ઉપનિષદ સિરીઝ · વિડિયો ૨૨
વિડિયો ૨૨
જાબાલ દર્શનોપનિષદને "દર્શનોપનિષદ" પણ કહેવામાં આવે છે. એમાં કુલ દસ ખંડ છે. એમાં ભગવાન વિષ્ણુના અવતાર એવા દત્તાત્રેયજી અને એમના શિષ્ય સાંકૃતિના અષ્ટાંગ યોગના વિષયના પ્રશ્નોત્તરના રૂપમાં વર્ણન કરવામાં આવેલું છે.
પ્રથમ ખંડમાં યોગના આઠ અંગો અને દસ યમનો ઉલ્લેખ કર્યો છે. બીજામાં દસ નિયમોનું વર્ણન છે. ત્રીજામાં નવ પ્રકારના યોગીક આસન બતાવવામાં આવ્યા છે. ચોથા ખંડમાં નાડીઓનો પરિચય તથા આત્મતીર્થ અને આત્મજ્ઞાનની મહિમાનું વર્ણન આવે છે. પાંચમા ખંડમાં નાડી શોધનની પ્રક્રિયા અને આત્મ શોધનની વિધિઓનું વર્ણન છે. છઠ્ઠા ખંડમાં પ્રાણાયામની વિધિ, એના પ્રકાર, ફળ અને પ્રયોગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાતમામાં પ્રત્યાહાર અને તેના વિવિધ પ્રકારો સાથે તેના ફળનું વર્ણન છે. આઠમા અને નવમા ખંડની અંદર ધારણા તથા ધ્યાન વિશે સમજાવવામાં આવ્યું છે. આ બંનેના બબ્બે પ્રકારો વિશે પણ ઉલ્લેખ છે. અંતિમ દસમા ખંડમાં સમાધિ અવસ્થાનું વર્ણન સાથે સાથે તેનું ફળનું પણ નિરૂપણ કરવામાં આવ્યું છે. એટલે આ ઉપનિષદ એ સંપૂર્ણપણે યોગ સમર્પિત, એના માટે શબ્દ વાપર્યો છે, "યોગ પરક" એવું કહી શકાય, યોગ વિશેનું.
શરૂઆત શાંતિ પાઠથી કરીએ:
"ૐ આપ્યાયન્તુ મમાઙ્ગાનિ વાક્ પ્રાણશ્ચક્ષુ: શ્રોત્રમથો બલમ્ ઇન્દ્રિયાણિ ચ સર્વાણિ સર્વં બ્રહ્મૌપનિષદમ્ મા અહં બ્રહ્મ નિરાકુર્યાં મા મા બ્રહ્મ નિરાકરોદ્ નિરાકરણમસ્તુ અનિરાકરણં મેઽસ્તુ તદાત્મનિ નિરતે ય ઉપનિષત્સુ ધર્માસ્તે મયિ સન્તુ તે મયિ સન્તુ શાંતિ: શાંતિ: શાંતિ:."
અર્થાત: "મારા સમસ્ત અંગ અવયવો વૃદ્ધિને પામો. વાણી, પ્રાણ, નેત્ર, કાન, બળ અને બધી જ ઇન્દ્રિયો વિકસિત થાઓ. આ સમસ્ત ઉપનિષદ બ્રહ્મ છે. મારાથી બ્રહ્મને છોડાય નહીં અને બ્રહ્મ મારો ત્યાગ ના કરો. મારો પરિત્યાગ ક્યારેય ન થાઓ, ન થાઓ. આવી રીતે બ્રહ્મમાં વ્રત થયેલા, લાગેલા અમોને ઉપનિષદ પ્રતિપાદિત ધર્મની પ્રાપ્તિ થાઓ. અમારા ત્રિવિધ તાપોનું સમન થાઓ. અમોને શાંતિ પ્રાપ્ત થાઓ."
હવે ઉપનિષદ પ્રતિપાદિત જે ધર્મ છે તે એકમાત્ર છે: "આત્મા પ્રાપ્ત કરો." તો અહીંયા આગળ એમ કહે છે કે, "ત્રિવિધ તાપોનું સમન થાઓ, અમને શાંતિ થાઓ." આ તો આડપેદાશો છે. મૂળ વાત એ છે કે, "અમને અમારો આત્મા પ્રાપ્ત થાઓ, અમને અમારો આત્માનો અનુભવ આવી જાવ." આ પ્રાર્થનાનો અહીંયા આગળ લક્ષ્ય આવું છે.
સમસ્ત ભૂત પ્રાણીઓના પાલક, ચતુર્ભુજ ભગવાન વિષ્ણુ. ભગવાન વિષ્ણુનું જે ચતુર્ભુજ સ્વરૂપ છે, એ એ દર્શાવે છે કે ચારે બાજુ, ચારે દિશામાં ગમે ત્યારે એ કંઈ પણ કરવા માટે સર્વશક્તિમાન છે. ચતુર્ભુજ સ્વરૂપનો અર્થ એ અહીંયા એવો છે. તો એવા યોગીરાજ ભગવાન દત્તાત્રેયના રૂપમાં પ્રાદુર્ભાવ થયા. આ ભગવાન દત્તાત્રેયજી યોગા સામ્રાજ્યના અધિપતિના રૂપમાં દીક્ષિત છે. તો જેને પણ યોગાભ્યાસ કરવો હોય, શરૂઆત કરવી હોય, કંઈ પણ કરવું હોય, તો એના આદિ ગુરુ કોણ છે? ભગવાન દત્તાત્રેય.
હવે એમના શિષ્ય મુનિશ્રેષ્ઠ એવા સાંકૃતિ નામે પ્રખ્યાત છે. એ આ દત્તાત્રેય ગુરુના પરમ ભક્ત બન્યા. એમણે શિષ્ય મુનિશ્રેષ્ઠ સાંકૃતિ નામે પ્રખ્યાત થયા. એક દિવસે એકાંતમાં પોતાના ગુરુને વિનયવત બનીને એમણે પૂછ્યું, "હે ભગવન, મારા માટે અષ્ટાંગ યોગનું સવિસ્તાર વર્ણન કરો, જેને જાણીને હું જીવનમુક્ત બની શકું." પ્રશ્ન એમને ભગવાનને કર્યો. તો પોતાના માટે પણ આ આજે પણ આ વસ્તુ કેટલા બધા લોકોને એનો લાભ આપી શકે છે. તો હંમેશા જે મહાન લોકો હોય છે, એ લોકોની જે ઈચ્છા હોય ને, વાસ્તવમાં એમને કશું હોતું નથી. એ તો ભગવાનનું સાનિધ્ય પામેલા જ હતા, પણ એમને પ્રશ્ન કર્યો અને ભગવાને એનો ઉત્તર પણ આપ્યો. તો કે શેના માટે? લોક કલ્યાણ માટે, લોક સંગ્રહ અર્થે. એટલે શું કહે છે કે મહાન પુરુષોના કૃત્યો જે હોય ને કર્મો, તે પણ કેવા હોય? લોક કલ્યાણ જ કરે.
એનાથી બીજું કંઈ ના થાય. લોકનું કલ્યાણ જ થાય અને આજે થાય એવું નહીં, અનંત કાળ સુધી બસ એ થયા જ કરે, થયા જ કરે, થયા જ કરે. એવા અદભુત કૃત્યો. જેમ કે આજે માનો ભાઈએ વચ્ચે મૂકી દીધું આપણને, "અમને આ કરાવો." ને હવે ઓલરેડી એ અનુભવ તો આવી ચૂકેલો હતો, બધું જ હતું, છતાં પણ એમને એક પાછું ફરી કીધું અને પછી એનો જે અમલ થયો, હવે આ ચાલ્યા જ કરશે આગળ. જેના જેના સુધી આ પહોંચશે, તે બધા લોકો હંમેશા આ સ્થિતિનો અનુભવ ચોક્કસ કરી શકશે.
તો મહાયોગી દત્તાત્રેયજીએ પોતાના શિષ્યને કહ્યું કે, "હે સાંકૃતે, હું અષ્ટાંગ યોગના દર્શનનું વર્ણન કરું છું. દર્શન કરવાથી જ્ઞાન થાય. દર્શન કરવા પડે. તમે તેને સાંભળો. હે બ્રહ્મન!" જો શું કહે છે, ગુરુ પોતાના શિષ્યને કહે છે અહીંયા આગળ, "હે બ્રહ્મન, તું પણ બ્રહ્મ જ છે." એમ. હવે પાછો આગળ વાત કરે છે.
"યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ" યોગના આઠ અંગો છે. એમાં યમના દસ ભેદ બતાવ્યા છે. પહેલું છે અહિંસા. અહિંસા એટલે મન, વચન અને કાયા, વાણી, વિચાર અને વર્તન ત્રણેયની અંદર વ્યાપેલું હોય એવું જે તત્વ અહિંસાનું કે ક્યારેય કોઈને દુઃખ ના પહોંચાડવું. સવારમાં બોલીએ છીએ, "મન, વચન, કાયા કોઈ કોઈને પણ દુઃખ ના હો, ના હો, ના હો." અહિંસા દાદાએ આપણને પહેલા આપી દીધી. બીજું છે અસત્ય. બીજું છે સત્ય. સત્ય શું છે? સત્ય એક જ છે. હમણાં અનુભવ્યું તે સત્ય. જેવું તમે બ્રહ્મ કે પરબ્રહ્મ આમ બોલો અને જે આવીને ઊભું રહે તે સત્ય. બાકી બધું જ અસત્ય. અસ્તેય: ચોરી નહીં કરવાની. મન, વચન, કાયાથી ચોરી નહીં કરવાની. એટલે વસ્તુ, વિચાર અને કોઈપણ બાબતની અંદર ચોરી ના હોવી જોઈએ. કહેવાનું એ છે કે ચોરી કરવાની ભાવના જ અંદર ના હોવી જોઈએ.
એમાં કામચોરી પણ આવી ગઈ, દાણચોરી પણ આવી ગઈ, બધી ચોરી આવી ગઈ. બ્રહ્મચર્ય: બ્રહ્મમાં નિરંતર ચરણ કરવું તેને બ્રહ્મચર્ય કહેવાય. બરાબર. ગૃહસ્થીઓ પોતાના ધર્મ અદા કરે તો પણ એ બ્રહ્મચર્યનું.
જ પાલન કરે છે, કેમ કે બાકીના સમયમાં એ બ્રહ્મનું જ ચરણ કરતા હોવા જોઈએ. બ્રહ્મચર્યનો સૌથી મુખ્ય આચાર શું છે? તો કે, નિત્ય નિરંતર જ્યાં ત્યાં, અત્ર તત્ર સર્વત્ર, માત્ર બ્રહ્મનો જ અનુભવ કર્યા કરવો તેને બ્રહ્મચર્ય કહેવાય.
બાકીના બધા જ ગૌણ આચાર છે. ત્યારથી, "આ નથી થતું તો ઓકે આ કરજે", "આ નથી થતું તો આ કરજે", "આ નથી થતું તો આ કરજે" – એવી રીતના બધા સ્ટેજીસ આપણે આપી દીધા. એમાં કેટલાક લોકોએ કેટલીક વસ્તુઓ પાછી જોડતા પણ ગયા. સ્થળ, કાળ, સમય અને જે તે વ્યક્તિની જરૂરિયાતને જોઈને તેને તેના ગુરુએ કીધેલું હોય; પરંતુ બને એવું કે પછી આના વિશે બીજો જાણી જાય એટલે એ ચોપડવાની દવા પી જાય. પેલાને ચોપડવાનું કહ્યું હતું, આને પી ગયો. પછી એનો, એને જે કાંઈ તકલીફો થતી હોય તે બધી પછી આવતી હોય છે. તો એમાં વાંક બ્રહ્મચર્યનો હોતો નથી. વ્યક્તિની સમજણની જે ખામી છે, તેના કારણે એવું થાય છે.
દયા: અહીં દયાનો અર્થ છે કરુણા. દાદાએ આપણને કહ્યું છે કે, "દયા તમે જો કોઈની પર કરશો તો એ અહંકાર સહિત હશે; અને કરુણા હશે તો તેની અંદર અહંકાર ઓગળેલો હશે." થશે અને ત્યાર પછી જે તમારાથી થઈ જશે તેને કરુણા કહેવાય. એટલે દયા કરવાની હોય છે અને કરુણા હૃદયની અંદર ઉત્પન્ન થતી હોય છે. આમ, એટલે એ પ્રતિભાવ છે, પ્રતિઘોષ છે.
ક્ષમા: ક્ષમા કેવી? તો કે, સહજ ક્ષમા. કોઈએ કંઈ પણ કર્યું, કંઈ પણ કર્યું. હવે જો તમે બ્રહ્મ છો, તો કોઈ તમારું શું બગાડી લેવાનું છે? કોઈ તમારું શું લૂંટી લેવાનું? તમે અનંત શક્તિવાળા, સર્વશક્તિમાન, સર્વશ્રેષ્ઠ, સૌથી મોટામાં મોટા આ સ્થિતિએ તમે પહોંચી ગયા છો, તો પેલું જે છે તે તો ક્ષુદ્ર જંતુ જેવો છે તમારી સામે. પ્રકૃતિની અંદર જોઈએ તો, હા, એમાં પૂરો બ્રહ્મ છે, પણ હજુ એને ભાન નથી કે "હું છું". એટલે એવી સ્થિતિની અંદર એ કોઈપણ આવીને વ્યક્તિની સામે પડે અને કંઈ પણ કરવા માંગતો હોય તો શું થાય? તો કે, આકાશની અંદર કોઈ કંઈ એક બોલ ઉછાળે એના જેવી વાત છે. પાછું એ નીચે પડી જશે. એમાંથી આકાશને કોઈ ફરક પડવાનો? આકાશમાં ગોબો પડે? ના પડે. એવી રીતે એને આકાશ પ્રતિભાવ આપતો નથી. જેમ આપણે પણ આપવાનો બંધ કરી દેવાનો. એને ક્ષમા કહેવાય.
