યથાર્થ ગીતા સાર — ૨૫
હવે આપણે ૧૪માં અધ્યાયમાં પ્રવેશ કરીએ છીએ. ભગવાન આગળ કહે છે, "ગુણત્રય વિભાગ"ની અંદર. આ ગુણત્રય જે છે, એ વિભાગનો યોગ છે, એના માટે સમજાવે છે કે અગાઉ શ્રીકૃષ્ણે જ્ઞાનનું સ્વરૂપ સ્પષ્ટ કરી દીધું. હવે આનથી વધારે સુસ્પષ્ટતા તમારે જોવે છે ભાઈ? એમણે બતાવ્યું છે કે, જે પુરુષ દ્વારા સંપૂર્ણપણે શરૂ કરાયેલું નિયત કર્મ એ કોર્સ છે. નિયત કર્મ એટલે બરાબર તમને આપે છે દર વખતે પર્સનલ ટ્યુશન; કે તમારું ક્રમશઃ ઉત્થાન પામીને એટલું સૂક્ષ્મ થઈ ગયું છે કે કામનાઓ અને સંકલ્પો સંપૂર્ણપણે શાંત થઈ ગયા છે. એ સમયે તે જેને જાણવા માંગે છે, તેની એની પ્રત્યક્ષ અનુભૂતિ થઈ જાય છે. એ અનુભૂતિ જ સ્વયં જ્ઞાન છે. શું વાત કરી! નિયત કર્મ કરતાં-કરતાં શું થયું? એટલું બધું સૂક્ષ્મ થઈ ગયું કે બધી કામના, સંકલ્પો બધું શાંત થઈ ગયું; પ્રકૃતિ મતલબ એકદમ શાંત થઈ ગઈ છે.
એવા સમયે એને જે જાણવું છે તે પ્રગટ થઈ જાય છે. તમારે બી યાદ થવાનું છે આગળ બરાબર? પણ એટલે કહે છે કે, "એની અનુભૂતિ એ જ સ્વયં જ્ઞાન છે." અધ્યાત્મમાં જ્ઞાનની વ્યાખ્યા કરી: "અધ્યાત્મજ્ઞાનનિત્યત્વં તત્ત્વજ્ઞાનાર્થદર્શનમ્". એટલે કે, આત્મજ્ઞાનમાં એક રસ સ્થિતિ પ્રવાહિતા છે—બિલકુલ આમ એક સમાનપણું, બિલકુલ આમ ધારાવહી ચાલ્યા જ કરતું હોય ચાલે એવું. અને તત્વના અર્થ સ્વરૂપ પરમાત્માનું પ્રત્યક્ષ દર્શન તે જ્ઞાન છે. એટલે હવે કહે છે આગળ, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના ભેદને જાણી લીધા બાદ જ્ઞાન થાય છે; ત્યાં સુધી જ્ઞાન થતું નથી. તમને પહેલા જ કહી દીધું હતું, "શુદ્ધ આત્મા તું આ છું, તું આ નથી". તો દરેક મહાપુરુષ તમને અસંગ સંજ્ઞાથી આ સમજાવે છે પાછું કે, "તું આ છું," કારણ કે એ તો પકડાય એવો નથી ને? કેવી રીતે જાણશો એને? હા, જ્ઞાન એટલે શાસ્ત્રાર્થ નહીં.
શાસ્ત્રો મોઢે કરી લીધા, પોપટ રટણ કર્યું, રમણ કર્યું, એ બધું જ્ઞાન નથી; પરંતુ અભ્યાસ પરિપક્વ થતા જે તબક્કે તત્વ સંપૂર્ણ સમજાઈ જાય, "ઓહો! આ વાત છે..." એમ. એ જે થાય છે ને, ઘણી વખતે વ્યવહારમાં પણ થતું હોય છે. એ જેવી રીતે થાય છે, તેવું તમને આ તત્વ વિશે, પુરુષ વિશે, પ્રકૃતિ વિશે, પરમાત્મા વિશેનું જે કંઈ આખું આ છે ને, તે તમને આમ સમજાશે. તે વખતે આમ, "ઓહો! આ છે!" બસ તે જ્ઞાન છે અને તેને સાક્ષાત્કાર કહેવામાં આવે છે. એ અવસ્થા પરિણતિ જ જ્ઞાન છે. માટે પરમાત્માના સાક્ષાત્કારની સાથે અનુભૂતિ જે થાય છે તેનું નામ જ્ઞાન છે અને બાકી બધું નર્યું અજ્ઞાન છે. હવે આગળ, "હે અર્જુન! આ જ્ઞાનમાં પણ પરમ ઉત્તમ જ્ઞાન વિશે હું તને ફરી કહીશ". ભગવાનને પણ આમ હવે જો એવું થઈ ગયું છે કે, "બસ, હું એને આપ્યા જ કરું, આપ્યા જ કરું, આપ્યા..." જોયું તમે?
એ કહે છે કે, "શાસ્ત્ર જેનું સારી રીતે ચિંતન કર્યું હોય તેને પણ પુનઃ પુનઃ જોવું જોઈએ (મૂળ પંક્તિ ગરબડ થયેલી છે)". એટલે શું કહે છે? કે જેના વિશે સારી રીતે ચિંતન કર્યું છે, તે શાસ્ત્ર પણ વારંવાર જોતા રહેવું જોઈએ. આપ્તવાણી વારંવાર વાંચવી જોઈએ, યોગવશિષ્ઠ વારંવાર વાંચવી જોઈએ, શ્રીમદ ભગવદગીતા, યથાર્થ ગીતા વારંવાર વાંચવી જોઈએ, શ્રવણ કરવી જોઈએ. વંચાય નહીં એવી સ્થિતિ આવે તો શ્રવણ કરો. અત્યારે તો શ્રવણ માટે કેટલા બધા સુંદર સાધનો છે! વારંવાર પણ બી ધેર, બી ફોકસ્ડ, આ એક જ વાત. હવે આગળ કહે છે, સાધના પથ પર જેમ-જેમ આગળ જાવ... જો, બહુ બહુ ભગવાને એટલી બધી સલાહ આપી છે, એટલી બધી તૈયારી કરી છે, કાળજીપૂર્વક આપણને ડગલે ને ડગલે આગળ લઈ જાય છે ધીમે-ધીમે. જેમ-જેમ ઈષ્ટમાં પ્રવેશ પામતા થશો, તેમ-તેમ બ્રહ્મના નવી-નવી અનુભૂતિઓ થશે.
બ્રહ્મની અનુભૂતિઓ, આની જાણકારી સદગુરુ મહાપુરુષ જ આપી શકે; ભગવદગીતાની અંદર એ હોય નહીં, કોઈ પુસ્તકમાં હોય નહીં, કોઈ એનું વર્ણન કરે કે, "સાકર ગળી લાગે છે," પણ એ વાંચીને શું થયું? ખબર પડતી નથી. ગળપણ એટલે શું? ગળી લાગે છે એટલે શું? એ તો એ મહાપુરુષ એક જ સાકરિયું પેલાને આમ કરીને આમ મોઢામાં મૂકી દે, "મોઢું ખોલ," કે ખોલ્યું, અંદર એક આમ નાખ્યું, એની હાથે, "બોલ, આ ગળપણ કહેવાય". એમ એટલે એને ગમ પડી ગઈ કે નહીં? એવી ગમ પડવી જોઈએ, એમ કહે છે. એટલે આવી જ જાણકારી સદગુરુ મહાપુરુષ જ આપી શકે. સ્મૃતિ પટ એવો છે—સ્મૃતિનો પટ છે આખો બધો પ્રકૃતિ પર બધો લાગેલો બરાબર—રગડપટ્ટી. આત્મામાં તો આવું બધું કંઈ હોતું નહીં હો, સ્મૃતિ ના હોય. આત્મા એમાં જ્ઞાન જ છે સ્વયં પોતે. સ્મૃતિ એ કોનો વિષય છે? રાગ-દ્વેષનો વિષય છે અને રાગ-દ્વેષ ક્યાં છે?
પ્રકૃતિમાં છે, સમજાઈ ગયું? એટલે એનું સ્થાન તમને ડિસાઈડેડલી નક્કી હોવું જોઈએ કે દ્વારપાલ હોય તો ક્યાં હોય? તો કે ઘરની બહાર ઊભો હોય. હવે તમે ખોળો ટોયલેટમાં, બાથરૂમમાં, બેડરૂમમાં તો ક્યાં મળવાનો તમને? એના જેવી વાત છે આ તો. કે છે કે સ્મૃતિ ક્યાં હોવી જોઈએ? સ્મૃતિ પટલ જ્યારે કોઈ બોલે, તો તમને ખબર પડવી જોઈએ તરત જ કે આ પ્રકૃતિનો ભાગ છે અને આ ક્ષેત્રની વાતો કરી રહ્યો છે, ફિલ્ડ. ખ્યાલ આવ્યો ને? આ ફિલ્ડની વાત કરી રહ્યો છે અને તમે તો ફિલ્ડ માર્શલ છો. હવે ફિલ્ડ માર્શલ થઈને આ ફિલ્ડની મગજમારી કર્યા કરતા કરીએ, "તારે જે કરવું હોય એમ, ફિલ્ડ માર્શલ છું કે હું તો!" એટલે કહે છે કે, "સ્મૃતિપટ એવો છે કે જેના પર સંસ્કારો સદૈવ અંકાતા જ રહે છે." સતત ચાલુ ને ચાલુ રહેનારી આવી આ એક પ્રક્રિયા છે. સ્મૃતિ પટ પર સંસ્કારોનું અંકન થયા જ કરે છે, લખાય જ જાય, લખાય જ જાય.
હવે પથિકની ઈષ્ટના પ્રવેશમાં અપાવનારી જાણકારી થાય, પથિકની ઈષ્ટમાં પ્રવેશ અપાવનારી જાણકારી થાય તો સાવધાન! તેના સ્મૃતિ પટ પર ફરી પ્રકૃતિ અંકિત થવા માંડે છે, જે તેના વિનાશનું કારણ બને. શું થઈ ગયું? પ્રવેશ અપાવનારી જાણકારી એ જો પાછી એનામાં અંકિત થવા માંડે, એ તો ઈરેઝ કરે છે અહીંયા આગળ સ્મૃતિને. જો આ કરવાથી ઈરેઝ થાય, કોઈ નવી જાણકારી બનાવતું નથી. પણ જો કોઈ નવી જાણકારી બનાવે કે, "આજે મેં આવું કર્યું, કાલે આવું કર્યું," એમાંને એમાં અટવાયેલો રહ્યો, તેની વાત કરે છે. "૧૦૮ માળા થઈ ગઈ આજે બસ બરાબર, એવો સરસ અનુભવ આવ્યો કે ના પૂછવાની વાત..." જે આવ્યો એ બધાને કહી દેવાનું? તો પછી એ તો બધી મેમરીમાં જવાનું છે પાછું. એટલા માટે કહે છે કે, "ભયસ્થાન છે ઊભું, ધ્યાન રાખજે તું. હજી તો તું છે ને તો કે પામ્યો છે, તે પહેલા તો તું લૂંટાવવાનું ચાલુ કરી દીધું છે!
એનાથી કોઈને ફાયદો નથી થવાનો, તને ભયંકર નુકસાન થઈ જશે. માટે એવી પ્રવૃત્તિથી બચજે". સાધના ગોપનીય રીતે કરવાનું કામ છે. પ્રકૃતિને તમારી ખબર ના પડવી જોઈએ, એવી રીતે તમારે સાધના કર, એમ કહે છે. એટલે સાધકે પૂર્તિ પર્યંત ઈષ્ટ સંબંધી જ્ઞાનનું પુનરાવર્તન કર્યા જ કરવું જોઈએ. તમે બીજા ચક્કરોમાં પડો છો, એના કરતાં આ ચક્કરમાં પડો ને! ઈષ્ટ સંબંધીનું જે જ્ઞાન છે, તેનું પુનરાવર્તન કર્યા કરવાનું બસ, બીજું કંઈ નહીં. એટલા માટે જ કહેતા હતા કે શાસ્ત્ર શ્રવણ કરો, આ કરો, તે કરો. મહાપુરુષો શું કહે છે, તેનું તમે શ્રવણ કરો, બરાબર છે? એટલા માટે, કારણ કે મહાપુરુષો જે કંઈ કહી ગયા છે તે બધું વેદ છે, ગમે તે ભાષામાં હોય ભલે. પણ એ બધું વેદ છે. તમે એને એવી પવિત્રતા સાથે લો, અને વેદ એટલે પરમાત્મા સ્વયં. તે મહાપુરુષને યંત્ર બનાવીને જે બોલાયેલા છે, તેનું અંકન થયેલું છે.
હવે તમે જો એનો એવી રીતે સ્વીકાર ન જ કરી શકતા હોય, તો તે તો તમે હર્ડલ તમારા માટે ઊભી કરી રહ્યા છો. ખરેખર તો આત્મસાક્ષાત્કારમાં બહુ મોટી બાધા ઊભી થઈ ગઈ ભાઈ, એટલે ધ્યાન રાખો, એમ કહે છે. પૂર્તિ પર્યંત એનું પુનરાવર્તન કરવાનું. શેનું? તો કે ઈષ્ટ સંબંધી જ્ઞાન જે કંઈ છે તેનું. આજે સ્મૃતિ જીવંત છે, પણ આગળની અવસ્થાઓમાં પ્રવેશ મળતાની સાથે આ અવસ્થા નહીં રહે, બદલાશે. પછી તમારી સ્મૃતિ તમને દગો દેશે. એટલે કહે છે કે પૂજ્ય મહારાજ કે, "બ્રહ્મવિદ્યાનું સદૈવ ચિંતન કર્યા જ કરજો." રોજ એક માળા ફેરવો. ચિંતનથી ફેરવેલી માળા બહારની માળા નથી, આ "નાશ મનકા મનકો આયો" વાળી વાત નથી, કે છે વાસ્તવિક સદગુરુ જે કહે છે ને. "એક માળા ફેરવો" મતલબ એક આવર્તન કરો તમે જ્ઞાનનું, જે જ્ઞાન તમે સમજી બેઠેલા છો, જે તમને સદગુરુ પાસેથી પ્રાપ્ત થયું છે એને તમે ફરી એક વખત કરો એમ.
