ડરતો પ્રાણાયામ કરતો હોય, તો એ ક્યાંય પહોંચી શકવાનો નથી. પહેલા તો ભય કાઢી નાખ. કશું થઈ જવાનું નથી. આનાથી તારું સારું જ થશે, હિત થશે, તારા શરીરને કઈ ગુણ થશે, તારા મનને પણ શાંતિ મળશે. એના સાથે તું શરૂ શરૂઆત કરજે.

અને ભય, ક્રોધ અને આળસ, એ ત્રણેયનો ત્યાગ કરવો છે.

વધારે ઊંઘવું, વધારે જાગવું, મોડી રાત સુધીને એ કર્યા કરે. વધારે ભોજન કરવું અથવા તો બિલકુલ નિરાહાર રહેવું. બહુ જ ઉપવાસ કર્યા જ કરતા હોય. સોમવાર છે ને ગુરુવાર છે ને આઠમ છે ને ચૌદસ છે ને કાઈ કાઈક પ્રદોષ છે વળી પાછા. તો આવા અતિશય ઉપવાસો કરવાથી પણ યોગ સિદ્ધ થતો નથી.

આ બધા દુર્ગુણો છે, એમ કહે છે. એટલે યોગી હંમેશા એને છોડી દે. જેને યોગ સાધના કરવું હોય, એને ઉપવાસો કરવા જોઈએ નહીં. એને બિલકુલ નિરાહાર રહેવાની જરૂરત હોતી નથી. કારણ કે એને થોડા આહારની જરૂર પડશે.

આ રીતે નિયમપૂર્વક જે કોઈ સાધક ક્રમશઃ ઉત્તરોત્તર પ્રગતિ કરતાં કરતાં નિયમિત અભ્યાસ કરે છે, તેને ત્રણ માસમાં સ્વયમેવ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય છે. એમાં કોઈ સંશય નથી.

ફક્ત ત્રણ મહિનાનો અભ્યાસક્રમ છે જ્ઞાન પ્રાપ્તિનો, જો. એટલે બધું જ કેવળ નિષ્ઠા ઉપર આધારિત છે.

આપણે પ્રાણાયામ તો કરીએ છીએ. કેટલા વર્ષો થઈ ગયા? શું જ્ઞાન આયું કે નથી આયું? તો પછી કેમ નથી આયું? એટલે એને કીધું કે નિત્ય નિયમિત અભ્યાસ કરવાનું, ઉત્તરોત્તર પ્રગતિ કરતાં કરતાં.

પહેલા ત્રણ પ્રાણાયામ સવાર, બપ્પો, સાંજ કર્યા. રાત્રે તો 12 પ્રાણાયામ થયા. પછી એક એક એક વધારતા જાવ. પછી સવારે 12 કરો, બપોરે 12 કરો, સાંજે 12 કરો અને રાત્રે 12 કરો, તો 48 પ્રાણાયામ થશે.

પછી એ જ પાછા વધારીને તમે આગળ પહોંચો 24, 24, 24 સુધી. અને પછી ત્યાં સ્થિરતા પ્રાપ્ત કરો. પછી એ પ્રાણાયામનો સમય વધારતા જાવ. પાછા એક ગાયત્રી મંત્રના બદલે ત્રણ ગાયત્રી મંત્ર થાય ત્યાં સુધી પૂરક કર્યા જ કરો તમે, એમ કહેવામાં આવે.

આ તો બહુ જ નિષ્ઠાપૂર્વક શાંતિથી કરવાનું કામ છે. અને તેની અંદર આપણે આજે રેગ્યુલર આહાર કરીએ છીએ: દાળભાત, રોટલી, શાક, ફલાણું, ઢીકણું, બધું કઈ જાત જાતનું ખાવા પીવાનું, એવું બધું ન હોવું જોઈએ. થોડો હળવો, સુપાચ્ય, દૂધ અનેક ભાતવાળો, એવા પ્રકારનો, સહેજ ઘી નાખે ને એવા પ્રકારનો આહાર યોગ્ય સમયે લઈ લેવો જોઈએ.

સાવ પેટ ખાલી રાખવાનું ના પાડે છે. તો ચાર માસમાં દેવ દર્શનનું સામર્થ્ય મેળવી લે છે. જો આવી રીતે અભ્યાસ કરે તો દેવો બધા દેખાવા માંડે.

પાંચ માસમાં દેવગણો સમાન શક્તિ સામર્થ્યથી યુક્ત બની જાય છે. વાસ્તવમાં બધા દેવો તમારી અંદર.