"નો રિસ્પોન્સ", સામે કંઈ નહીં આપવાનું. ખાસ આવું જ્યારે જ હોય તેના માટે એ ઊંચામાં ઊંચી ક્ષમાનો ભાવ થઈ જશે.
પછી સરળતા, સહજતા, એકદમ સ્વાભાવિકતા. કોઈપણ બાબતમાં કોઈ જાતના આડંબર નહીં, કોઈ પ્રકારની વસ્તુ નહીં કે "હું આમ કરું છું" કે "આ કહું છું" કે "આમ કશું કરતાં કાંઈ ના મળે" એવી નિષ્પાપતા સાથેની સરળતા.
ધ્રુતિ એટલે ધૈર્ય. આકાશનું ધૈર્ય કેટલું છે? અનંતકાળથી એ રાહ જોયા કરે કે આ બધા વાદળો બને, બધું આમ થાય તેમ થાય, વળી વરસાદ પડે. આ આકાશની અંદર પેલા નાસાવાળા કાણું પાડે, ઈસરોવાળા કાણું પાડે, પેલા રસિયાવાળા કાણા પાડે, બધું પેલા મોકલે ને અંદર સ્પેસ શટલો બધું કરે અને ઉપરથી બધું નીચે પડે. આકાશ ધૈર્યતાથી આ બધું જ જોઈ રહ્યો કે "મને આ બધી વસ્તુઓ સ્પર્શ કરતી નથી". તો એવું ધૈર્ય ત્યારે આવશે કે જ્યારે તમે આકાશ જેવા બનશો અંદરથી. વાસ્તવમાં તમે આકાશથી પણ સૂક્ષ્મ છો, પણ ત્યાં સુધી તો પહોંચો. એટલે કે, પહેલા તો તમને સામે જે છે ને તેનો એ અનુભવ કરાવીએ કે "ભાઈ તમે આકાશ જેવા બની જાવ વ્યવહારની અંદર તોય તમને સારું થશે". એટલે કીધું કે તમે ધ્રુતિ, ધૈર્યધાર.
પછી કીધો મિત આહાર. "અમિત" શબ્દ છે. "અમિત" એટલે અમૃત. અને એવો આહાર ગ્રહણ કરો કે જે મટી ના જાય, એટલે કાયમી હોય. એવો આહાર એક જ છે: ભગવન. તમે ભગવાનનું અન્ન બનાવીને તમે જમો. જ્યાં જાવ ત્યાં બીજું કાંઈ જોઈતું નથી તમને. ધીરે ધીરે ધીરે ધીરે આહાર, આહાર પ્રત્યેની રુચિ-અરુચિ, બધું સ્થૂળ જે હોય ને એ બધું જવા માંડશે. હણાહારી થવાની આ બહુ મોટી ચાવી છે. કોક દિવસ આગળ વાત કરીશ.
બાહ્ય અભ્યંતરની પવિત્રતા: આંતરિક સૂચી અને બાહ્ય સૂચી, જે વ્યવહારિક સૂચી જેને કહે છે તે. પણ ઘણા તાંત્રિકો, ઘણા યોગીઓ, ઘણા અવધૂતો હોય છે, તે લોકો બાહ્ય આચાર અને બાહ્ય સૂચીને બધા ઉપર ધ્યાન આપતા હોતા નથી. અહીં અવધૂતોના પણ અવધૂત એવા ભગવાન કહે છે: "બાહ્યાભ્યંતર સૂચી". આંતરિક અને બાહ્ય બધા જ પ્રકારની સૂચી એટલે પવિત્રતા. સાફ કર્યા કરવું, આમ બધે ડેટોલના છાંટા મારી દેવા એ સૂચીની વાત નથી અહીંયા આગળ. મન મેલું હોય તો ડેટોલથી સાફ થાય? એટલે ધ્યાન રાખવાનું કે ભાઈ એને તો તમારે સ્વચ્છ કરવાનું શેનાથી? તો કે, સરળતાથી, ધૈર્યથી. આ બધી વસ્તુઓ એકબીજા સાથે સંકળાયેલી છે ને સુસંગત છે. કેમ કે જેવું આ અન્ન હશે, તેવું મન હશે. હવે તમારું ભગવન ન છે, તો પછી તમારું મન પણ ભગવન બની ગયું. આવી રીતે બધું એકબીજા સાથે એવું સુંદર રીતે સંકળાયેલું છે.
હવે આગળ કહે છે: "હે તપોધન!" તપ જેનું ધન છે તેવો તેને કહેવાય તપોધન. વેદમાં વર્ણવેલી વિધિ સિવાય મન, વાણી અને શરીર દ્વારા અગર કોઈને કોઈ રીતે પીડિત કરવામાં આવે છે, અથવા તો એના પ્રાણોને શરીરથી અલગ પીડા આપવામાં આવે છે, તો એ વાસ્તવિક હિંસા જ કહેવાય છે. એનાથી અલગ બીજી કોઈ હિંસા નથી.
હે મુનિ, આ ભાવ રાખો કે આત્મા તત્વ સર્વવ્યાપ્ત છે. શસ્ત્ર વગેરે દ્વારા એ નષ્ટ થઈ શકતું નથી. હાથ અથવા ઇન્દ્રિયો દ્વારા પણ આત્માનું ગ્રહણ થવું અસંભવ છે. આત્મા આવે ખરો? આત્મા ના આવે. ઇન્દ્રિયો દ્વારા આવે? ઇન્દ્રિયો દ્વારા પણ હાથમાં આકાશ જ નથી આવતું, તો પછી આ ક્યાંથી આવવાનું? એવી રીતની જે શ્રેષ્ઠ બુદ્ધિ છે, તેને જ વેદાંતના મર્મગ્ન વિદ્વાનોએ શ્રેષ્ઠ અહિંસા કહેલી છે. પાછું હું કહું છું એવું પણ નહીં. આ વાત હું કહું છું, પણ રેફરન્સ કોનો આપે છે? તમે જો, વેદોનો, શ્રેષ્ઠ વિદ્વાનોનો એ રેફરન્સ આપે છે.
હે સંકૃતે, ચક્ષુ વગેરે ઇન્દ્રિયોના માધ્યમથી જે રૂપમાં દેખેલો, સુંઘેલો અને...
સમજેલો વિષય છે, જે સબ્જેક્ટ છે તે, એને એ જ રૂપમાં વાક ઇન્દ્રિય દ્વારા અથવા તો ફરી સંકેત દ્વારા કે "એ જ સત્ય છે." સત્યની જો આ કેવી જબરજસ્ત મોટી ડેફિનેશન! એ સિવાય સત્યનું બીજું કોઈ સ્વરૂપ નથી. બધું જ સત્યરૂપ પરબ્રહ્મ પરમાત્મા છે. આ સર્વોચ્ચ સત્ય આવી ગયું. પરમાત્મા સિવાય બીજી કોઈ અન્ય વસ્તુ છે જ નહીં. આ રીતનો જે દ્રઢ નિર્ણય છે, નિશ્ચય છે, તેને વેદાંત જ્ઞાનના વિષય સજ્ઞોએ સર્વશ્રેષ્ઠ સત્ય બતાવેલ છે.
બીજાના રત્ન, આભૂષણ, સોનું, મણિમુક્તકથી માંડીને તણખલા વગેરેને માટે મનમાં પણ ક્યારેય પ્રાપ્ત કરવાની ઈચ્છા ન કરવી. બીજાની મોટી કે નાની વસ્તુ માટે ક્યારેય પણ મનમાં લોભ કે લાલચ ન લાવવી એ જ અસ્તેય છે. ચોરી ન કરવી. વિદ્વાન લોકોએ એને અસ્તેય અર્થાત "ચોરી ન કરવી" કહેલ છે. હે મુનિ, આ સંસારના સમસ્ત વ્યવહારોમાં, વ્યવહારમાં અનાત્મ બુદ્ધિ રાખીને આત્માથી દૂર રાખવાનો જે ભાવ છે, તેને જ આત્મજ્ઞાની લોકોએ અસ્તેય કહેલ છે. હવે ફાઇનલ ડેફિનેશન આપી દીધું: સંસારમાંથી કંઈ પણ તમે જો ગ્રહણ કરો છો, આત્મા સિવાય બીજું કંઈ પણ, તો એ ચોરી જ છે. છેવટે એ કહી દીધું. શ્રેષ્ઠ આચારો! આના વિશે વિચારો.
હવે આગળ કહે છે: મન, વચન અને શરીર દ્વારા – મનથી, વચનથી, વાણીથી અને શરીર દ્વારા સ્ત્રીઓના સહવાસનો ત્યાગ અને ઋતુકાળમાં જ ફક્ત પોતાની જ પત્ની સાથે સંબંધ રાખવો અને બ્રહ્મચર્ય પહોંચાડનાર મનને પરબ્રહ્મ અવિનાશી તત્વના ધ્યાનમાં જ જોડી રાખવું. આમ જોડી રાખવાનું. જો મન તમારું આવી રીતના જોડાયેલું હશે પરમાત્માની અંદર, તો બીજું કંઈ નહીં થાય. અહીં જે થાય છે ને, એની પર ધ્યાન આપો. જો કેવા સ્પંદનો આવે છે! આવી રીતે મનને જોડી રાખવાનું પરમાત્માની અંદર. એમ કહેવામાં આવે તો આ મુદ્રા તરીકે તો આપેલું જ છે આપણને બધાએ. પણ તમે પેલી ન્યુરોપથી કે ન્યુરોનો એક પ્રોગ્રામ એવો કરી શકો કે જ્યારે પણ મારા આંગળીને આવી રીતના હું આમ કરીને આમ જોડી રાખું છું, ત્યારે ત્યારે હું પરમાત્મા સાથે જોડાયેલો છું, એકરૂપ છું. પ્રોગ્રામ કરી દો. પછી હવે એક હાથ હોય કે બીજા હાથે હોય, જે અનુકૂળ હોય.
અને આ બહુ જ સહજ સ્વાભાવિક છે. તમે રોડ ઉપર ચાલતા ચાલતા પણ આવી રીતના હાથ રાખી શકશો. ગાડી ચલાવતા ચલાવતા પણ આમ કરી શકશો. તમે ખાલી ભાવ કરો કે હું આ બસ આ પરમાત્મા સાથે જોડાયો છું. આટલું જ કરવાનો યોગ તમારો પૂરો થઈ જશે. પણ એ પરમાત્મા શું છે, કેવો છે, તેનો સંપૂર્ણ ખ્યાલ અંદર હોવો જરૂરી છે. તેના સહિત કરવાનું છે. હવે પરમાત્મા કેવા કેવા છે, તેના લક્ષણો કેવા છે, બધું જ આપણે જાણ્યું. તેના ગુણો કેવા છે? તો એ બધું એક સાથે ઓલ એટ ટાઈમ આપણી અંદર હોવું જોઈએ અને એ બધું આપણી અંદર આમ પ્રગટ થઈ રહ્યું છે એવો ભાવ કરવાનો. ખાલી બસ આટલું આમ કરીને આમ કરવાનું. આ ન્યુરોપથી તમારી આ ગોડ પથી શું? સીધે સીધો જ પ્રભુનો માર્ગ છે. પ્રભુને પામી જ જાઓ તમે ૧૦૦%. ખાલી બસ આમ આને સ્પર્શ કરી રાખો અને જુઓ અહીંયા આગળ અનુભવ કરો કે બસ હું જોડાઈ ગયો એની સાથે.
બસ પૂરું થયું. સૌથી શ્રેષ્ઠ બ્રહ્મચર્યની વાત કરી દીધી.
હવે તમામ ભૂત પ્રાણીઓને પોતાના સમાન સમજીને તેમના પ્રત્યે મન, વચન અને શરીર દ્વારા આત્મીયતાનો અનુભવ કરવાનો છે. શું? "જે આત્મા હું છું, તે જ આત્મા તું છું." બસ એનો અનુભવ કરવાનો. પોતાના દુઃખો જેમ આપણે દૂર કરવાનો પ્રયત્નશીલ રહીએ છીએ, તેવી જ રીતે તેના પણ દુઃખોને દૂર કરવાનો પ્રયત્ન કરવાનો. પોતે જેમ સુખ પામવાનો, આનંદ પામવાનો જેમ ઉપક્રમ કરે છે, તેવી જ રીતે અન્નના પણ દુઃખો અને એ બધામાંથી એને બહાર આવી જાય તે પ્રમાણેનો જે કંઈ શક્ય હોય એવો પ્રયત્ન કરવાનો. તેને વેદ વેત્તાઓ, વિદ્વાનો દયા કહે છે. સમજાયું? જેને જે જોઈએ છે, તે તેને પ્રાપ્ત કરી શકે તેવા પ્રકારની આપણે વ્યવસ્થા કરી શકતા હોઈએ તો એવી કરવી. ભાવના કરી શકતા હોય તો ફક્ત ભાવ કરવો. કોઈ આવવા પહોંચી જાય ત્યાં આગળ ટાઈમ સર, એની ટ્રેન છૂટવે નહીં એમ. એ પ્લેન પકડી જ લેશે, કારણ કે જો ન પકડે તો પછી એને બહુ તકલીફો છે.
બસ એવો ભાવ હોય દરેક વસ્તુમાં. દરેકનું સાચું અને સીધું સીધું જ સોચવાનું એમ. ટૂંકમાં, આ ઝટ જઈને દવાખાને ડોક્ટરને બતાવે તો સારું એમ. એવો ભાવ કરવાને બદલે એમ કહેવાનું કે ના, તું નિરોગી જ છે. છતાં પણ એને જરૂરિયાત લાગે તો આપણે પ્રયત્ન કરવો કે ભઈ એને ત્યાં સુધી પહોંચવાની વ્યવસ્થા કેવી રીતે ઊભી થઈ શકે છે તે પણ હુંપણાથી નહીં, આત્મીયતાથી કરવો.