એટલે વાસ્તવિક સદગુરુ તો હંમેશા પથિકની પાછળ લાગેલા રહે છે. તેઓ અંદરથી તેના આત્માને જાગૃત થઈને, બહાર પોતાની જીવનચર્યા વડે તેઓ સાધકને પુષ્ટિ આપ્યા કરે. બહારથી તમને કહેશે, એન્કરેજ કરશે, "ચરણવિધિ કરી? માળા ફેરવી? ધ્યાનમાં બેઠો હતો ભાઈ આજે?" એમ પૂછપરછ કર્યા કરશે. અને અંદર તમે જ્યારે તમારા નિવૃત્તિ કાળમાં ગયા હોય, ઘરે પહોંચ્યા હોય, ત્યારે પાછા ત્યાં સદગુરુ હાજર થઈ જાય સૂક્ષ્મની અંદર, તમને પ્રેરણા કરે. સાડા ચાર વાગી ગયા, મોહિત તરત જ આમ સફાળો જાગે ધાડ દઈને કે હા! એને ખબર ના પડે કે મને કોણે જગાડ્યો, પણ જાગ્યો એ વાત નક્કી. કોણે જગાડ્યો મને? અને પછી આમ બહાર જેવો પડે ને, એની સાથે પાછું એને સ્મૃતિ તરત જ આ બધું દેખાવા જ માંડે કે બસ, આ બધું જ્ઞાન એકદમ એવી રીતના થાય. એટલે તરત એ એનું આવર્તન કરવા લાગી જાય, પોતાના જે ધ્યાન ચિંતનની જે પ્રક્રિયા છે તેની અંદર.
એટલે સદગુરુ એને બે જગ્યાએ આવી રીતે જઈ-જઈને હેલ્પ કરે. તો સદગુરુ તો સર્વત્ર છે ને? અહીંયા જ છે કે આશ્રમમાં જ છે, કે એવું કંઈ હોતું નથી. પછી એવું થાય, પછી એ થાય. શ્રદ્ધા તમારી હશે તો બધું જ થશે, બધું જ થશે. તમને વાત કરું, મહાન ગુરુ જે આપણે પરમહંસ યોગાનંદજી છે, એમના સાધના કાળની અંદર એમણે તો બધું અટેન્ડ કર્યું, બધું સારું કરેલું અને ખૂબ કક્ષાએ પહોંચી ગયા, આત્મસાક્ષાત્કાર થયો, બધું હતું. એક વખતે એવું બન્યું કે એ અમેરિકામાં હતા એક જગ્યાએ, અને ત્યાં આગળ એવું બન્યું કે એમને ખ્યાલ આવી ગયો કે એમના જે ગુરુ હતા, સ્વામી શ્રી યુક્તેશ્વરજી, એમણે દેહ ત્યાગ કર્યો, સમાચાર આવ્યા. એ ત્યાં સુધીને પહોંચવાની સ્થિતિમાં તો હતા નહીં. એ બહુ શોકમગ્ન જેવા થોડાક થયા ને આમ બેઠેલા હતા, સામે હમણાં સદગુરુને આવતા જોયા. ત્રણ દિવસ પહેલા ગયેલા છે કે છે, તો કે, "જો, હું તો આ રહ્યો, તું શેની ચિંતામાં પડ્યો છે?
કોણ ગયું છે, ક્યાં ગયું છે?" તારું જ્ઞાન તને શું કહે છે? પેલાને પાછું તોય એમ થયું, એટલે જઈને આ મોઢે ભરોસો નથી પડતો, કે છે, "ખરેખર તમે છો?" કે તો કે, "હા, તું અડક જ મને, લે જોઈ લે, આ લોહી-માંસનું નક્કર શરીર છે" કે છે બિલકુલ પરફેક્ટ. "એ વાત સાચી કે મેં દેહ ત્યાગ કર્યો હતો, એ વાત પણ સાચી કે હું અત્યારે અહીંયા સદેહે છું". પેલાને એટલો સજ્જળ ભરોસો અને એટલું જબરજસ્ત જ્ઞાન આપ્યું છે. વાંચો આ "યોગી કથામૃત"માં છેલ્લા ભાગમાં આપેલું છે. એટલો જબરજસ્ત ભરોસો થઈ ગયો એને કે ના પૂછવાના. એ આખું વિજ્ઞાન છે, અલગ છે, બધું જુદું છે. બહુ એમાં ઊંડા ના ઉતરતા, આપણું લક્ષ્ય પરબ્રહ્મની પ્રાપ્તિ છે, નહીં ક્યાં? એ જ સમજાવવા માટે એને ત્યાં આગળ ગુરુ આવ્યા હતા કે, "તું આ દેહના મોહમાં ના પડ અને આ દેહના ત્યાગના શોકમાં ના રહીશ".
સમજ્યા? એટલે જરૂરી નથી કે સદગુરુ દેહમાં હાજર હોય, જરૂરી નથી. જરૂરી શું છે? તમારી શ્રદ્ધા. જરૂરી શું? સમર્પણ આપણું પોતાનું એમના પ્રત્યે. જો એ ભાવ છે, તો બધું જ શક્ય અને બધું જ થઈ જશે. પ્રહલાદને શું હતું? ભક્ત પ્રહલાદ, અસુરનો દીકરો, પણ શુભ સંસ્કાર પ્રાપ્ત થયા. બરાબર? પછી પેલો એને કેટલા બધા ત્રાસ આપ્યા છે બધા! શું જેમ પેલા આપણે શું કહેવાય, પાર્શ્વનાથ ભગવાનને જેમ પહેલા ઉપસર્ગો આપ્યા હતા ને, એવી રીતના એને પણ કેટલા એના ફાધરે આપ્યા હતા! પેલો તો એનો એક કાળનો શત્રુ હતો, પણ આ તો એનો ફાધર હતો એ જીવનનો. તો એને પર્વત ઉપરથી ગબડાવ્યો, પછી કાંટામાં ફેંક્યો, પેલા તેલમાં ભજીયાની જેમ તળ્યો, બધું કર્યું. અસુરો પાસે આ બધું કે, "મારો પુત્ર આવો ના હોય" કે છે, "હું અસુર ને મારે ત્યાં આવો સુર જેવું વર્તન કરતો હોય એવો પુત્ર ક્યાંથી આવ્યો?" કાશરીને તો, અને બધો બહુ ત્રાસ આપ્યો.
છેવટે કંટાળ્યો ત્યારે કહે છે કે, "આ તું આખો દાડો શું નારાયણ-નારાયણ લઈને બેઠો છે? તારો નારાયણ ક્યાં છે? કે બતાવ મને. આ થાંભલામાં છે?" તો કે, "હા, થાંભલામાં છે." "તને દેખાય?" તો કે, "હા, મને દેખાય." તો પેલો કે, "ક્યાં છે થાંભલામાં?" બસ, એક ટાઈમે પેલો થાંભલો તૂટ્યો અને અંદરથી નૃસિંહ સ્વરૂપે પરમાત્મા બહાર આવ્યા. અને એને પેલા પોતાના પગની ઉપર આમ આડો પાડી અને પછી પોતાના નખથી એને ચીરી કાઢ્યો. આ વાત છે ને? ત્યારે કે છે કે, "નહીં અંદર, નહીં બહાર, સંધ્યાકાળ, કોઈ સાધન નહીં, અને એવો કે કોઈ દેવ કે માનવ મારે નહીં". આ બધા એના જે વરદાનો એને પહેલા માંગેલા હતા ને, તે બધા ફુલફિલ કરી દીધા ફટ દઈને. એવો અદભુત અવતાર કાઢ્યો, નૃસિંહ અવતાર! બોલો, ના જોયો, ના સાંભળ્યો, કંઈ છે ને વાત? પ્રહલાદને માટે જો એ ત્યાં આગળ બહાર નીકળી શકે છે, તમારા માટે બી નીકળશે ગમે ત્યાં, શ્રદ્ધા છે તો.
આગળની વાત કરીએ કે પછી બધું જ શક્ય છે. એટલે શ્રદ્ધા હોવી આવશ્યક સૌથી પહેલામાં પહેલી તો. જે થવું જ હોય તેમાં શ્રદ્ધા, તમને તમારા લક્ષ્યમાં તો, પ્રાપ્તિમાં તો શ્રદ્ધા હોવી જોઈએ ને? કે શંકા હોય ત્યાં સુધીને તો થવાની જ નથી શ્રદ્ધા. અને તરત કહી દીધું છે ભગવાને: "સંશયાત્મા વિનશ્યતિ" એનો નાશ થઈ જાય છે કે તરત. પણ જેવો તું અસંશય વૃત્તિમાં આવ્યો, અસંશક્તિમાં પડી જઈશ, સિદ્ધિ ચોથી-પાંચમી ભૂમિકાની અંદર સત્વાપત્તિથી ઉપર જતો રહીશ તરત જ. જો, એવી વાત કરી દીધી. એટલે કહે છે કે, "વાસ્તવિક સદગુરુ હંમેશા પથિકની પાછળ લાગેલા જ રહે છે. તેઓ અંદરથી તેના આત્માથી જાગ્રત થઈને બહાર પોતાની જીવનચર્યા વડે સાધકને પુષ્ટિ આપ્યા જ કરે છે". કે ખબરદાર, તમને સાવધાન કરી દઉં, જો કોઈ સાધક પોતાને થયેલી અનુભૂતિને પોતાની સ્વયં પોતે ઉપજાવેલી સમજી બેસે તો તે નક્કી પડવાનો છે.
હમણાં જ કીધું ને કે, "૧૦૮ આજે કરી" વાળી વાત કોઈ દિવસ કરવાની નહીં. તે સ્વયંમાં પ્રગટેલો બ્રહ્મપ્રસાદ કેવળ કૃપા છે. એ તમારી છે, તમારે એનો ઉપયોગ કરવાનો છે. તમારો પ્રસાદ છે, તમને આપવામાં આવેલો પ્રસાદ છે. તમારે એ વહેંચવાની હજુ વાર છે, તમે પહેલા ઉપભોગ એ તમારા પૂરતો જ આટલો જ આપ્યો છે તમને. હવે આટલામાં જો ભલભલું કૂદું-ભલભલું કૂદું થવા માંડતું હોય, તો તમને તો જો બ્રહ્માનુભૂતિ એકદમ આપી દે તો તો પછી શું નું શું થઈ જાય? થાય કે ના થાય? એટલે ભગવાન ધીમે-ધીમે, ધીમે-ધીમે આપે. એક જ્ઞાનબિંદુ મોકલાવે, પછી એક બીજું જ્ઞાનબિંદુ મોકલાવે, પછી જોયા કરે—જાગ્યો નથી જાગ્યો? ચાલો, થોડા દિવસ ટાઈમ જવા દો. પછી પાછું ફરી એક જ્ઞાનબિંદુ મોકલાવે. આવી રીતે પ્રસાદ ગ્રહણ કરતો-કરતો, કરતો-કરતો, કરતો તો એ પરમાત્મા સુધી પહોંચાડી દે છે, સમજાયું કંઈ?
માટે આ જે કંઈ છે તે બ્રહ્મપ્રસાદ છે અને કેવળ કૃપા છે. યાદ રાખજો, તમે સ્વયં ક્યારેય પણ પરમાત્માના પથ ઉપર આગળ વધી શકતા નથી. યોગેશ્વર શ્રીકૃષ્ણ સ્વયં સદગુરુ છે, મહાપુરુષ છે; અર્જુન તેમનો શિષ્ય છે, જેણે શ્રીકૃષ્ણને પોતાની સંભાળ લેવા પ્રાર્થના અગાઉ કરેલી હતી. આથી તેઓ કહે છે કે, "બધા જ્ઞાનોમાં પણ અતિ ઉત્તમ જ્ઞાન, પરમ જ્ઞાન હું તને ફરીથી કહીશ વન મોર ટાઈમ". એટલે દ્રઢતા થઈ જાય તારા જ્ઞાનની અંદર અને જો કોઈ સંશય હોય તો એ બધો મટી જાય, આ એમનો પર્પસ હતો—હેતુ બરાબર. તે જાણીને શું થશે? બધા મુનિઓ પણ આ સંસાર પૂરો પાર કરીને ઊંચી સિદ્ધિઓને પામ્યા છે; તે પામ્યા પછી કંઈ પણ પામવાનું બાકી રહેતું નથી. હવે કહે છે આગળ કે, "આ જ્ઞાનનો નિકટતાથી આશ્રય લઈને—નિકટતાથી આશ્રય લેવાનો, કર્મ કરીને—જીવો મારા સ્વરૂપને પામ્યા તેવા લોકો સૃષ્ટિના ઉત્પત્તિ કાળે ફરી જન્મતા નથી.
