અનંતની યાત્રાAnant ni Yatra
૧૦૮ ઉપનિષદ સિરીઝ · 108 Upanishad Series

૭. આરુણ્યુપનિષદ્

વિડિયો ૧૨

લેખ ૯ / ૧૪૯ · 11 મિનિટ વાંચન · વિડિયો જુઓ ↓

વેદમાં માનવામાં આવે છે એને "આરુણિકો ઉપનિષદ" પણ કહેવામાં આવે છે. અહીંયા આગળ ઋષિ આરુણીની વૈરાગ્ય જિજ્ઞાસાના ઉત્તરમાં બ્રહ્માજીએ સન્યાસમાં દીક્ષિત થવાના સૂત્રો સમજાવેલા છે. સન્યાસમાં પ્રવેશ માટે બ્રહ્મચારી, ગૃહસ્થ અને વાનપ્રસ્થ એમ ત્રણેયને એકી અધિકૃત કરવામાં આવેલ છે. સન્યાસીના યજ્ઞ, યજ્ઞોપવિત્ર વગેરે કર્મકાંડના ચિન્હો, પ્રતીકોના ત્યાગનું બહુ મોટું માર્મિક સ્વરૂપ અહીં સમજાવવામાં આવેલ છે.

સન્યાસી યજ્ઞનો ત્યાગ કરતો નથી, સ્વયં યજ્ઞ રૂપ બની જાય છે. એ મંત્ર છોડતો નથી, એની વાણી સ્વયં મંત્ર રૂપ બની જાય છે. આ બધા મહત્વપૂર્ણ સૂત્રોને અંતરંગ જીવનમાં, અંતર જીવનમાં ધારણ કરવાને કારણે તેને સન્યાસી અથવા તો સમ્યક રૂપે ધારણ કરનારો કહેવામાં આવે છે. સન્યાસ ગ્રહણ કરવાના સ્થૂળ કર્મકાંડનો પણ અહીંયા ઉલ્લેખ કરેલો છે:

"ૐ આપ્યાયંતુ મમંગાની વાક પ્રાણ ચક્ષુ શ્રોત્ર મથો બલમ ઇન્દ્રિયાની ચ સર્વાની સર્વં બ્રહ્મૌપનિષદં મા અહં બ્રહ્મ નિરાકુર્યાં, મા મા બ્રહ્મ નિરાકરોદ્, અનિરાકરણમસ્તુ અનિરાકરણં મેઽસ્તુ તત્વા તદાત્મને નિરતે ય ઉપનિષદ સુ ધર્માસ્તે મયી સંતુ તે મયી સંતુ ૐ શાંતિ શાંતિ શાંતિ."

સ્વર્ગ, મૃત્યુ અને પાતાળમાં શાંતિ થાઓ. મારા સમસ્ત અંગ અવયવો વૃદ્ધિને પામો. પ્રોગ્રેસ ના થાય તો જીવન આગળ વધશે નહીં. આ રોજ સેલ મરે છે અને રોજ નવા પેદા થાય છે. હવે જો એ સેલ નવા બનવાની જે પ્રોસેસ છે, જે બંધ થઈ જાય છે, એવા લોકો ઝડપથી મૃત્યુને પામે છે. વાણી, પ્રાણ, નેત્ર, કાન, બળ, આ બધી જ ઇન્દ્રિયો વિકસિત થાઓ. સમસ્ત ઉપનિષદ બ્રહ્મ છે. મારાથી બ્રહ્મને છોડાય નહીં તથા બ્રહ્મ અમારો ત્યાગ ના કરો, મારો પરિત્યાગ ના કરો. એ રીતે બ્રહ્મમાં રત થયેલા અમોને ઉપનિષદ પ્રતિપાદિત, ઉપનિષદમાં કહેલો ધર્મની પ્રાપ્તિ થાય. ઉપનિષદની અંદર એક જ ધર્મની વાત કરવામાં આવી છે: આત્મધર્મ. "તું આત્મા છે, તું આત્મા થા, તું આત્મરૂપ જ છે." અમારા ત્રિવિધ તાપોનું સમન થાઓ તથા અમોને શાંતિ પ્રાપ્ત થાવ.