પુત્ર, મિત્ર, સ્ત્રી, શત્રુ અને સ્વ આત્મામાં હંમેશા મનનો સમાન ભાવ રાખવો. જો ભગવાને કહી દીધું છે: શત્રુમાં પણ, સ્ત્રીમાં પણ સમાન ભાવ રાખવાનો. સ્ત્રીને સ્ત્રી નહીં જોવાની એમ કીધું. પુત્રને પણ સમાન, મિત્રને પણ સમાન, સ્ત્રીને પણ સમાન, શત્રુને પણ સમાન. શત્રુતા નિભાવવાની હોય વ્યવહારની અંદર, પણ તે પણ સમાન ભાવથી. "જેવો આત્મા હું છું, તેવો જ આત્મા તું છે." એમ સ્વ આત્મામાં પણ હંમેશા મનનો સમાન ભાવ રાખવાનો. મહાનતાનો ભાવ નહીં કરી નાખવાનો એકદમ કે હું જ એક જ છું. બસ એવો નહીં એમ. એક જ છે, બરાબર છે, આત્મા રૂપે બધા જ. પણ ખાલી હું છું, તમે નથી, એવા પ્રકારનું ના થવું જોઈએ વર્તનની અંદર. એને આર્જવતા એટલે કે સરળતા કહે. આર્જવતા. હે શ્રેષ્ઠ મુનિ, શત્રુઓ દ્વારા મન, વચન અને શરીર દ્વારા કષ્ટ છતાંય પણ બુદ્ધિમાં જરાય ક્ષોભ ન આવવા દેવો.
એને ક્ષમા કહેવામાં આવે. પેલો એ જમાનામાં લોકો હાથીના પગ નીચે કચડી નાખતા હતા. પકડાય ને રાજાજી તો કે એવું તેવું કરે તો કોઈ બીજો કે દેશની સામે કે રાજ્યની સામે કાવતરું કરે છે. આતંકવાદીઓ તો ત્યારે ડિક્લેર થતા હતા એટલે એવાને તેવી સજા કરવામાં આવતી. તેના માટેનું એક બહુ સુંદર છે "પૃથ્વી વલ્લભ" કરીને પુસ્તક. બહુ સારું છે તેની અંદર એ જે રાજા...
બીજો રાજા એને હાથીના પગ નીચે કચડાવવાનો ઉપક્રમ કરે. હાથી તેને ઓળખી જાય છે, તેના પર પગ મૂકતો નથી અને એનાથી પહેલા બીજા રાજાની જે બુદ્ધિ છે તેમાં પરિવર્તન, હૃદય પલટો થાય. બહુ સુંદર છે, કરવા જેવું.
વેદ જ્ઞાનથી જ સંપૂર્ણ મોક્ષ મેળવે છે. વેદ એટલે શું? આત્મા વિશે, આત્મા સુધી પહોંચાડવાનો જે કોઈ રસ્તો બતાવતું હોય એ બધું વેદ છે. વેદ બીજું કંઈ છે જ નહીં. આત્મા સિવાય, આત્મા સંબંધી જ વાતો છે વેદની અંદર. એ સિવાય અન્ય કોઈ કારણોથી નહીં, એવો જે દ્રઢ સંકલ્પ છે એને જ વેદજ્ઞોએ "ધ્રુતિ"ની ઉપાધિ પ્રદાન કરેલી છે. અથવા તો પછી "હું આત્મા છું, આત્માથી અલગ બીજું કશું જ નથી" એ રીતની, ક્યારેય વિચલિત ન થનારી બુદ્ધિ જ શ્રેષ્ઠ ઉત્તમ ધ્રુતિ છે. ધ્રુતિનો અહીંયા આગળ કેટલું જબરજસ્ત મોટું ડેફિનેશન આપી દીધું! સ્થળ, કાળ બધું ભૂલી જાવ કે બસ, હું જ આત્મા.
થોડા પ્રમાણમાં શુદ્ધ સાત્વિક ભોજન કરવું. પેટના બે ભાગ ભોજનથી, ત્રીજો જળથી અને ચોથો વાયુ માટે ખાલી છોડી દેવો એ જ યોગમાર્ગને અનુકૂળ ભોજન છે. એને "મિતાહાર" કહેવામાં આવે.
મહામુનિ પોતાના શરીરના મળને માટી અને જળથી પરિમાર્જિત કરવામાં આવે છે, તેને શરીર શુદ્ધિનું "બાહ્ય સૌચ" કહેવામાં આવે છે. મનના માધ્યમથી શ્રેષ્ઠ પવિત્ર ભાવોનું જે ચિંતન મનન કરવામાં આવે છે તેને "માનસિક સૌચ" કહેવામાં આવે છે. એ સિવાય ફાઇનલી વિદ્વાન, "હું વિશુદ્ધ આત્મા છું" એ શ્રેષ્ઠ જ્ઞાનને જ "સૌચ" કહેવામાં આવે છે. દાદાએ તો ટોયલેટમાં જ બેસાડી રાખ્યા છે આપણને. "હું વિશુદ્ધ આત્મા છું" એને સૌચ કહેવામાં આવે. એનાથી શું થશે? તો કે ઉત્સર્જન થઈ જશે બાકીના બધા ભાવોનું, સંસાર ભાવનું ઉત્સર્જન. "હું વિશુદ્ધ આત્મા છું" એના અંદર રહેવાનું. આ શરીર અંદર અને બહાર એમ બંને બાજુએથી અત્યંત મલીન છે. એક લેવલ સુધી આ અંદર અને બહારનો ભાવ રહેશે, પછી એ બધું ગાયબ. અંદર-બહાર બધું એકાકાર થઈ ગયું. આપણે હવે શું? એટલે બધી બાજુથી આપણે સંપૂર્ણ શુદ્ધિ માટેનું જે કંઈ હતું તે આપણે કર્યું.
શરીરને ધારણ કરનાર મારો આત્મા અત્યંત પવિત્ર અને મળ રહિત છે. એનામાં કોઈ મેલ છે જ નહીં, એમનામાં કોઈ ડાઘો પડતો નથી, કશું થતું નથી. તમે કોને સાફ કરવાના? હવે તમે જો આ છો એવી ભાવના કાઢશો તો બાકીનું કશું તમે છો જ નહીં. એટલે બધું જ ઉત્સર્જન થઈ ગયું કે ના થઈ ગયું? ભાવથી ઉત્સર્જન થઈ ગયું. પોતાના ભાવથી ઉત્સર્જન થઈ ગયું. એટલે એવી રીતના "આ વિશુદ્ધાત્મા છું" એ ભાવની અંદર આપણે નિરંતર રહીએ એવું આપણે શ્રેષ્ઠ જ્ઞાનને સૌચ કહેવામાં આવે છે. આ શરીરને ધારણ કરનારો આત્મા અત્યંત પવિત્ર અને મળ રહિત છે. એ રીતે દેહ અને આત્માનું અંતરનું જ્ઞાન મળી ગયા પછી કોને પવિત્રતમ બતાવવામાં આવે? પવિત્રતમ આત્મા તમે તે સ્વયં.
હે શ્રેષ્ઠ મુનિ, જ્ઞાન રૂપ પવિત્રતાને ભૂલીને જે સાધક માત્ર બહારની પવિત્રતામાં જ વ્યસ્ત અને મસ્ત રહેતો હોય એ વ્યક્તિ કેવો છે? તો કે સોનાનો ત્યાગ કરીને માટીના ઢેફા ભેગા કરનારો મૂર્ખ સમાજ છે અને ખરેખર અમૂલ્ય શું છે એનો એને વિવેક જ નથી. એમ ઘણા લોકો એવા કે મારે સાત વાગ્યે નાહવું જોઈએ, દસ વાગ્યે નાહવું જોઈએ અને પાછું બાર વાગ્યે પણ નાહવું જોઈએ એમ જે નાહવાનો છે એ ઉપક્રમ ચાલુ ને ચાલુ જ હોય. બધું સાફ કરવાનો જ ઉપક્રમ ચાલુ ને ચાલુ જ હોય. તો આવા પ્રકારનું જે બાહ્ય સૌચમાં જ રત રહેલા વ્યક્તિઓ છે તે લોકો આવા છે કે જે પોતાનો અમૂલ્ય સમય જીવનનો આવી ક્ષુદ્ર વસ્તુઓમાં વેડફી નાખે છે. અને એ એની અંદર વાસ્તવની અંદર શું છે કે જે યોગી જ્ઞાન રૂપી અમૃતથી તૃપ્ત અને કૃતાર્થ બની જાય છે તેને આ જગતમાં કોઈ પણ કર્તવ્ય બાકી રહેતું નથી.
એનું બધું પૂરું થઈ જ જશે કારણ કે જે કરવાપણું હતું એ એને કરી લીધું.
આ એક જ કર્મ છે. ભગવાન શ્રીકૃષ્ણએ પણ આપણને આ જ વાત કરી છે કે કર્મ એટલે શું? તો કે બસ આ એક જ કર્મ. એ જ યજ્ઞ અને યજ્ઞ કર્મની શરૂઆત કરીશ એટલે યજ્ઞની શરૂઆત થઈ ગઈ. અને યજ્ઞની પૂર્ણાહુતિની અંદર શું થશે? તો કે આ કર્મનો લય થઈ જશે. કર્મનો લય એટલે શું? તો કે "હું આત્મા છું" તે પણ અંદર બસ પતી ગયું. એનો અનુભવ આવી ગયો એટલે પૂરું થઈ ગયું. ત્યાં તારું કર્મ પૂરું થઈ જશે. એટલે વાસ્તવમાં મનુષ્ય દેહની અંદર એકમાત્ર કર્તવ્ય લઈને આવે છે, એકમાત્ર કર્મ લઈને આવે છે, એક જ યજ્ઞ કરવાનો છે. અને બસ એ એને શરૂ કરી દીધો એટલે પાછો કોઈક જન્મમાં તો એ પૂરો થઈ જ જશે. જો આ કાળમાં એનાથી પૂરો ના થયો, સંજોગવશાત આ દેહમાં ના થયો તો પણ એ કોઈ સારી જગ્યાએ જન્મ લેશે, સારી સાનુકૂળતાઓ પ્રાપ્ત કરીને બાકી રહેલું હશે તે પૂરું કરશે. જ્યાંથી એને છોડ્યું હતું, છૂટી ગયું હતું ત્યાંથી એ શરૂઆત કરશે, ત્યાં સુધી પહોંચી જશે.
અને અંતિમ કર્મની સમાપ્તિ થતાં બ્રહ્મની અંદર એનો પ્રવેશ થઈ જાય. એટલે "અહમ બ્રહ્માસ્મિ" બસ અનુભવ આવી ગયો એટલે કોઈપણ કર્તવ્ય પછી બાકી રહેતું નથી. એટલે મનમાં જે ખેદ રહેતો હોય રાત્રે સૂતી વખતે, "મારે તો આ કરવાનું રહી ગયું અને પેલું કરવાનું રહી ગયું" એ બધું કોઈ કર્તવ્ય છે નહીં અને કશું બાકી રહેતું નથી. એ તો તત્વવેતા નથી. સમજાયું? કે જે કોઈ હજી પણ એવું વિચાર્યા કરતો હોય કે મારે આ બાકી રહી ગયું છે, પેલું બાકી રહી ગયું છે, પેલું બાકી રહી ગયું તો એ બધા લોકો તત્વને ખરેખર જાણતા જ નથી. તત્વને જાણવું એ જ મુખ્ય કર્તવ્ય છે, એ જ મુખ્ય કર્મ છે. એ સિવાય બીજું કોઈ નથી.
ફરી કહે છે કે આત્મજ્ઞાની મહાન આત્માઓના માટે ત્રણેય લોકોમાં પણ ક્યાંય કોઈ કર્તવ્ય નથી. સમજાય છે? બધું પૂરું થઈ ગયું. તમારું નોકરી-બોકરી, જે વેપાર-ધંધા આ તે બધું ડિઝોલ્વ થઈ ગયું. તમે જો આ એકમાત્ર પૂરું કરી દીધું બસ, પછી બીજું કંઈ કર્તવ્ય રહેતું નથી. તેથી
હે મુનિશ્વર, તમે બધી જ જાતનો પ્રયત્ન કરીને અહિંસા વગેરે સાધનોના આ બધા સાધનો આપ્યા. દસ માધ્યમથી શું કરવાનું છે? તો કે અનુભવયુક્ત જ્ઞાનને પ્રાપ્ત કરીને આત્માને અવિનાશી બ્રહ્મના રૂપમાં જાણી લો. બસ, અહીં સંપૂર્ણતા જેવું જાણ્યું એટલે સંપૂર્ણ પૂર્ણતા પ્રાપ્ત થઈ.
હવે બીજો ખંડ કહે છે: "તપ, સંતોષ, આસ્તિકતા, દાન, ઈશ્વરની પૂજા, લજ્જા, જપ, મતી, વ્રત અને સિદ્ધાંત સાંભળવો." આ દસ નિયમો બતાવવામાં આવેલા છે. એમાંથી પહેલો જે છે તેને તપ કહેવામાં આવે છે. હવે વેદોમાં જે વર્ણન કરેલા તપ છે તે શું છે? તો કે કૃચ્છ, ચાંદ્રાયણ વગેરે વ્રત દ્વારા અમુક જે વ્રતો બતાવ્યા છે તેનાથી શું કર્યું છે? શરીરને ક્ષીણ બનાવવાને વિદ્વાનો તપ કહે છે. શરીરને ક્ષીણ બનાવશો તો આત્મા પ્રગટ થશે. લોકો શરીરને જ પુષ્ટ બનાવતા હોય છે. તો ભોજન પણ એના જ માટે કરતા હોય કે "કેમ મારે બોડી બરાબર રહેવું છે." બાકી રહ્યું તો ઉપર વિટામિનો, ગોળીઓ બધું ઠોકવાનું બરાબરનું કે એને મજબૂત કરો. પેલા કહે છે, "કૃચ્છ ચાંદ્રાયણ વ્રત કરો ભાઈ." એટલે વેદોમાં વર્ણન કર્યું છે તેવી વિધિ પ્રમાણે આમાં કોઈ અતિશક્યતા નથી, કારણ કે એ બધા વ્રતો જોયેલા છે.