ફરી નવી સૃષ્ટિનું સર્જન થશે, તે વખતે તેઓ અંદર તેમાં જન્મ લેવા માટે આવતા નથી." પણ સૃષ્ટિ સર્જન તો થયા જ કરે છે, કોઈ ચોક્કસ ટાઈમે થાય છે એવું નથી, આ તો આમ વધ્યા જ કરે છે. એ આપણે આગળ સમજીશું. અને પ્રલય કાળે એટલે કે શરીરના અંત વેળાએ તેઓ દુઃખ અનુભવતા નથી. એનું શું કારણ? દાદા કહેતા હતા, "અમારો એક પણ મહાત્મા એવો નહીં હોય કે જેને અંતકાળે એમ કે કંઈ દુઃખ તકલીફ પડી હોય; એને છેવટે દાદા પ્રગટ થઈ જ જશે અને એનું કલ્યાણ થઈ જશે," એવું કહેતા અને અમે જોયેલું, એવા કેટલાય કિસ્સા જોયા છે અત્યાર સુધીમાં. એટલે એ વાત છે. કારણ શું છે? એ લોકો દુઃખ જ અનુભવતા નથી, પરમ સુખમાં પડેલો હોય અને તમે આમ થોડુંક દુઃખ મોકલાવો તો એને કંઈ થવાનું છે? એ તો દેહભાવથી પર થઈ ચૂકેલો હોય. તે વખતે એને દેહાધ્યાસ હોતો જ નથી. હવે દુઃખ તો બધું દેહને છે, અને મોટામાં મોટું મહાદુઃખ જે થાતું હોય છે કોઈને, તે તો અહંકારને થતું હોય છે.
તો અહંકાર તો તે વખતે ભગ્ન થઈને ભૂકો થઈને પડ્યો હોય, સરેન્ડર બિલકુલ ટોટલ, બરાબર? કારણ કે પરમાત્મા આવી ચૂક્યો છે, હાજર થઈ ગયો હોય ત્યાં આગળ. એટલે પછી પહેલાએ તો જવું જ પડે, સરેન્ડર થવું સરેન્ડર થઈ જ જાય. અહંકાર ખરેખર બહુ લુચ્ચો છે. એને જ્યાં સુધી ખબર પડે છે કે આ માણસ હજી બ્રહ્મમાં મજબૂત થયો નથી, ત્યાં સુધી એ "હું, હું" અંદર કર્યા જ કરશે; ગમે તે યેનકેન પ્રકારેણ કપટ કર્યા જ કરશે અને એની પ્રકૃતિ ઉછાળા માર્યા જ કરે બસ, એવું એ કર્યા કરશે. જેવી એને ખબર પડી ગઈ કે બસ, આ માર્ગે ચડી ગયો છે, એટલે ટાઢો, ટાઢો, ટાઢો, ટાઢો છેવટે સરેન્ડર થઈ જાય છે તરત જ ગાયબ! પછી ખોળો તોય ના મળે. અત્યારે દાદા કહે જ છે ને કે, "અમે તમારો અહંકાર લઈ લીધો, હવે જે બાકી રહ્યો છે એ તો તમારો ડિસ્ચાર્જ અહંકાર છે કે તમારે એટલું પૂરું કરવાનું".
કેમ? અહંકાર વગર તો ભાઈ તમારું શરીર ઊભું નહીં રહે ને? એટલા માટે થઈને આટલો ડિસ્ચાર્જ અહંકાર છે, જે તમને હવે હરકત કરતો નથી; એનાથી નવું ચાર્જિંગ થવાનું નથી, એ નવી પ્રકૃતિ બાંધતો નથી. એ જ કીધું હતું આપણને, બરાબર છે? તો એને જાણવાનું છે, આપણને સ્પષ્ટતા હોવી જોઈએ. આ દરેક બાબત આવી રીતે જાણી લીધું એટલે પછી મુક્તિ. એટલે કહે છે કે, "શરીરના અંત વેળાએ તેઓ દુઃખ અનુભવતા નથી". કારણ? કારણ શું છે કે મહાપુરુષોનો અંત તો જ્યારે પણ તે સ્વરૂપને પ્રાપ્ત કરી લે ત્યારે આવી જ જાય, એનો દેહાધ્યાસ ગયો. એનો અંત દેહનો... શું કીધું? શરીરનો અંત એ અંત નથી. જે પળે તમારો દેહાધ્યાસ... અત્યારે આમ નક્કી કરી નાખો કે, "આ દેહ હું નથી," અને જો તમારો દેહાધ્યાસ જતો રહ્યો, તમે એ વાત ઉપર કાયમ રહી ગયા, તો પૂરું થઈ ગયું કામ! તમારો ગયો એ ગયો ફાઇનલ.
એ તો એક જ વાર જતો હોય છે, પછી શંકા નહીં કરવાની કે ગયો કે ના ગયો. "છે કે ગયો?" આ શંકા, આ વૃત્તિ છે તે મનને પાછો ફરી જન્મ આપી દે છે, એટલે પાછો ફરી અહંકાર જીવતો થઈ જાય છે. "આહા! એક્સ્ટેન્શન મળ્યું કે આપણને, તો વાહ વાહ કે હવે મજા આવી! એલઆઈસીની પોલિસી લઈ લો કે આનંદ!" જે એક એન્ટીબાયોટિક આપો, પછી નેક્સ્ટ ટાઈમ હાયર એન્ટીબાયોટિક આપવું પડે, હા, એના માટે ઈમ્યુન થઈ ગયું. એ તો આ જ છે બાબત બિલકુલ. એટલે સ્વરૂપને જ્યારે પ્રાપ્ત કરો છો, તે જ પળે અંત તો આવી જ જાય છે દેહનો, દેહના અધ્યાસનો પણ. ત્યારબાદ તેમનું શરીર જે છે તે તો કેવળ રહેઠાણ બનીને રહે છે. હવે મહેલમાં રહેતો હોય કે ખંડેરમાં રહેતો હોય; સાઈબાબાની જેમ પેલી કોઈક તૂટેલી-ફૂટેલી મસ્જિદમાં રહેતા હતા કેટલા દિવસ સુધી, પણ એ જ રીતે રહેતા હોય. જેમ ખંડેરમાં રહેતા હોય ને, એવી જ રીતે મહેલમાં બી રહેતા હોય એમ.
એમની રહેણીકરણીમાં કોઈ ફેર ના પડી જાય, શું? મહાપુરુષ છે, પેલી પ્રકૃતિમાં હોતા જ નથી કોઈ વખતે કોઈ કાળે. જે સહજ પ્રકૃતિ એમની કેવી થઈ ગઈ હોય? બિલકુલ જાનવરોની જેમ હોય ને સહજ પ્રકૃતિ. કે જરૂરી લાગે ત્યારે સ્નાન કરી લે, જરૂરી લાગે ત્યારે ભોજન કરી લે, અને બસ જરૂરી લાગે ત્યારે થોડું સુઈ જાય. બાકીનો બધો ટાઈમ તો કે આ બધાયની અંદર હોય ને, તો પણ એમનું જે લક્ષ્ય છે આમ, એ તો ચાલુ ને ચાલુ, એ છોડતા નથી. આપણે એવું કહીએ છીએ કે, "હા ચલો, હું ૧૦ મિનિટ ધ્યાન કરવા બેસું". એ તો એવું કોઈ દાડો બોલતા નથી, તો એમાં જ હોય છે, નીકળતા જ નથી ને એમાંથી, છોડતા જ નથી, સમજાય છે? આપણે તો પાછો સવાલ પૂછીએ કે, "ભોજન કર્યા પછી ધ્યાન કેટલી વખત સુધી કરાય કે ના કરાય?" "સંશયાત્મા વિનશ્યતિ" આમ સમજી જવું તરત જ કે આનું નક્કી કે જવાનો છે, આ ટિકિટ લઈને આવ્યો લાગે છે!
ખબર પડી જાય આપણને. અમે તો છે ને, ટિકિટ વગરનાને શોધીએ. ખરેખર તો બધે તો આપણે તો કેવું છે, બોર્ડિંગ પાસ વાળો જોઈએ કે માણસ! "હા, બોર્ડિંગ પાસ છે કે ટિકિટ છે?" અમે તો એટલું જ ચેક કરીએ, બરાબર છે. એટલે શરીર જે છે તે તો કેવળ રહેઠાણ બનીને રહ્યું છે. લોકો જ્યાં જન્મ લે છે, એ પુનર્જન્મનું સ્થાન ક્યાં છે? શ્રીકૃષ્ણ કહે છે કે, "હે અર્જુન! મહત બ્રહ્મ એટલે કે અષ્ટધા મૂળ પ્રકૃતિ સર્વ ભૂતોની યોનિ છે, એમાં હું ચેતનરૂપી બીજ મૂકું છું. આ જળ-ચેતનના સંયોગથી તમામ પ્રાણીઓની ઉત્પત્તિ થાય છે". મિશ્ર ચેતન બને છે અને પછી એ બધું ઉત્પન્ન થયા જ કરે છે, પછી તો બધું આમ ઉત્પાદ, ધ્રુવ અને... સમજાયું કોઈ? જળ અને ચેતનના સંયોગથી ઉત્પત્તિ સામીપ્ય ભાવ છે, એટલા માટે જ, બસ બીજું કશું છે નહીં. આ જ વાત અહીંયા પણ છે અને અહીંયા પણ છે, જુઓ તમે ક્યાં દૂર છે?
બતાડો મને, એક્ઝેટ ટેલી થાય છે. ચેતનને જળ ને જળ અને ચેતનને ચેતન, બંનેનો સંયોગને જાણી લેવાથી વિયોગ ઉત્પન્ન થશે, તે સતત જાગૃતિ સાક્ષાત્કાર જ પ્રગટાવશે. પ્રકૃતિ જળ છે અને શુદ્ધ ચેતન શુદ્ધ જ છે અને એ ચેતન જ છે, એવું જ્યારે તમે જાણશો ત્યારે અને એની સતત જાગૃતિ પાછી તમને સાક્ષાત્કાર પહોંચાડી દેશે. શું કીધું છે એમણે કૃષ્ણ ભગવાને? એ જ કહે છે, "સતત જાગૃતિ પ્રગટાવશો." "હે કૌંતેય! બધી યોનિઓમાં જે-જે જીવો પેદા થાય છે, તે સૌની યોનિ, ઉત્પત્તિ સ્થાન, ગર્ભ ધારણ કરનારી માતા કોણ છે? વાસ્તવમાં આઠ ભેદો વાળી મૂળ પ્રકૃતિ છે". સ્થૂળમાં કોઈપણ માતા હોય પણ મૂળ તો ત્યાં છે, પહેલું તો ત્યાં થાય છે. એટલે મૂળ પ્રકૃતિ જે છે, તેની અંદર જે આઠ ભેદો વાળી છે અને, "હું જ તેમાં બીજારોપણ કરનારો પિતા છું." અન્ય કોઈ માતા-પિતા, ફુલ એન્ડ ફાઇનલ, પછી રડતા નહીં.
માતા-પિતા જાય ત્યારે થોડું રડી લેજો, "ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ" વ્યવહારિક તો રડવું પડશે. પણ જાણો અંદરથી, અંદરથી જાણો કે, "ભૂલ થઈ મારી, જ્યાં મૂળ પ્રકૃતિની અંદર આ બીજારોપણ થયું, ત્યાં સુધી મેં આ બધું કર્યા રાખ્યું હતું, ત્યારે મારે આ વખતે અહીંયા આવવાનું થયું; નહિતર હું તો ત્યારે બી છૂટેલો જ હતો." એવું હોવું જોઈએ, એને જ્ઞાન કહેવાય. અત્યારે હજી તો અહીંયા આવ્યા પછી હરખાયા કરે છે, હાર પહેરીને ફર્યા કરે બધા, ટાઈ-બાઈ પહેરે આમ, "કેવો લાગું છું?" જ્ઞાની પાસે જઈને બોલો છો, ખબર પડે તમને? કે છે ભૂંડે ટાઈ પહેરી હોય એવો... એવો લાગે છે! અને ત્યાં તો પેલી બાજુ છે ને બધે ઠંડા પ્રદેશના ભૂંડ તો બધા ગોરા-ગોરા હોય છે કે અને હૃષ્ટપુષ્ટ હોય પાછા જેમ-તેમ. કે તું અહીં છે, એ જ બતાવે છે કે તે કંઈક ભૂલ કરી છે. એટલે જ્ઞાની પુરુષ પાસે તમે જાવ ને એટલે આમ કરીને, "અલ્યા, તું અહીં ક્યાંથી?" એમ કરીને જુએ.
"અરે! તું અહીં ક્યાંથી? મને તો એમ કે તું ગયો, છૂટી ગયો છે." અચ્છા-અચ્છા, કારણ કે જો મહાપુરુષને સ્મૃતિ છે, એને નથી પણ એને જ્ઞાન છે, એટલે પાછો આમ જુએ એટલે જરાક આશ્ચર્ય પામે પાછો. ઓકે, ચાલો, હવે આગળનો કાર્યક્રમ શું છે? વોટ ઈઝ યોર નેક્સ્ટ એજન્ડા? આપણે ઘેર કોઈ ગેસ્ટ આવે, પછી આપણે શું પૂછીએ? કે, "ભાઈ, ક્યાં જશો, શું કરશો? કેટલા દિવસનો કાર્યક્રમ છે?" એવું જ કહો છો ને તમે? એક્સવાયઝેડ મહાપુરુષ તમને આ બધું પૂછે છે, બીજું કંઈ નથી. પછી તમે એમ કહો કે, "મારે... હું આ જગ્યાએ નોકરી કરું છું, આમ કરું છું, ફલાણું કરું છું, આટલા કમાઉં છું, તેમ કરું છું, પત્ની છે, પરણેલો છું, બે બાળકો છે અને એક એમ કે આમાં છે ને તેમાં છે ને..." એટલે કે, "અચ્છા!" શું આપણે પછી એમને પૂછીએ કે, "શું સમજ્યા તમે?" તો કે, "ગૂંચવાયેલો છે," એક જ વાક્ય બોલે પછી.