આ પાછો વ્યવહારિક ભાગ ગયો, કારણ કે જે લોકો હજુ ત્યાં નથી પહોંચ્યા એમને પણ ત્યાં થોડા અપગ્રેડ કરવાના છે. પ્રજાપતિની ઉપાસના કરનાર અરુણના પુત્ર અરુણી, અરુણી પ્રજાપતિ એટલે બ્રહ્માજી, બ્રહ્મલોકમાં ભગવાન બ્રહ્માજીની સમક્ષ ઉપસ્થિત થયા. જો, પોતાને એટલો અપગ્રેડ કરી કરીને એ છેક બ્રહ્મલોક સુધીને પહોંચી ગયા. હવે બ્રહ્મલોક કોઈ જગ્યાએનો લોકની વાત નથી. આ જે છે તે જ બ્રહ્મા છે. જે મન છે તે જ બ્રહ્મા છે. તો એ મનોલોકની અંદર આ આખી એક લેવલ પર પહોંચીને જે આખી પરાવાણીની અંદર વાત થઈ રહી છે તેની વાત કરવામાં આવે છે અહીંયા આગળ. ત્યાંથી બધું જ્ઞાન આવી રહ્યું છે.

પ્રાર્થના કરી બ્રહ્માજીને અને કીધું કે, "હે ભગવાન, જો ભગવાન અન્ન છે, હું બધા કર્મોનો કઈ રીતે પરિત્યાગ કરી શકું?" ત્યારે બ્રહ્માજીએ એમને કહ્યું, "હે ઋષિ, પોતાના પુત્ર, સ્વજન, સંબંધી, ભાઈ, ભાંડુ વગેરેને, યજ્ઞોપવિત, યજ્ઞ, શિખા અને સ્વાધ્યાયને તથા ભૂલોક, ભુવલોક, સ્વર્લોક, મહલોક, જનલોક, તપલોક, સત્યલોક અને અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાલ વગેરે સંપૂર્ણ બ્રહ્માંડનો પરિત્યાગ કરી દેવો જોઈએ."

બધું જ પતી ગયું આટલાની અંદર. ખરેખર માત્ર દંડ પહેરવા માટે વસ્ત્રમાં કોપીન એટલે કે લંગોટી ધારણ કરવી જોઈએ. આ સાંસારિક થોડી મર્યાદાના માટે. બાકીની બીજી બધી જ વસ્તુઓનો ત્યાગ કરી દેવો જોઈએ, ત્યાગ થઈ જવો જોઈએ. બધી જ વસ્તુ, કશું કશું જ ના હોય એની પાસે. એને પહેલા શું કીધું? "આનો ત્યાગ કરો. તમે આ બધા અતલ, વિતલ, સુતલ બધા અહીંના અહીંયા જ છે. બધા સત્યલોક સુધીનું બધું જે કઈ છે તે બધું પણ અહીંયા જ છે." એટલે કહે છે એ કે પાંચે પાંચ કોષો ઉપર તમારી જે કોઈ મમતા કે કશો વિચારો કે કંઈ પણ હોય, બધાનો સંપૂર્ણપણે ત્યાગ કરી દો. એનો અર્થ એ થયો કે તમે આત્મરૂપમાં આવી ગયા અને બધી જ વસ્તુઓનો પરિત્યાગ કરી દીધો. બધા સંબંધો પણ છોડી દીધા, બધી વસ્તુઓ પણ છોડી દીધી, પોતે શરીર પણ છોડી દીધું. અને છતાં એને કહે છે કે એક દંડ રાખવાનો અને એક કોપીન રાખવાનો.

આ વ્યવહાર માટેની બાબત હતી. પણ દંડ એટલે કયો દંડ? તો કે આ કરોડ રજ્જુનો જે મેરુદંડ છે એ એક જ દંડ રાખવાનો એમ. એટલે સતત ત્યાં તમારું એમ કે ધ્યાન રાખવાનું. એ જ એ મેરુદંડ સિવાય બીજું કશું એના પાસે હોય નહીં એમ કે.

બ્રહ્મચારી હોય, ગૃહસ્થ હોય કે વાનપ્રસ્થ હોય, પોત પોતાના આશ્રમમાં જણાવેલા દિવ્ય અગ્નિઓને પોતાના જઠરાગ્નિમાં આરોપિત કરી લેવા જોઈએ. બધા જે બાહ્ય અગ્નિઓ છે એ બધા જે કંઈ છે તે કેવળ જઠરાગ્નિ જ છે, બીજું કોઈ અગ્નિ નથી એમ કહે છે. હવે ગાયત્રીને પોતાની વાણી રૂપ અગ્નિમાં પ્રતિષ્ઠિત કરો. ગાયત્રી યજ્ઞોપવિત્રને પૃથ્વી પર અથવા જળમાં વિસર્જન કરી દેવાની. યજ્ઞોપવિત્ર ઝૂપડીમાં રહેનારા બ્રહ્મચારીએ પોતાના પરિવારનો પરિત્યાગ કરી દેવાનો. પાત્રનો ત્યાગ કરે અને પવિત્રી એટલે કે કુશાને પણ ત્યાગી દે. એ દર્ભ પણ રાખવાનું નથી એને. દંડ તેમજ લૌકિક અગ્નિનો પણ ત્યાગ કરે. પછી એને અગ્નિ પ્રગટાવવાનો, પેટાવવાનું કશું નહીં એવું એને કીધું બ્રહ્માજીએ આરુણીને.