એમાં કીધું છે કે પોતાની શારીરિક શક્તિને, ક્ષમતાને લક્ષમાં લઈને આ બધા કરવાના છે. ના થાય એવું હોય તેને પણ તૂટી પડવાનું છે એવું કોઈ જગ્યાએ મેં વર્ણન જોયું નથી. એટલે આ જ્યારે આપણે આમ કોઈક વસ્તુ પકડીએ કે તપ એટલે હવે તો કોઈક તપ કરવા માંડ્યા.
દાખલા તરીકે, પહેલા આપણે હમણાં ગઈકાલે વાત કરતા હતા ને આહાર વિશે જ વાત કરતા હતા. તે વખતે આપણે કહ્યું હતું કે સદાશિવને પામવા માટે પાર્વતી માએ વ્રત શરૂ કર્યું. બીજા જન્મની અંદર, પેલો સતીનો જન્મ પૂરો થયા પછી, તો ગંગા કિનારે ત્યાં પહોંચીને, અલકનંદા ત્યાં પહોંચીને, એમને પછી વ્રત આદર્યું. તો પહેલા મહિને એમને શું કર્યું? તો કે ફળાહાર કર્યો. સંપૂર્ણ આહાર ફળાહાર જે કેવો પાછો અલ્પ પ્રમાણમાં, જે કીધું ને કે અડધું પેટ ભરવાનું, પછી પાણીની જગ્યા અને પછી ખાલી છોડી દેવાનું. એ લક્ષમાં રાખીને પહેલા મહિને ફળાહાર શરૂ કર્યો. એક મહિનો પૂરો થતાં પછી એમણે ફળાહાર પણ બંધ કરી દીધો અને પાંદડા ખાવાના શરૂ કર્યા. અમુક વનસ્પતિના, વૃક્ષોના ખાઈ શકાય એવા, જેમ કે પાલકનું પાંદડું હોય છે, નાગરવેલનું પાંદડું હોય જે ખાઈ શકાય, મૂળાનું પાંદડું હોય છે, એવા પાંદડા શોધી શોધીને એમણે બીટનું પાંદડું હોય દાખલા તરીકે.
એવી રીતના બધા જાણકારી હોય એટલે એ એનાથી જ એમને એક મહિનો બીજો કાઢ્યો. તપોરત બિલકુલ, સતત ધ્યાન, ચિંતન કોનું? તો કે સદાશિવનું. તદરૂપ બસ કે "પતિ રૂપે તને જ પામું" એમ નક્કી કરી નાખેલું હતું.
ત્રીજા મહિને શું કર્યું? તો કે કેવળ પાણી પર. જો, ધીમે ધીમે ફળોમાં પાણી છે, પાંદડાઓમાં એનાથી ઓછો રસ છે. ફળોમાં રસ છે, હવે ઓછો રસ આવ્યો. ત્યાર પછી છેવટે જળ. જળની અંદર જેટલો રસ છે એટલો જ, વધારે નહીં લેવાનો. દેહમાંથી ધીમે ધીમે ધીમે ત્યાગ કેટલી હદ સુધી કર્યો એ જોવાનું. અને પછી ચોથા મહિને શું કરવાનું? તો કે અણાહારી રહીને, કેવળ વાયુ ભક્ષણ કરીને, પ્રાણ ઉપર જ એમને ચોથા મહિને પણ વ્રત કર્યું. આવી રીતના વ્રત કરતા હતા. ઘણા ઋષિમુનિઓએ પણ આવું બધું કરેલું એવું બધું વાંચેલું અમે. અને વાસ્તવની અંદર આજ સાચું છે કે આહાર શુદ્ધિ જો હશે તો જ ત્યાં સુધી પહોંચાશે. પરમ તત્વને પામવું એ કોઈ મજાક નથી. નાગરવેલનું પાનનો ઓર્ડર આપીએ અને આપણે ખાઈ જઈએ અને આપણને મળી જાય છે એના જેવું નથી. એના માટેનું જે પ્રિસ્ક્રિપ્શન આપેલું છે શાસ્ત્રોની અંદર કહેલું છે અથવા તો ગુરુએ બતાવેલું હોય, વર્ણિત હોય એવા પ્રકારનું હોય એવું આચાર બધો માંગી લે.
આપણે હમણાં ભજીયાને ખાધું તો આપણે કીધું ને કે આમાં સત્વ તરીકે તમે લ્યો. બસ, તો એ પણ કાંઈ પ્રોબ્લેમ નથી એમ. એ સર્વોચ્ચ આખી પરિસ્થિતિ બદલાઈ જાય છે. ત્યાં તો એમને જે ઉપલબ્ધ હતું તેનો ઉપયોગ કર્યો. આપણે આ અહીંયા આ ઉપલબ્ધ છે તો તેમાં એ વસ્તુને કાઢીને પેલી ભાવના કરીએ છીએ. તમે ભજીયું ભલે ખાતા હો પણ એની અંદર આમ આમ પકડીને તમે બાર વખત "ઓમ ઓમ ઓમ ઓમ" મનમાં બી છેવટે બોલી જાવ. કોઈને ખબર નથી કે ખાલી આમ દ્રષ્ટિ કરી દો. બાર વખત ઓમ બોલી કાઢ્યું હોય પછી એને તમે ગ્રહણ કરો. સ્વાદે જુદું હશે ને બધું અલગ આવશે. બધું જુદું થઈ જશે. વ્યવહારમાં બધાને દેખાશે કે આ ભજીયા ખાય છે, પણ તમે ખરેખર ભજીયું ખાતા નથી. તમે શું ખાવ છો? ભગવાનને ખાવ છો. રૂપ એનું એ રહે છે પણ એના ગુણનું પરિવર્તન થઈ ચૂક્યું છે જ્યારે તમે આવી ભાવના સાથે ખાવ છો.
નિશ્ચય ઈમ્પોર્ટન્ટ છે કે કયો નિશ્ચય પરબ્રહ્મમાં છે. તો કાંઈ પણ કરતો હોય તો એને એ એ રસ્તામાં જ રહેવું છે. એના માટે જ એ જો સતત પ્રયત્નશીલ રહેતો હોય તો એને આવું બધું બી મળી રહે કે આવું બી આવે છે. તો આવી રીતે હા, પણ સુરતમાં જે રોજ પેલો લોચાની લાઈનમાં જ ઊભો રહી જતો હોય સવારમાં ઉઠીને તેને આ જ્ઞાન બહુ હેલ્પફૂલ ન થઈ શકે. હા, કારણ કે એને તો પેલું ઠોસ જોવે છે, પેલું જ જોવે છે, એને આ નથી જોઈતું. એ ખ્યાલમાં રાખવાનું. આપણે કોઈને કહેતા, શીખવાડતા પહેલા પણ સમજવાની જરૂર છે કે આ કોને અપાય, ના અપાય. વિવેક.
મોક્ષ શું છે અને આત્મા કેવી રીતે અને કયા કારણોને લઈને સંસાર બંધનને પ્રાપ્ત થયેલ છે, આ બધી બાબતોના વિચારને તત્વજ્ઞાની લોકો તપ કહે છે. હવે ફાઇનલ તપ આવ્યું, સર્વોચ્ચ ટોપ ઉપરનું. દેવ ઈચ્છા, ઈશ્વર ઈચ્છાથી વ્યવસ્થિત જ છે. જે કંઈ મળી જાય એટલાથી જ હૃદયમાં જે પ્રસન્નતા હંમેશા બની રહે છે, પ્રાપ્ત થઈ ગયું એમ. ભૂખ લાગી અને કોક આવ્યું કંઈક આપીને જતું રહ્યું. શ્રેષ્ઠ છે તમારા માટે, વ્યવસ્થિત છે. જ્ઞાની લોકો એને સંતોષ માને છે. સર્વત્ર અનાસક્ત.
કોઈપણ પ્રકારની આસક્તિ વગર, કોઈપણ વસ્તુમાં નહીં, વ્યક્તિમાં નહીં, સંજોગોમાં નહીં, કસમમાં નહીં, બ્રહ્મા વગેરે દેવતાઓના લોક સુધીના સુખોથી વિરક્ત હોવાને કારણે ઇન્દ્રદેવ આવીને કહે છે કે, "ચાલ, લઈ જાવ તેને." ઘણાને થાય છે ને એવું બધું? તો બ્રહ્મલોક સુધીના, એટલે બ્રહ્મા લોક વગેરે દેવતાઓના લોક. સૌથી ઊંચો બ્રહ્માનો લોક છે, બરાબર? તો ત્યાં સુધીના બધા જ સુખોને પણ વિરક્ત રહીને, એનાથી અલગ, એમાં રક્ત મતલબ લિપ્ત થવા વગર, મનમાં જે પ્રસન્નતા બની રહે છે તેને મહાન પુરુષો શ્રેષ્ઠ સંતોષ માને છે.
વેદો અને સ્મૃતિ ગ્રંથોમાં કહેલા ધર્મમાં દ્રઢ વિશ્વાસ હોવાને જ આસ્તિકતા કહેવામાં આવે છે. અહીં તો બધા બખેડા ચાલ્યા છે કે આસ્તિકતા અને નાસ્તિકતા. "ડુ યુ બિલીવ ઇન ગોડ?" એટલે તું ગોડની બહાર તો બહાર નીકળી જો કે તને ખબર પડે. પહેલા નક્કી કર તું ગોડ છે શું છે, અને પછી એને બહાર નીકળી બતાવી જો. આ તો કંઈ કેરમ બોર્ડની કૂકરી થોડી છે કે આમ કરીને આમ બહાર નીકળી જાય કાણામાંથી? નહીં નીકળાય. તું નીકળ કે ગોડની બહાર નીકળ.
તો ન્યાય રીતે મેળવેલ, ન્યાય ઉપાર્જિત ધન, સંકટગ્રસ્ત ક્લેશ વગેરેથી પીડિત વેદજ્ઞ પુરુષો અથવા શ્રેષ્ઠ આચરણવાળાઓને શ્રદ્ધાપૂર્વક આપવામાં આવે છે, તે ધનને હું દાનની શ્રેણીમાં માનું છું. શંકરગ્રસ્ત એટલે સંકટગ્રસ્ત છે ખરેખર તો, કલેશથી પીડિત હોય એવા વેદજ્ઞ પુરુષો. વેદજ્ઞ પુરુષોને શોધીને આપવાનું છે, બધાને નથી કીધું. શ્રેષ્ઠ આચરણવાળાને પાછું કેવી રીતે આપવાનું? શ્રદ્ધાપૂર્વક આપવાનું. શ્રદ્ધાપૂર્વક એને આપવાનું, એ પણ કેવું હોય? ન્યાયી રીતે મેળવેલું હોય, કેવું હોય? તો ન્યાય ઉપાર્જિત હોય એવું ધન. એ ધનને જ્યારે શ્રદ્ધાપૂર્વક આવા શ્રેષ્ઠ આચરણવાળાને આપવામાં આવે છે, તેને દાનની શ્રેણીમાં મૂકી શકાય. બાકી બધું કંઈ દાન કહેવાય નહીં. વ્યવહારિક રીતે ભલે લોકો કરતા હોય છે, એનાથી બધો બધાનો વ્યવહારો ચાલે, પણ એ બધું પાછું શું પુણ્ય ઊભું કરે ને આ બધું કરે ને એમ બધું ચાલ્યા કરતું હોય.
એટલે એને પદ બધું સારું સારું મળે, એ પણ એક અપેક્ષા સાથે આપેલું દાન છે. અહીં તો કોઈ અપેક્ષા નથી. એને આ પેલાને લેવાની નથી ને આને આને આપવું છે એવો આમ અંદરથી એક ઊભો થાય અને બસ એ આપી દે. એ સહજતાથી થતી આખી પ્રોસેસ. આ શ્રેષ્ઠ દાન થયું.
હવે રાગ જેવા વિકારોથી મુક્ત આકર્ષણ. રાગ એટલે કોઈપણ વસ્તુનું, વ્યક્તિનું કે વસ્તુનું, કોઈ સંજોગોનું, કોઈ પરિસ્થિતિઓનું એનું આકર્ષણ. એવા વિકારોથી મુક્ત હૃદય, અસત્ય ભાષણ વગેરે દોષોથી પર એવી વાણી અને હિંસા વગેરે દોષોથી મુક્ત એવું કોઈપણ જે કર્મ છે, શ્રેષ્ઠ ભગવત પ્રીતિ અર્થે કરાયેલું કર્મ જે છે, તેને ઈશ્વર પૂજન કહેવામાં આવે છે. આ બાકી બીજું બધું પૂજા પાઠ જે છે તે કેવો છે? કર્મકાંડ છે. આ ઈશ્વર પૂજનની અહીંયા આગળ વાત કરી.
આ સત્ય જ્ઞાન સ્વરૂપ, અનંત, સર્વોત્કૃષ્ટ અને નિત્ય અવિમલ, અવિચલ, પરમાનંદ સ્વરૂપ, આ જ અંતર્યામી આત્મા છે. આ સિદ્ધાંતને વારંવાર સાંભળીને તેને અનુકૂળ વિશ્વાસ કરવો, એને સિદ્ધાંત શ્રવણ છે. "આત્મા જ સત્ય છે, ઈશ્વર સત્ય છે, પરબ્રહ્મ પરમાત્મા છે, એક જ છે અને તે જ હું છું." આ બધા જે સિદ્ધાંતો છે, વેદ વાક્યો: "તત્વમસી", "અહમ બ્રહ્માસ્મિ", "અયમ આત્મમ બ્રહ્મન" વગેરે. તો આ બધા સિદ્ધાંતોનું શ્રવણ, શ્રવણ કરવાનું, પછી એના પર વિચાર કરવાનો, એને સિદ્ધાંત શ્રવણ કહેવામાં આવે છે.