બીજું સારું, પછી કે હવે... કારણ કે હવે છૂટવું છે. સવાલ એ સામેથી પૂછશે કે, "સંતોષ છે જિંદગીથી? જે કરો છો એનથી આનંદ છે?" પેલો કે, "હા, બરાબર છે." "ઓકે, વેરી ગુડ, થેન્ક્યુ, ચાલો થેન્ક્યુ વેરી મચ" કરીને પછી મોકલી દેશે તો પ્રસાદ આપીને તમને. જ્યારે તમે કહો કે, "મારે તો હવે આ બધું... ઈચ્છા તો અમારી આમ આવી છે પણ આ બધું..." ત્યારે કે, "ઓકે, હવે તું કંઈક લાઈન પર આવ્યો લાગે છે. બોલ હવે, તું શું કરે છે ને શું કરવા માંગે છે?" એને ચકાસે, થોડુંક જુએ. "આવજે અહીંયા આવજે હો, જ્ઞાન લેજે, આમ કરજે, તેમ કરજે" એમ સમજાવે, કંઈક નાની-મોટી વસ્તુ એને આપી દે. પછી જુએ કે કેવું કરે છે. થોડો કંઈક ફેરફાર લાગે છે? "ક્રોધ, માન, માયામાં સારું લાગે છે? ઊંઘ આવે છે બરાબર? ટેન્શન ઓછું થયું ભાઈ તારું? બીપી ડાઉન થયું કે નહીં? ડાયાબિટીસ કાબુમાં આવ્યું કે નહીં?" અલગ-અલગ રીતે બીજા સવાલો પૂછીને બધી જાણકારી એ લઈ જ લે છે.
મહાપુરુષો તો મહાન ડોક્ટરો છે, એ તમને ભવરોગની ઔષધિ આપે છે અને તમારી સારવાર કરે છે. એને બધું ખબર છે, આમ જુએ એને ખબર પડી જાય, એવું... એવું એને એકદમ ચોખ્ખું હોય ને! અહીંયા ફોટો પડી જ જાય ફટ દઈને. એ તમને ક્યારેય પેલું કહેશે નહીં કે, "આમ જાવ, આ રિપોર્ટ કઢાવી લાવો" કે પેલું શું કહે છે, "સીટી સ્કેન કરાવી આવો". બધું અહીંનું અહીં એમની પાસે બધા બિલ્ટ-ઈન સાધનો, એટલે આમ કમ્પ્લેટ પેલા ડોક્ટરો હતા એવા આમ જુએ ને તરત કહે કે, "તને કમળો થયો છે," એની જ દવા લખી આપે, ત્રણ દાડામાં પેલાને સારું થવા માંડે ફટ દઈને. આમ જુએ, "તને શરદી થઈ છે, ચાલ કે તારો આ ઈલાજ છે". એવી રીતે મહાપુરુષ એક-એક જે સાધક છે ને, એમના પાસે આવનારો આ બધાનો એ ઈલાજ કરતા હોય છે. હવે એને શું પડી છે? જો કલાક બી આવી રીતે બેસે છે ને ભાઈ, તો એટલો ટાઈમ બી એને તો પોતાની અનુસંધાનમાંથી બહાર આવવું પડે છે.
પરમાત્મા એને કહે છે કે, "નહીં, મારા ખાતર." "ભગવાન, તમારો આદેશ બસ." એની મરજી નથી આ બધું કરવાની, એની ઈચ્છા નથી; પરમાત્માનો આદેશ, પછી બેસે પોતાને માટે નહીં, પરમાત્માના માટે, પરમાત્માના માટે આ સ્વરૂપે આવે છે. "ઓકે ચાલ, તારો બી ઉદ્ધાર થાય, મૂઢાત્મા થઈ ગયો છે ને, શુદ્ધાત્મા બનીને જતો રહે ઉપર ચાલ". આવી રીતે, એટલે કોઈ માતા-પિતા નથી, માટે અતિશય મોહમાં પડવું નહીં. જ્ઞાન એવું: કોઈ દીકરો નથી, કોઈ દીકરી નથી, કોઈ પત્ની નથી, કશું કાયમી નથી; બધાને તમે મૂકતા જ આવ્યા છો પાછળય શું? અને એમનો અત્યારે તો તમે વિચાર કરતા નથી, આ તો છે એનું દુઃખ છે તમને. ખબર છે કે છે, તો તેનું તમને દુઃખ થઈ રહ્યું છે. તમને એમ કહી દે કે નથી, તો પછી તો કોઈ પ્રશ્ન જ નથી. તમારો કોઈક રીતે તમને એમ સ્મૃતિ એમની હટાવી દેવામાં આવે, રાતે સુઈ ગયો હોય ને સવારે પછી આમ કરીને આમ હાથ ફેરવીને આમ કરી નાખવું તમારું, ચલો કે ગયું કે છે.
હવે શક્ય છે એને? જો પ્રાણિક હીલર માટે આટલું આસાન છે, તો મહાપુરુષ માટે કેટલું ડિફિકલ્ટ હોઈ શકે? સાયકોથેરાપીની અંદર આ કરતા, અમે તો પ્રાણિક સાયકોથેરાપીની અંદર સ્મૃતિઓ બધી હટાવી દો, ખતમ કરી નાખો. પણ જોવાનું એટલે કે છે કે, "જ્યાં સુધી જડ-ચેતનનો સંયોગ રહેશે, ત્યાં સુધી જન્મ થતો રહેશે." જડ ને ચેતન બેને તમે જો જોયા જોડે છે એમ, તો પછી તો એ થયા જ કરશે, જન્મ થયા કરશે. ભલેને કોઈને કોઈ તેનું નિમિત્ત તો બનતું જ રહે છે. તમારા માતા-પિતા તમારા આ દેહના જન્મના નિમિત્ત માત્ર છે, મહાપુરુષ આપણને આ સમજાવે છે. "તું ના રડ્યા કરલી સાલા! એમનો સમય થઈ ગયો, પ્રયાણ કાળ આવી ગયો અને એમણે વિદાય લીધી. વ્યવહારિક થોડું રડી લેજે, પણ થોડું જરા ક્રિયા-કર્મ કરીને શાંત થઈ જા ભાઈ. હવે ફરી પાછો જ્ઞાનમાં આવી જા. આ કશું કાયમી તો... કશી કશું કાઈ છે જ નહીં કે.
આ એક જ કાયમી છે જેની મને ખબર છે, બાકી બધું ઇમ્પર્મેનન્ટ ચાલ્યા જ કરે ગોલ, ગોલ, ગોલ, ગોલ..." ધાણી હતું ને? શું હતું, બોલતા હતા ભગવાન. હવે ચેતન આત્મા મૂળ પ્રશ્ન, "જળ પ્રકૃતિમાં કેમ બંધાય છે?" એના વિશે કહે છે આગળ. પ્રકૃતિથી ઉત્પન્ન થતા સત્વગુણ, રજોગુણ અને તમોગુણ નામના ત્રણ ગુણો અવિનાશી જીવાત્માને—અવિનાશી છે જીવાત્મા તો—એને દેહમાં બાંધી દે છે. કેવી રીતે બાંધે છે? એ ત્રણેય ગુણોમાં પ્રકાશ કરનાર નિર્વિકાર સત્વગુણ તો નિર્મળ અને શુદ્ધ હોવા છતાં પણ સુખ અને જ્ઞાનની આસક્તિથી દેહમાં આત્માને બાંધી રાખે. "આ દેહમાં મને શું મળશે? સુખ મળશે. આ દેહમાં મને શું મળશે? તો કે જ્ઞાન મળશે". એવી આસક્તિ રહી જાય છે, એટલે સત્વગુણી પણ ત્યાં આગળ દેહની અંદર બંધાય છે આવી રીતના. કે આ દેહથી જ આ બધું શક્ય છે એમ કરીને, પણ છેવટે બંધાયેલો રહે છે એવું.
એટલા માટે સત્વગુણ પણ બંધન જ છે. જો આ તમને ખબર પડી ગઈ, તો તમે આ બધાને ઉખેડી મેળશો, "હડો અહીંથી, જઈએ ચાલો". અંતર એટલું જ છે કે સુખ એકમાત્ર કોણ છે? પરમાત્મા છે. "અનંત સુખધામ છું" જે જ્ઞાન આત્મસાક્ષાત્કારનું બીજું નામ છે. આત્મસાક્ષાત્કારી પુરુષ બસ આમ, આનંદ, પરમાનંદ, આનંદ, આનંદ! કશું નથી જોઈતું એને, કંઈ નહીં. ના ખાવાની પડી હોય, ના બોડીની પડી હોય; "નો બોડી" એમાં એ ફરતો હોય બસ મસ્ત. "શરીર છતાં એ અશરીર ભાવે વિચરે, સર્વજ્ઞ તેને વંદન કરું છું" કીધું ને ? એટલે એવો છે એ, અશરીરી થઈ ચૂકેલો હોય છે કે, "મારું બોડી છે જ નહીં, આઈ એમ નો બોડી". અને પછી બસ જીવ્યે જતો હોય બસ, અને પાછો આટલું બધું કામ કરતો હોય બોલો! કોકનું આટલું દુઃખ તમે લઈ લો તો ઘા ઘા કર્યા કરો કે, "આ ભાઈને તો મેં આમ હેલ્પ કરી હતી, એમ કરી હતી, એમ કરી..." એમ કેટલું કરીએ!
આને તો ચૂપચાપ કેટલું બધું કરી નાખ્યું, તમને ખબર જ નથી પડવા દીધી ભાઈ. તમે જાણો તો તમે રડ્યા જ કરશો એ સદગુરુ માટે, એ મહાત્મા માટે, એ મહાપુરુષ માટે. તમને કેવો ભાવ હોવો જોઈએ? એવો અનન્ય ભાવથી તમે એને જે કંઈ કહ્યું છે, એ જે આચરણ કહે છે, એ જે આચરણ કરે છે તે પ્રમાણે કરજો. ભગવાન આ વાત કરી, એટલે કહે છે કે, "આત્મ સત્વગુણી પણ પરમાત્માનો સાક્ષાત્કાર ના કરી લે ત્યાં સુધી તો બંધાયેલો જ છે". અર્જુન! રાગનું જીવંત રૂપ એ રજોગુણ છે. કોઈના પ્રત્યે રાગ થવો, અનુરાગ થવો; અનુરાગ કોના પ્રત્યે થાય? પરમાત્મા પ્રત્યે, પણ રાગ થવો એ રજોગુણ છે. એને તું "કર્મ સંગેન" એટલે કે ઈચ્છાઓ અને આસક્તિથી ઉત્પન્ન થાય એવું તું જાણ. ચટણી ખાવાની પણ ઈચ્છા, ખજૂરની ચટણી, પાછા એવું કે, "ત્યાં મળે છે બહુ મસ્ત લાગે છે" અને સોસ ખાવાનો તો પેલો કોઝાની બાટલી વાળો જ હોય પણ કે, "આનો જ લેવાનો, બીજાનો નહીં લેવાનો" કે.
પાછો મૂકી દે લ્યો, હાથમાં લીધેલો હોય ને તો એ ના પાડી દે, એવી રીતના. એટલું બધું જડતાને વરી ગયેલા કે ના પૂછવાની વાત. એટલે ઈચ્છાઓ અને આસક્તિથી આ બધું ઉત્પન્ન થાય છે અને એ બંધાઈ જ જાય છે, એવું તું સમજી લે. તે જીવાત્માને કર્મ અને એના ફળની આસક્તિમાં બાંધી દે છે. "પરીક્ષા આપીશ એટલે પાસ થઈ જઈશ, પાસ થઈ જઈશ એટલે સારી નોકરી મળશે, સારી નોકરી મળશે એટલે સારો પગાર મળશે, સારો પગાર મળશે એટલે સારી બૈરી મળશે, રૂપાળી બી મળશે ભાઈ..." અને પાછો જઈને આમ-આમ પૂછ્યા કરે, "તું કેટલું ભણી? તને શું આવડે છે?" એમ કરીને. અત્યારે તો હવે છોકરીઓ બરાબર એ થઈ ગઈ છે, એટલે એ સામું પૂછે, "તને... તને શું આવડે છે? ખીચડી બનાવતા આવડે છે?" કેમ? તો કે, "હું તો એક્ઝિક્યુટિવ બનવાની છે, એટલે રાતે મોડી આવવાની. તારે રોટલી વણતા આવડે છે?" સામે પૂછે, અત્યારે તો બરાબરની થઈ જાય.
હવે તો જો, હવે જે વખતે એ પુરુષ દેહમાં હતો ત્યારે એણે જે આ બધું કર્યું હતું, સામે આવી ગયું. અત્યારે આ સ્ત્રી દેહે એની સામે આવી જાય કે, "તું બરાબરનો... તે મને અત્યાર સુધી આવું વિતાડ્યું હતું, હવે મારો વારો! કે તારા દરેક સવાલ જે હતા ને, એ દરેકનો હું તને જવાબ આપીશ ને પછી હું હવે તને સામો સવાલ પૂછીશ" કે તો આવી આ વેરભાવથી બંધાવ્યું છે બધું. તમને એમ લાગે છે કે રાગથી બંધાવ્યું છે, પણ આગળ આગળ જાણશો કે આ તો બધું દ્વેષથી નર્યું બંધાયેલું. એટલે કહે છે કે, "ઈચ્છાઓ ને આસક્તિથી ઉત્પન્ન થાય છે આ કર્મ સંજ્ઞા બધી, અને તે જીવાત્માને કર્મ અને એના ફળની આસક્તિમાં બાંધી રાખે છે". સ્ટ્રોબેરી નહીં, આજકાલ તો પેલું બહુ ચાલ્યું છે, કયું? એવોકાડો. ના ખાધું હોય તો પેટમાં ગોટો ચડે અને જુએ તોય ગોટો ચડે. એ મગજમાં, "હું એવોકાડો ખાઉં છું." ત્રણ જણને કહી આવશે, "આજે તો અમે ખાધો એવોકાડો".