છે આ બધા દેવોની જે વાતો કરી છે, એ બધા કલ્પનાના દેવો છે. "ગોડ ઓફ ઇમેજીનેશન." તો તમારા આ જે ઇન્દ્ર છે, એક એક ઇન્દ્રિયો છે, તે બધી જ દેવો છે. પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો – દસ દેવો છે તમારી પાસે. એ બધાને દિવ્યતા આપવાની છે. શેનાથી? પ્રાણાયામ કરીને દિવ્યતા આપવાની. દિવ્યતા કેવી રીતે આવશે? વિકારો જેમ જેમ નષ્ટ થતા જશે, પ્રાણાયામ કરવાથી પાપોનો નાશ થાય છે, વૃત્તિઓ શાંત થાય છે. એટલા માટે દેવત્વ પ્રગટ થાય છે. એમાં દૈવત આવશે. દૈવત એટલે શું? શુદ્ધ પ્રકાશ આવશે. શુદ્ધ પ્રકાશ કેવો પ્રકાશ? સૂર્ય સમાન તેજસ. એવી દિવ્યતા આ બધી ઇન્દ્રિયોમાં લાવવાની: આંખોમાં લાવવાની, કાનમાં લાવવાની, નાકમાં લાવવાની, જીભમાં લાવવાની અને સમગ્ર સ્કીન ઉપર લાવવાની. એ જ રીતે હાથ, પગ વગેરે કર્મેન્દ્રિયો જે છે, તેના પર પણ લાવવાની.

તો આ દસ દેવોને પહેલા તો જગાડો. અને આ દસ દેવોનો રાજા અહીંયા બેઠો છે – તમારું મન. એ તમારો ઇન્દ્ર છે, આ બધાયનો બોસ, બરાબર? તો એ ઇન્દ્રને પણ દિવ્યતા તમારે પ્રદાન કરવી પડશે. દેવોને દેવત્વ આપશો નહીં તો એ તમને ઉપર જવા દેશે નહીં. એટલે એનો મતલબ એ નથી કે અહીંયા ગાળે તમે ઇન્દ્ર ભગવાનની પૂજા કરવા બેસો. ભગવાને ગોવર્ધન પર્વત વખતે આ સમજાવવા માંગતા હતા કે ગોવર્ધનની પૂજા કરો, નહીં કે તમે પહેલા ઇન્દ્રની પૂજા કરો. એટલે ઇન્દ્ર, તમારો જે ઇમેજીનેશન વાળો ઇન્દ્ર છે, મુગટ પહેરીને બધા દેવોનો જેમ કે રાજા છે અને રંગ વિલાસમાં રહેલ છે, એ સતત યુદ્ધ કર્યા કરે છે અસુરો સાથે. એ યાદ કરો તમે ઉક્તિઓ બધી. તો મનને અંદર યુદ્ધ તો ચાલુ જ છે – સારું અને ખરાબ. આ બાજુ સૌ સુર છે અને પેલો અસુર છે. સુરમાં છે. સુર એટલે દેવત્વ. તારામાં સુરતા આવશે તો સુર કહેવાય.

પ્રાણ લઈશ તો સુરતા વધશે. તો એ સુરતાની વાત કરી હતી.

હવે એ ઇન્દ્ર જે છે, તેને તમારે દેવત્વ પ્રદાન કરવાનું. આ ઇન્દ્રિયોને પ્રદાન કરશો એટલે આ ઓટોમેટિક એને પ્રાપ્ત થઈ જશે. એનું એના આધારે જ મન બને છે. ઊભું ક્યાંથી થાય મન તમારું? ઇન્દ્રિયો જે કંઈ લાવી આપે છે તેનાથી જ મન બને છે. એટલે મન જે છે, તે ઇન્દ્ર સ્વરૂપ તમારું દિવ્ય તેજસ્વી બનાવો એમ કહે છે અહીંયા આગળ.

છ મહિનાની અંદર તો પોતાની ઈચ્છાનુસાર, નિઃસંદેહ, કેવલ્ય મોક્ષને મેળવવામાં સમર્થ બની જાય. છ મહિનાની અંદર ફક્ત! આટલો બધો પાવર છે પ્રાણાયામનો, ઓમકાર સહિતના પ્રાણાયામનો કે ગાયત્રી મંત્ર સહિતના પ્રાણાયામનો. "ડોન્ટ ઇગ્નોર ઈટ! ડોન્ટ અન્ડરએસ્ટીમેટ યોર પ્રાણ!" શ્વાસ આમ તમે લીધા કરો છો સતત અભાનપણે.