આગળ એમને કહ્યું કે, "મંત્રહીનની જેમ જ આચરણ કરે." કોઈ મંત્ર ઉચ્ચારવાના નહીં, કશું નહીં, કંઈ નહીં એમ કે. એને કોઈ મંત્ર આવડતો જ નથી એવી રીતના એને કરવાનું. મતલબ કે કોઈ મંત્રોચ્ચાર કરવાનો નથી. બસ એક જ મંત્ર જે ચાલે છે તેના પર જવાનું છે. આગળ જે હમણાં બતાવ્યો તમને શું કે શરૂઆત થાય એટલે આ જે શ્વાસ આમ ચાલે છે બસ એના પર જ ધ્યાન આપ્યા કરવાનું. આ જ યજ્ઞ છે. આના વિશે જ બધી આગળ વાત કરીશું આપણે પેલાની અંદર એવું કીધું બ્રહ્માજીએ અને કીધું કે, "મંત્રહીનની જેમ આચરણ કરે. ઉર્ધ્વ એટલે કે સ્વર્ગ વગેરે લોકોમાં જવાની."

ઈચ્છા પણ ના કરે, "હું સ્વર્ગે જઈશ, હું સ્વર્ગે સીધાઈશ, આમ કરીશ, તેમ કરીશ." કોઈ ક્યાંય સીધાવાની જરૂર નથી. તું સીધો થઈ જા ને અહીંયા આગળ, એટલી જ વાત છે. ઔષધિની જેમ અન્નને ગ્રહણ કરે. ઔષધિની માત્રા કેટલી હોય? બે ગોળી સવારે અને બે ગોળી સાંજે, બસ એટલું જ લેવાનું. તો કે ઔષધી, અંજલી આયુર્વેદના ઔષધો એવા હતા કે એક આચમની કે બે આચમની આપે, એટલું અન્ન ગ્રહણ કરવાનું. ત્રિકાળ સંધ્યા સ્નાન કરે, ત્રિકાળ સંધ્યા કરવાની અને સ્નાન કરે. સંધ્યાકાળમાં સમાધિસ્થ થઈને પરબ્રહ્મ પરમાત્માનું અનુસંધાન કરે. બ્રહ્મ વેદોમાં આરણ્યકોની આવૃત્તિ કરે, અર્થાત વાંચે અને મનન કરે. ઉપનિષદોનો વારંવાર અધ્યયન કરે. આ બ્રહ્માજીનો આદેશ છે આરુણીને.

હવે આગળ બ્રહ્મનું જ્ઞાન કરાવનાર સૂત્ર બ્રહ્મસૂત્ર. "અવશ્ય હું જાતે જ છું એ બ્રહ્મસૂત્ર. સૂત્ર હું જ છું." પહેલા કોઈક હતો, એ પહેલા કોઈક હતો. દરેક બ્રહ્મને જાણ્યું અને જાણતા જાણતા બધા પહોંચી ગયા. બધાય પોતાનું પાછળ કંઈક મૂકીને ગયા છે. એ પકડી પકડીને આપણે ચાલી રહ્યા છીએ. આવું આ ઉપનિષદ પણ એમાંનું એક સૂત્ર છે. એવી રીતે આ બ્રહ્મસૂત્ર છે એમ પકડીને, "એ બ્રહ્મસૂત્ર હું છું," એમ જાણી અને શું કરવાનું? તો કે ઉપવિતનો પણ પરિત્યાગ કરી દે. ઉપવિત એટલે ઉપર જે કંઈ પણ પહેરેલું જે વસ્ત્ર હોય તેને ઉપવિત કહેવામાં આવે છે. તેનો પણ ત્યાગ કર્યો. વસ્ત્ર ગયું, યજ્ઞોપવિત પણ ગયું, કશું છે નહીં.