એટલે કર્મમાં આસક્તિ કર્યા જ કરાવડાવે, પછી એવી રીતના થાય. હે ભારત! બધા જીવોને મોહમાં જ પાડી નાખનાર એવા તમોગુણને અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલો જાણ. તે જીવાત્માને પ્રમાદ (એટલે વ્યર્થ ચેષ્ટાઓ), આળસ ("આજે કરીશ, કાલે કરીશ" વાળી વૃત્તિ—પ્રોક્રેસ્ટીનેશન, "પછી હવે આગળ દેખા જાયગા" વાળું જે કંઈ ઊભું થાય છે તે બધું) અને નિદ્રા વડે દેહમાં એને બાંધી રાખે છે. અહીં નિદ્રાનો અર્થ, તમોગુણી વધારે-વધારે ઊંઘે છે એવું કે શરીર વધારે સુવે છે એવું નથી. જગત જ રાત્રિ છે, તમોગુણી વ્યક્તિ આ જગત રૂપી રાત્રિમાં દિવસ-રાત વ્યસ્ત રહે છે; તે સૂતેલો જ છે, તે પ્રકાશ સ્વરૂપ પ્રતિ અચેત રહે છે. એ એને ગુણો લાગુ પડી જાય છે, અભાવ રહે છે. આ તમોગુણી નિદ્રા છે, જે વ્યક્તિ એમાં ફસાયેલો એ તો સૂતેલો જ છે. કેટલા જાગે છે? તપાસ કરો જરાક. હવે આ ત્રણ ગુણોનું બંધનનું સામૂહિક સ્વરૂપ જાણી લો, હે અર્જુન!
સત્વગુણ સુખમાં ચોટાડી રાખે છે, આમ કરીને આમ શાશ્વત પરમ સુખની ધારામાં જોડી દે છે તમને. રજોગુણ કર્મમાં પ્રવૃત્ત રાખે છે તમને, અને તમોગુણ જ્ઞાનને આવરી લઈને પ્રમાદમાં એટલે કે અંતઃકરણની વ્યર્થ ચેષ્ટાઓમાં, ભાંજગડમાં મશગૂલ રાખે છે. જો ગુણ એક જ સ્થાન પર એક જ હૃદયમાં છે, અહીંયા આગળ છે, તો પછી અલગ-અલગ કેવી રીતે વિભક્ત થઈ જાય છે? આ અંગે શ્રીકૃષ્ણ કહે છે કે, "હે અર્જુન! રજોગુણ અને તમોગુણને દબાવીને સત્વગુણ વૃદ્ધિ પામે; સત્વગુણ અને તમોગુણને દબાવીને રજોગુણ, અને સત્વગુણને દબાવીને તમોગુણ વૃદ્ધિ પામે". અત્યારે કયો ગુણ કામ કરી રહ્યો છે તે કેવી રીતે ઓળખી શકાય? જ્યારે આ દેહમાં તથા અંતઃકરણ અને બધી ઇન્દ્રિયોમાં ઈશ્વરીય પ્રકાશ... જો, ઈશ્વરીય પ્રકાશ અલગ, આવા પ્રકાશને ઈશ્વરીય પ્રકાશ સાથે સરખામણી ક્યારેય ના કરી બેઠે, કલ્પનામાંય નહીં આવે એવો છે ઈશ્વરીય પ્રકાશ.
અને એ તો જ્યારે આમ આવશે ને એટલે ખબર પડી જ જશે કે આ એ છે, કોઈને પૂછવાની જરૂર નહીં પડે. પણ જો કોઈ ભ્રાંતિમાં પડેલા રજોગુણી-તમોગુણી હોય ને, આંખો મીંચીને ૧૦ મિનિટ બેસે કે, "મને દેખાયું, મને દેખાયું, મને દેખાયું!" શું દેખાયું? કે તને કશું નથી દેખાયું હજી. મહાપુરુષ જાણતો હોય, બોલે નહીં: "અચ્છા, વેરી ગુડ, બહુ સરસ, ચાલુ રાખ તું જે કરતો હોય, આગળ વધ. આગળ તારી સાધના બરાબર ચાલે છે ને?" એને તો એનાથી મતલબ છે, બીજા કશાથી નથી. એટલે સમજવું કે, "આ દેહમાં ઈશ્વરીય પ્રકાશ અને જ્ઞાન ઉત્પન્ન થવાના સંયોગી ભાવો ઉત્પન્ન થાય, ત્યારે સમજવું કે સત્વગુણની વૃદ્ધિ થઈ જ રહી છે." અત્યારે તે એક્ટિવ છે અને બીજા બે ડોર્મન્ટ છે—સુષુપ્ત છે, આમ કશું નથી. આવું કામ, બધા કામથી પરવારી ગયા એટલે આપણને ઈચ્છા થાય કે, "ચાલો, હવે હું આમ બેસું કે ઈશ્વર પ્રણિધાનમાં આમનું અનુસંધાન કરીએ" કરીને આપણે આમ એવું જ્યારે થાય, ત્યારે સમજજો કે આ સત્વગુણ એક્ટિવ થયો અત્યારે.
એવી રીતે આ બધા ગુણોને ઓળખવાના છે. અને એ વખતે તે એક ગુણ એક્ટિવ છે સત્વગુણ અને બીજા બે કેવા થઈ ગયા? ડોર્મન્ટ થઈ ગયા, સુષુપ્ત થઈ ગયા. "હે ભારત શ્રેષ્ઠ! જ્યારે લોભ, પ્રવૃત્તિઓ, કર્મનો આરંભ, મનની ચંચળતા તથા વિષય ભોગોની લાલસાઓ ઉત્પન્ન થાય..." મજા આવી ગઈ કે, "ચાલો આપણે ફરી કરીએ" અથવા તો કંઈક હોય, "ચાલો આપણે કંઈક નવું કરીએ". અલ્યા ભાઈ, શું તારે નવું કરવું છે? એવી કોઈ પ્રવૃત્તિ હોય, કોઈ લોભની પ્રવૃત્તિ થાય. પેલું કરે છે ને લોકો, શું કહે છે? પિરામિડ બનાવવું કે છે. એનો પિરામિડ કશાકનો બનાવે છે ને આમ, એક જણ હોય તો બીજા બે જણને મૂંડે, ને એ બે જણા પાછા બીજા બે જણને મૂંડે ને, એમ કરતાં-કરતાં-કરતાં આગળ ચાલે બધું. છેવટે બધાય મૂંડાઈ ગયા હોય, ખબર પડે ત્યારે હારું બે-ત્રણ વર્ષ વીતી ગયા હોય ને બહુ મોડું થઈ ગયું ને બધાના બે-ચાર, બે-ચાર લાખ જતા રહ્યા હોય!
હવે આવા ૪૦-૫૦ લાખ માણસો લૂંટાઈ જાય ત્યારે બહુ મોટો હોબાળો થાય, ખબર પડે કે યાર, એક લોભી ધુતારો હતો ને આટલા લોભિયાને લૂંટીને જતો રહ્યો કે! "હવે ક્યાં છે?" તો કે, "પેલી બાજુ બેઠો છે ક્યાંક, કયું છે? ડોમિનિકા કે એવું કહે છે ને, ત્યાં જતા રહેશે અત્યારે બધા તો". એટલે એવી કોઈપણ જગ્યા કે જ્યાં આગળ એ લોકો છુપાઈ શકે અને એમને આ દેશના કાયદાઓ એને પકડી ના શકે, એવી કોઈ જગ્યા ખોલી કાઢે ને એ લોકો. એ તો બધા પહેલેથી તૈયાર કરીને બેઠા હોય, શું એમને બધું ખબર હોય. હવે તમોગુણની વૃદ્ધિ થાય ત્યારે શું થાય? તો કે અપ્રકાશ, એટલે પ્રકાશ સ્વરૂપ આત્મા—જે પ્રકાશ જે છે એ પરમાત્માનો દ્યોત છે—ઈશ્વરીય પ્રકાશ તરફ આગળ ન વધવાનો સ્વભાવ. કાર્યમ્ કર્મ, જે કરવા યોગ્ય કાર્ય વિશેષ છે તે ન કરવા વિશે, "આજે રહેવા દો ને, જરા ઠીક નથી, કે નથી બેસવું." રોજ કલાક બેસતો હતો, "આજે નથી બેસવું." એવું જ્યારે થવા માંડે, ત્યારે સમજવું કે આ તમોગુણ અત્યારે બિલકુલ એક્ટિવ થઈને ઉપર આવી રહ્યો છે.
હવે એ સમય યુદ્ધ કરવાનો છે વાસ્તવમાં. ત્યાં બેસીને તમારે એ કાર્યમ્ કર્મ જે છે, નિર્ધારિત કર્મ જે છે, ઈશ્વર પ્રણિધાનનું જે કર્મ છે, જે યજ્ઞ છે તે તમારે કરવા બેસી જવું જોઈએ. પણ જો તમોગુણ હાવી થઈ ગયો, તે દિવસે બેસવા દેતો નથી. પછી આ દિવસે છોડી દીધું, હવે ટેવ પડશે એની, સ્મૃતિ અંદર સંગ્રહ થઈ ગઈ. ફરી વખત એવું થશે, એટલે તમે ફરી એવું જ કરશો. ધેટ ફોર્મ્સ હેબિટ. ધીરે-ધીરે, ધીરે કરતાં-કરતાં-કરતાં તો ક્યારે છૂટી જશે ને સતકર્મ જે આજે તમે કરતા હતા, સતકાર્ય કરતા હતા, ઈશ્વરના સાક્ષાત્કારના જે વિચારો ધરાવતા હતા એ બધું તો ક્યાં વરાળ બનીને જતું રહ્યું ખબર નહીં પડે. માટે સાવધાન! અંતઃકરણમાં વ્યર્થ ચેષ્ટાઓનો પ્રવાહ અને સંસારમાં મુગ્ધ અને લુબ્ધ કરનારી પ્રવૃત્તિઓ આ બધું ઉત્પન્ન થાય છે. આ ગુણોની જાણકારીથી શું લાભ થશે? આ તમે જાણી લીધું, હવે તમે એને શોધો તમારા જીવનમાં આવું ક્યાં-ક્યાં થઈ રહ્યું છે.
ભગવાનની સલાહ આજે વાંચવાની વાત નથી આ બધી. એટલે વાંચીને બેસી રહેશો તો પતી ગયું, પછી તો સ્મૃતિના સંગ્રહમાં જતું રહ્યું કે, "મેં આજે ગુણત્રય વિભાગ વાંચી લીધો, ૧૪મો અધ્યાય બસ પૂરું થઈ ગયું" કશું છે નહીં. ભગવાને એવું નથી કીધું આની અંદર. એમ કહે છે કે, "આ ગુણોની જાણકારીથી શું લાભ થશે એની તપાસ કરો, ક્યાં-ક્યાં ગુણો ક્યારે એક્ટિવ થઈ રહ્યા છે એ પણ બતાવ્યું તમને, એને શોધો." આ જગ્યા છે યુદ્ધ કરવાની. એ ગુણો પર વિજય પ્રાપ્ત કરવાનો છે, એ ગુણોથી ઉપર ઊઠવાનું છે, મૂળ કામ તો હવે કરવાનું છે એની ઉપર. એટલે કે છે કે, "સત્વગુણની વૃદ્ધિ થઈ હોય તે વેળાએ જીવાત્મા મૃત્યુ પામે, શરીર ત્યાગ કરે, તો ઉત્તમ કર્મ કરનારા નિર્મળ દિવ્ય લોકને પામે છે. જો રજોગુણની વૃદ્ધિ થઈ હોય ત્યારે વ્યક્તિ મૃત્યુ પામે, તો તે કર્મની આસક્તિ વાળા મનુષ્યોમાં જન્મે છે.
અને તમોગુણની વૃદ્ધિ થઈ હોય ત્યારે મૃત્યુ પામે, તો તે મૂઢ યોનિઓમાં જન્મ પામે છે." સમજાય છે અત્યારે? આ જો આખી સૃષ્ટિની અંદર તમે આમ કરીને આમ જોશો, તમને દેખાશે કે રજોગુણ અને તમોગુણ પ્રધાન થઈ ગયા, સત્વગુણ ક્યાંક દબાઈ રહ્યો છે, ચગદાઈ ગયો છે બિચારો. ખરેખર તો અત્યારે તો ચીસો પાડે છે, "મને બચાવો, મને બચાવો!" વાસ્તવમાં ત્રણમાંથી એકેને બચાવવા જેવા નથી, આની પર દયા ના રાખશો, ભગવાન એમ કહે છે. "કાપી નાખ ત્રણે ત્રણને," કે છે બિલકુલ નિર્દયતાથી કાપી નાખ. જ્યાં-જ્યાં તારે દયા કરવાની છે ત્યાં તું નિર્દયતા કરે છે, અને જ્યાં તારે નિર્દયતા કરવાની છે ત્યાં તું દયા દાખવે છે એમ તો ફસાયેલો છે. આ તારી ગૂંચ છે, કે તારી ગૂંચનું સ્વરૂપ તો જાણ તું પહેલા. ગૂંચવાડો થયો છે ને? જ્યાં કીટ-પતંગ સુધીની યોનિઓ વિસ્તરેલી છે, એવી મૂઢ યોનિઓમાં જન્મ થાય છે.