વૈદિક અને લૌકિક માર્ગની અંદર જે નિંદનીય કાર્યો કહેવામાં આવે છે, તેને કરવામાં જે સ્વભાવતઃ સંકોચ થાય છે તેને લજ્જા કહેવામાં આવે છે. લજ્જા એટલે શું? કે વેદ અને લૌકિક, લૌકિક માર્ગ, આ બધો લૌકિક જેને કહેવાય તેવા માર્ગમાં પણ જેને નિંદનીય કહેવું છે, એવું જો કરવાનો વખત આવે તો તેને સ્વભાવગત રીતે સંકોચ થાય. કોક આવીને કોક એમ કહે, "તમે એને મારા વતી બે ગાળ દઈ દેજો." એના જેવી વાત છે. બોલવાનું તો પેલાને છે ને? જો કે ભાઈ ફલાણા ભાઈએ તમને આ સંદેશો આપ્યો. શું સંદેશો આપ્યો છે? પેલાને કીધું કે બે ગાળ દેજો કે છે. તો અહીં પેલાને કહે એ છે, પણ મારાથી બોલાય એવું નથી એવું કંઈક તમને કીધું. પાછો ડખો, બે જણ વચ્ચે ડખો ઊભો થાય. તો જ્ઞાની પુરુષ હોય, જે તત્વજ્ઞાનના માર્ગે આગળ જતો હોય, સાધક હોય, એ આવી બધી પરિસ્થિતિઓમાં મુકાતો જ હોતો નથી.
પોતે એમાંથી નીકળી જાય વિવેકપૂર્વક. "મારે શા માટે કહેવું પડે ભાઈ કોઈને કશું પણ કરવું પણ શા માટે?" ખોટું ખરાબ જેને લૌકિકમાં પણ નિંદિત કાર્ય કીધેલું છે, જેની નિંદા કરવામાં આવે છે, અને એ બધા પાછા મોર ઓર લેસ કેવા હશે? જે તે રાજ્યની સત્તાની વિરુદ્ધ, કાયદાની વિરુદ્ધના હશે બધા એવા કાર્યો હશે. અને એની સજાઓ પણ હશે. કાં તો દંડ હશે અને કાં તો પછી પેલો ફાઇન કરે છે ને એવું કંઈક હશે. એટલે પનિશમેન્ટ હોય કાં તો ફાઇન હોય, બેમાંથી કશુંક ને કશુંક હોય. "છ માસની સાદી કેદની સજા અથવા 500 રૂપિયા દંડ." પેલું ખેંચે છે ને ચાલુ ટ્રેનમાં સાંકળ ખેંચે તો 250 રૂપિયા દંડ. હજી વધ્યો નથી. અંગ્રેજોએ તે જમાનામાં 250 રૂપિયા રાખ્યો હતો. કોણ પાસે 250 હતા તે વખતે? 250 રૂપિયા એટલે કેટલા બધા હતા તે વખતે! હો! એટલો મોટો દંડ તે વખતે રાખ્યો હતો.
પણ આપણી આ સરકારે એને હજુય ચાલુ ને ચાલુ રાખ્યો છે. એટલે હવે શું થયું કે કોક મોડો પડ્યો હોય ને પેલાને ફોન કરી દેને તોય પેલો સાંકળ ખેંચી દે કે ભાઈ પેલો આવે છે દોડતો દોડતો. એના માટે 250 રૂપિયા આપીને છૂટી જાય કે ના બીજું કંઈ કરવાનું નથી. એટલે એવું જે થાય છે તે બધી વસ્તુઓ કરવામાં એને સંકોચ થાય. લજ્જા. ખોટી રોંગ સાઈડથી આમ જવું છે? નહીં, આપણે એવું નથી કરવું. ગમે ત્યાં પાર્કિંગ કરી દેવું છે? એવું ના કરે. એમ અહીંથી પાણી નાખે, કંઈક કચરો નાખે. ભલેને નીચે કોઈ નથી, પણ તમે શા માટે નાખો?
"છો ભાઈ, એ તો બધું સુકાઈ જશે."
"ના, એ સુકાય કે ના સુકાય એ પછીનો પ્રશ્ન છે. તમે આ શા માટે કરો છો?" વાત એ છે કે સ્વભાવગત રીતે સંકોચ થાય એને લજ્જા કહેવામાં આવે છે. અને વેદોક્ત ઉપદેશોમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખવી એ મતિ છે. મતિ એટલે શું? બુદ્ધિ એટલે શું? એ અહીંયા આગળ કીધું છે. વેદના ઉપદેશોમાં, વેદોમાં કહેલા ઉપદેશોમાં સંપૂર્ણ શ્રદ્ધા હોવી એને મતિ કહેવાય. એ પ્રમાણેનું પાલન કર્યા કરતો હોય એવી જે બુદ્ધિ ઉત્પન્ન થઈ. વેદમાં ક્યાંય કીધું જ નથી, "ચોરી કરો, તમે આમ કરો, તેમ કરો, બીજાનું પડાવી લો, ફલાણું કરો." કશું ક્યાંય એવી કોઈ મતિ નથી આપી. શાસ્ત્રો તો કેટલા બધા સુંદર છે અને કેટલી અદભુત વાતો બધી કરેલી છે! તો એવી મતિ હોવી જોઈએ એમ કહે છે. સાધકની ખાસ, જેને યોગાભ્યાસ કરવાનો છે. અને આ બધું દત્તાત્રેય ભગવાન કહી રહ્યા છે જે યોગના પણ ગુરુ છે.
ગુરુજનો દ્વારા સંમતિ, અનુમતિ મળી ગયા છતાંય વેદની વિરુદ્ધના માર્ગનું અવલંબન, સહારો ન મેળવતા વેદોક્ત વિધિથી મંત્રોનું વારંવાર ઉચ્ચારણ કરવું તેને જ જપ કહેવામાં આવે છે. વેદના વિરુદ્ધ માર્ગમાં ન જતાં ગુરુજનોએ કીધું હોય કે, "હા, તું આ જપ કરજે." પછી એનું જ્યારે કરતો હોય તો એને વેદોક્ત વિધિથી મંત્રોનું વારંવાર ઉચ્ચારણ કરવાનું છે. વેદમાં કહેલું હોય કે ભાઈ, "આવી રીતે કરજે. જપ કરતાં પહેલાં તારે ન્યાસ કરવો પડે, ન્યાસ કરતાં પહેલાં તારે આચમન કરવું પડે, પ્રાણાયામ કરવા પડે, આસન શુદ્ધિ કરવી પડે." જે સ્થળ, જે જગ્યા છે તેને પણ ભૂ શુદ્ધિ કહે છે, તે પણ તમારે કરવી પડે. પછી બેસવાનું તે પણ કઈ જગ્યાએ? કે શાંત, કોલાહલ વગરની જગ્યામાં. બહાર કોલાહલ હોય અને તમારે બેસવું પડે, વખત એવું પણ થાય. પણ અંદરનું કોલાહલ તો બંધ પહેલા કરવું જોઈએ જે પ્રાણાયામથી થઈ શકે.
એટલે કીધું કે, "પ્રાણાયામ કરો, પ્રાણાયામ કરો." આપણે શું છે? ખાલી શ્વાસમાં આમ લઈએ છીએ. નહીં, શ્વાસમાં તમે પ્રાણ લો છો. એ પ્રાણ કેવો છે તે પણ તમને ખબર હોવી જોઈએ. આપણે સાત ગ્રેડના પ્રાણની વાત કરી. તો ભાવનાથી તમે સાતમાં ગ્રેડનો પ્રાણ જ લેવાનો ચાલુ કરોને 24 કલાક, કેવું લાગે છે? આ સાતમાં ગ્રેડનો જ પ્રાણ લેવો. આપણે શું? બધી બ્રેડ બહુ જાતની મળતી હોય પણ આપણે તો શ્રેષ્ઠ બ્રેડ જ શોધીને લઈએ છીએ ને? જે તાજી હોય, પોચી હોય, ફલાણી હોય, ઢીંકણી હોય. ત્યાં જો ચોઈસ છે તો અહીંયા પણ આપણી પાસે વિકલ્પ તો છે જ ને? અને લેતા પહેલા જ આપણે ભાવના કરીને જ એને શુદ્ધ બનાવી દઈએ છીએ. "કેવો સર્વાત્મ ભાવ વાળો પ્રાણ લઈ રહ્યો છું જે પરમ લાઈટ છે, સોનેરી અને બસ ચંદ્ર સમાન રૂપેરી અને સૂર્ય સમાન જે તેજસ્વી ગોલ્ડન લાઈટ છે તેવો પ્રાણ હું આમ ગ્રહણ કરી રહ્યો છું." હવે એનો કુંભક થયો અને સમગ્ર દેહની અંદર, તમામ દેહોની અંદર પ્રસરી રહ્યો છે.
ત્યાં સ્થિર થઈ રહ્યો છે. અને જેમ જેમ આ પ્રાણ પ્રકાશ અંદર પ્રસરતો જાય છે તેમ તેમ અજ્ઞાન, અંધકાર બધું ખતમ થઈ જાય છે, વિલીન થઈ જાય છે. ત્યાં એનું અસ્તિત્વ સમાપ્ત થઈ રહ્યું છે. અને હવે છેલ્લે રેચક કરીને દીવાની જ્યોત પણ જેમ કે બળી જાય છે તે રીતે બાકી રહેલું કચરો, મેલ છે તે પણ બધું બહાર નીકળી જાય. તો અહીંયા તમે પ્રાણ મેળવો છો કોનો? તો કે વિશ્વનો પ્રાણ મેળવો છો જે એક જ છે.
વેદ, કલ્પસૂત્ર, ધર્મશાસ્ત્ર, પુરાણ અને ઇતિહાસ. ઇતિહાસ એટલે મહાભારતને ઇતિહાસ કહેવામાં આવે છે, બીજો કોઈ ઇતિહાસ નહીં. આ બધામાં મનની વૃત્તિઓને જોડી રાખવાની એ મારા વિચારથી જપ છે. જપના બે પ્રકાર છે: એક વાચિક જપ છે, બીજો માનસિક જપ. વાચિક જપની અંદર વ્યક્તિ મોટેથી બોલે છે. કોઈપણ જે મંત્ર આપ્યો, ગુરુએ કીધું કે, "તું આનો જપ કરજે." તો એ બોલે. હવે વાચિક જપને એક બીજી રીતે પણ કહેવાય કે આમ અહીં આકાશમાં એ મંત્ર લખાઈ રહ્યો છે, એને તમે સતત જો જો કર્યા કરતા હોય તો એને પણ વાચિક જપ કહી શકાય. દાખલા તરીકે આ જે મંત્ર છે, આ જે મંત્ર છે, એ મંત્ર તમે આમ જોઈ રહ્યા છો. હવે આ જ મંત્ર જે છે તે તમે અહીં લખાયેલો જોઈ રહ્યા છો. આ જ રંગ રૂપની અંદર, આ જ કલરની અંદર, આ જ ફોન્ટની અંદર અહીંયા આટલામાં જોઈ રહ્યા છો. હવે આ નથી પણ આ છે. આ વાચિક છે.
સતત આમ જોયા કરે એ માનસિક પણ છે અને વાચિક પણ.
હવે વાચિક જપ અહીં જે કહેલો છે તે તમને કહ્યું તો એમાં છે એક ઉચ્ચ સ્વર યુક્ત અને બીજો ઉપાંસુ એટલે ફુસફુસાહટ વાળો અવાજ. આવી રીતે માનસિક જપ પણ મનના અને ધ્યાનના ભેદ દ્વારા બે પ્રકારના. તો આજે બતાવ્યું એ મોટાભાગે માનસિક જપ છે પણ મન વાતથી વાંચો છો એટલા માટે એને વાચિક કીધું. અહીંયા આગળ કોઈપણ એક મંત્ર હોય દાખલા તરીકે, "ૐ નમો ભગવતે વાસુદેવાય." "વાસુદેવ ભગવાનને હું નમસ્કાર કરું છું." આ એનો અર્થ છે. એને લક્ષમાં રાખી અને બોલવાનું, "ૐ નમો ભગવતે વાસુદેવાય." તો એ મોટેથી જે બોલાય છે તેને અને બીજો છે અર્થ પાછો અંદર ખ્યાલમાં છે કે, "હું વાસુદેવ ભગવાનને નમસ્કાર કરું છું." એમ બોલે છે એ ઉપાંસુ છે. જ્યારે માનસિક જપની અંદર મનના અને ધ્યાનના ભેદના બે પ્રકાર. ઉચ્ચ અર્થાત ઊંચા સ્વરથી કરવામાં આવેલા જપ કરતાં ફુસફુસાટ વાળો ઉપાંસુ જપ જે છે તે જપને હજાર ગણો શ્રેષ્ઠ કહેવામાં આવે છે.
આ જ પ્રમાણે ઉપાંસુ કરતાં માનસિક જપને હજાર ગણો વધારે ઉત્તમ કહેવામાં આવે છે. અને ઉચ્ચ સ્વર દ્વારા કરવામાં આવેલા જપ બધાય લોકોને સારી રીતે ફળ આપનાર હોય છે. કરનાર એક હોય, સાંભળનારા હોય ને તો બધાને ફાયદો થાય. પરંતુ અગર એ મંત્રને નિમ્ન સ્તરની વ્યક્તિઓએ સાંભળી લીધા તો તે વ્યર્થ બની જાય છે. નિમ્ન સ્તરની વ્યક્તિ એટલે જેનું સ્તર આને ગ્રહણ કરવાની સ્થિતિમાં નથી. ગ્રહણતા, ગ્રહણશીલતા જ નથી. એ બધા નિમ્ન સ્તરમાં જ આવી ગયા કહેવાય. અહીંયા નિમ્ન સ્તરનો અર્થ એવો નથી કે કોઈ એમ કે નીચા કુળનો કે નીચા એમ કે...