હવે અહીંયા આગળ આ પ્રાણાયામની વાત કરી: પૃથ્વી તત્વની ધારણાના સમયે ઓમકારરૂપ પ્રણવની પાંચ માત્રાઓનું; વરુણ અર્થાત જળ તત્વની ધારણાના સમયે ચાર માત્રાનું; અગ્નિ તત્વની ધારણાના સમયે ત્રણ માત્રાઓનું; વાયુ તત્વની ધારણાના સમયે બે માત્રાઓના સ્વરૂપનું ધ્યાન કરવાનું. હવે પછી આકાશ તત્વની ધારણા કરતી વખતે પ્રણવની એક માત્રાનું તથા સ્વયં ઓમકારરૂપ પ્રણવની ધારણા કરતી વખતે તેની અર્ધમાત્રાનું જ ચિંતન કરો. પોતાના શરીરમાં જ માનસિક ધારણાના માધ્યમથી પંચભૂતો, પૃથ્વી વગેરે તત્વની સિદ્ધિ મેળવો અને એનું ધ્યાન કરો. આ રીતના કાર્યથી પ્રણવની ધારણા દ્વારા પંચભૂતો પર પૂર્ણ અધિકાર પ્રાપ્ત થઈ જાય છે.

પછી કોઈ પર્વત તમને ચકદી શકશે? કોઈ પાણી તમને ગમે તેવું ફ્લેશ ફ્લોટ થયું હોય, પણ તમે અંદર જો પડ્યા તો તમને એ કાંઈ પણ નુકસાન કરી શકે નહીં. એ પ્રકારની વાત.

હવે અહીંયા આગળ માત્રાઓની વાત કરી. પ્રણવની પાંચ માત્રાઓ એટલે આપણે આ એક ચપટી મારીને, આપણે ઢીંચણ ફરતે હાથ ફેરવીએ એટલો એક સમય થાય. એક ચપટી કરીને આટલો સમય, લગભગ ત્રણ થી પાંચ સેકન્ડ, એટલો સમયનો એક ઓમ ઓમકાર એમ કહે છે. તો પૃથ્વી તત્વની ધારણાના સમયે પાંચ પ્રણવની માત્રાનું ધ્યાન કરવાનું એમ કહે છે.

પૃથ્વી તત્વ તમારું ક્યાં છે? તો કે પગના તળિયાથી શરૂ કરીને ક્યાં સુધી છે? આ જાંઘના ઉપરના સાંધા સુધીનું બધું પૃથ્વી તત્વ છે. પછી જળ તત્વનો ભાગ શરૂ થાય છે. નાભિની નીચેના ભાગ સુધીનો જે પોર્શન છે આખો બધો, એ જળ તત્વનો ભાગ છે. તો ત્યાં ચાર ઓમકાર કરવાના. અહીં કીધું ને, "ઓ... ઓ... ઓ... ઓ..." ચાર થયા. પછી ઉપર આવો તો અગ્નિ તત્વ આવ્યું. ત્યાં નાભિ પ્રદેશથી શરૂ કરીને ઉપર સુધીનો આ જે ભાગ છે, તે બધો કેનો? તો કે અગ્નિનો પ્રદેશ છે. ત્યાં ત્રણ ઓમકાર કરવાના, એટલો સમય આપવાનો. એનાથી ઉપર આવો, આ બધો વાયુ તત્વનો ભાગ છે. આ બધો વાયુ તત્વનો ભાગ છે. તો આ ભાગ ઉપર તમારે બે ઓમકાર કરવાના – બે. અને પછી અહીંયા આગળ એક ઓમકાર. સતનામ કરતા પુરુષ શું બોલે છે એ મંત્રની. બસ આ રીતના કરવાનું.

આ પૂરું થાય, વળી પાછો ફરી શરૂઆત કરો. પૃથ્વી તત્વથી શરૂ કરીને, પછી જળ તત્વની ચાર, પછી અગ્નિ તત્વની ત્રણ ઓમકાર, પછી આ વાયુ તત્વના બે ઓમકાર, આકાશનું એક. આમ કરતાં કરતાં કરતાં શું થશે? તો કે સમયાંતરે તમે પાંચે પાંચ તત્વોને સિદ્ધ કરી શકશો.