હવે એ પ્રમાણે જાણનાર વિદ્વાન શું કરશે? તો કે, "મયા સન્યસ્તમ, મયા સન્યસ્તમ. મેં સન્યાસ લઈ લીધો. મેં સર્વસ્વનો ત્યાગ કર્યો. બધું જ છોડી દીધું." એમ ત્રણ વાર કહે અને પછી તો કે, "અભયમ સર્વભૂતે ભ્યો મતઃ સર્વ પ્રવર્તતે." એટલે કે બધા જ હિંસક અને અહિંસક પ્રાણીઓને અભય પ્રાપ્ત થાઓ. આપણે પણ આવું કરી શકીએ. સવારમાં જ નીકળવાનું આ બોલીને કે, "બધા જ હિંસક અને અહિંસક પ્રાણીઓને અભય પ્રાપ્ત થાઓ. સંપૂર્ણ જગત મારામાં વિદ્યમાન છે." એવા મંત્રથી કહેવાનું કે, "હે દંડ, આપ મારા મિત્ર છો. આપ મારા ઓજનું રક્ષણ કરો. સુષુમ્ણા દંડ છે, મેરુદંડ છે. આપ મારા મિત્ર તથા આપ જ વૃત્રાસુરનો નાશ કરનાર દેવરાજ ઇન્દ્રનું વજ્ર છો. વજ્ર ના પણ છે. હે વજ્ર, હવે ત્યાં ઊંડે જઈને આપ અમોને સુખ પ્રાપ્ત કરાવો અને અમને સન્યાસ ધર્મથી પથભ્રષ્ટ કરનારું જે કંઈ હોય તેનું નિવારણ કરો." એવું કંઈ સામે જ ના આવે કે જે એમના સન્યાસ્તમાંથી પાછો ફરી પાડે.

એવું કહીને અભિમંત્રિત એક વાંસનો દંડ અને કૌપીન એટલે લંગોટી ધારણ કરવાની. ઔષધિની જેમ ભોજન ગ્રહણ કરવાનું. જે કંઈ મળી જાય તેને અલ્પમાત્રામાં ઔષધિ સમજીને ખાવાનું.

"હે આરુણી, સન્યાસ ધર્મને ગ્રહણ કરવા ઉપરાંત બ્રહ્મચર્ય, અહિંસા, અપરિગ્રહ અને સત્યનું નિષ્ઠાપૂર્વક પાલન કરવું જોઈએ. હે વત્સ, આ સન્યાસ ધર્મના બધા જ અનુશાસનો તને જે વર્ણન કર્યું તેનું પ્રયત્નપૂર્વક રક્ષણ કરો, રક્ષણ કરો, રક્ષણ કરો." બ્રહ્માજી કહે છે. ત્યારબાદ બ્રહ્માજીએ ફરીથી કહ્યું કે, બ્રહ્મ ભાવને પ્રાપ્ત થયેલા પરમ પરિવ્રાજકો માટે પૃથ્વી પર જ આસન અને સયનનો નિયમ છે. કશું જ પાથરવાનું નહીં, ધરતી પર જ સુવાનું, ધરતી પર જ બેસવાનું. આ એમનો નિયમ. માટીના વાસણને અથવા તુંબી કે તુંડું લાકડાના કમંડળને પોતાની પાસે રાખે. એ વખતના જે જરૂરિયાત હતી તે. પહેલા સૂક્ષ્મની વાત કરીએ, હવે જરા સ્થૂળ સન્યાસ ધર્મની વાત કરે. સન્યાસીઓએ કામ, ક્રોધ, હર્ષ, શોક, રોષ, લોભ, મોહ, દંભ, આડંબર, ઈર્ષા, ઈચ્છા, પર નિંદા અને મમતા તેમજ અહંકાર વગેરેનો સંપૂર્ણ રીતે ત્યાગ કરી દેવો જોઈએ.

પછી આગળની વાત કરી. એમને વર્ષા ઋતુના ચાર માસ સુધી એક જ સ્થળે સ્થિર થઈને સ્થાયી રૂપે રહેવું જોઈએ. એ સિવાય બાકીના આઠ માસ એકાકી ભ્રમણ કરે. સંપૂર્ણ અંદર જ રહે. ઓછામાં ઓછા બે મહિના સુધી એક સ્થાનમાં રહે. બે મહિના સુધી આપણે અંદર જવાનું અને "હું આત્મા છું, હું આત્મા છું," એ ભાવમાં રહેવાનું એમ કહે છે. ખરેખર, એટલો સમયગાળો બીજું ઓછું નહીં. આવા બધા જ નિયમ અને ઉપનિયમની પૂરેપૂરી જાણકારી રાખનાર વિદ્વાન અગર સન્યાસ ધર્મને સ્વીકારવા ઈચ્છે તો એને ઉપનયન પછી, એટલે જે બ્રહ્મચારી હોય તેને ઉપનયન સંસ્કાર થાય તે પછી અથવા તે પહેલા પણ પોતાના માતા-પિતા, પુત્ર, અગ્નિ, ઉપવિત કર્મ, પત્ની અથવા અન્ય જે કંઈ હોય તે સમસ્ત વસ્તુઓ અને પદાર્થોનો ત્યાગ કરી દેવો જોઈએ. સન્યાસ ધર્મ ગ્રહણ કરનાર ઈચ્છવું જોઈએ કે એ પોતાના હાથોને જ પાત્ર બનાવી લે અથવા તો પછી પોતાના ઉદર (પેટ)નો જ પાત્ર રૂપતા ઉપયોગ કરી ભિક્ષા માટે ગામોની અંદર જાય.