કુટુંબમાં જન્મ લીધેલો એવો હરગીજ નથી. નિમ્ન સ્તર એટલે જે તે વ્યક્તિનું સ્તર એટલું નીચું પડી ગયું હોય કે જે આને ગ્રહણ જ ન કરી શકે, જે આનો લિહાજ ના કરી શકે, જે આનો વિવેક ના રાખી શકે એવો માણસ. તો એ જો સાંભળે છે તો પેલું નિષ્ફળ થઈ જાય છે એમ કીધું. એટલે એવાને આપવાનું કેમ? તો કે પહેલા એને ગ્રહણશીલતા થવા દો.
"મુનિ શ્રેષ્ઠ, ત્રીજો ખંડ શરૂ થાય છે." આસન નવ પ્રકારના કહેવામાં આવેલા છે. એમાંથી એક સ્વસ્તિક આસન, બીજું ગૌમુખ આસન, ત્રીજું પદ્માસન, ચોથું વીરાસન, પછીનું સિંહાસન. આ સિંહાસન, મુક્તાસન, ભદ્રાસન, મયુરાસન અને સુખાસન.
એટલે ઘૂંટણ અને જાંગોની વચ્ચે પોતાના બંને પગને સારી રીતે ગોઠવીને, મસ્તક અને શરીરને સમાન ભાવે સરખા બનાવીને રાખવાને સ્વસ્તિક આસન કહેવામાં આવે છે. સ્વસ્તિક બની જશે. આ આસનનો દરરોજ અભ્યાસ કરવો જોઈએ.
હવે જમણા પગની એડીને ડાબી બાજુના પાછળના ભાગ સુધી અને ડાબા પગની એડીને જમણી બાજુના પાછળના ભાગ સુધી લઈ જાવ, તેને ગૌમુખ આસન કહેવામાં આવે છે. "ગૌમુખ આસન, વિપ્ર."
બંને પગને બંને ઝાંગો પર રાખીને તેમના અંગૂઠાને બંને હાથો વડે પીઠથી પાછળના ભાગથી પકડવામાં આવે, એને પદ્માસન કહેવામાં આવે. બદ્ધ પદ્માસન, પદ્માસન કહે છે એને. આ આસન તમામ પ્રકારના રોગોને નષ્ટ કરનારું છે. હોસ્પિટલોની જરૂર છે. બધા આસન કરે છે પણ વેરીએશનો વાળા કરે છે. પ્રોબ્લેમ ત્યાં છે. જો આ આસનને ત્રણ મિનિટ કરતાં થાય, ધીરે ધીરે કરીને આ એક જ આસનને બધા રોગો નષ્ટ પામે છે. આ શાસ્ત્ર વિધાન છે. આને અહીંથી પકડવાનું, આને અહીંથી. ધીરે ધીરે આવશે. આપણને અત્યારે પ્રેક્ટિસ ના હોય, ના પણ થાય. અંગુઠા પકડવાના, અંગુઠા પકડવાના. પણ આ શરીરની આખી લૌચિકતા લાવી આપશે. તમામ રોગો નષ્ટ થઈ જાય, તમામ રોગો નષ્ટ થઈ જાય. રોગ માત્ર રહેતો નથી. શાસ્ત્ર વિધાન છે.
અને જે ગૌમુખની આસનની વાત કરી હતી તે તો આવી રીતના થાય. ગૌમુખ. આ ગૌમુખ જેવું આસન થાય એટલે એને ગૌમુખ કીધું. આ એનું મોઢું છે અને આ બે શિંગડા. વાત એક જ આસનની કરી છે અહીંયા આગળ. એ પદ્માસન છે. એટલે પહેલા પદ્માસન કરો, પછી બદ્ધ પદ્માસન કરો.
હવે જમણા પગ, ડાબા પગને જમણી જાંગની ઉપર રાખવામાં આવે છે અને શરીરને સીધું રાખીને બેસવામાં આવે તેને વીરાસન કહેવામાં આવે છે.
બંને એડીઓને અંડકોષની નીચે, શિવની પાછળ બંને જગ્યાએ લઈ જઈને રાખવામાં આવે અને ડાબી એડી દ્વારા શિવની જમણી બાજુ અને જમણી એડીથી શિવનીનો પાછળનો ભાગ જોડાઈ રહે. ત્યારબાદ બંને હાથોને ઘૂંટણો પર રાખીને આંગળીઓ ફેલાવી દેવામાં આવે. મોહ ખોલીને એકાગ્ર ચિત્ત બનીને ગ્રાણેન્દ્રિયના આગળના ભાગ પર સ્થિર દ્રષ્ટિ કરવામાં આવે, એ સિંહાસન છે. સિંહાસન, સિંહનું આસન.
અહીંયા ભદ્રાસન પણ છે. બંને એડીઓને અંડકોષ નીચે રાખીને પછી બંને હાથો દ્વારા પાછળનો ભાગ અને પગોને દ્રઢતાપૂર્વક બાંધીને એકાગ્રતાપૂર્વક બેસવામાં આવે, આ સ્થિતિને ભદ્રાસન કહે છે. આ આસન દરેક વિષયુક્ત રોગોને સમાવી દેનારું છે, નષ્ટ કરનારું છે. એટલે આ ભદ્રાસન કરવાની બહુ સારી અસરો ખરેખર તો લીવર ઉપર પડે, આખા શરીર ઉપર પડે પણ ધીમે ધીમે લીવર પર પડે.
મૂળ કહે છે અહીંયા આગળ શિવનીની સૂક્ષ્મ રેખાને ડાબી એડીથી દબાવી અને જમણી એડીથી ડાબીને દબાવવાથી મુક્તાસન થાય. હવે જે મેઢ્ર એટલે જનનેન્દ્રિયની ઉપર ડાબી એડી રાખીને એની ઉપર જમણી એડી રાખો, આ સ્થિતિ પણ મુક્તાસન કહેવામાં આવે છે. આ સરળ છે મુક્તાસન. આવી રીતના આમ કરીને આમ બેસવાનું બસ. બંને એકબીજાની ઉપર જ હોય આવી રીતના મુક્તાસન થઈ ગયું.
પછી બંને હથોળીઓ જમીન પર રાખી, કોણીના આગળના ભાગને નાભિના પાછળ લગાડી રાખવાનું. આ રીતના આમ ધરતી પર કરવાનું. આ થાય નહીં પૂરું અત્યારે આપણાથી. પણ માથું અને પગને ઊંચા રાખી આકાશમાં દંડની માફક સ્થિર થઈ જાવ, આ મયુરાસન છે જે તમામ પ્રકારના પાપોને નષ્ટ કરનારું છે. તમામ પાપોને ના, તમામ પ્રકાર. આ મયુરાસન આવું છે. મયુરાસનમાં આ રીતે કરીએ. બંને પગ, બંને તો હાથ આ રીતે રાખી પછી આ જે કોણી છે તેને અહીંયા નાભી પર આમ રાખી અને આમ કરવાનું. હવે પગ પણ ઊંચા થવા જોઈએ જે અત્યારે આપણાથી થઈ શકતા નથી. પણ કેવી રીતે કરવાનું છે? પણ આનો અભ્યાસ જો એક સમયથી કરવાનો શરૂ કરેલો હોય તો પછી બહુ સારી રીતે થઈ શકતું હોય છે. આ બધાના ચિત્રોને બધું જ અવેલેબલ છે ખરેખર તો.
હવે સૌથી શ્રેષ્ઠ વાત કરે છે: "જે કોઈ સ્થિતિમાં બેસવાથી સુખ અને ધૈર્ય મળે તેને સુખાસન કહેવામાં આવે છે." સુખી રહેવાનું, લાંબા સમય સુધી બેસી શકાય એવું સારું આસન. એટલે કહે છે કે અશક્ત સાધકોએ આ સુખાસનનો જ આશ્રય લેવો જોઈએ. દત્તાત્રેય ભગવાન કહે છે. એટલે પછી આપણાથી થતું ના હોય ને કે હું મયુરાસન કરીને પછી જપ કરીશ, માનસિક જપ કરીશ. મયુરાસનમાં ૧૦૦૦ મારે મંત્ર કરવાના છે કે ૧૧ માળા કરીશ, તો એ પછી અઘરું કામ થઈ પડે. બરાબર છે. એટલે જેને આ આસનોને જીતી લીધા એને સંપૂર્ણ ત્રિલોકને પોતાના કાબુમાં કરી લીધા. ત્રિલોક: સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ. આ ત્રિલોકની વાત કરે છે.
"તેથી સાંકૃતિ, આ વિધિથી યુક્ત થઈને તમે હંમેશા પ્રાણાયામ કરો." આસન આયા, હવે પ્રાણાયામની વાત કરે છે. આ વિધિથી યુક્ત થાઓ. પહેલા સુખાસનમાં બેસો એમ એમને કીધું. દરેક કેસની અંદર કોઈપણ આસન હશે તો એની અંદર મુખ્ય બાબત શું કીધી? તો કે તમારું ધડ સીધું હોવું જોઈએ, ડોકું સીધું હોવું જોઈએ. આ ત્રણેય સીધી લીટીમાં હોવું જોઈએ, મતલબ દંડ. હવે જો ના થતું હોય તો એક બીજો ઉપાય: ફક્ત આ રીતે હાથ રાખવાનો. શાંતિથી આને મૂકી દેવાય નીચે. સામાન્ય ટેકો દઈએ જાંગ ઉપર, પગ ઉપર, ગમે તે જગ્યાએ ગોઠવીને બેસી રહેવાનું. હવે શરીર મનમાં જે કંઈ બને છે તેને જોયા કરો. આ પણ એક આસન છે.
આ પણ એક મુદ્રા છે. હવે ચોથા ખંડની અંદર નાડી પરિચય, આત્મતીર્થ અને આત્મજ્ઞાનના મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે.
"સાંકૃતિ, આ માનવ શરીર પોતાના હાથના માપથી 96 આંગળનું હોય છે. 96 આ શરીરના મધ્યભાગમાં અગ્નિનું સ્થાન આવેલું છે. એનો વર્ણ તપાવેલા સોના સમાન કહેવામાં આવે છે. એની આકૃતિ ત્રિકોણ છે. અમોએ તમને આ યથાર્થ વાત બતાવેલી છે. હૃદયના ભાગથી બે આંગળ ઉપરની બાજુએ તેમજ લિંગથી બે આંગળ નીચેની બાજુએ જે સ્થાન છે, તેને જ મનુષ્ય દેહનો મધ્ય ભાગ સમજવો જોઈએ અને એ જ મૂલાધાર છે. પરંતુ, મુનિ શ્રેષ્ઠ, આ સ્થાનથી નવ આંગળ ઉપર કંદ સ્થાન રહેલું છે. એ કંદની લંબાઈ-પહોળાઈ ચાર-ચાર આંગળ છે. લંબાઈ અને પહોળાઈ બંને ચાર-ચાર આંગળ, મતલબ ચોરસ છે. આવું ત્રિકોણ છે, એની ઉપર ચોરસ. એની આકૃતિ મરઘીના ઈંડા જેવી છે, ગોળ આમ જેમ હોય એવા પ્રકારનું. ઉપરથી ચામડી વગેરે દ્વારા સુસજ્જિત છે."
"મુનિ પુંગાવ, એ કંદસ્થાનના મધ્ય ભાગમાં નાભી કેન્દ્ર છે," એવું યોગ વિજ્ઞાનીઓએ કહેલ છે. કંદની વચ્ચે જે નાડી રહેલી છે, તેનો ઉલ્લેખ સુષુમ્ણા નામથી કરવામાં આવેલો છે. એ કંદની ચારે બાજુ 72,000 નાડીઓનો સમૂહ રહેલો છે. એમાં સુષુમ્ણા, પિંગળા, ઈડા, સરસ્વતી, વરુણા, પૂષા, યશસ્વીની, હસ્તિજિહ્વા, અલંબુસા, કુહૂ, વિશ્વોદરા, પયસ્વીની, શંખિની અને ગાંધારી – આવી 14 નાડીઓ મુખ્ય છે. 14 નાડીઓ એમાંથી નીકળે છે, કંદમાંથી. એ 14 નાડીઓમાં ત્રણ મુખ્ય છે. આ ત્રણેયમાં પણ એક નાડી, સુષુમ્ણાને સર્વશ્રેષ્ઠ માનવામાં આવી છે અને શાસ્ત્રજ્ઞો તેને બ્રહ્મનાડીના નામથી પણ સંબોધિત કરે છે.
પીઠ અને બરડાની વચ્ચે જે વીણાદંડ, જે મેરુદંડના નામે વિખ્યાત છે, એ હાડકાનો સમુચ્ચય છે. 33 મણકાઓ જે લાગેલા છે, તેમાં થઈને સુષુમ્ણા નાડી મસ્તક સુધી પહોંચે છે. માઈક્રોસ્કોપથી નહીં મળે સુષુમ્ણા. એના માટે વધારે સૂક્ષ્મ અંતરદ્રષ્ટિ કરી અને પછી જોવાની ટેવ પાડવી જરૂરી છે. પછી ધીરે ધીરે દેખાશે.
હવે સુષુમ્ણા નાડી છે, તેને પણ આમ એક ગ્લાસની ટ્યુબ જેવી જોવાની. એની અંદર બીજી ગ્લાસની ટ્યુબ છે, એની અંદર એક ત્રીજી છે અને એની અંદર પાછી એક ચોથી છે. અને એ જે ચોથી જે છે ટ્યુબ, તે એટલી બધી સૂક્ષ્મ છે કે આ વાળ કરતાં પણ સૂક્ષ્મ છે, એટલી બધી પાતળી. પણ એમાં એટલું બધું લાઈટ છે, આખા બ્રહ્માંડની ઇલેક્ટ્રિસિટી એમાં ભરેલી છે એવું સમજો તમે. એટલો બધો પાવર છે એ સરસ્વતી નાડીની અંદર. એને બ્રહ્મનાડી કહેવામાં આવે.