હવે આગળ વધારે નથી કહેતો. આ પાંચેની સિદ્ધિઓ પ્રાપ્ત થવાથી બધું જાતજાતનું બધું થતું હોય છે, પણ પંચભૂતો પર પૂર્ણ અધિકાર પ્રાપ્ત થાય છે.

પછી તો સાડા ત્રણ આંગળ લાંબો પ્રાણ જેનામાં શ્વાસના રૂપમાં પ્રતિષ્ઠિત છે, એ જ આ પ્રાણવાયુનો વાસ્તવિક આશ્રય છે. સાડા ત્રણ આંગળ લાંબો આમ ગોઠવતા જવાનું. જ્યારે આમ બહાર જાય ત્યારે છેક ત્યાં સુધીને પહોંચતો હોય છે. અંદર આવે છે તો પણ એ જ પ્રમાણેનો થતો હોય. એ શ્વાસના રૂપમાં પ્રતિષ્ઠિત છે, એવો પ્રાણવાયુ વાસ્તવિક આશ્રય છે. આ જ કારણ છે કે એને પ્રાણના રૂપમાં જાણવામાં આવે. જે બાહ્ય પ્રાણ છે, તેને ઇન્દ્રિયો દ્વારા જોવામાં આવે છે. બાહ્ય પ્રાણને ઇન્દ્રિયો દ્વારા એટલે તમારી આંખોથી પણ.

તમે એને જોઈ શકો છો, બરાબર? પ્રાણના આપણે એર વાઈટાલિટી ગ્લોબ્યુલ્સ (Air Vitality Globules) જોઈએ છીએ, એ તો એનું સ્થૂળ સ્વરૂપ છે. પછી જ્યારે બહુ જ લાંબો સમય એને જોજો કરવામાં આવે, ત્યારે એ જે એર વાઈટાલિટી ગ્લોબ્યુલ્સ છે, તે ચમકતું હોય તે એકદમ વિસ્ફોટ થાય, આમ ફટ્ટ દઈને ફૂટી જશે તમારી નજર સામે. ત્યાં જે તેજ રહેલાશે, બધા પાંચે પાંચ તત્વો ત્યાં અનુભવાશે તમને. એનું સૂક્ષ્મ સ્વરૂપ આ પંચ મહાભૂતો છે, પહેલા પંચભૂતો છે. એટલે સ્થૂળમાંથી તમે પછી સૂક્ષ્મ સૃષ્ટિમાં પ્રવેશ કરો છો. એ જ્યારે કરો, ત્યારે દેવત્વ પ્રાપ્ત થવાની શરૂઆત થઈ જાય છે.

આ બાહ્ય પ્રાણમાં ૨૧,૬૦૦ શ્વાસ-પ્રશ્વાસનું આવાગમન દિવસ-રાત્રિમાં થાય છે. અહીંયા ૧,૧૩,૬૮૦ શ્વાસ-પ્રશ્વાસનું આવાગમન દિવસ અને રાત્રિમાં, ૨૪ કલાકની અંદર થાય છે, એમ કહેવામાં આવ્યું છે. ઘણું કરીને શ્વાસોની સંખ્યા ૨૧,૬૦૦ માનવામાં આવે છે, જે દર મિનિટે ૧૫ નિશ્વાસના હિસાબે બરાબર બંધ બેસે છે. એટલે આટલી સંખ્યાનો ઉલ્લેખ એ શોધનો વિષય છે કે કેવી રીતે શ્વાસ, કુંભક, રેચક, પૂરક, કુંભક, રેચક, પૂરક બધું ભેગું કરો તો કેટલું થાય? ૨૪ કલાકની અંદર કે ૧,૧૩,૬૮૦ નિશ્વાસ એટલે કે શ્વાસ-પ્રશ્વાસનું આવાગમન થાય છે.

આદિ પ્રાણનો નિવાસ હૃદય ક્ષેત્રમાં છે. મૂળભૂત પ્રાણ જે છે, તે ક્યાં? હૃદય ક્ષેત્રમાં છે. અપાનનો નિવાસ ગુદા સ્થાનમાં, સમાનનો નિવાસ નાભિ સ્થાનમાં અને ઉદાનનો નિવાસ કંઠ પ્રદેશમાં છે. વ્યાન સમસ્ત અંગ-પ્રત્યંગોમાં વ્યાપક બનીને હંમેશા પ્રતિષ્ઠિત છે. વ્યાન વાયુ જ્યાં ના હોય એવું બનતું નથી અને જેવો એ ત્યાંથી ખસ્યો, એટલે અંગ નિર્જીવ બની જાય.