તેથી ગુણોમાં પણ મનુષ્યએ સાત્વિક ગુણોવાળા થવું જોઈએ, સાત્વિક મનુષ્યના ત્યાં જન્મ થાય એટલીસ્ટ એટલું તો કંઈક તમારે કરવું જોઈએ; કે તમે થોડાક આગળ વધી શકો. પ્રકૃતિની આ બેંક આપના અર્જિત ગુણો મૃત્યુ પછી પણ આપને પાછા સુરક્ષિત આપે છે, જેમ છે તેમજ ધરી દેશે કે, "લો ભાઈ, આ તમારી જ હતી એફડી, અમારે ત્યાં ડિપોઝિટ હતી". પ્રકૃતિ તો બેંક છે, એને તો બીજું કંઈ કરવાનું નથી. બોલો, આ બી એક અભિગમ છે, સમજી લો દ્રષ્ટિકોણ છે ને? પ્રકૃતિ એક બેંક છે, એમાં ત્રણ ગુણો તમે ડિપોઝિટ કર્યા જે કંઈ કરી-કરીને, તે જ તમને મૃત્યુ પછી પાછા આપે છે; તેના પ્રમાણે જ તમારું નવું બધું બોડી બને છે, તમારું બધું બને છે. જેમ ખરેખર આખો તો સંસાર રચાય છે ને, તેની રચના એવી જ રીતે થતી હોય છે. સાત્વિક કર્મનું ફળ સાત્વિક અને નિર્મળ સુખ, જ્ઞાન અને વૈરાગ્ય વગેરે હોય છે.
જો વૈરાગ્ય હોય ને, એ સાત્વિક ફળ છે, સમજાય છે? રાજસી કર્મનું ફળ દુઃખ હોય, દુખાવો થાય અને દુઃખ થાય. શરીરમાં દુખાવો થાય અને મનમાં દુઃખ થાય, રાજસી કર્મનું ફળ આવ્યું ખબર પડવી જોઈએ આપણને, સમજાયું? અને નિર્મળ સુખ વર્તાતું હોય, આનંદ હોય, જ્ઞાનનું આમ થતું હોય, ત્યારે સમજવું કે આ જો સાત્વિકતાનું ફળ આવ્યું છે. આપણે ખબર તો પડવી જોઈએ ને કોણે આપ્યું, ક્યાંથી મોકલ્યું, શું થયું? ਪ੍ਰકૃતિની બેંકમાંથી આવ્યું છે, કેમકે ત્યાં ડિપોઝિટ કરી હતી ને આ બધી, ત્યાંથી આવી છે પાછી. અને તામસી કર્મનું ફળ શું છે? અજ્ઞાન, અંધકાર, સૂઝ જ ના પડે શું કરવું. બધુંય હોય તોય સૂઝ ના પડે, માણસ એવો ચકભમ થઈને રહ્યો હોય. બે-ચાર સીએ રાખે, ત્રણ-ચાર વકીલો રાખે, બધુંય કરે પણ સૂઝ પડતી નથી. સાવ ચકભમ, બબૂચક જેવો થઈને રહી ગયો હોય પછી. આ બધુંય હોવા છતાં, પહેલા તો હતું એ જ બધું, પણ બસ આ ટાઈમ એવો આવ્યો, ફળ આવ્યું એનું, જેવો આવો થઈને રહેશે.
મોટા મહેલમાં રહેતો હોય, નોકરોએ હસ્યા કરે એની સ્થિતિ ઉપર કે, "જો, આ દશા થઈ ગઈ શેઠની તો અમારી..." સત્વગુણથી જ્ઞાન ઉત્પન્ન થાય, ઈશ્વરીય અનુભૂતિનું નામ જ જ્ઞાન છે. ઈશ્વરીય અનુભૂતિનો પ્રવાહ વહે છે. રજોગુણથી લોભ, અને તમોગુણથી પ્રમાદ, મોહ, આળસ, અજ્ઞાન—આ બધું ઉત્પન્ન થાય. હવે આ ઉત્પન્ન થઈને કઈ ગતિ આપે છે? તો ભગવાન કહે છે આગળ કે, "સત્વગુણમાં સ્થિત મનુષ્ય ઉર્ધ્વમૂલમ્ ઊંચે પરમાત્મામાં ઉપર ઊઠે છે અને તે નિર્મળ લોકમાં જાય છે". કયા લોકમાં? નિર્મળ લોકમાં. મહાવિદેહ ક્ષેત્રે વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સીમંધર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ. નિર્મળ લોકમાં જાય. რજોગુણ વાળો મનુષ્ય વચલા મનુષ્ય લોકમાં જ જન્મે. અહીં બધી એક્ટિવિટી ચાલ્યા જ કરવાની બહુ. હજી તો બધું પેલું લાવવાનું છે ને આપણે—હાઇપરલૂપ ને બધા મોટા-મોટા વિમાન ને ફાસ્ટ વિમાનો ને એવું બધું કઈક.
જુદી જાતના ઘરોમાં બધા રહેતા હશે આ, પછી તો આ બધું મટીરીયલે બધા બદલાતા જાય જુઓ. તમારા દાદાઓએ તો જાણ્યું નહોતું એવા બધા મટીરીયલો બધા અત્યારે વાપરી રહ્યા છીએ, હવે પછી જે આવનારું છે તેની વાત છે આ. એ તો બધા આર્કિટેક્ટો અત્યારે તો તૈયાર થઈ રહ્યા છે. જેની પાસે સાત્વિક વિવેક, વૈરાગ્ય નથી, એવા તો કીટ-પતંગ જેવી અધમ યોનિમાં જાય છે, વારંવાર પુનર્જન્મ પ્રાપ્ત કરે છે. અડધો કલાકનું આયુષ્ય હોય, કીડી મટી મકોડો બન્યો, મકોડો મટ્યો પતંગિયું બન્યો, પતંગિયું ઉડી મટી ગયું અને કંઈક પક્ષી બની ગયું—ચકલી-બકલી બન્યો. ચકલીમાંથી પાછો કંઈક મોટું બન્યો પક્ષી, પાછો વળી પાછો કોક પશુ બન્યો. આમ ચાલ્યા કરતું હોય એનું, થયા જ કરે, થયા જ કરે. આઠ ભવ સુધીને તો પાકું લેસન એનું વારાફરતી વાર રાખે, ને કેવો ભય વ્યાપે! દર પળે એને આમ વ્યાપેલો ને વ્યાપેલો હોય કે, "મારાથી ઉપરવાળો જેવો આવ્યો, મને ખાઈ જશે".
અરે! મનુષ્યમાં અત્યારે તો આવું થઈ રહ્યું છે. મોટો અધિકારી હોય તો પેલા છોટાને હા આમ કરીને હાવું કરે એટલે બસ પતી ગયો તારો બે ઇન્ક્રીમેન્ટ સ્ટોપ, તે ગુનો કર્યો છે કરીને. પેલો બિચારો કે, "સાહેબ, માર્યો જઈશ, ખાઈશ શું? મારે તો લોન છે, હાઉસિંગ લોન છે" તે લઈ જાય, "ના" કે છે બસ. અધિકારનો દુરુપયોગ એનું ફળ અધમગતિ. આજે તો અધિકારી છું, પછી? પછી એ જ પટાવાળો ઉપર બેઠો હોય મનુષ્ય લોકમાં ને આ ભાઈ નીચે પાંખો ફફડાવતો હોય બેઠો-બેઠો. તો આ બધું દેખાય જ્ઞાની પુરુષોને. સમજાય છે તમને? સમજાય છે આવું થાય છે એમ? કંઈક બેસે છે ખરું મગજમાં? આ બધી ગપોડી વાતો નથી ભગવાને કહેલી છે જો. એટલે આ તો એની સમજણ તમને, એટલે-એટલે અધમ યોનિમાં જાય છે આવા લોકો. આ રીતે ત્રણેય પ્રકારના ગુણો કોઈને કોઈ યોનિનું કારણ બને છે. હવે જો તમારે આમાંથી પાર ઉતરવું હોય, તો આ ત્રણેય ગુણો પર વિજય પ્રાપ્ત કરી લો, એનાથી ઉપર ઊઠી જાવ.
જે મનુષ્ય આ ત્રણ... આ ગુણોને પાર કરી લે છે, તે જન્મ બંધનમાંથી છૂટી જાય છે અને મારા સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે. એ વિશે કહે છે કે, "જે કાળમાં દ્રષ્ટા આત્મા, જે કાળમાં દ્રષ્ટા આત્મા—આ સમજી લો—ત્રણ ગુણો સિવાય, ત્રણ ગુણો સિવાય બીજો કોઈ કર્તા નથી તેમજ આ ત્રણેય ગુણોથી અત્યંત પર એવા પરમ તત્વને વેત્તી એટલે કે જાણી લે છે, તે ક્ષણે તે પુરુષ મારા સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે". "હું શુદ્ધાત્મા છું" જાણી લીધું, અનુભવી લીધું, તમે મુક્ત! તમે જાણી લીધું કે આ ત્રણ ગુણો મારા નથી, તમે મુક્ત થઈ ગયા ફોરેવર. હવે કોઈ જન્મ નથી કોન્ફિડન્ટલી એટલા માટે કહી શકાય એમ છે. જો તમે આ જાણી લીધું, તમે જાણ્યું કે આ જે એક્ટિવિટી છે એ ત્રણ ગુણોના લીધે છે, એ મારી નથી, મારામાં હોય જ ના શક્ય. કારણ કે હું નિર્મળ આકાશ છું, ચિદાકાશ છું, આની અંદર શક્ય જ નથી કે...
કાલે જ કહ્યું હતું ને કે આ આકાશની અંદર જરા કાળું પેસીને પેન્ટનું એક મારી આવું કે એક ચિત્ર દોરી લાવું, કે શક્ય છે? તો એટલું જ અશક્ય છે આત્માની અંદર કંઈ ચિત્રામણ કરવું. કોઈપણ ગુણોનું ચિત્રામણ પ્રકૃતિના આત્માની અંદર અંકિત થઈ શકે એવું નથી, અશક્ય છે સમજી જાવ પહેલા જ. એટલે તમે પછી શું કહે છે? આનંદ કરો, "હું મુક્ત છું." જાણીને મુક્તિ છે, આ જાણતા વેંત મુક્તિ છે. આ વિદ્યા છે, આ બ્રહ્મવિદ્યા છે. બ્રહ્મવિદ્યામાં એવું જ કહેવામાં આવે છે ને? બ્રહ્મવિદ્યા અંતર્ગત આ જે ગીતા છે તે ઉપનિષદ... શું એવી રીતના કહેવા યોગશાસ્ત્રી આ બધું બોલે છે જો, છેલ્લે નીચે લખેલું હોય છે. બધા બોલ-બોલ કરે છે, વાંચ-વાંચ કરે છે, સમજણ કઈ છે? સમજણ જોઈશે ને, સમજણ કઈ છે? એટલે આ ખ્યાલ આવી ગયો. "જે કાળમાં..." એટલે કયો કાળ? અત્યારે જો તમે કરો તો, "હિયર એન્ડ નાવ" એમ કહેવા માંગે છે.
જે ક્ષણે... જો, આ શાસ્ત્રીય ભાષા છે એટલા માટે અહીંયા તમારે આમ, જે કાળ દરમિયાન જો તમે આવી સ્થિતિમાં રહ્યા છો અને તમે આટલું જાણ્યું છે, એટલો કાળ પણ તમે મુક્ત થઈ જશો કર્મોથી. એનો અર્થ એ થયો કે જો આ તમે જાણી લીધું, પછી આ તમારા માટે કાળનું અસ્તિત્વ રહેતું નથી, તમે શું થઈ ગયા છો હવે? અકાલ. હવે શું થઈ ગયા? અકાલ થઈ ગયા, તમે કાળથી પર થઈ ગયા. નામ, રૂપ, દેશ અને કાળ—ચારેયથી જેવો મુક્ત થયો, "હું શુદ્ધ આત્મા છું." બસ આનંદ કરવાનો, વિશુદ્ધ આત્મા. એમાં કશું થઈ શકે એવું છે જ નહીં ભાઈ. "એ જ ભ્રાંતિ છે, એ ભ્રાંતિ છે" એમ બોલ-બોલ કરે છે આ લોકો. "એટલે તને આવું થાય છે તો તું ભ્રાંતિમાં છું, આવું થાય છે તું ભ્રાંતિમાં છું, આવું કરે છે તો કે એ તો મિથ્યા છે". સમજાતું નથી કે યાર, આવું કેમ બોલ-બોલ કર્યા કરે છે, બસ તકલીફ ત્યાં થાય છે.
આપણા બધા સારા છે, સમજવું છે દરેકને. સમજાવનારો જ હોય, સમજાવનારો આવી જાય તો ક્યારે મળે તમને? એનો સંયોગ ક્યારે થશે? તમારા પુણ્યના ઉદય થશે તે વખતે, એ જ કહેલું છે ને? ત્યાં સુધીને તો મેળ પડવાનો જ નથી. તો તમારી કોટિ જન્મોની પુણ્ય પાકે છે, જ્યારે તમને કોઈક મહાપુરુષ આવી બાબતો સમજાવવા માટે બેસે, પોતાનો સમય આપે છે. પોતાના જીવનનો અનમોલ ટાઈમ છે. હવે એને આદેશ છે—હી ઈઝ અન્ડર ઓર્ડર. પ્રેસિડન્ટના જેમ હોય ને એવી રીતે, બહુ મોટો આઈએસ અધિકારી હોય ને એ પણ એવું કહે: "અન્ડર ઓર્ડર ઓફ પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયા આ કામ હું કરું". એવી રીતના, "એ પુરુષ મારા સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે." એટલે ગુણો ગુણોમાં જ વર્તે છે, એ બૌદ્ધિક માન્યતા નથી. આ કોઈ ઇન્ટેલેક્ચુઅલ એમ જેને કહેવાય એવી કોઈ સત્યતાની વાત નથી, બિલીફ નથી ઇન્ટેલેક્ચુઅલ, એ તો હકીકત છે.