"મુનિશ્વર, નાભિકંદથી બે આંગળ નીચે કુંડલિની રહેલી છે. એને અષ્ટપ્રકૃતિ, પુર્યાષ્ટક, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ અને મન, બુદ્ધિ અને અહંકાર યુક્ત કહેવામાં આવેલી છે." આ જે પાંચ આ બતાયા અને ત્રણ આઠ, એ ત્રણેયના સૂક્ષ્મ અણુઓ છે અને એ બધા સૂક્ષ્મ અણુઓ એ ઝીણા ઝીણા કણો રૂપે રહેલા હોય છે. જેમ હવાની અંદર આપણે આમ કરીએ અને પાવડર ઉડાડીએ અને જે હવામાં કણો દેખાય, એવા સૂક્ષ્મ કણો હોય છે, જે બધા જોઈ શકતા નથી. પણ એને જોઈ શકાય છે અમુક યોગ્ય જેને કહેવાય કે એવી અવસ્થામાં પોતે પહોંચી જાય જ્યારે વ્યક્તિ ત્યારે એ કરી શકે. તો આવી રીતના એ સૂક્ષ્મ કણો જે હોય છે, એ બધા ભેગા થાય છે. તેના અંદર પૃથ્વી તત્વ છે, તેના અંદર જળ તત્વ છે, એમાં અગ્નિ તત્વ પણ છે, એમાં વાયુ તત્વ પણ છે અને એમાં આકાશ તત્વ પણ રહેલું છે. એટલા સૂક્ષ્મથી સૂક્ષ્મ કણોમાં પણ આ બધું રહેલું છે અને એ બધાયની અંદર પાછું શું થયું છે?
તો કે બધા જે જે તે વિચારો, વાસનાઓ જે કંઈ હતી, એ બધા સૂક્ષ્મ રૂપે એ બધાની અંદર પ્રવેશેલા છે. તન્માત્રા કણોની અંદર, એક સૂક્ષ્મ કણોની અંદર. એ સૂક્ષ્મ કણો, એ સૂક્ષ્મ કણો આ પુર્યાષ્ટકમાં રહેલા છે, અષ્ટ પ્રકૃતિ જેને કીધેલી છે તે જગ્યાએ રહેલા છે. એ વાયુ ચેષ્ટા, જળ, અન્ન વગેરેનો અવરોધ કરીને હંમેશા નાડીકંદના પાછળના ભાગને ચારે બાજુથી ઢાંકીને વિદ્યમાન રહે છે. આ કુંડલિનીની વાત કરીએ.
"મુનિ, આ કુંડલિની પોતાના મુખને, બ્રહ્મરંધ્રના મુખને ઢાંકી રાખે છે. સુષુમ્ણાના ડાબા ભાગમાં ઈડા અને જમણા ભાગમાં પિંગળા રહેલી છે. સરસ્વતી અને કુહૂ એ સુષુમ્ણાના પાછળના ભાગમાં રહેલી. સરસ્વતી અને કુહૂ આ સુષુમ્ણા તો અહીંયા પાછળ રહેલી છે એવી રીતના. અને ઈડાની પાછળની બાજુએ ગાંધારી અને પૂર્વ ભાગમાં હસ્તિજિહ્વા, એટલે આગળ હસ્તિજિહ્વા છે અને પાછળ ગાંધારી છે. એવી રીતે પિંગળાની પાછળની બાજુએ પૂષા અને પૂર્વ ભાગમાં યશસ્વીની રહેલી છે. કુહૂ અને હસ્તિજિહ્વાની વચ્ચે વિશ્વોદરી નાડી રહેલી છે. યશસ્વીની અને કુહૂની વચ્ચેના ભાગમાં વરુણા નાડી રહેલી છે અને પયસ્વીની નાડીની સ્થિતિ પૂષા અને સરસ્વતીની વચ્ચે કહેવામાં આવેલ છે." આનો ડાયાગ્રામ બહુ ઇઝીલી બનાવી શકાય અને જોઈને પછી એને સમજી લેવાનું કે આવી રીતના થાય છે.
"શંખિનીનું સ્થાન ગાંધારી અને સરસ્વતીની વચ્ચે છે. અલંબુસા નાભિકંદની વચ્ચેના ભાગમાંથી પસાર થઈને ગુદા સુધી વ્યાપ્ત છે. સુષુમ્ણાનું બીજું નામ રાકા પણ છે. એના પૂર્વ ક્ષેત્રમાં કુહૂ નામની નાડી છે. આ નાડી ઉપર અને નીચે બંને બાજુએ રહેલી છે. એની સ્થિતિ જમણી નાસિકા સુધી કહેવામાં આવે છે. ઈડા નામની નાડી ડાબા નાસિકા સુધી છે. યશસ્વીની નાડી ડાબા પગના અંગૂઠા સુધી વ્યાપ્ત છે. પૂષા પિંગળાના પાછળના ભાગમાં થઈને ડાબી આંખ સુધી પહોંચે છે. ડાબી આંખ સુધી આમ જમણે થઈને ડાબી પહોંચે છે અને પયસ્વીની વિદ્વાનો દ્વારા જમણા કાન સુધી ફેલાયેલી બતાવવામાં આવે છે." પયસ્વીની, તો જેને જમણા કાનમાં સંભળાતું નથી, તે બધા પયસ્વીની નાડીના ભોગ બનેલા હોઈ શકે છે. સરસ્વતી નાડી પર આપણે શોધન અને માર્જન આમ કરવાનું એટલે શોધન થાય અને આમ કરો એટલે માર્જન થાય.
શું થાય? શું આમ કરો એટલે શોધન થાય અને આમ કરો એટલે માર્જન.
થઈ જાય કોઈપણ વસ્તુનું પ્રોગ્રામ, પછી મનમાં જોવાનું, "આમેય નહીં કરવાનું, છેવટે તો બંધ." સમજાયું?
શોધન માર્જન સરસ્વતી નાડી ઉપર તરફ જીભ સુધી વ્યાપ્ત છે. હસ્તે જીવવા નાડી ડાબા પગના અંગૂઠા સુધી ફેલાયેલી છે. શંખીની નાડી ડાબા કાન સુધી. ડાબા કાનમાં ના સંભળાય તો શંખીની એક એવી પણ હોય છે કર્ણ પિશાચીની વિદ્યા. તેમાં આ શંખીની નાડીનો ઉપયોગ થતો હતો. આ ખુલી જાય પછી એના સાથે એવો કોન્ટેક્ટ કરી લે, પછી એવું એવું થાય. પણ યોગ્યો આ બધામાં પડતા નથી. વેદજ્ઞો દ્વારા ગાંધારી નાડીની સ્થિતિ ડાબી આંખ સુધી વ્યાપ્ત હોવાનું બતાવવામાં આવેલ છે. વિશ્વોત્તરાની સ્થિતિ અમિતની ગાંધારી નાડી, વિશ્વોદરીની ડાબી આંખની અંદર જે પેલું થઈ ગયું ને વિઝન લોસ થયો, એને પેલું કાલા મોતિયા કહે છે ને તેવું. વિશ્વોદરીની સ્થિતિ નાભીકંદની વચ્ચે આવેલી છે. અહીંયા આગળ પ્રાણ, અપાન, વ્યાન, સમાન, ઉદાન ના કુર્મ, કૃકુલ, દેવદત્ત અને ધનંજય એમ દસ વાયુઓ બતાવવામાં આવે છે.
આ પ્રાણ સમસ્ત નસ નાડીઓમાં દસ નાડીઓ છે અને દસ પ્રાણ છે. બધા એક કામ કરે છે. એ દસેમાં પાંચ પાંચ પ્રાણ વાયુ મુખ્ય છે અને પાંચેમાં પણ પ્રાણ અને અપાનને સૌથી વધારે મહત્વ આપવામાં આવેલું છે. એમાંથી પ્રાણ નામનો વાયુ નાસિકા અને મુખની વચ્ચે, નાભીના મધ્યભાગમાં અને હૃદયમાં નિવાસ કરે છે. પ્રાણવાયુ આ જગ્યાએ છે. કાઢવો હોય ત્યાંથી કાઢવાનું. આપણે અપાન વાયુ ગુદાલિંગ, જાંગો, ઘૂંટણ, સમસ્ત ઉદર, કટી એટલે કે કમર, નાભી અને પિંડલીઓમાં હંમેશા વ્યાપ્ત રહે છે. મોટાભાગે પગ ઉપર છે બધું નીચેના ભાગમાં. વ્યાન વાયુ બંને કાનોમાં, બંને ચક્ષુમાં, બંને ખભા પર, બંને પિંડીઓમાં, પ્રાણના સ્થાનોમાં અને કંઠમાં પણ વ્યાપ્ત રહે છે. ઉદાન વાયુની સ્થિતિ બંને હાથ અને બંને પગની અંદર રહેલી છે એમ જાણવાનું. જ્યારે સમાન વાયુ સમસ્ત શરીરની અંદર ફેલાયેલો છે.
એક લાઈટનો બલ્બનો જેમ આખા કમરામાં જેમ અજવાળું જાય તેવી રીતે સમાન વાયુ સમાન રીતે આખાય શરીરમાં ફેલાયેલો છે. સમાન વાયુનો ઉપયોગ કરીને પણ તમે સંપૂર્ણ શુદ્ધિ કરી શકો આખા શરીરની. "ઓમ" મોકલવાનો એની જોડે જોડે, બરાબર? સમાન વાયુ મારફતે ઓમકાર મોકલી દેવાનો એટલે બધું શુદ્ધ અને પવિત્ર થઈ જાય.
એમાંથી પ્રાણ નામનો વાયુ નાસિકા મુખ વચ્ચે, આ બધું આપણે કર્યું, કીધું. હા, સમાન વાયુ નિસંદેહ સમસ્ત શરીરમાં ફેલાઈને રહેલો છે. નાગ નામનો વાયુ ચામડી અને હાડકામાં નિવાસ કરે છે. ઓસ્ટીઓપોરોસિસ, ઓસ્ટીઓઆર્થરાઇટીસ બધા રોગો કોના છે? સ્કીન ડીસીઝ બધા કોના છે? પિમ્પલ પિમ્પલ બધું થાય છે, ડિમ્પલ તે બધું ડિમ્પલ ને પિમ્પલો બહુ થાય તે નાગ નામના વાયુની વિકૃતિના કારણે ઉત્પન્ન થાય છે. એટલે, "હે સાંકૃતે!" ઉચ્છવાસ અથવા શ્વાસને અંદરની બાજુ ખેંચવો અને નિશ્વાસ એટલે કે શ્વાસને બહાર કાઢવો તથા ખાંસુ, આ ત્રણેય કાર્ય પ્રાણવાયુ દ્વારા પૂર્ણ થાય છે. ખાંસવાનું કામ બી પ્રાણવાયુ દ્વારા થાય. આ શ્વાસ લેવો અને મૂકવો એ પ્રાણવાયુ કરે છે. સાથે સાથે ખાંસું, તો એવી સલાહ આપવામાં આવી હતી કે જે લોકોને એવું લાગે કે એમને હાર્ટની કંઈક તકલીફ થઈ છે અને એ લોકો એકલા છે, તો એ લોકોએ જોર જોરથી ખાંસવું.
ખાંસ્યા કરશે, સતત ખાંસ્યા કરશે તો પણ એમને થોડોક સમય મળી જશે. હાર્ટમાંથી કર્યા જ કરવાનું. જો અહીંયા સીધી અસર આવે છે, સમજાયું? એની અસર આવે છે. એટલા માટે અહીંયા કહેવામાં આવ્યું હતું કે ભાઈ જ્યારે પણ કોઈને એવું લાગે કે સાવ એકલા છે અને ખાંસ્યા એમ કે હાર્ટની કઈ તકલીફ ઊભી થઈ છે એવો જો અણસાર બી આવે તો એને ખાંસ્યા કરવાનું. શરીર ઢીલું પડી જાય, પરસેવો પરસેવો થઈ જાય, ચક્કર, ગભરામણ, પીળું પીળું, લાલ બધું દેખાવા માંડે, આમ મગજ ગુમ થવા માંડે એવી પરિસ્થિતિ આવી હોય ત્યારે સમજી જવાનું કે હવે આમાં કંઈક તકલીફ લાગે. એટલે ખાંસવાનું ચાલુ કરી દેવાનું. એટલે લગભગ તો કોકનું ને કોકનું ધ્યાન પણ ખેંચાઈ જશે અને સાથે સાથે એને અંદરથી સમય પણ મળી રહેશે. પેલું એકદમ જે આવીને દબાઈ દે એટેક કરીને એ નહીં થાય, કારણ કે એ પ્રાણ બહાર કાઢ્યા જ કરે છે આવી રીતના કરીને.
એટલે પ્રાણ બહાર કાઢશે તો પછી અંદર બીસી જ જશે જોડે જોડે તરત. એમાં તો કંઈ કરવું જ નહીં પડે. એવી રીતના એ સમય મળી જાય છે.