હવે પછી એના પછીથી સમસ્ત પાંચ પ્રાણવાયુના રંગનું ક્રમાનુસાર વાત કરીએ. આ પ્રાણવાયુને લાલ રંગના મણિ સમાન રક્તવર્ણની સંજ્ઞા પ્રદાન કરવામાં આવી છે. પાવરફુલ છે, રક્તવર્ણ. અપાન વાયુને ગુદાની વચોવચ ઇન્દ્રગોપ બીરબહુટી નામના ગાઢ લાલ રંગવાળા એક વરસાદી કીડાના રંગનો માનવામાં આવે છે. પ્રાણ શુદ્ધ છે, બ્લડ રેડ જેને કહીએ એવો. જ્યારે પેલો જે છે, એ એક કીડા જે વરસાદનું એક કીડું હોય છે જે લાલ રંગનું જ હોય છે, તે એવા રંગનો એટલે સહેજ સિંદૂરિયા ટાઈપનો થઈ ગયો હોય એવો છે.

નાભિના મધ્યના ક્ષેત્રમાં સમાન વાયુ સ્થિર છે. એ સમાન વાયુ એ ગાયના દૂધ અથવા સ્ફટિક મણિ સમાન શુભ્ર સફેદ કાંતિ યુક્ત છે. ઉદાન વાયુનો રંગ કેવો છે? ઉદાન વાયુ ઉપર આવેલો તે ધૂળિયો અથવા ભૂખરો છે. ભૂખરો અથવા બ્લુ કલર. વ્યાન વાયુનો રંગ અગ્નિશિખા જેવો તેજસ્વી. અગ્નિશિખા હોય ને, પછી એમાંથી છેવટે તણખા નીકળે એવી રીતે એનું તેજ બધે આખા શરીરની અંદર ચારે બાજુ ફેલાતું હોય છે.

જે શ્રેષ્ઠ યોગી અથવા સાધકનો પ્રાણ આ પંચતત્વાત્મક શરીર ક્ષેત્રની અંદર વાયુસ્થાન હૃદય પ્રદેશનું વેદન કરીને મસ્તકના ક્ષેત્રમાં પ્રવેશી જાય છે, એ પોતાના શરીરનો ગમે ત્યાં ત્યાગ કરે, છતાં પણ ફરીથી જન્મ લેતો નથી. એમ ગમે તેમ કોઈ ત્યાગ કરતું હોતું નથી, પણ કહેવાનો મતલબ એ છે કે જે હૃદય ક્ષેત્રમાં રહેલા પ્રાણનો અહીંયા બ્રહ્મરંધ્રની અંદર જે પ્રવેશ કરાવી શકે છે, એમને એમ સીધો સીધો આમ ખેંચીને કરવાથી નહીં થાય. તો એ કરવાથી પછી એ પોતે ફરી જન્મ લેતો નથી, એને જન્મ લેવાની જરૂરત પડતી નથી. આને પહોંચાડવાનો ત્યાં જ છે, પણ આમ કરીને આમ એક જ વખત કરવાથી પહોંચી જશે નહીં. એને માટે પ્રાણાયામ કરવો આવશ્યક છે અને એ પદ્ધતિસર હોવું જોઈએ, સિસ્ટમેટિક હોવું જોઈએ. એનો એક અભ્યાસક્રમ બનાવવો જોઈએ. તમારો આહાર આવો હોવો જોઈએ, તમારા આસન આવા હોવા જોઈએ.

તમારા ચિત્તની વૃત્તિઓ જે છે, તે ભય, ક્રોધ, આળસ, વધારે ઊંઘવું-જાગવું એ બધાથી દૂર કરવાનું છે. અતિશય ભોજન નહીં કરવાનું, અતિશય ઉપવાસ પણ નહીં કરવાનો. સ્નિગ્ધ, દુગ્ધવાળું, દૂધવાળું એવું જેને કહેવાય એવું ભોજન કરવાનું છે. તો એ ચારથી છ મહિનાની અંદર આ આખોય કાર્યક્રમ પૂરો થઈ શકે તમારો અને તમે જ્ઞાન પ્રાપ્ત કરી શકો છો, કેવલ મોક્ષને મેળવવા માટે સમર્થ બની શકો છો. એ આ ઉપનિષદ અમૃતનાદ કહેવા માંગે છે.

"ૐ સહનાવવતુ સહનવ ભુનક્તુ સહવીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદવિશાવહે ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ"

આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.