તમે આમ જોઈ શકો છો, તમે જાણી શકો છો જો જાણવું હોય તો. સત્ય છે, સાધના કરતાં-કરતાં એક એવી અવસ્થા અવશ્ય આવે છે કે જ્યાં પરમની અનુભૂતિ થઈ જાય છે. ગુણો સિવાય કોઈ કર્તા દેખાતો નથી, પરમ સમયે પુરુષ ત્રણેય ગુણોથી પર થઈ જાય છે. આ કલ્પિત નથી, પ્રાઈમ ટાઈમમાં આવું જ બને છે. પુરુષ આ સ્થૂળ દેહની ઉત્પત્તિનું કારણરૂપ આ ત્રણેય ગુણોને પાર કરી દે, એટલે જન્મ, મૃત્યુ અને વૃદ્ધાવસ્થા... કે છે ને "જન્મ મૃત્યુ જરા વ્યાધિ આ બધા પીડિતમ્ કર્મબંધને" તો એનાથી એ સર્વ પ્રકારના દુઃખોમાંથી વિશેષ રૂપે મુક્ત થઈ જાય છે. ખાલી મુક્ત થાય છે એવું નથી, વિશેષ રૂપે મુક્ત થઈ જાય છે અને અમૃત તત્વનું પાન કરે છે. પરમાત્માની પેલી શું કહેવાય, કેવી પ્રિવિલેજ લોન્જ? હં, પ્રિવિલેજ લોન્જમાં બેસાડીને પછી તમને અમૃત તત્વનું પાન કરવામાં આવે છે. અમને ત્યાં બેસાડ્યા હતા વીએચ...
એમાં વીએચએફ ઓફિસમાં પ્રિવિલેજ લોન્જ કાઢી હતી, એની અંદર બેસો કે, "તમે... તમારું કામ અમે કરીશું. કોફી-બોફી પીવો, બિસ્કિટ ખાઓ, નાસ્તો કરો". એવી રીતે અહીં જો આ ફેસિલિટી આપે છે, લાલચુ લોકો! પરમાત્માને ત્યાં તો બધું એકદમ ફ્રી છે, એકદમ, પણ ચાર્જ તો લેવામાં આવશે તમારી પાસે. શું? ત્રણેય ગુણોનો ચાર્જ તમે છોડી દો. "ત્રણેય ગુણો મારા છે" એવો કર્તા ભાવ જે ધારણ કરો છો એને બંધ કર, બસ. આટલી સમજણ રાખશો એટલે તમે... યુ આર અલાઉડ, "બેસો બેસો કે, અમારે ત્યાં બહુ જગ્યા છે, કોઈ હોતું જ નથી કે શું અહીંયા તો કોઈ હોતું જ નથી કે છે." આવું તો કોક જ મળે ને કે. એટલે આગળ ભગવાને કહેવું પડ્યું કે, "કરોડોમાં કોક જ મને તો જાણે છે ભાઈ". આ બધાયની અંદર હું હોવા છતાંય, આ જો હું ખોવાયો, એટલે શુદ્ધ ચેતન જે છે તેને જ પોતાનું ભાન ગુમાવી બેઠો, આવી સ્થિતિ થઈ.
ગુણો ઉપર ચડી બેઠા છે ત્યારે આવું થયું. હવે તમારે જો એક ગુણ ચડાવી હોય પાંચ મણની ઘઉંની માથે તો તમે શું થાય? "હું, હું" કરતા દબાઈ જ જાવ ને! ગમે એટલા બળવાન હોય તમે ૫૦, ૬૦, ૭૦ કિલોના છો, હવે પેલી ૧૦૦ કિલો... અત્યારે ઊંચકાતું હશે કોઈથી? બસ આ હાલત, આ તો ત્રણ ગુણો ચડાવે છે ઉપર, "આવી જા" કે છે. કેવો દબાય, કેવો ચગદાય, બૂમાબૂમ કરી મૂકે પણ કોઈ બચાવનારું નથી ભાઈ. "તેં જ ચડાવી હતી કે આવવા દે" કે છે, "ત્યારે તો પછી મજા લેતો હતો તું, કેમ હસો છો, વાંધો નહીં કે આવવા દે, આવવા દે આ ચડાવી આપી". એટલે હવે જ્ઞાતુ પુરુષ આ સ્થૂળ દેહની ઉત્પત્તિના કારણો રૂપ આ ત્રણેય ગુણોને પાર કરી લે છે અને જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થાને સર્વ પ્રકારના દુઃખોમાંથી મુક્ત થઈને અમૃત તત્વનું પાન કરે છે. અહીં ફરી અર્જુને પ્રશ્ન પૂછ્યો: "પ્રભુ, એક મિનિટ" કે, "એક્સક્યુઝ મી" એવું ના કીધું એને, શું કીધું?
"હે પ્રભુ! આ ત્રણ ગુણોને તરીને પાર ઉતરનાર મનુષ્ય એ કેવા લક્ષણો વાળો હોય?" એમને એમ થયું કે આ તો જબરું કહેવાય કે ત્રણ ગુણોને પાર કરી દે, એવો કોઈ મનુષ્ય હોય ખરો? અને તો પછી એના શું-શું લક્ષણો હોય? એ ઓળખાય કેવી રીતે કે આ ત્રણ ગુણોને પાર કરી ગયેલો માણસ? તેનું આચરણ કેવું હોય અને આ ત્રણ ગુણોને તે કેવી રીતે ઓળંગી જાય છે? "હાઉ ટુ ક્રોસ?" વૈતરણી બધા કરે છે ને પૂંછડું પકડીને, યાર શું મજાક છે! કેવી રીતે ઓળંગી જાય છે, એમ પૂછ્યું. શ્રી ભગવાન વાચ: જો ભગવાન છે ને, જવાબ તો આપ્યા જ કરે તમે જોયું? દરેક પ્રશ્નના જવાબ આપે, એમણે ક્યારેય એવું નથી કીધું, "કાલે કહીશ". કેવી અર્જન્સી બોલો, યુદ્ધ ફાટી નીકળ્યું છે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે, સેના બધી આમ ખડી છે, બધું તૈયાર છે ને પેલો અર્જુન ઢીલો પડી ગયો છે બિલકુલ કે, "ભગવાન, મારે તો નહીં લડવું" કે.
પેલો કે, એને જાગૃત કરે છે કે, "ઊભો થા, ઊભો થા કે, તારી પ્રકૃતિમાં લડવાનું છે, એટલે તું લડ્યા વગર તો રહેવાનો જ નથી. તો ખાલી-ખાલી દંભ ના કરીશ તું." એટલે ઊભો થા કરીને પહેલા ટોણા માર્યા, આમ કર્યું, તેમ કર્યું; પછી બધું જ્ઞાન આપવા માંડ્યું ધીરે-ધીરે, ધીરે-ધીરે કરતા છેવટે એના ઈ સુધીને લાવ્યા. અરે! વચ્ચે તો વિશ્વરૂપે બતાવી દીધું કે, "જો, આ બધું જે કંઈ છે એ હું જ છું". ત્યારે એને થોડોક ભરોસો પડ્યો. પછી આવ્યું જ્ઞાનયોગ અને પછી એને ડીટેલિંગ કર્યું આગળ વધારે ગુણો વિશે. એને હવે અત્યારે સમજાવતા-સમજાવતા કહે છે કે, "જે મનુષ્ય સત્વગુણના કાર્યરૂપ ઈશ્વરીય પ્રકાશ, રજોગુણના કાર્યરૂપ કોઈ પ્રવૃત્તિ—એક્ટિવિટી—અને તમોગુણના કાર્યરૂપ મોહને પ્રવૃત્ત થતા..." એક્ટિવ તો થશે કે જે-તે સંજોગોના કારણે, સંજોગોના દબાણના કારણે, એ તો થશે.
ના તો ખરાબ સમજે છે અને તે સમી જતા ના તો તેની ઈચ્છા કરે, બસ આટલું જ કરવાનું છે. ત્યાં અનુમોદન આપવાનું નથી કે "ગુડ, બેડ એન્ડ અગ્લી"નો ખેલ ખેલવાનો નથી બસ આટલું જ. તથા ઉદાસીન એટલે કે ઉત્ત આસીન—ડિપ્રેશનમાં નહીં રહેતા—વ્યક્તિને ગુણો વિચલિત કરી શકતા નથી. પેલો ડિપ્રેશ માણસ તો એવો જ છે, ત્રણે-ત્રણ ઉપર ચડી બેઠા છે, દબાવે બરાબર. "હવે કાઢું કે તારો લાઈફ થોડો, તારો ઉદય ને તું આમ-આમ કરતો હતો ને, હવે કે મારો વારો!" એવી રીતના. એટલે વ્યક્તિને એ ગુણો વિચલિત કરી શકતા નથી, એવી રીતે ગુણો જ ગુણોની અંદર વર્તી રહ્યા છે. મતલબ, "આ હું કરતો નથી, આ ગુણો પોતે જ પોતાનું કામ કરી રહ્યા છે," એને એવી રીતે જાણવાનું છે. ત્યારે વસ્તુતઃ હકીકત આ સત્ય છે એવું જાણીને દરેક સ્થિતિમાં સ્થિર અને અડોલ રહે છે, કેવો ડોલાયમાન થતો નથી, હાલે નહીં, "એ હું નહીં".
ત્યારે તે ગુણોને પાર કરી જાય છે દરેક સ્થિતિમાં, દરેક પરિસ્થિતિમાં. કે છે આગળ કહે છે, "જે નિરંતર સ્વયંમાં—સ્વયંમાં એટલે આત્મભાવનામાં—સ્થિત છે, સુખ અને દુઃખમાં સમ છે". ખરેખર આ બંને કલ્પિત છે ને, છે જ નહીં. સુખ અને દુઃખમાં સમ છે, જે સ્વસ્થ છે—સ્વસ્થ એટલે સ્વની અંદર સ્થિર થયેલો છે તેને સ્વસ્થ કહેવાય. માટી, પથ્થર અને સોનામાં જે સમાન ભાવવાળો... ભાઈબંધીને ઈકોનોમિક્સની તો તમારા બધાને કશું વાત અહીંયા આપણી પાસે બહુ છે સરસ મજાની તમારા માટે પણ. ધૈર્યવાન છે, જે પ્રિય અને અપ્રિયને સરખા ગણે છે, જે પોતાની નિંદા અને સ્તુતિમાં સમાન ભાવ વાળો. કોકને બોલાવીને કે, "એક કામ કર, પાંચ ગાળો બોલ મને," કોકને પૈસા આપે અને કે, "ચાલ તું મારી પ્રશંસા કર કે પાંચ મિનિટ સુધી," અને તે બંને સ્થિતિની અંદર બિલકુલ સ્થિર, શાંત રહી શકે, અનએફેક્ટેડ રહી શકે.
આ બોલે ત્યારે જોવાનું અંદર શું, આ બોલે ત્યારે જોવાનું કે શું થાય અંદર, કંઈ મુવમેન્ટ થાય છે? કંઈ હાલ્યું નહીં, ઓકે, તો તમે પાસ! આ ટેસ્ટ પાસ કરવો પડશે, આ... આ છે ને એન્ટ્રન્સ એક્ઝામિનેશન છે, એ પહેલા આપવી પડશે, ત્યાર પછી આગળ તમારું. ત્યાં સુધી કશું નહીં કે ફર્યા કરો કે, ત્યાં સુધી તો જો. એટલે કર્મના બધા-બધા આરંભો જેણે છોડી દીધા છે, તે પુરુષ ગુણાતીત કહેવાય; ગુણથી અતીત થઈ રહ્યો છે ધીરે-ધીરે, ધીરે કરીને. કોણ? જે માન અને અપમાનને સરખા માને છે, મિત્ર અને શત્રુ પક્ષમાં પણ સમાન છે. બંને જણા એને બોલાવે, બે જણ લડી પડ્યા હોય તો પણ લવાદ તરીકે એને બોલાવે. એવું થાય જ્યારે બન્યું હોય, ત્યારે જાણવું કે બસ, હવે આ તૈયાર થઈ ચૂકેલો છે, હવે આને આગળ જવાનું છે, હજી તો આ તૈયારી છે, એને ટેસ્ટમાં પાસ થઈ રહ્યો છે એમ. જેને કર્મના બધા આરંભો છોડી દીધા છે.
આમ બેઠા-બેઠા આમ છે ને તો આમ થાય, "કંઈક કરવું કે..." આમ પાછો હાલે ને પાછો આમ દોડે કે, "ચાલો કંઈક કામ કરવું, કંઈ એક કામ કરો નવો બિઝનેસ ખોલો" કે. અલ્યા ભાઈ, ત્રણ દુકાનો તો હતી તારી, તો કે, "હવે ચોથી કરું". એટલે બધા કર્મના આરંભ કર્યા કરે, કશું ના હોય ત્યાંથી એ કર્મ પેદા કરે છે, ઊભું કરે છે. અને એની અંદર પાછા બીજાને લાઈનમાં ગૂંચવે છે, એમ્પ્લોય કરે છે પાછો કે, "હું એમ્પ્લોયમેન્ટ આપું છું, ધંધો તમારે વધારે કરવા..." આ વાત આખી જુદી છે, તમે એને જુદી રીતે સમજી રહ્યા છો, હું તમને સમજાવું. કર્મના બધા આરંભો છોડી દીધા છે, આ જે વાત કરે છે એ બરાબર છે, પણ આ પેલું આમ થાય છે તે પુરુષ ગુણાતીત કહેવાય જે માર્ગે ચડી ચૂકેલો છે. જે મહાપુરુષના કહ્યા ઉપર ચાલે છે, એના કહ્યા પ્રમાણે કરી રહ્યો છે, આદેશોનું પાલન કરી રહ્યો છે, તેને આ વાતો લાગુ પડતી નથી કારણ કે એ પણ શું કરી રહ્યો છે?