હવે મળાદી કાર્યનો પરિત્યાગ અપાન વાયુ દ્વારા થાય છે. આપણે શું કહીએ છીએ? "પ્રાણમાં પરબ્રહ્મ લો, અપાન વાયુમાં ઉચ્છવાસમાં અહંકાર, અજ્ઞાન, અંધકાર કાઢી નાખો." મુનિ પુંગાવ! સમાન વાયુ સંપૂર્ણ શરીરને સમ અવસ્થામાં બનાવીને રાખે છે. સમ અવસ્થામાં સમાન વાયુ, "ઓમ!" આવી રીતે સમાન વાયુ દ્વારા પણ ઓમકારને મોકલીને સંપૂર્ણ હીલિંગ કરી દેવા એક જરાક વારની અંદર. પછી આમ બી હાથ નહીં રાખવાનું. ઉદાન વાયુ ઉપર તરફ પ્રસ્થાન કરે છે. વેદાંત તત્વના વિશેષજ્ઞ વિદ્વાનોનું માનવું છે કે વ્યાન વાયુ ધ્વનિનો વ્યંજક છે. મુનિ! ડકાર, ઓડકાર, ઉલટી વગેરે કાર્ય નાગ વાયુ દ્વારા પૂર્ણ થાય છે. આ સંપૂર્ણ દેહમાં સૌંદર્ય વગેરેનું સંપાદન ધનંજય નામનો વાયુનું કાર્ય કહેવામાં આવે છે. આંખોનું ખોલવું-બંધ થવું વગેરે કુર્મ નામના વાયુની પ્રેરણાથી થાય છે. કૃકલ નામના વાયુ દ્વારા ભૂખ અને તરસની ઈચ્છા થાય છે.
તંદ્રા અને આળસ જે છે તે દેવદત્ત વાયુનું કાર્ય કહેવામાં આવેલ છે. મુનિશ્વર! સુષુમ્ણા નાડીના અધિષ્ઠાતા દેવ શિવ છે, ઈડા નાડીના વિષ્ણુ છે અને પિંગળા નાડીના દેવતા બ્રહ્માજી છે. એટલે અહીંયા આગળ તમને મળી ગયું. વચ્ચે શિવ છે, અહીંયા આગળ વિષ્ણુ છે અને આ બાજુ બ્રહ્મા છે. સમજાયું? ત્રણેયના જે દેવ છે, સેન્ટરમાં સદાશિવ સુસોમનામાં, ઈડાની અંદર વિષ્ણુ ભગવાન અને પિંગળા જે નાડી છે તે બ્રહ્માજીનો નિવાસ બતાવવામાં આવેલા છે. એમનું આધિપત્ય આ ત્રણ નાડીઓ ઉપર આવી.
રીતના હોય છે. "સરસ્વતી" નાડીના દેવતા વિરાટ છે. "પૂષા" નાડીના દેવતા, દેવતા "પૂષા" નામના આદિત્ય છે. "વરુણા"ના વાયુ દેવતા છે અને "હસ્તી જીવવા" નાડીના દેવતા વરુણ છે. એ વરુણદેવ છે. "હસ્તી જીવવા"ની અંદર જળ તત્વનું વધારે છે. "વરુણ" એટલે વાયુદેવ, તો વાયુ તત્વ વાયુદેવ છે. અને "પૂષા" નાડીના દેવતા "પૂષા" નામના આદિત્ય સૂર્ય જેવું દેવ છે. હે મુનિ, ભગવાન ભાસ્કર "યશસ્વીની" નાડીના દેવતા છે. "અલંભુષા" નાડીના દેવતા પણ જળ સ્વરૂપ વરુણ કહેવામાં આવેલા છે. "કુહું" નાડીની અધિકારત્રી ક્ષુધા દેવી છે. "ગાંધારી"ના દેવતા ચંદ્રમા છે. એવી જ રીતે "શંખીની" નાડીના દેવતા પણ ચંદ્રમા જ છે. "પયસ્વીની" નામની નાડીના દેવતા પ્રજાપતિ છે. આ બધા જ દેવી દેવતાઓ તમારી અંદર જૂથ છે.
"વિશ્વોદરા" નાડીના દેવતા ભગવાન અગ્નિદેવ છે. "વિશ્વોદરા", ઉદર અને વિશ્વ, ઉદર અને "વિશ્વોદરા". સમજાય છે કંઈ? ભૂખ લાગી? હે વેદવતાઓમાં શ્રેષ્ઠ મહર્ષિ, ચંદ્રમા દેવતા હંમેશા "ઈડા" નામની નાડીમાં અને સૂર્ય દેવતા "પિંગળા" નાડીમાં સંચરિત થાય છે. "પિંગળા" નાડીથી "ઈડા" નાડીમાં જે સંવત્સરાત્મક પ્રાણમય સૂર્યનું સંક્રમણ થાય છે, તેને વિદ્વાન મહર્ષિઓએ "ઉત્તરાયણ"ની સંજ્ઞા આપેલી. સમજાયું? "પિંગળા" નાડીથી "ઈડા" નાડીમાં સૂર્ય નાડીનું જે સંક્રમણ થાય છે, આ જે સંક્રમણ છે તેને "ઉત્તરાયણ" કહેવામાં આવે છે. અને પેલું જે થાય છે તેને "દક્ષિણાયન" કહેવામાં આવે છે. અને આ જે થાય છે તેને "સંવત્સર" કહેવામાં આવે છે. એક વર્ષ સવારે એ જ રીતે "ઈડા"ની "પિંગળા"માં જે "દક્ષિણાયન" નામથી વ્યક્ત કરેલ છે. જ્યારે પ્રાણ "ઈડા" અને "પિંગળા"ની સંધિમાં જાય છે, ત્યારે આ દેહની અંદર અમાસ થાય.
અંદરથી જ્યારે પ્રાણ મૂલાધારમાં પ્રવેશ કરે છે, ત્યારે હે વિદ્વાન તપસ્વીઓ, "આદ્ય વિષુ" નામના યોગનું પ્રાગટ્ય કહેલ છે. પ્રાણ જ્યારે મૂલાધારમાં પ્રવેશ કરે છે, ત્યારે પ્રાણવાયુ પ્રાણ. હે શ્રેષ્ઠ મુનિ, જ્યારે પ્રાણવાયુ સહસ્ત્રારમાં પ્રવેશ કરે છે, તે સમયે શ્રેષ્ઠ તત્વનો વિચાર કરતાં મહાન ઋષિઓએ "અંતિમ વિષુવ યોગ"ની સ્થિતિ કહેલી છે. "અંતિમ વિષુવ યોગ", બધા જ ઉચ્છવાસ અને નિશ્વાસ માસ સંક્રાંતિ માનવામાં આવે છે. આ એક મહિનો પૂરો. હે તત્વજ્ઞ શિરોમણી, જ્યારે પ્રાણ "ઈડા" નાડીના માધ્યમથી કુંડલીની પાસે આવે છે, ત્યારે તે સમયને "ચંદ્રગ્રહણ કાળ" કહેવામાં આવે છે. એવી જ રીતે, પ્રાણ જ્યારે "પિંગળા" નાળીના માધ્યમથી કુંડલીના ક્ષેત્રમાં આવે છે, ત્યારે તે "સૂર્યગ્રહણ"નો સમય હોય છે.
આપણા આ દેહમાં મસ્તકના સ્થાને "શ્રી શૈલ" નામથી યુક્ત તીર્થ રહેલું છે. "શ્રી શૈલે મલ્લિકાર્જુનમ". લલાટના કપાળની અંદર "કેદાર" તીર્થ પ્રતિષ્ઠિત છે. હે મહાપ્રાજ્ઞ, નાસિકા અને ભ્રુકુટી બંનેની વચ્ચે "કાશીપુરી" આવેલી છે. "વારાણસી કાશી" અહીંયા છે. સ્તનદ્વય મંડલોમાં "કુરુક્ષેત્ર"નો નિવાસ છે. કમળ રૂપી હૃદયમાં "તીર્થરાજ પ્રયાગ" પ્રસ્થાપિત છે. હૃદયના મધ્ય ક્ષેત્રની અંદર "ચિદંબર" તીર્થ વિદ્યમાન છે. મૂલાધારના સ્થાનમાં "કમલાલય" તીર્થની સ્થાપના થયેલી છે. જે આવા શ્રેષ્ઠ "આત્મતીર્થ"નો ત્યાગ કરીને બાહ્ય તીર્થ ક્ષેત્રોની ભ્રમણા યાત્રાઓ કરતા રહેતા હોય છે, એ હાથમાં રાખેલા કીમતી બહુમૂલ્ય રત્નનો ત્યાગ કરી ફેંકી દઈને કામને જ શોધતો રહે. "ભાવ તીર્થ" જ સૌથી ઉત્તમ તીર્થ છે. પત્ની-પુત્રી બંનેનું આલિંગન કરવામાં આવે છે, પરંતુ બંનેમાં ભાવનાનું બહુ મોટું અંતર રહેલું હોય છે.
પત્નીનું આલિંગન બીજા ભાવથી અને પુત્રીનું આલિંગન બીજા ભાવથી કરવામાં આવે છે. યોગી મનુષ્ય પોતાના "આત્માના તીર્થ"માં સૌથી વધારે વિશ્વાસ રાખવાને કારણે જળથી પૂર્ણ તીર્થો અને કાષ્ટ વગેરેથી બનાવવામાં આવેલી દેવ પ્રતિમાઓનું રક્ષણ પ્રાપ્ત કરતા નથી, શરણ પ્રાપ્ત કરતા નથી. યોગીઓ એમના શરણે જતાં નથી. એ તો આ બધા જે અંતર તીર્થો રહેલા, સૌથી મોટામાં મોટું તીર્થ કહી દીધું. "આત્મા" એ જ મોટામાં મોટું તીર્થ છે. અને આત્મા ક્યાં નથી? હે પરબ્રહ્મ પરમાત્મા સ્વરૂપે, આત્મા તો બધે જ મોજુદ છે. તો હવે એક જગ્યા એવી બતાવો કે જ્યાં તીર્થ નથી. પબ્લિક શૌચાલય છે ને, તે પણ તમારા "આત્મતીર્થ"ની એમની વ્યાપ્તિમાં આવેલું છે. એટલે અપવિત્ર એવું કોઈ સ્થાન નથી, એવું કોઈ કાળ નથી. સમજ આપણી આમ ઉપર એવી રીતના લેતા જવાનું છે કે જેમ જેમ તમે યોગનો અભ્યાસ કરતા જાવ છો, તેમ તેમ તમને આ બધી વસ્તુઓનું પણ જ્ઞાન થતું હોવું જોઈએ અને આ વસ્તુઓ ઉપર તમારે પછી ચાલવાનું છે.
પછી લોઅર લેવલના સિદ્ધાંતો અને વસ્તુઓ અને એ બધી વસ્તુઓ તમને લાગુ પડતી નથી. તમે પીએચડી કરવા માંડ્યા છો અને તમે પછી બીજા ધોરણની ચોપડી ગુજરાતીની ખોલીને બેસી જાવ, એ બરાબર કહેવાય? હા, તમે છોકરાને ભણાવતા હોય તો બરાબર છે. બીજા ધોરણના ત્યારે તમારે ખોલવી જરૂર છે. પણ તમે ખુદ એક ચોપડી બહુ સરસ્ય કરીને બેસો ને રોજ વાંચ્યા કરો, રોજ વાંચ્યા કરો બીજા ધોરણની ચોપડી, એવો ઘાટ થાય છે અને એવું કેટલાય લોકોના જીવનમાં છે. તમારા મધર બેટા બેટા શું કર્યા કરે છે ત્યાંથી જઈને એવું. શરીરની અંદર રહેનાર પ્રદૂષિત ચિત્ત. જો પ્રદૂષણ ક્યાં? તો કે ચિત્ત. ચિત્તમાં પણ વ્યાપેલું છે. શરીરની અંદર રહેલું પ્રદૂષિત ચિત્ત બહારના તીર્થમાં માત્ર ડૂબકી લગાવવાથી પવિત્ર થતું નથી. અહીં તો "ચિત્ત શુદ્ધિ"ની વાત કરી દીધી એમણે. જો આ રીતના કરીને કે ભાઈ તમે બધું ભલે ગમે તે નાવ, ધોવું, કંઈ બી કરો છો કે નથી કરતા, મુખ્ય વાત શેની?
તો કે "ચિત્ત શુદ્ધિ" થવી જોઈએ. કારણ કે દારૂથી ભરેલા ઘડાને ઉપરથી સેંકડો વાર પવિત્ર જળથી ધોવામાં આવે તો એ ઘડાની અંદર દારૂ ભરેલું રહેવાને કારણે એ અપવિત્ર જ બની જાય છે. એવી રીતે આપણા શરીરમાં જે "વિષુ યોગ", "ઉત્તરાયણ", "દક્ષિણાયન" કાળ અને સૂર્ય અને ચંદ્રમાના ગ્રહણ છે તથા તેમાં નાસિકા અને ભ્રમરોની વચ્ચે "વારાણસી" વગેરે તીર્થોમાં...
મનુષ્ય ભાવનાપૂર્વક સ્નાન કરે છે તે જ પવિત્ર થાય છે. અહીં ભાવનાપૂર્વક સ્નાન કરવાનું એમ કહે છે.
અજ્ઞાનીઓના અંતઃકરણની શુદ્ધિ માટે જ્ઞાન યોગીઓના ચરણોનું તીર્થ જ ઉત્તમ તીર્થ છે. જ્ઞાનીના ચરણમાં કીધું છે ને, બધા તીર્થો રહેલા છે.
દાદાએ પણ કહેલું: "આ શરીરમાં પરમાત્મા સત્તા ભગવાન સદાશિવના રૂપમાં વિદ્યમાન છે."
આ ભગવાન સદાશિવને ન જાણનારો મૂળ અજ્ઞાની મનુષ્ય તીર્થ, દાન, જપ, યજ્ઞ, કાષ્ટ અને પથ્થરમાં ભગવાનને શોધતો રહે છે. અંદર ભગવાન છે ને, બહાર પેલો ત્યાં આગળ કરે છે!
હે સાંકૃતિ, જે પોતાના અંતઃકરણમાં સદાય સતત સ્થિર રહેનારા એવા મારા પરમાત્મા તત્વની અવગણના કરીને માત્ર બહારની સ્થૂળ મૂર્તિઓનું સેવન કરે છે, એ હાથમાં રાખેલા અન્નના કોળિયાને ફેંકી દઈને પોતાની કોણી ચાટ્યા કરે છે. અન્ન ફેંકી દીધું અને કોણી ચાટે છે. તૃપ્તિ ક્યારે આવશે?
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.