"ઓમ" એ જ ઉપનિષદ મંત્રનો ત્રણ વખત ઉચ્ચારણ કરતાં કરતાં ભિક્ષા માટે ગામમાં પ્રવેશ કરવાનો.

આ ઉપનિષદ છે. જે વિદ્વાન આ ઉપનિષદને પૂર્ણ રીતે જાણે છે, એ વિદ્વાન છે. પલાશ એટલે કે કેસુડો, બીલી, પીપળો અથવા ઉમરડો, ગમે તેમાંથી લાકડાનું એક દંડ એને બનાવવાનો. એ જમાનામાં સાપ, જનાવરની તકલીફો હતી વધારે પડતી એટલે ફરતા હોય તો તે વખતે શું આમ પેલું કરીને જાય ને એટલે એના સ્પંદનથી પેલા બધા જ જતા રહે. બસ આટલી જ વાત. એને પહેલા તો અભયની પ્રતિજ્ઞા કરી દીધી છે. પછી જે બને તે ખરું. દેહનો તો એને ભાવ, દેહ ભાવનો ત્યાગ કરી નાખ્યો. પછી એને કશું કરડે કે ન કરડે, એને કોઈ પેલી એ નથી. પણ એનામાં એવો ભાવ હોવાના કારણે શું છે કે હિંસક પ્રાણીઓ પણ એનાથી દૂર નાસી જાય અથવા તો એની જોડે આવીને બેસે પણ એને આમ કરે. બીજા બધાનો શિકાર કરે પણ એનો શિકાર કરે નહીં. આટલો બધો પાવર એ જનરેટ કરી શકતા હતા. આવી રીતે જે ઉપનિષદને જાણે છે, એ શ્રેષ્ઠ છે, એ જ સુરવીર છે.

સુરતા એટલે આ કહેવાય એમ કે એ પરમાત્મા આકાશમાં પ્રકાશયુક્ત સૂર્યમંડળની જેમ પરમ વ્યોમમાં ચિન્મય તેજ દ્વારા બધી બાજુએ સમવ્યાપ્ત છે. સૂર્યની જેમ સંવ્યાપ્ત છે.

જેમ સૂર્યનો પ્રકાશ ના હોય એવી કોઈ જગ્યા હોતી નથી દિવસે, એ પ્રમાણે આ પરમાત્માનું જે છે ને, તેને તો દિવસ કે રાત પણ હોતી નથી. એ તો બસ એનું તે બધે હોય જ છે.

એવા ભગવાન વિષ્ણુના એ પરમધામનું વિદ્વાન ઉપાસક હંમેશા દર્શન કરે છે, દર્શન કરે છે. અંદર અંતરદર્શનની વાત છે. આ જે છે પરબ્રહ્મ, તે ભગવાન વિષ્ણુ છે. એવી રીતના કરીને વિષ્ણુ હંમેશા વ્યાપક હોય, આપણે કીધું ને, એવી રીતના એને દર્શન કરે.

અને એવી રીતે સાધના માં સતત લાગેલા રહીને, નિષ્કામ ઉપાસક, કોઈ ઈચ્છા નથી એવો બ્રાહ્મણ, ત્યાં પહોંચીને એ પરમધામને એનાથી વધારે પ્રદીપ્ત કરતા રહે છે. તે જ તો છે જ, પણ પેલો અંદર આવ્યો એટલે પાછો અજવાળું વધુ. એક લાઈટ વધી ગઈ, એવી રીતના એ પરમધામને પ્રદીપ્ત કરે છે.

આ પ્રમાણે એ પદને વિષ્ણુનો પરમધામ કહે છે. એ રીતે આ નિર્વાણ મુક્તિ પ્રાપ્તિનું અનુશાસન છે. વેદનું અનુશાસન છે. આજ ઉપનિષદ છે. આરણ્ય ઉપનિષદ અહીંયા આગળ પૂરું થાય.

આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.