અન્ડર ઓર્ડર—આદેશ! એટલા માટે એનું કર્મ નથી. જો, નીડ ઓફ ધ અવર જોઈને મહાપુરુષ એને આવું કંઈક કહેતો હોય છે, અને પછી પાછું એ જ એને એમ કહી દે કે, "હવે બધું બસ હો ભાઈ, આપણે પત્યું કે હવે આમાં..." એટલે વળી પાછો એ બેસી જાય પલાઠી વાળીને કે, "ભાઈ, હવે તારે આમ જ કરવાનું છે". એટલે આ બે વસ્તુઓ અલગ છે, એવું તમે સમજી લેજો. એવું નહીં કે બધા કર્મના આરંભો છોડી દીધા છે તે પુરુષ ગુણાતીત કહેવાય. એટલે અત્યારે તમે વ્યવહારની અંદર હો, આની તૈયારી થઈ ના હોય ને તમે આ બધું છોડી દો, શું થશે પછી? અને એવો જો એક જોઈને બીજો, ત્રીજો, ચોથો બધાય છોડી દે તો શું થશે? કોઈ એક કંપની હોય, બધા રાજીનામું આપી દે એનું જોઈને, તો શું થાય એ કંપનીનું? બસ એ વાત છે, તો એ સમાજ કેવો થઈ જાય પછી? હવે આ બધું જે કંઈ છે ને, આ... આ સૃષ્ટિ ઈશ્વરીય રચના, તેને કંઈ આમ બંધ કરી દેવાની છે એવું નથી.
એ તો પરપેચ્યુઅલ છે, અને એમાં કોઈ પણ અવ્યવસ્થા ના થાય એ જોવાની જવાબદારી પણ મહાપુરુષની છે. પણ જેટલા તૈયાર થયેલા હોય, એટલાને બહાર કાઢવાના છે. તમારી ફેક્ટરીમાંય છે ને પેલો ક્વોલિટી કંટ્રોલ સુપરવાઇઝર રાખે છે, આજકાલ તો પેલા રોબોટથી કમ્પ્યુટરથી બધું ચેક કરે છે. એટલે એક્ઝેટ હોય ને, એ પીસને આગળ જવા દે ને પેલું હોય ને આમ કરીને આમ બહાર કાઢી નાખે, ખબર છે તમને? તૈયાર હોય એટલાને જ લેબલ મારવા માટે, પેલું પેકિંગ કરવા માટે આગળ જવા દે, બાકીના ના જવા દે. એવી રીતે માણસોને જોવાની, એ લોકોનું આ જે કંઈ બધો જીવન વ્યાપાર થઈ રહ્યો છે તેની, એ બધું જાણવાની, સમજવાની આ બધી જવાબદારી આ મહાપુરુષના માથે પરમાત્માએ મેલેલી છે. વખત એવું... એટલે એવું થાય, હં વખતમાં આ વાત થઈને બધા લોકો સન્યાસ વ્યવસ્થા... હા, બધું અવ્યવસ્થા ઊભી થઈ જાય ને બધું...
બધું ગડબડ થઈ જાય. બધા લોકોને દાખલા તરીકે એકદમ કહી દે કે, "બધા બસ આખા અમદાવાદ કે આખા સુરતની અંદર કોઈપણ જગ્યાએ એમ કે બધે હવે સામૂહિક રસોડા જ ચલાવવામાં આવશે; પણ બધાય ત્યાં જઈને ભોજન કરી લેવાનું, કોઈએ કામ કરવાની જરૂર નથી. લો બધાય લેર કરો કશો વાંધો નહીં". કોક આપણા સવજીભાઈ જેવા મળી જાય અને પછી જો આવું બધું કંઈક ચાલુ થઈ જાય તો શું કરશે? પણ એ બી સારા જાણતા હોય છે કે, "ભાઈ, અમુક કામ કરાવીને એને અમુક અપાય". આ ઇન્ફોસિસના જે પેલા છે ને આપણા મૂર્તિ સાહેબ, એમનો ડ્રાઇવર છે ને એની પાસે બહુ કરોડો રૂપિયા છે, હજી એ એમની જ ગાડી હાંકે છે. ઓર્ડર! હવે એને કંઈ જરૂર નથી બરાબર, અને પેલા તો એવી જૂની ગાડીમાં જ ફરે છે હજી આજની તારીખમાં પણ. એ કરવાનું ઓર્ડર, કેમ? પાછલાઓ માટે. આમાંથી કોઈને જરૂર નથી આ બધું કામ કરવા બેસવાની ને આ બધું કરવાની, કંપનીઓ ચલાવવાની બધી; ધે આર ડુઇંગ ઇટ.
કેમ? ઓર્ડર—પ્રેરણા છે એ લોકોને, આમ કરી રહ્યા છે એ લોકો. આ રતન ટાટા સાહેબ જેવા ૯૫-૯૬ વર્ષે પણ જો કેટલું બધું કરીને એક્ટિવ હતા ને જ્યારે ગયા ત્યારે પણ. તો એટલે જે આ બધા છે ને, એ લોકો બધા સમજતા હોય છે, જાણતા હોય છે, એ લોકોને અંતઃપ્રેરણા બહુ પાવરફુલ હોય. ત્યારે તો આ બધા ત્યાં-ત્યાં પહોંચતા હોય. આ બધું ઓલવેઝ ઇન ઓર્ડર જ રહ્યું છે, આ જગત ક્યારેય ડિસ્ટર્બ થયું જ નથી. આને કોઈ કરી શકે એવું છે જ નહીં, જે લાગે છે તે તો આપણી દ્રષ્ટિનો દોષ છે અને આપણી સમજણમાં ગેપ છે, હોલ છે—હોલ સમજણમાં આપણી, બહુ મોટો હોલ. એને જ્ઞાનથી પૂરવો પડશે, પછી બધું પાછું ચિત્ર સ્પષ્ટ થશે, ત્યાં સુધી નહીં દેખાય, સમજાયું? એટલે આવી રીતે વાત કરી, ૨૨ થી ૨૫મો જે શ્લોક છે તે ગુણાતીત પુરુષના લક્ષણ અને આચારો બતાવે છે. ગુણાતીત વ્યક્તિ ચલાયમાન થતી નથી.
એટલે એવું નહીં કે એ ચાલતો જ નથી કે હાલતો જ નથી, ચલાયમાન થતો નથી ત્યારે. પરિસ્થિતિઓમાં પોતાના કમ્ફર્ટ ઝોનમાં હોય, તો તો બધાય ચલાયમાન થતા નથી. પણ જ્યારે પરિસ્થિતિ પલટાઈ હોય અને એક્સ્ટ્રીમ ડિસકમ્ફર્ટ જેને કહેવાય, એવી પરિસ્થિતિઓમાં એ જ્યારે મુકાયો હોય ત્યારે પણ એ સ્વસ્થ હોય. "કશો વાંધો નહીં, કરીએ છીએ, થશે". તમે એવાને જોશો ને તો તમને ધરપત, ભરોસો આવવા માંડશે. નો પ્રોબ્લેમ. આપણા અમિતભાઈ છે, તમે જુઓ કોઈના સાથે પણ એમનું ડીલિંગ તમે જુઓ, તમે જાણી જશો અને પકડી લેશો તો ખરેખર લાઈફ લેસન છે. તમારી બાજુની અંદર જ સ્વસ્થતા ક્યારેય ગુમાવવાની નહીં, "ગમે તે કોઈ વાત નહીં બેટે, એસા કરતે હૈં" એવી રીતના કરીને બસ દરેક વસ્તુનું એક્ઝેટ સોલ્યુશન આપી દે કોઈને પણ. તો એવા પુરુષની વાત કરે, એ ગુણાતીત થઈ ગયો. એના લક્ષણ ને આચારો આ બતાવે છે, એ ચલાયમાન થતા નથી.
ગુણોથી તેને વિચલિત થવાનું બંધ થઈ ગયું છે, તે સ્થિર અને અડોલ રહે છે. હવે ભગવાન જો આગળ વાત કરે છે, ગુણોથી અતીત કેવી રીતે થવું, પર કેવી રીતે થવું તેની વિધિ બતાવે છે. શીખવી છે, ઉપયોગ કરવાનો છે ઓકે. "જે પુરુષ અવ્યભિચારિણી ભક્તિ વડે—એટલે કે ઈષ્ટ સિવાયના તમામ સાંસારિક સ્મરણોથી સર્વથા મુક્ત થઈને—યોગ દ્વારા, નિયત કર્મ દ્વારા નિરંતર ભજે છે; તે આ ત્રણેય ગુણોને સારી રીતે પાર કરીને પરબ્રહ્મનો સાક્ષાત્કાર કરવાને લાયક બને છે". ક્લિયર થઈ ગયું? શું કરવાનું છે ખબર પડી ગઈ? બસ આ ખબર છે આપણને. અવ્યભિચારિણી ભક્તિ એટલે કેવી? પાછું એમને ક્લેરીફાય કર્યું કે, "ઈષ્ટ સિવાયના..." તમારું ઈષ્ટ શું છે? પરબ્રહ્મ. આના સિવાય હવે તમામ સાંસારિક સ્મરણોથી, બધી સ્મૃતિઓથી મુક્ત થઈને યોગ દ્વારા... શેનો યોગ કરવાનો છે? પરમાત્માનો. નિયત કર્મ દ્વારા—કયું કર્મ છે?
નિયત કર્મ—એના દ્વારા નિરંતર ભજે છે, નિરંતર ભજે છે; તે આ ત્રણેય ગુણોને સારી રીતે પાર કરીને પરબ્રહ્મનો સાક્ષાત્કાર કરવાને લાયક બને છે. તેનું નામ કલ્પ છે, તેનું નામ કલ્પ છે. આપણે એમ કહીએ ને કે, "આ કલ્પમાં તે કલ્પમાં આ બ્રહ્માએ આવું કર્યું, તેવું કર્યું," અહીંયા આને તમે એવી રીતે સમજો: તમે જ બ્રહ્મા, તમે જ વિષ્ણુ, તમે જ મહેશ્વર. એ આવી રીતે છે. કલ્પમાં બ્રહ્મની સાથે એકાત્મ ભાવ સાધવો, એ જ વાસ્તવમાં કલ્પ છે. જેવો તમે સાધી દીધો, એટલે કલ્પ તમારો ચાલુ થઈ ગયો એમ કહેવા માંગે છે. અનન્ય ભાવથી નિયત કર્મનું આચરણ કર્યા વિના કોઈ ગુણોને પાર પહોંચી શકતો નથી. અંતમાં યોગેશ્વર નિર્ણય આપે છે કે, "હે અર્જુન! અવિનાશી બ્રહ્મનો, અમૃતનો, શાશ્વત ધર્મનો અને તે અખંડ એકરસ આનંદ... હું જ તેનો આશ્રય છું". એટલે કે સદગુરુ જ બધાનો આશ્રય છે.
શ્રીકૃષ્ણ પણ યોગેશ્વર હતા, એટલે કે જેની સાથે તે કલ્પ કરે છે, જેમાં તે ગુણાતીત એકાત્મ ભાવથી પ્રવેશ કરે છે સાધક, તેની વાત કરે. એટલે, "એ અમૃતનો અને શાશ્વત ધર્મનો આશ્રય હું જ છું, તો ચિંતા ના કર." તમને અવ્યક્ત, અવિનાશી બ્રહ્મ, શાશ્વત ધર્મ, અખંડ રસ અને એક રસ આનંદની આવશ્યકતા હોય, તો કોઈ તત્વ સ્થિત, અવ્યક્ત સ્થિત મહાપુરુષનું તમે શરણ અવશ્ય લો. એની દ્વારા જ આ શક્ય બનશે, ત્યાં સુધી આ શક્ય બનશે નહીં. એટલે આ ૧૪માં અધ્યાયના ૨૭માં શ્લોકની અંદર તમને આ ફાઇનલ એડવાઇઝ એમને શ્રીકૃષ્ણ ભગવાને આપી દીધી છે. હવે જો તમે એમ કહો કે, "તો..." તમે એમને હાજરને હાજર માનીને તમે શરૂ કરી શકો છો. અને જો તમને એવું છે કે શ્રીકૃષ્ણ હાજર નથી, તો તમે કોઈ ખોળી કાઢો એવા તત્વનિષ્ઠને કે જે તત્વ સ્થિત હોય, અવ્યક્ત સ્થિત હોય; એવા મહાપુરુષનું શરણ તમે ચોક્કસ લેજો, એને ખોળી કાઢજો.
અને પછી એના દ્વારા તમે આ ગુણોથી અતીત થવાની આખી વિધિને પાર પામી શકશો. અહીંયા આગળ ભગવાને આ વાત કરી, તો નિષ્કર્ષ શું છે? મુનિજન ઉપાસના દ્વારા મારું સ્વરૂપ પ્રાપ્ત કરે છે, પછી તે સૃષ્ટિમાં જન્મ લેતો નથી. શરીરનું મૃત્યુ તો નિશ્ચિત છે, પરંતુ તે સમયે પણ તે વ્યથિત થતો તો નથી. વાસ્તવમાં પરમાત્માની પ્રાપ્તિ થાય છે એ દિવસથી, એ ક્ષણથી તે શરીર છોડી દે છે, એની દેહાસક્તિ સમાપ્ત થઈ જાય છે. અર્થાત તેનો દેહભાવ સમાપ્ત થઈ જવાથી તે દેહથી છૂટો પડી જાય છે, તે વિદેહી બની જાય છે. અને આ અદભુત પ્રાપ્તિ તો તેને જીવતા જ થાય છે, પરંતુ શરીરનો અંત આવતા પણ તે દુઃખી થતો નથી. જય સચ્ચિદાનંદ! જય સચ્ચિદાનંદ!
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.